________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધિકાર સાતમો]
[ ૨૯ વળી, જિનવાણીમાં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહેલ છે. હવે સમ્યગ્દર્શન-જ્ઞાનમાં તો સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન-શાન થવું જોઈએ, પણ તેનો તો આને કાંઈ વિચાર નથી; તથા સમ્યક્રચારિત્રમાં રાગાદિ દૂર કરવા જોઈએ, તેનો પણ આને ઉધમ નથી. સમ્યગ્દર્શનમાં તો સાત તત્ત્વો બરાબર જાણવાં જોઈએ પણ નિશ્ચયાભાસી તેને જાણતો નથી. જીવ-અજીવ તત્ત્વ છે, પર્યાયમાં આસ્રવાદિ છે, તેનો તે સ્વીકાર કરતો નથી, અને એકલા આત્માની વાત કરે છે; વળી, આત્માના આશ્રયે રાગનો નાશ થવો જોઈએ તેનો તે પુરુષાર્થ કરતો નથી. ચારિત્રનો અર્થ તો એવો છે કે વિકારને ટાળવો પણ તેના નાશનો ઉદ્યમ તે કરતો નથી, અને માત્ર એક પોતાના આત્માને શુદ્ધ અનુભવવો તેને જ મોક્ષમાર્ગ માની સંતુષ્ટ થયો છે; તથા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા થવી તે મોક્ષમાર્ગ છે અને તે માનતો નથી. રાગ છે તો તેનો અભાવ કરીને શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, પણ રાગને જ માને નહિ તો શુદ્ધ આત્માનો અનુભવ કરવો એ પણ રહેતું નથી. માટે સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. જેમ છે તેમ જાણે નહિ તો સમ્યજ્ઞાન થાય નહિ.
શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે વળી, તે આત્માનું ચિંતવન કેવી રીતે કરે છે તે કહે છે. આત્માનો અનુભવ કરવા માટે તે ચિંતવન કરે છે કે “હું સિદ્ધસમાન શુદ્ધ છું.' તે પણ એની ભૂલ છે એમ કહેશે; કેમકે તે પર્યાયને માનતો નથી. “ત્રિકાળ શુદ્ધ છું” એ વાત પણ એની સાચી નથી. તે કહે છે કે (૧) હું સિદ્ધસમાન શુદ્ધ છું, (૨) કેવળજ્ઞાનાદિ સહિત છું, (૩) દ્રવ્યકર્મ-નોકર્મથી રહિત છું, (૪) પરમાનંદમય છું, (૫) જન્મમરણાદિ દુ:ખ મને નથી, એમ અનેક પ્રકારથી ચિંતવન કરે છે, પણ તે તેનો ભ્રમ છે, કેમકે જો એ ચિંતવન દ્રવ્યદૃષ્ટિથી કરે છે, તો શુદ્ધ અશુદ્ધ સર્વ પર્યાયોનો પિંડ છે, તેને તો તે જાણતો નથી. અશુદ્ધ સંસાર પર્યાય વીતી ગઈ છે એને પણ અહીં દ્રવ્યમાં નાખી છે. કેમકે પર્યાયને તે બિલકુલ માનતો નથી. માટે તેને સમજાવવા-પર્યાયની કબૂલાત કરાવવા આ રીતે વાત કરી છે. તેને કહે છે કે તારી દ્રવ્યદૃષ્ટિ પણ સાચી નથી. દ્રવ્યમાં એકરૂપતા હોવા છતાં પણ જેને શુદ્ધ-અશુદ્ધ બન્ને પર્યાય આત્માની છે, એવી ખબર નથી અને એનો સ્વીકાર કરતો નથી, તેને કહે છે કે દ્રવ્ય તો શુદ્ધ-અશુદ્ધ સર્વ પર્યાયોનો પિંડ છે. માટે દ્રવ્યદૃષ્ટિથી તું ચિંતવન કરે છે કે આત્મા સિદ્ધસમાન છે, તારી એ વાત બરાબર નથી; કેમ કે શુદ્ધ-અશુદ્ધ સર્વપર્યાયો સહિત દ્રવ્ય છે એમ માનવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com