Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયા...ll re||
ઈન્દ્રિયજ્ઞાત
પ્રજ્ઞા છીણી
અતીન્ટ્રિય જ્ઞાનમયી
આત્મા
ઈન્દ્રિયજ્ઞાનથી અતીન્દ્રિયજ્ઞાનમયી આત્મા વચ્ચેનું ભેદજ્ઞાત.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નમ: સમયસારાયા
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી.
સંકલન કર્તા કુ. સંધ્યાબેન જૈન
શિકોહાબાદ
: દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન શ્રી પ્રેમચંદભાઈ મેઘજી શાહ (લંડન)ના
સૌજન્યથી
: પ્રકાશક:
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ મહાવીરનગર, હિંમતનગર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by by Rameshbhai V Panchali who has paid for it to be "electronised" and made available on the internet in memory of Lalitaben V Panchali.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of IndriyaGnaan ..... Gnaan Nathi is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Version Number
Changes
001
| 28 May 2002 First electronic version.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશક: શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ મહાવીરનગર, હિંમતનગર.
આવૃત્તિઃ પ્રથમ – ૧OOO
દ્વિતીય - ૩OOO મીતીઃ શ્રી વીરનીરવાણ સં. ૨૫૧૭ શ્રી કહાન સંવત. ૧૧ વૈશાખ સુદ-૨ તા. ૧૬-પ-૧૯૯૧
મુદ્રક: ગુજરાત ઓફસેટ વર્કસ ઓફસેટ હાઉસ વટવા, અમદાવાદ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પ્રકાશકીય નિવેદન *
અહો ! ઉ૫કા૨ જિનવ૨નો, કુંદનો ધ્વનિ દિવ્યનો; જિન કુંદ ધ્વનિ આપ્યા; અહો ! તે ગુરુ કહાનનો.
વર્તમાન શાશનનાયક ભગવાન શ્રી મહાવીરસ્વામી અને પ્રમુખ ગણધરપ્રભુશ્રી ગૌતમસ્વામીથી ચાલ્યો આવતો જિનમાર્ગ તેઓશ્રીની પરંપરામાં ત્રીજે નંબરે જેનું નામ સુશોભિત છે એવા ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય દ્વારા પ્રરૂપિત પરમાગમોમાં ગ્રંથાધિરાજ સમયસાર અધ્યાત્મ જગતનો ભાનુ એવો મુખ્યગ્રંથ છે. અધ્યાત્મ જગતના યુગપ્રવર્તક પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ સમયસારજી ૫૨માગમ ઉ૫૨ ૧૯ વખત અધ્યાત્મની મસ્તીથી જાહેરમાં પ્રવચનો આપી તત્ત્વપિપાસુ જીવોને સુધામૃત પાન કરાવ્યું છે, અને સેંકડો વખત એકાંતમાં સ્વાનુભવપ્રધાન સ્વાધ્યાય કર્યો હતો.
પૂજ્ય ગુરુદેવશ્રીએ ૪૫વર્ષ સુધીના સમયમાં ઉપદેશમાં બે વાતની મુખ્યતા રાખી.
* આત્માનું સ્વરૂપ શું ?
* તેને પ્રાપ્ત કરવાની વિધી શું?
แ
પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતા હતા કેઃ- “આ આત્મા અકર્તા છે”–તે જૈનદર્શનની પરાકાષ્ઠા છે. -આવો અકર્તા જાણનાર આત્મા દૃષ્ટિમાં–અનુભવમાં કેમ આવે તે માટે અનુભવની વિધીનો મંત્ર બતાવ્યો કે; “આ આત્મા ખરેખર ૫૨ને જાણતો નથી તો પ૨ તરફ ઉપયોગ મુકવાની વાત જ કયાં રહી?”
(૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આવો મુળભુત અને કાર્યકારી કરૂણાભીનો ઉપદેશ આપી પૂજ્ય ગુરુદેવશ્રીએ સમાજ ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે.
તેઓશ્રીના ઉપકારની તો શી વાત કરવી!! તે ઉપકારથી આપણું મસ્તક સહજ ઝુકી જાય છે.
પરંતુ આ મુળ ઉપદેશના રહસ્ય ઉપર સમાજમાં અલ્પ મુમુક્ષુઓનું જ કોઈનું ધ્યાન ખેંચાયું છે. આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીના ધર્મસપુત પૂજ્ય ભાઈશ્રી લાલચંદભાઈએ જેના ઉપર બધાનું ધ્યાન ખેંચાવી પ્રકાશ પાડ્યો કે પૂજ્ય ગુરુદેવશ્રીનું ૪૫ વર્ષનું દોહન એ છે કે “આત્મા સ્વભાવથી અકર્તા છે. પરનો કર્તા સ્વભાવથી નથી; અને પરનો જ્ઞાતા પણ સ્વભાવથી નથી.”
આપતો વર્ષોથી કહો છો કે
હું જાણનાર છું, હું કરનાર નથી; જાણનારો જણાય છે; ખરેખર પર જણાતું નથી.”
વળી વારંવાર આપ એ પણ કહો છો કે“સામાન્ય જનસમુદાય પુણ્યની અને પરની કર્તા બુદ્ધિમાં છેતરાણો અને વિદ્વાન વર્ગ ઈન્દ્રિયજ્ઞાન જે જ્ઞાન નથી તેને જ્ઞાન માનીને છેતરાણો”. વધારે શું કહેવું? આ જીવ અનંતવાર દ્રવ્યલીંગી મુની થઈને પણ આ ઇન્દ્રિયજ્ઞાનથી છેતરાણો છે.
હે કહાનકિરણલાલ! આપે ઘરનો છૂપોચોર જે ઇન્દ્રિય જ્ઞાન.... જ્ઞાન નથી એમ બતાવીને પાત્ર જીવોને ખૂબજ સાવચેત અને સાવધાન કરેલ છે. હે પૂજ્યવર! આપનો ઉપકાર માનીએ એટલો ઓછો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપરના પ્રવચનો શાસ્ત્ર આકારે પ્રવચન રત્નાકરના અગિયાર ભાગ, અદ્વિતિયચક્ષુ, જીવનપર્યત સ્વાધ્યાય કરવા જેવું અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, જ્ઞાયકભાવ, સકળશ ૨૭૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો વિગેરે શાસ્ત્ર આકારે બહાર આવ્યા છે તે આપની જ પ્રેરણાથી પ્રકાશીત થયા છે. જે આપશ્રીની ગુરુભક્તિ અને શાસ્ત્રભક્તિ પ્રગટ દેખાય છે.
આપ વારંવાર કહેતા કે આ શું જણાય છે? તો અનાદિથી ઇન્દ્રિયજ્ઞાનમાં જ્ઞાનની ભ્રાંતિના કારણે સામે એમ જવાબ આવતો કે સાયકલ અથવા ભગવાનની પ્રતિમા અથવા ઘડીયાળ તો આપ કહેતા કે એજ મિથ્યાદર્શન, એજ મિથ્યાજ્ઞાન અને એ જ મિથ્યાચારિત્ર છે.
આ વાત કૃપાળુ ગુરુદેવશ્રીએ કરી હતી છતાં કોઈનું ધ્યાન ખેંચાયું નહીં કે આ સમયે સમયે મિથ્યાત્વનું મોટું પાપ થઈ રહ્યું છે. જો આ વાત ઉપર આત્મજ્ઞ પુરુષ પૂજ્ય શ્રી લાલચંદભાઈએ ધ્યાન ખેંચાવ્યું નહોત તો પૂજ્ય ગુરુદેવશ્રી મલ્યા તે ન મલ્યા બરાબર થઈ જાત.
પૂ. શ્રી સોગાનીજીએ કહ્યું છે કે આ માર્ગ પંચમ આરાના છેડા સુધી રહેશે અને આ મુમુક્ષુમંડળીમાંથી બહુધા જીવો મોક્ષમાં જશે. આ માર્ગને અડીખમ અને અણીશુદ્ધ ટકાવી રાખવામાં હું ગુરુદેવ! આપના કેડાયત લાલનો સમાજ ઉપર મહાન ઉપકાર છે.
શ્રી દેવસેન આચાર્ય કહ્યું છે કે હે કુંદકુંદ આચાર્ય જો આપ વિદેહક્ષેત્રે જઈ શ્રી સીમંધર પરમાત્મા પાસેથી આ દિવ્ય દેશના ના લાવ્યા હોત તો અમારા જેવા મુનિઓનું શું થાત! તેમ હું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કૃપાળુ ગુરુદેવ આપે પ્રરૂપેલ અણીશુદ્ધમાર્ગમાં આપશ્રીના તેજસ્વી કિરણ શ્રી લાલે પરની જ્ઞાતાબુદ્ધિનો નિષેધ કરાવ્યો ન હોત તો અમ મુમુક્ષુઓનો ઉપયોગ અંતર્મુખ કેમ થાત !
પૂ. ભાઈશ્રી લાલચંદભાઈને આ બાબતમાં વારંવાર વિચાર આવતા કે “આત્મા કર્તા નથી” એ વાત તો પૂ. ગુરુદેવશ્રીના પ્રતાપે જોરશોરથી બહાર આવી છે. સાથે પરનો જ્ઞાતા નથી. એ વાત પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે. છતાં સમાજનું પરનો જ્ઞાતા નથી. –તે વાત ઉપર પુરૂ ધ્યાન ખેંચાતું નથી તેથી આચાર્યો અને જ્ઞાનીઓના આધારો જે ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ માટેના છે તે એકત્રીત થાય તો સૌનું ધ્યાન ખેંચાય કે - ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી, તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કેમ થાય? તેનો પુરુષાર્થ કરવા ઉદ્યમી થાય. પૂ. ભાઈશ્રીએ જેમને પોતાનો ગાઢ પરિચય છે એવા કુ. સંધ્યાબેનને ઉપર મુજબના વિચાર મૂર્તીમંત થાય તે માટે વાત કરી, આ વાત સાંભળતાં જ કુ. સંધ્યાબેને આ કાર્યભાર સહર્ષ સ્વીકારી ત્વરાથી સંકલન ચાલુ કર્યું.
- અત્રે હિંમતનગર અમારા મંડળના આમંત્રણને માન આપી બન્ને મહાનુભાવો પધાર્યા અને એકમાસ સુધી ભેદજ્ઞાનની ધોધમાર અમૃતવર્ષા કરી, જેમાં અમારું મંડળ તથા પધારેલ સર્વે મહેમાનો ભીંજાઈ ગયા અને કૃતકૃત્યતા અનુભવીએ છીએ. આ સમય દરમ્યાન આ સંકલન આપે વાંચનમાં લીધું તે સાંભળી અમારા મંડળને થયું કે આતો અદભુતથી અદ્દભુત શાસ્ત્ર બહાર પડશે અને ઘણા લાયક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવોનું કામ થશે તો આપણા મંડળે જ આવું અણમોલું શાસ્ત્ર પ્રકાશીત કરવાનો લાભ લેવો, આ અંગે પૂ. ભાઈશ્રી તથા પૂ. શ્રી સંધ્યાબેન પાસે વિનંતી કરી અને તેઓશ્રીએ પ્રકાશીત કરવા મંજુરી આપી તેથી મંડળ અત્યંત વિનમ્ર ભાવે ઉપકાર માને છે.
જિનાગમ મહાસાગરમાંથી અણમોલ રત્ન વીણી વીણીને એકત્રીત કરી આ મહાનશાસ્ત્રમાળાનું અથાગ મહેનત કરી જે અપૂર્વ સંકલન કરી અમ સૌ મુમુક્ષુજગતને પ્રદાન કર્યું છે. તેવા પૂ. શ્રી સંધ્યાબેનનો પણ આ અવસરે ઉપકાર માન્યા સિવાય રહી શકાતું નથી, અતઃ પુનઃ પુનઃ આભાર માનીએ છીએ.
દ્વિતીય આવૃત્તિ પ્રસંગે પ્રથમ આવૃત્તિના પુસ્તકો બહુ જ અલ્પ સમયમાં વેચાઈ જતાં આ બીજી આવૃત્તિ છપાવવામાં આવી છે.
“ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ' આ વિષય ઉપર મૂળશાસ્ત્રોના તથા પૂર્વજ્ઞાનીઓ પૂ. શ્રીમદ્જી, પૂ. ગુરુદેવશ્રી, પૂ. સોગાનીજીના આધારો તો છે જ. સાથે આ દ્વિતીય આવૃત્તિમાં મૂળશાસ્ત્રો, પૂર્વજ્ઞાનીઓ -પૂ. શ્રીમદ્જી, પૂ. ગુરુદેવશ્રી, પૂ. બહેનશ્રી, પૂ. સોગાનીજીના થોડા વધુ આધારો ઉમેરવામાં આવ્યા છે.
- આ પુસ્તકમાં જે જે આધારો જે શાસ્ત્રમાંથી આપવામાં આવેલ છે તે શાસ્ત્રો તથા શાસ્ત્રકર્તાઓની સૂચી પણ પ્રકાશીત કરેલ
છે.
આ કાળે જેમના તરફથી સંસારના મૂળ સમાન ઇન્દ્રિયજ્ઞાન સંબંધી અદ્દભુત સ્પષ્ટતા થયેલ છે તથા જેમની પ્રેરણા અને માર્ગદર્શનથી આ પુસ્તક તૈયાર થઈ પ્રકાશીત થયેલ છે એવા પૂ. ભાઈશ્રી લાલચંદભાઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રત્યે આભાર પ્રદર્શીત થયા વગર આ પુસ્તક અપૂર્ણ લાગતું હતું. તેની પૂર્તિ આમાં કરેલ છે.
આ શાસ્ત્ર પ્રકાશન ગુજરાત ઓફસેટના શ્રી યોગેશભાઈએ સુંદર પ્રીન્ટીંગ, બાઈન્ડીંગ ત્વરાથી કરી આપેલ છે. તેઓશ્રીનો પણ મંડળ આભાર માને છે.
આ પુસ્તક પ્રકાશન માટેની પૂરેપૂરી રકમ લંડન નિવાસી આત્માર્થી ભાઈશ્રી પ્રેમચંદભાઈ મેઘજી શાહ તરફથી મળે છે તે બદલ મંડળ તેમનો આભાર માને આવે છે.
આજે આ માંગલિક શાસ્ત્રની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરી (મુમુક્ષુ સમાજના) હસ્તકમળમાં મુક્તાં અમો સૌ અત્યંત હર્ષ અને ધન્યતા અનુભવીએ છીએ અને ભાવના ભાવીએ છીએ કે સૌને ઇન્દ્રિયજ્ઞાનમાં જ્ઞાનની ભ્રાંતિ છુટી અતીન્દ્રિય પરમપદાર્થ નિજ આત્માના આશ્રયે અતીન્દ્રિય જ્ઞાન-આનંદ પ્રગટ થાય એજ ભાવના.
આ શાસ્ત્રનું અધ્યયન કરનાર મુમુક્ષુઓને વિનંતી કે –
(૧) આ જિનવાણી છે માટે તેની આસાતના ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો.
(૨) પ્રીન્ટીંગ બાબતે જે ભુલીત્રુટિ હોય તે સુધારીને વાંચવા વિનંતી.
શ્રી વીરનીરવાણ સંઃ ૨૫૧૭ વૈશાખ સુદ-૨ તા. ૧૬-૫-૧૯૯૧
લિ. પ્રમુખશ્રી તારાચંદ પોપટલાલ કોટડીયા
સેક્રેટરીશ્રી મહેન્દ્રભાઈ પુંજાલાલ મહેતા શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ મહાવીરનગર, હિંમતનગર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪
/
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અર્પણ
પ્રવર્તક
પૂ.
ગુરુદેવશ્રી-આપે
કારણ છે અને ઇન્દ્રિયજ્ઞાન
"
છે -આવા સુક્ષ્મ, ગાઢ
હું અધ્યાત્મ
યુગ
‘ ઇન્દ્રિયજ્ઞાન જ મોહનું
જીતવાથી મોહ જીતાય
રહસ્યમય મોક્ષમાર્ગની અનેક પડખેથી
સ્પષ્ટતા કરી અને ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન છે એવી ભ્રાંતિ છોડાવી, સમ્યક્ત્તાનના સ્વરૂપની સમજણ કરાવી અમ પામર ઉપર અનંત ઉપકાર કર્યો છે. હૈ પૂ. ગુરુદેવશ્રી: આ અતિગુઢ વિષયની વિશેષ દઢતા માટે અનેક પૂર્વાચાર્યોના ગ્રંથોમાંથી આધાર લઈને સંકલન
કરેલ આ પુસ્તક આપના
હસ્તકમળમાં સાદર
અર્પણ કરીએ
છીએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પરમ પૂજ્ય અધ્યાત્મમૂર્તિ સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
A 6, ૯ SS
< c]]n]cો
૨નાર ન
CIRO $ Oજાણી
નથી Gણાય
જાણનારૉ
GS 2
pulan ah
છે ખરેકે
અધ્યાત્મમૂર્તિ પૂ. સદગુરુદેવ શ્રી કનજીસ્વામીના
અનન્ય ભક્તરત્ન આત્મરસિક પૂ. ભાઈશ્રી લાલચંદભાઈ મોદી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આભાર
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી” શાસ્ત્રના જનક પૂ. ભાઈશ્રી
લાલચંદભાઈ પ્રત્યે આભાર હે પૂજ્યવર! હે પરમ ઉપકારી ! “ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી” -એ ગુપ્ત રહસ્યનું ઉદ્ઘાટન કરીને આપે ઇન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરાવી અને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ કરવાની કોઈ અદભૂત વિધિ બતાવી છે, હે પ્રભો! આપે પરને જાણવાનો (ઇન્દ્રિયજ્ઞાનનો) નિષેધ ન કરાવ્યો હોત તો અમ ભવ્યોનો ઉપયોગ અંતર્મુખ કેમ થાત? અને ઉપયોગ અંતર્મુખ થયા વિના આત્માનો અનુભવ કેમ થાત? અને આત્માનો અનુભવ થયા વિના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કેમ થાત? એટલે આપ અતીન્દ્રિયઆનંદના દાતા છો. મોક્ષના પ્રદાતા છો. હે મોક્ષ પ્રદાતા ! આપનો અનંત અનંત ઉપકાર છે.
આ કાળે ભવ્યોના મહાભાગ્યે જૈન શાસનના નભો મંડળમાં એક મહાન પ્રતાપી યુગ પુરુષ આત્મજ્ઞ સંત પરમ પૂજ્યશ્રી કાનજીસ્વામીનો ઉદય થયો અને તેઓશ્રીએ ધર્મતીર્થની સ્થાપના કરી અને શુદ્ધાત્માના સ્વરૂપ તથા મોક્ષમાર્ગને અનેક પડખેથી વિસ્તારથી સ્પષ્ટ કર્યો, અને પૂ. ગુરુદેવશ્રી દ્વારા સ્થાપેલ ધર્મતીર્થના આપ અતિશય સમર્થ, સશક્ત સંરક્ષક છો. આપશ્રીએ તીર્થકર ભગવંતોથી માંડીને પૂ. ગુરુદેવ શ્રી દ્વારા પ્રતિપાદિત આગમ પરમાગમરૂપી મહાસાગરનું મંથન કરીને અમૃત કાઢયું અને બે સૂત્રરૂપી (હું જાણનાર છું, કરનાર નથી. જાણનારો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જણાય છે ખરેખર! પર જણાતું નથી) ગાગરમાં ભરી દીધું છે. આ રીતે આપે વિસ્તૃત જૈન દર્શનના હાર્દને સંક્ષિપ્ત કરીને ધ્યાન કેન્દ્રિત કરાવ્યું છે કેમકે ધ્યાનથી સાધ્યની સિદ્ધી થાય છે.
- જિન શાસનના સ્તંભ શ્રી કુંદકુંદ આચાર્યદેવ દ્વારા વિરચિત અદ્દભુત, અજોડ, અદ્વિતીય પરમાગમ શ્રીસમયસારની ૬ઠ્ઠી ગાથાને આપે સ્વાનુભવથી પ્રમાણ કરી છે અને પોતાની સ્વાનુભવમયી સાતિશય વાણી દ્વારા પરમ કરુણા કરીને ભવ્ય જીવોને શુદ્ધાત્માનું સ્વરૂપ અને તેના અનુભવની વિધિ સ્પષ્ટ રીતે નિઃશંકપણે દર્શાવી છે. શુદ્ધાત્માનું સ્વરૂપ દર્શાવતા આપે ફરમાવ્યું કે-આત્મા પ્રમત અપ્રમતથી ભિન્ન છે. તેથી પરિણામ માત્રનો કર્તા નથી. અકર્તા છેઆ દ્રવ્યનો નિશ્ચય છે અને દૃષ્ટિનો વિષય છે. અને અનુભવની વિધિ દર્શાવતા આપે ફરમાવ્યું કે જ્ઞાન પરને જાણતું નથી–એમાં જ્ઞાન પરથી વ્યાવૃત થઈ જાય છે અને જાણનારો જણાય છે તેમાં આત્માની સન્મુખ થતાં એક નવું જાત્યાંતર અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે આ પર્યાયનો નિશ્ચય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો પર જણાતું નથી અને જાણનાર જણાય છે આ સત્યને તો સર્વ સ્વીકારી લે છે પણ સવિકલ્પ દશામાં પણ એટલે કે યાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જ જણાય છે. કારણકે જ્ઞાયક ઉપર જ લક્ષ છે. પર જણાતું નથી કેમકે પર ઉપર લક્ષ નથી. એક સિદ્ધાંત જ એવો છે કે જેના ઉપર લક્ષ હોય તે જ જણાય છે. અને જેના ઉપર લક્ષ ન હોય તેનો પ્રતિભાસ હોવા છતાં તે ખરેખર જણાતું નથી જણાય છતા જાણતો નથી. કેમકે લક્ષ ત્યાં નથી. આ રીતે સમ્યકજ્ઞાનનું લક્ષણ હર હાલતમાં પરદ્રવ્યથી પરામ્બુખ અને સ્વદ્રવ્યની સન્મુખ જ રહેવાનું છે. આ રીતે આપે સમ્યકજ્ઞાનનું સ્વરૂપ દર્શાવીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનંત-અનંત ઉપકાર કર્યો છે.
શ્રી કુંદકુંદ દેવના તમે સુભક્ત શ્રી અમૃતચંદ્ર દેવના તમે સુમિત્ર શ્રી કહાનગુરુ દેવના તમે સુપુત્ર શુદ્ધાતમ જાણનહાર લાખ લાખ તને પ્રણામ પૂ. ગુરુદેવશ્રીના શાસનકાળમાં આપશ્રી દ્વારા જ્ઞાનના સ્વરૂપની અત્યંત સ્પષ્ટતા, દ્રઢતા અને નિઃશંકતાની પરાકાષ્ટા જોઈને એમ થઈ જાય છે કે આપના જેવા કેવળજ્ઞાની પરમાત્માના લઘુનંદન ન ભૂતો... ન ભવિષ્યતિ. આપની મહિમા અપરંપાર છે. આપનું દ્રવ્ય અલૌકિક છે. ત્રિકાળ મંગલ છે, પરમ હિતકારી છે. આપની અધ્યાત્મરણમયી મુદ્રા, વાણી તથા જીવન ભવ્યોને આત્મદર્શનની પ્રબળ પ્રેરણા આપ્યા જ કરે છે.
આપનો અતિશય આભાર માનતા હૃદયમાં સ્ટેજ ઉગારો આવે છે કે પ્રભુ ! આપશ્રીએ તો...
મેં જ્ઞાયક પર શેય હૈ મેરે, એસી ભ્રાંતિ મિટા ડાલી જ્ઞાયકના જ્ઞાયક રહેનેકી અપૂર્વ વિધિ બતા ડાલી દ્રવ્ય દષ્ટિકા દાન દિયા હમ સુખી રહે વરદાન દિયા હો સચ્ચે અનુપમ દાનવીર હમ ભાવ આપકા સક્લ કિયા સાગરકે અમાપ જલકો કયા અંજુલિસે નાપા જાતા હૈ? પ્રભુ! આપશ્રીકી મહિમાકો કયા શબ્દોંસે ગાયા જાતા હૈ? જિનશાસન કે નભમંડળમેં તુમ અનંતકાળ જયવંત રહો જયવંત રહો... જયવંત રહો...... શ્રી કહાન-લાલ' જયવંત
રહો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પૂ. ભાઈશ્રી લાલચંદભાઈના હૃદયોદગાર
અનંતકાળથી આ જીવને ઇન્દ્રિયજ્ઞાન (અજ્ઞાન ) પ્રગટ થઈ રહ્યું છે. જો કે ખરેખર તો એને સામાન્ય ઉપયોગ પ્રગટ થઈ રહ્યો છે કે જેમાં એનો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, છતાં પણ એનું લક્ષ ૫૨પદાર્થો ઉપર હોવાથી, દ્રવ્યેન્દ્રિયના અવલંબને એને ભાવેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાન પ્રગટ થઈ જાય છે. અને આ ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે છે એમાં અમ કરી લે છેમારાપણાની બુદ્ધિ કરી લે છે, કેમ કે જાણેલાનું શ્રદ્ધાન થઈ જાય છે. ઇન્દ્રિયજ્ઞાનથી ૫રને જાણતાં ૫૨માં મારાપણું નિયમથી થાય છે. તેથી ઇન્દ્રિયજ્ઞાન જ ખરેખર મોહની ઉત્પત્તિનું મૂળ કારણ છે અથવા સંસારની ઉત્પત્તિનું મૂળ કારણ છે એમ સંતો ફરમાવે છે.
ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે એનાથી એકત્વ કરે છે, એનાથી વિભક્ત કરવાની તાકાત એનામાં નથી કેમકે ઇન્દ્રિયજ્ઞાન એકાંતે પરપ્રકાશક છે. ઇન્દ્રિયજ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન હૈય છે. જ્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાનને જીવ અંતર્મુખ થઈને જીતે નહીં ત્યાં સુધી શેયજ્ઞાયકનો સંકરદોષ મટે નહીં.
ખરેખર તો આત્મા જાણનાર છે ને આ જાણનાર આત્માને જાણે એ જ ખરેખર જ્ઞાન છે. આત્મા જ જ્ઞાતા છે ને આત્મા જ શૈય છે એ ભૂલીને હું જ્ઞાતા છું ને આ ૫૨૫દાર્થો મારા જ્ઞેય છે એવા અભિપ્રાયમાં મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, ભ્રાંતિ થાય છે, અધ્યવસાન થાય છે. તેથી સંતો એ ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ દ્વારા અતીન્દ્રિય જ્ઞાનમય આત્માની ઉપલબ્ધિ કરવાનો ઉપદેશ આપ્યો છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
કેમકે ખરેખર ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાનમય આત્મા એ બે વચ્ચે જ ભેદજ્ઞાન છે, ભેદજ્ઞાનની શરૂઆત જ અહીંથી થાય છે. હું પરને જાણું છું એને ભ્રાંતિ કહી, એને અધ્યવસાન પણ કહ્યું કેમકે ખરેખર આત્મા પ૨ને જાણતો નથી અને જે પ૨ને જાણે છે એ આત્મા નથી, એ તો ઇન્દ્રિયજ્ઞાન છે અને હું પરને જાણું છું એમ માને તો એને ઇન્દ્રિયજ્ઞાનમાં હું પણું થઈ ગયું તેથી એ મિથ્યાત્વ છે. એટલે ઇન્દ્રિયજ્ઞાનને જીતવું બહુ જરૂરી છે.
ઇન્દ્રિયજ્ઞાન કેમ જીતાય ?
હું ૫૨ને જાણતો જ નથી...... મને તો જાણનારો જ જણાય છે ત્યારે ઇન્દ્રિયજ્ઞાનનો વ્યાપાર ક્ષણવાર અટકી જાય છે અને એક નવું જાત્યાંતરજ્ઞાન, અતીન્દ્રિયજ્ઞાન, આત્મજ્ઞાન, અખંડજ્ઞાન, વિકલ્પવિનાનું જ્ઞાન, નયવિનાનું સમ્યજ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્માના સ્વસંવેદનથી પ્રત્યક્ષ દર્શન થાય છે. અતીન્દ્રિયઆનંદનો સ્વાદ આવે છે. આ રીતે આત્માર્થીએ આત્માને અનુભવવા માટે આત્માનુભવમાં એકમાત્ર બાધક કારણ એવા ઇન્દ્રિયજ્ઞાનનો નિષેધ કરવો બહુ જરૂરી છે. ૫૨ને જાણવાના નિષેધમાં તો ઇન્દ્રિયજ્ઞાનનો નિષેધ થાય છે, જ્ઞાનનો નહીં. જ્ઞાન તો ખરેખર એમાં પ્રગટ થાય છે. કેમકે અજ્ઞાનના નિષેધ વિના જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી.
શ્રી સમયસારજી ગાથા-૩૧માં કેવળી ભગવાનની પ્રથમ સ્તુતિ-નિશ્ચય સ્તુતિ, મોહને જીતવાથી થાય છે એમ કહ્યું અને મોહ ઇન્દ્રિયજ્ઞાનને જીતતાં જીતાઈ જાય છે. ઇન્દ્રિયજ્ઞાનને જીતો તો મોહ જીતાઈ જશે આ જિતેન્દ્રિય જિનની વ્યાખ્યા ચોથા ગુણસ્થાને લાગુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
પડે છે. ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે, કથંચિત ભિન્ન અભિન્ન નથી. પણ અતીન્દ્રિયજ્ઞાન તો આત્માથી કથંચિત ભિન્ન અભિન્ન છે અને ઇન્દ્રિયજ્ઞાન તો આત્માથી સર્વથા ભિન્ન છે. કેમકે ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયતત્ત્વ છે, જ્ઞાનતત્ત્વ નથી. જો ઇન્દ્રિયજ્ઞાન, જ્ઞાન હોય તો એમાં આત્માનો અનુભવ થવો જોઈએ પણ એમાં આત્માનો અનુભવ થતો નથી તેથી એ જ્ઞાન નથી પણ પરશેય છે અને આત્માથી સર્વથા ભિન્ન છે.
શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૨માં અલિંગગ્રહણના ૨૦ બોલ છે. એમાંના પ્રથમ બે બોલ ખુબજ મહત્વના છે.
(૧) આ આત્મા ઇન્દ્રિયજ્ઞાન વડે પરને જાણતો જ નથી. એમ કરતાં એને અતીન્દ્રિયજ્ઞાનમય આત્માની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ થાય છે. એવો એનો એક અર્થ છે.
(૨) ઇન્દ્રિયજ્ઞાન વડે આત્મા જણાતો નથી.
આ રીતે ઇન્દ્રિયજ્ઞાન દ્વારા આત્મા જાણતો નથી અને ઇન્દ્રિયજ્ઞાન વડે આત્મા જણાતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન હેય છે.
હવે, જ્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાનમાં ઉપાદેયબુદ્ધિ છે ત્યાં સુધી કર્તબુદ્ધિ છે. જો ઇન્દ્રિયજ્ઞાન સાથે એકતા છે તો આખા વિશ્વની સાથે એકતા છે કેમકે ઇન્દ્રિયજ્ઞાનનો વિષય આખું વિશ્વ છે. પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન કે જે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યને પણ ગ્રહે છે. તેથી ઇન્દ્રિયજ્ઞાનનું વલણ હંમેશા શેયસન્મુખ જ રહે છે, ૫૨જ્ઞેયસન્મુખ જ ઇન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ જાય છે. હવે જ્યાં
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુધી પરય સન્મુખ રહે છે ત્યાં સુધી શેયથી વિમુખ રહે છે. આમ આત્માથી ભાવેન્દ્રિય હંમેશા વિમુખ જ રહે છે તેથી એ ભાવેન્દ્રિયોને જીતતાં એક નવું અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્માનો અનુભવ થાય છે. પછી જ્યાં સુધી કેવળજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન સંયોગપણે રહેશે. પણ એ ઇન્દ્રિયજ્ઞાનને સાધક હેયરૂપ જાણે છે, ઉપાદેયપણે હવે જાણતા નથી. ઇન્દ્રિયજ્ઞાન આશ્રય કરવાની અપેક્ષાએ તો હેય છે પણ પ્રગટ કરવાની અપેક્ષાએ પણ હેય છે. જ્યારે અતીન્દ્રિયજ્ઞાન આશ્રય કરવાની અપેક્ષાએ હેય છે પણ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે.
આવા વિચારો આવ્યા અને આ પુસ્તકનો જન્મ થયો. આ પુસ્તકમાંથી મુમુક્ષુ સમાજને ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન થવા માટેનો ઉત્કૃષ્ટ ઉપાય મળશે અને આત્માનો અનુભવ થશે.
અહીં એક પ્રશ્ન એ થઈ શકે છે કે પાંચ ઇન્દ્રિયો તો એકલા મૂર્ત પદાર્થને જાણે છે તેથી એ તો ય છે પણ ભાવમન કે જે રૂપી અરૂપી બન્ને ને જાણે છે એ હેય કેમ હોઈ શકે ?
ભાવમનમાં ભેદજ્ઞાનના કાળે શુદ્ધાત્માનું જ સ્વરૂપ છે એ ઉપાદેય તત્ત્વ છે એનો નિર્ણય કરવાની તાકાત તો છે, એટલે જ તો સંજ્ઞી પંચેન્દ્રિય સમ્યકત્વને પામે છે એ વાત સાચી છે કેમકે મનવાળું પ્રાણી હિતાહિતનો વિચાર કરી અને જે ઉપાદેય તત્ત્વ છે એને અનુમાનમાં લઈ શકે છે, છતાં પણ મન દ્વારા આત્મા અનુભવમાં આવતો નથી. માટે મન પામે વિશ્રામ. અનુભવ યાકો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નામ! તેથી ભાવમન હેય છે. કેમકે ભાવમનમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે-નયોના વિકલ્પ કે જે વિકલ્પો આકુળતાય છે માટે ભાવમન ને પણ જીતવા જેવું છે.
જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્માને” એમાં ભાવમન પણ આવી ગયું. આજ વાત આત્મખ્યાતિ ટીકા ગાથા૧૪૪ માં લીધી છે. પરની પ્રસિદ્ધિ કરવાવાળી ઇન્દ્રિયોને મર્યાદામાં લાવી ને...
અહીં બીજો પ્રશ્ન એ પણ થાય છે કે જો ઇન્દ્રિયજ્ઞાનને સર્વથા હેય કહેશો તો પછી ઇન્દ્રિયજ્ઞાન દ્વારા પ્રતિમાના દર્શન અને ઈન્દ્રિયજ્ઞાન દ્વારા શાસ્ત્ર સ્વાધ્યાય એનું શું થશે?
આત્માર્થી જીવને પ્રતિમાના દર્શન પણ રહેશે ને શાસ્ત્ર સ્વાધ્યાય પણ રહેશે પણ ઇન્દ્રિયજ્ઞાનને એ અંદરથી હેયપણે જાણશે તેથી એ ઇન્દ્રિયજ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ રહેવા છતાં પણ એની શ્રદ્ધામાં એ ઉપાદેય પણે નહી રહે. તેથી એક સમય એવો આવશે કે એ ઇન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરીને અંદરમાં ચાલ્યો જશે.
અનુભવ પહેલા આ પ્રકારનો વ્યવહાર રહેશે અને અનુભવ થયા પછી પણ આવો વ્યવહાર રહેશે પણ શ્રદ્ધામાંથી એ શલ્ય નીકળી જશે કે ઇન્દ્રિયજ્ઞાન મારું છે. પહેલા ઈન્દ્રિયજ્ઞાનને જ્ઞાન તરીકે માનતો હતો પણ હવે પરણેયપણે જાણશે. પ્રથમ ઈન્દ્રિયજ્ઞાનને નાશ નહીં થાય પણ ઈન્દ્રિયજ્ઞાનમાં જે જ્ઞાનની ભ્રાંતિ હતી એ ભ્રાંતિનો નાશ થાય છે. પ્રથમથી જ ઇન્દ્રિયજ્ઞાન, જ્ઞાન છે જ નહીં. એ છે તો શય જ, જ્ઞાન બિલકુલ નથી. કેમકે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧) આત્માનો અનુભવ ઈન્દ્રિયજ્ઞાનમાં થતો નથી માટે એ પ્રથમથી જ્ઞાન છે જ નહીં. આ એક ન્યાય છે.
(૨) ઇન્દ્રિયજ્ઞાન પરાશ્રિત છે, દ્રવ્યન્દ્રિયનું અવલંબન લઈ ને જ એ પ્રવૃત્તિ કરે છે તેથી એ પરાધીન છે.
(૩) આકુળતાને ઉત્પન્ન કરનારું છે.
(૪) ભગવાને ઇન્દ્રિયજ્ઞાનને મૂર્તિક કહ્યું, પદ્ગલિક કહ્યું છે. હેય કહ્યું છે, પરન્નેય કહ્યું છે.
હજી એક ભ્રાંતિ જીવોને રહી જાય છે કે થોડા શાસ્ત્ર સ્વાધ્યાય પછી એમ ભાસવા લાગે છે કે પહેલા અમને જ્ઞાન નહોતું કે ઓછું હતું પણ હવે તો જ્ઞાન વધ્યું છે. ખરેખર જોઈએ તો એને જ્ઞાન પ્રગટ જ થયું નથી તો વધવાની તો વાત જ કયાં રહી ? “ જ્ઞાન” તો એને કહેવાય કે જે આત્માશ્રિત હોય, અતીન્દ્રિય, અંતર્મુખી હોય કે જેમાં અવિનાભાવે આનંદનો સ્વાદ આવે એને ભગવાને જ્ઞાન કહ્યું છે. જેમાં આનંદનો સ્વાદ ન આવે ને જેમાં એકાંતે આકુળતા થતી હોય એ ખરેખર જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ઇન્દ્રિયજ્ઞાન ખરેખર અજ્ઞાન છે કેમકે એમાં આત્માનો અનુભવ થતો નથી માટે એ અજ્ઞાન છે.
આવી ભ્રાંતિ અને જ્ઞાનનો મદ ટળી જાય અને આત્મલાભ થાય એ હેતુથી આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે.
સામાન્ય લોકો પુણ્યથી ધર્મ માને અને વિદ્વજનો શાસ્ત્રજ્ઞાનને જ્ઞાન માને છે. પણ શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન જ નથી. પૂ. ગુરુદેવશ્રીએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સમયસારજીના ૩૯૦ થી ૪૦૪ ગાથાના પ્રવચનમાં (પ્રવચન રત્નાકર ભાગ-૧૦) તો ત્યાં સુધી ફરમાવ્યું કે શાસ્ત્રના લક્ષવાળું જ્ઞાન તે જડ ને અચેતન છે. એને જડ ને અચેતન કહેવાનું કારણ એ છે કે એમાં આત્મા જણાતો નથી, અનુભવાતો નથી માટે જેમ રાગમાં આત્મા ન જણાય એમ પરસત્તાવલંબનશીલ જ્ઞાનમાં પણ આત્મા ન જણાય તેથી એ બંધનું કારણ છે, મોક્ષનું કારણ થતું નથી. સ્વસત્તાવલંબનશીલ જ્ઞાન એ જ મોક્ષનો માર્ગ અને મોક્ષનું કારણ છે.
ઇન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાનની વાત સુક્ષ્મ અને અતિ વિરલ છે. જિનાગમમાં શરીરથી, કર્મથી, રાગાદિકથી ભેદજ્ઞાનની વાતો તો ઠેર ઠેર આવે છે. પરંતુ એ બધાથી એકત્વ કરનારું મુળમાંતો ઇન્દ્રિયજ્ઞાન છે. કે જેનાથી ભેદજ્ઞાનની વાતો તો કયાંક કયાંક આવે છે તેથી અનેક શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ઇન્દ્રિયજ્ઞાન સંબંધીના ઉલ્લેખો આવ્યા છે એના સંકલનરૂપ જો એક પુસ્તક તૈયાર થાય તો સમાજના મુમુક્ષુ જીવોનું ત્યાં ધ્યાન ખેંચાય. આવો ભાવ મને બહુ રહેતો હતો. આજે મને ઘણી ખુશી છે કે આ પુસ્તક તૈયાર થઈ ગયું છે જે પાત્ર જીવોને એ આત્મલાભમાં નિમિત્ત બનશે.
“ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી” એ સંબંધી આચાર્યોના, સંતોના અને જ્ઞાનીઓના આગમોમાં વચનામૃતરૂપી મણીરત્નો-મોતીઓ જુદા જુદા વીખરાયેલા હતા. તેમને એક દોરારૂપી ગ્રંથમાં પરોવી દીધા છે. જે એક કંઠહારની જેમ શોભાને પ્રાપ્ત થાય છે. આ “ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી”. સંકલનરૂપી કંઠહારને જે પોતાના હૃદયમાં અવધારશે તેને મુક્તિસુંદરી અવશ્યમેવ વરશે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Differences 2nd Edition
Sr. Page Line
| No. | No.
Changed to
ઈન્દ્રીય દ્રષ્ટિ જયાં જયારે
ઇન્દ્રિય દષ્ટિ જ્યાં
જ્યારે
4 મિન્ના
પ્રર્વતતું
11
3
તત્વો 16 | | 6 | 4 भिन्नज्ञानोपल 7 1 3 8 | 12 | 9 | સુજ્જુખ '9 | 16 |
Last 3? 10 | 17 | 15 | વ્યગ્રતાથી 11 | 51 | Last સામાન્યર્થ 12 | 54 | 15 વિજ્ઞાનધન 13 | 57 | 5 રાગદ્વેષદિનો
તત્ત્વ | भिन्नज्ञानोपल પ્રવર્તતું સન્મુખ રુચિ વ્યગ્રતાથી સામાન્યાર્થ વિજ્ઞાનઘન રાગદ્વેષાદિનો રાગાદિરૂપ | તત્ત્વાનુશાસન | અથોતું થયેલો જ્ઞાનજ્યોતિ
14 ક8
14 | 58
| 14
14 રાગદિરૂપ
15 | 73 | 17 16 173 121
તત્વાનુશાસન | અર્થાત
17 | 74
|
17 |74 3 થયેલો 1879 17 શાનજયોતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ સમ્યકત્વ
ઉત્તર
19 | 80 | 1 | આત્મજયોતિ 20 | 80 | 6 | સમ્યકત્વ
80 | 15 | ઉતર 22 97 Last 24CHLA
સમ્યદ્રષ્ટિ 24 | 103 | 11 | જૂઠું
105 | 6 | દ્રષ્ટાંત 26 | 106 | 14 | જ્ઞાતાદ્રષ્ટા 27 | 108 | Last | અસર્મથ
આત્માને સમ્યગ્દષ્ટિ
23 | 102 |
દિષ્ટાંત
28 129 7
T
પરમતત્વનું
7
1
|
29 | 123 1 તત્વ 30 | 124 12 પરમતત્વમાં 31 | 126 | 13 | | અતિંદ્રિય 32 | 126 | 16 ઈન્દ્રિયજ્ઞાન 33 | 130 19 ભાવેન્દ્રિયો 34 | 131 | 11 | મિથ્યાદ્રષ્ટિ 35 | 134 | 11 | કુટુંબ 36 | 134 | 15 જયારે
જ્ઞાતાદ્રષ્ટા અસમર્થ પરમતત્ત્વનું तत्व પરમતત્ત્વમાં અતીન્દ્રિય ઇન્દ્રિયજ્ઞાન ભાવેન્દ્રિયો મિથ્યાષ્ટિ કુટુંબ જ્યારે
37 141 4 મિશ્રાદ્રષ્ટિ
મિથ્યાષ્ટિ
145 | 16
|
નવતત્વ
નવતત્વ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્યાં અર્થાત્ સમવસરણ
સમજ્યો | (તત્ત્વવિરોધના)
| તત્વજ્ઞાન
સમ્યકત્વ જ્યોતિસ્વરૂપ
૨૧
સમવસરણ ઈન્દ્રિયજ્ઞાન
| 39 | 147 | 18 | જયાં 40 | 151 | 10 | અર્થાત 41 | 152 | 1 | સમોશરણ | 42 | 156 |3 સમજયો
157 | 1 |(તત્વવિરોધના) 161 | 22 તત્વજ્ઞાન
193 |2 સમ્યકત્વ 46 | 201 | 15 | જયોતિસ્વરૂપ 47 | 210 | 11 | સમોશરણમાં 48 23 1
11 ઇન્દ્રિયજ્ઞાન 49 215 12 સમોશરણમ 50 224 6 પ્રવૃતિઓ 1 227 2 અર્થાત 52 2294 ધ્યાને 53 232 13 પરમ્પરાકી 54 | 232 | 15 | નિસ્યલ 55 | 238 [17 | પરન્તુ 56 | 255 | Last | અતિન્દ્રિય
| 257 [ 20 ]ધ્વારા 58 262 9 અસ્તિત્વનું
અસ્તિત્ત્વનું
સમવસરણ પ્રવૃત્તિઓ
O | 224
51 | 227 | 2
અર્થાત્
52 | 229 |
तद्ध्यानं પરંપરાકી
નિશ્ચલ પરંતુ અતીન્દ્રિય દ્વારા અસ્તિત્વનું
3 1 252
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
275 |
| 59 269 3 |તત્વરસિક 60 275 20 જવું 61 275 24 | પૃષ્ઠ 62 277 | 16 મણવા
તત્ત્વરસિક જાણું | પૃષ્ઠ મળવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગ્રંથ સૂચી
૧.
ગ્રંથ
શ્રી સમયસાર
૨.
શ્રી પ્રવચનસાર
૩. શ્રી નિયમસાર
૪. શ્રી પંચાસ્તિકાય
૫. શ્રી રત્નકદંડ શ્રાવકાસાર
૬. શ્રી સમયસાર ટીકા
૭. શ્રી પ્રવચનસાર ટીકા
૮.
શ્રી સમયસાર ટીકા
૯. શ્રી પ્રવચનસાર ટીકા
૧૦. શ્રી નિયમસાર ટીકા
૧૧. શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ
૧૨. શ્રી આલાપ પદ્ધતિ
૧૩. શ્રી પદ્મનંદી પંચવિશતીકા
૧૪. શ્રી પ૨માત્મપ્રકાશ
૧૫. શ્રી યોગસાર
૧૬. શ્રી તત્ત્વાનુશાસન
૧૭. શ્રી ઇષ્ટોપદેશ
૧૮. શ્રી સમાધિતંત્ર
૧૯. શ્રી યોગસાર પ્રામૃત
૨૦. શ્રી ન્યાયદિપીકા
૨૧. શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ
૨૨. શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ
૨૩. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક
ગ્રંથકાર
શ્રી કુંદકુંદ આચાર્યદેવ
શ્રી કુંદકુંદ આચાર્યદેવ
શ્રી કુંદકુંદ આચાર્યદેવ
શ્રી કુંદકુંદ આચાર્યદેવ
શ્રી સમંતભદ્ર આચાર્યદેવ
શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવ
શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવ
શ્રી જયસેન આચાર્યદેવ
શ્રી જયસેન આચાર્યદેવ
શ્રી પદ્મપ્રભમલધારીદેવ
શ્રી નેમીચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી
શ્રી દેવસેન આચાર્યદેવ
શ્રી પદ્મનંદી આચાર્યદેવ
શ્રી યોગુન્દુદેવ
શ્રી યોગન્દુદેવ
શ્રી રામસેન આચાર્યદેવ
શ્રી પૂજ્યપાદસ્વામી
શ્રી પૂજ્યપાદસ્વામી
શ્રી અમિતગતિ આચાર્યદેવ
શ્રીમદ્દભિનવ ધર્મભૂષણજી
શ્રી પં. રાજમલજી
શ્રી પં. રાજમલજી
શ્રી પં. ટોડરમલજી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૪. શ્રી ૨હસ્યપૂર્ણ ચિઠ્ઠી
૨૫. શ્રી ૫૨માર્થ વનિકા
૨૬. શ્રી સમયસાર કળશટીકા
૨૭. શ્રી જ્ઞાનાનંદ શ્રાવકાચાર
૨૮. શ્રી સમયસાર-ભાવાર્થ
૨૯. શ્રી સમયસા૨-ભાવાર્થ
૩૦. શ્રી રત્નકદંડશ્રાવકાચાર ટીકા
૩૧. શ્રી સમાધિતંત્ર ટીકા
૩૨. શ્રી પંચાધ્યાયી-ભાવાર્થ
૩૩. શ્રી પંચાધ્યાયી-ભાવાર્થ
શ્રી પં. ટોડરમલજી
શ્રી પં. બનારસીદાસજી
શ્રી પં. રાજમલજી
૪૧. શ્રી અધ્યાત્મ પ્રણેતા
૪૨. શ્રી જ્ઞાનગોષ્ટિ
૪૩. શ્રી અલિંગગ્રહણ
૪૪. શ્રી દ્રવ્યદષ્ટિ પ્રકાશ
૪૫. શ્રી બહેનશ્રીના વચનામૃત
શ્રી બ્ર. રાયમલજી
શ્રી પં. જયચંદજી છાબડા
શ્રી બ્ર. શીતલપ્રસાદજી
શ્રી પં. સદાસુખદાસજી
શ્રી પં. પ્રભાચંદ્રજી
શ્રી પં. મખનલાલજી
શ્રી પં. ફુલચંદજી સિદ્ધાંત શાસ્ત્રી
શ્રી દેવકીનંદજી
૩૪. શ્રી પંચાધ્યાયી-ભાવાર્થ
૩૫. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને પદો શ્રીમદ્દ રાજચંદ્રજી
૩૬. શ્રી જ્ઞાયકભાવ
૩૭. શ્રી પરમાગમસાર
પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો
૩૮. શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય
૩૯. શ્રી આત્મધર્મ
પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો
૪૦. શ્રી પ્રવચન રત્નાકર ભાગ ૧ થી પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો
૧૧
પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો
પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો પૂ. ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો શ્રી પૂ. ન્યાલચંદભાઈ સોગાની
શ્રી પૂ. બહેનશ્રી ચંપાબેન
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
મંગલાચરણ नम: समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे।। १।।
જે સકળ ઇન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે, જે સદા શિવમય છે, ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ દૂર છે, એવું આ અનઘ ચૈતન્યમય સહજ-તત્ત્વ અત્યંત જયવંત છે. || ૨TI
(શ્રી નિયમસારજી પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૫૬) જે અક્ષય અંતરંગ ગુણમણિઓનો સમૂહ છે, જેણે સદા વિશુદ્ધ-( અત્યંત નિર્મળ) શુદ્ધભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપકલંકને ધોઈ નાખ્યા છે અને જેણે ઇન્દ્રિયસમૂહનો કોલાહલ હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકાર દશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. I. ૩ો.
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૬૩). યમીઓને (સંયમીઓને) આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ (આત્માની પ્રાપ્તિ) થાય છે કે જે આત્મલબ્ધિ જ્ઞાનજ્યોતિ વડે ઇન્દ્રિયસમૂહના ઘોર અંધકારનો નાશ કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન (ભવરૂપી) દાવાનળની શિખાજાળનો ( શિખાઓના સમૂહનો) નાશ કરવા માટે તેના પર સતત શમજલમય ધારાને ઝડપથી છોડે છે–વરસાવે છે. || ૪
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૮૬)
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, જોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ? जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू।। ३१।। જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧
ગાથાર્થ:- જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડ અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે.
ટીકા- (જે મુનિ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.) અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત
સ્વ-પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદઅભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી; એ દ્રવ્યન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે પોતાના સંવેદન (અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. એવા, ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મૂળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
આવતાં જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્ધાદિ પદાર્થો તેમને, પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણુ તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે ( મુનિ ) દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને જીતીને જ્ઞેય-જ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતેન્દ્રિય જિન' છે. (જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જુદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની ( સમસ્ત પદાર્થોની ) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે રૂપ નહિ થતો), પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃ સિદ્ધ અને ૫૨માર્થ સત્–એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે. આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ.
(જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા-એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું; ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે જ્ઞેયજ્ઞાયક–સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું)।। ૫।।
(શ્રી સમયસારજી, ગાથા-૩૧.)
*
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૪
નમ:સમયસારાય શુદ્ધ જીવને “સાર ”પણું ઘટે છે. સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને-અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને “સારપણું ઘટતું નથી, શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં અનુભવતાં જાણનારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને “સાર આપણું ઘટે છે. ૧ાા
(પાંડે રાજમલજીકૃત શ્રી સમયસાર કળશ ટીકા, કળશ-૧)
ભાવાર્થ આમ છે કે જ્ઞય-જ્ઞાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવવસ્તુ જ્ઞાયક, પુદ્ગલથી માંડીને ભિન્નરૂપ છ દ્રવ્યો જ્ઞય છે; પરંતુ એમ તો નથી, જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે. “મામ મય ૫: જ્ઞાનમાત્ર: ભાવ: મસિ (ગદમ્) (ગયું :) જે કોઈ (જ્ઞાનમાત્ર: ભાવ: રિમ) ચેતના સર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું “સ: ગ્લેય: ન થવ” તે હું શેયરૂપ છું, પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી ? “àયજ્ઞાનમાત્ર:” (જ્ઞેય) પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના (જ્ઞાનમીત્ર:) જાણપણામાત્ર. ભાવાર્થ આમ છે કે-હું શાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય-એમ તો નથી. તો કેમ છે? આમ છે-“જ્ઞાનજ્ઞેયજ્ઞાતૃ– વસ્તુમાત્ર: શેય:” (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, (જ્ઞેય) શય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, (જ્ઞાતૃ )
* ઇન્દ્રિયજ્ઞાન પૌલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર, –એવા ત્રણ ભેદ ( મર્દાસ્તુમાત્ર:) મારું સ્વરૂપમાત્ર છે (જ્ઞેય: ) એવા શેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે-હું પોતાના સ્વરૂપને વેધવેદકરૂપે જાણું છું તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શેય, એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા; –એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. કેવો છું? “ જ્ઞાનજ્ઞેય
ત્ત્તોલવાન્” (જ્ઞાન) જીવ શાયક છે, (જ્ઞેય) જીવ શેયરૂપ છે, એવો જે (હ્રોત) વચનભેદ તેનાથી (વજ્ઞાન) ભેદને પામું છું. ભાવાર્થ આમ છે કે–વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.।। ૨। (પાંડે રાજમલજી શ્રી સમયસાર કળશટીકા, કળશ ૨૭૧) વૈષયિકજ્ઞાન બધું પૌદગલિક છે.
ज्ञानं वैषयिकं पुंसः सर्वं पौदगलिकं मतम्। विषयेभ्यः परावृत्तमात्मीयमपरं
પુન:।। ૭ ।।
જીવને જેટલું વૈયિક ( ઇન્દ્રિયજન્ય ) જ્ઞાન છે તે બધુ પૌદ્ગલિક માનવામાં આવ્યું છે અને બીજું જે જ્ઞાન વિષયોથી પરાવૃત છે. –ઇન્દ્રિયોની સહાય વિનાનું છે તે બધું આત્મીય છે.।। ।। (શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, ચૂલિકા અધિકાર, ગાથા-૭૬)
આ આત્માને અનાદિકાળથી ઇન્દ્રિયજ્ઞાન છે, જેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે, કારણ કે પોતે પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે
* ૫૨ને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૬
તેના સમુદાયરૂપ પર્યાયમાં જ તે અહંબુદ્ધિ ધારણ કરે છે.। ૪।। (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ચોથો અધિકાર પાનુ–૮૪ ) ભિન્ન જ્ઞાનોપલબ્ધિથી દેહ અને આત્માનો ભેદ.
देहात्मनोः सदा भेदो भिन्नज्ञानोपलमभतः । इन्द्रियैज्ञयिते देहो नूनमात्मा स्वसंविदा ।। ४८ ।। ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને કારણે શરીર અને આત્માનો સદા પરસ્પર ભેદ છે. શરીર, ઇન્દ્રિયોથી-ઇન્દ્રિયજ્ઞાનથી– જણાય છે અને આત્મા ખરેખર સ્વસંવેદનજ્ઞાનથી જાણવામાં આવે છે.।। ૫।।
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાકૃત, ચૂલિકા અધિકાર, શ્લોક-૪૮)
એક તો વિષયગ્રહણની ઇચ્છા હોય છે અર્થાત્ તેને દેખવાજાણવા ઇચ્છે છે. જેમ વર્ણ દેખવાની, રાગ સાંભળવાની તથા અવ્યક્તને જાણવા આદિની ઇચ્છા થાય છે. ત્યાં બીજી કાંઈ પીડા નથી, પરંતુ જ્યાં સુધી દેખે-જાણે નહિ ત્યાં સુધી તે મહાવ્યાકુળ થાય છે. એ ઇચ્છાનું નામ વિષય છે.।। ૬।।
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ત્રીજો અધિકાર, સર્વ દુ:ખોનું સામાન્ય સ્વરૂપ, પાનું-૭૨ ) જ્ઞાન-દર્શનની પ્રવૃત્તિ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે, તેથી આ જીવ એમ માને છે કે-ત્વચા, જીભ, નાસિકા, નેત્ર, કાન અને મન એ બધાં મારાં અંગ છે, એ વડે હું દેખું-જાણું છું, એવી માન્યતાથી ઇન્દ્રિયોમાં પ્રીતિ હોય છે.
મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઇચ્છા
* હું ૫૨ને જાણું છું-તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- અજ્ઞાની જીવની માન્યતા
ઇ દવ્યને | જાણું છું
• હું આંખથી રૂપને જોઉં છું • હું કાનથી સાંભળું છું. • હું તાકથી સુંઘું છું. • હું જીભથી ચાખું છું
સ્પઈન્દ્રિયથી સ્પર્શકહ્યું
આ રીતે પ૨ત જાણતો અજ્ઞાની 'ઈદ્રિયજ્ઞાત સાથે એક્વબધ્ધિ કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની જીવનની માન્યતા
• હું આંખથી રૂપને દેખતો નથી • હું કાનથી સાંભળતો નથી • હું નાકથી સુંઘતો નથી
હું જીભથી ચાખતો નથી • હું સ્પર્શ ઈદ્રિયથી
સ્પર્શ કરતો નથી.
જ હું તો
@ Eવ્યને જાણતો નથી
28ારી નિયમ સાર પ્રવચન સા૨
આ રીતે પરતૈ નહીં જાણતો, કેવળ જાણતા૨ આત્માતે જ અંતરંગમાં જાણતો, ઈન્દ્રિયજ્ઞાતથી ભેદજ્ઞાત કરીતે - જ્ઞાતી અતીવિજ્ઞાન મય થયો થો જિતેન્દ્રિય જિત છે. |
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી થાય છે, ત્યાં એ વિષયોનું ગ્રહણ થતાં એ ઇચ્છા મટવાથી નિરાકુલ થાય છે એટલે આનંદ માને છે. જેમ કુતરો હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે કે “ આ હાડનો
સ્વાદ આવે છે, તેમ આ જીવ વિષયોને જાણે છે તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે છે કે “આ વિષયનો સ્વાદ છે” પણ વિષયમાં તો સ્વાદ છે જ નહીં. પોતે જ ઇચ્છા કરી હતી તેને પોતે જ જાણી પોતે જ આનંદ માન્યો, પરંતુ “હું અનાદિઅનંત જ્ઞાનસ્વરૂપ આત્મા છું” એવો નિ:કેવલ (પરથી કેવળ ભિન્ન) જ્ઞાનનો અનુભવ છે જ નહિ. પરંતુ “મેં નૃત્ય દીઠું, રાગ સાંભળ્યો, ફૂલ સૂછ્યું, પદાર્થ સ્પર્ધો, સ્વાદ જાણ્યો તથા મેં શાસ્ત્ર જાણ્યા મારે આ જાણવું જોઈએ” એ પ્રકારના મિશ્રિત જ્ઞાનના અનુભવ વડે વિષયોની તેને પ્રધાનતા ભાસે છે. એ પ્રમાણે મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઇચ્છા હોય છે. આ કામ
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ત્રીજો અધિકાર, પાન-૪૯ ) એ પ્રમાણે જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમથી થયેલું ઇન્દ્રિયાદિજનિત જ્ઞાન છે તે મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી ઇચ્છાસહિત બની દુઃખનું કારણ થયું છે. ૮ાા
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ત્રીજો અધિકાર, પાનું-૫૦) પોતાનો સ્વભાવ દર્શન જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરના અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્યઇન્દ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે “હાથ વગેરેથી મેં પૂછ્યું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિકા વડે મેં સુંધ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું” મનોવર્ગણારૂપ આઠ પાંખડીવાળા ફૂલ્યા કમળના આકારે
* ઇન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૦ હૃદયસ્થાનમાં શરીરના અંગરૂપ દ્રવ્યમન છે જે દષ્ટિગમ્ય નથી, તેનું નિમિત્ત થતાં સ્મરણાદિરૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. એ દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે “મેં મન વડે જાણ્યું”ા ૯ાા
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ચોથો અધિકાર, પાનું-૮૩) શ્રી પ્રવચનસારમાં પણ એમ લખ્યું છે કે-જેને આગમજ્ઞાન એવું થયું છે કે જે વડે સર્વ પદાર્થોને હસ્તામલકવત્ જાણે છે, તથા એમ પણ જાણે છે કે “આનો જાણવાવાળો હું છું” પરંતુ “હું જ્ઞાનસ્વરૂપ છું” –એવો પોતાને પરદ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્યદ્રવ્ય અનુભવતો નથી. માટે આત્મજ્ઞાનશૂન્ય આગમજ્ઞાન પણ કાર્યકારી નથી. એ પ્રમાણે તે સમ્યજ્ઞાન અર્થે જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરે છે તો પણ તેને સમ્યજ્ઞાન નથી. ૧૦
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક સાતમો અધિકાર પાનુ. ૨૪૭) વળી જે જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠી મન દ્વારા પ્રવર્તતું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવલ સ્વરૂપસન્મુખ થયું, કારણ કે તે જ્ઞાન ક્ષયોપશમરૂપ છે તેથી એક કાળમાં એક શેયને જ જાણે છે, તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્તે ત્યારે અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપધ્યાનીને તેની કાંઈ ખબર નથી. -એ પ્રમાણે મતિજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુતજ્ઞાન પણ સ્વરૂપસન્મુખ થયું. એવું વર્ણન સમયસારની ટીકા-આત્મખ્યાતિમાં છે. તથા આત્મ અવલોકનાદિમાં છે, એટલા માટે જ નિર્વિકલ્પ અનુભવને અતીન્દ્રિય કહીએ છીએ; કારણ કે ઇન્દ્રિયોનો ધર્મતો એ છે કે સ્પર્શ, રસ, ગંધ,
* ઈન્દ્રિયજ્ઞાન દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી વર્ણને જાણે, તે અહીં નથી. અને મનનો ધર્મ એ છે કે તે અનેક વિકલ્પ કરે, તે પણ અહીં નથી; તેથી જે જ્ઞાન ઇન્દ્રિયો તથા મનમાં પ્રવર્તતું હતું તે જ જ્ઞાન હવે અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ. ૧૧ાા
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પાને-૩પ૬) પરંતુ વિશેષ એટલે કે (એ સર્વ આત્મામાં) કોઈ પ્રકારનું જ્ઞાન એવું ન હોય કે પરસત્તાવલંબનશીલ બની મોક્ષમાર્ગ સાક્ષાત્ કહે! કેમ કે અવસ્થા (દશા) ના પ્રમાણમાં પરસત્તાવલંબક છે (પણ તેને તે મોક્ષમાર્ગ કહેતો નથી) તે આત્મા પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા કહેતો નથી. જે જ્ઞાન હેય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનુ નામ જ્ઞાન. ૧૨
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, પરમાર્થ વચનિકા, પાનુ. ૩૬૮) ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે, તેથી કાંઈ તેઓ “કેવળી” કહેવાતા નથી, પરંતુ કેવળ અર્થાત્ શુદ્ધાત્માને જાણતા-અનુભવતા હોવાથી તેઓ કેવળી કહેવાય છે. કેવળ (શુદ્ધ) આત્માને જાણનારઅનુભવનાર શ્રુતજ્ઞાની પણ “શ્રુતકેવળી ' કહેવાય છે. માટે ઘણું જાણવાની ઇચ્છારૂપ ક્ષોભ છોડી સ્વરૂપમાં જ નિશ્ચલ રહેવું યોગ્ય છે. એ જ કેવળજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. ૧૩ના
(શ્રી પ્રવચનસાર ગાથા-૩૩ નો ભાવાર્થ) (“સૂત્રની શસિ' કહીએ છીએ ત્યાં નિશ્ચયથી જ્ઞપ્તિ કાંઈ પૌદ્ગલિક સૂત્રની નથી, આત્માની છે; સૂત્ર જ્ઞતિના સ્વરૂપભૂત નથી, વધારાની વસ્તુ અર્થાત્ ઉપાધિ છે; કારણ કે સૂત્ર ન હોય, ત્યાં પણ જ્ઞતિ તો
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૨
હોય છે. માટે જો સૂત્રને ન ગણીએ તો ‘શિત’ જ બાકી રહે છે; ) અને તે જ્ઞપ્તિ કેવળીને અને શ્રુતકેવળીને આત્મ-અનુભવમાં તુલ્ય જ છે. માટે જ્ઞાનમાં શ્રુત-ઉપાધિકૃત ભેદ નથી. ।। ૧૪ ।।
(શ્રી પ્રવચનસારજી ગાથા-૩૪ ટીકામાંથી )
66
શેય પદાર્થોરૂપે પરિણમવું અર્થાત્ “આ લીલું છે, આ પીળું છે” ઇત્યાદિ વિકલ્પરૂપે જ્ઞેયપદાર્થોમાં પરિણમવું તે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો નથી. નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું તે જ જ્ઞાનનું સ્વરૂપ છે; શેય પદાર્થોમાં અટકવું-તેમના સન્મુખ વૃત્તિ થવી, તે જ્ઞાનનું સ્વરૂપ નથી.।। ૧૫।। (શ્રી પ્રવચનસારજી ગાથા-૪૨ ભાવાર્થ)
કર્મના ત્રણ ભેદ પાડવામાં આવે છે: પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યું. કેવળી ભગવાનનું પ્રાસ કર્મ, વિકાર્ય કર્મ અને નિર્વર્ત્યકર્મ જ્ઞાન જ છે, કારણ કે તેઓ જ્ઞાનને જ ગ્રહે છે, જ્ઞાનરૂપે જ પરિણમે છે અને જ્ઞાનરૂપે જ ઉપજે છે. આ રીતે જ્ઞાન જ તેમનું કર્મ છે. અને જ્ઞપ્તિ જ તેમની ક્રિયા છે. આમ હોવાથી કેવળી ભગવાનને બંધ થતો નથી, કારણ કે જ્ઞતિ ક્રિયા બંધનું કારણ નથી પરંતુ શેયાર્થપરિણમન ક્રિયા અર્થાત્ જ્ઞેય પદાર્થો સન્મુખ વૃત્તિ થવી (–જ્ઞેય પદાર્થો પ્રતિ પરિણમવું) તે બંધનું કારણ છે.।। ૧૬।।
(શ્રી પ્રવચનસારજી ગાથા-૫૨ ભાવાર્થ )
अत्त्थि अमुत्तं मुत्तं अदिंदियं इंदियं च अत्थेसु । णाणं च तहा सोक्खं जंतेसु परं च तं णेयं ।। ५३ ।। અર્થોનું જ્ઞાન અમૂર્ત, મૂર્ત, અતીન્દ્રિય ને ઐન્દ્રિય છે,
* ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી છે સુખ પણ એવું જ, ત્યાં પરધાન જે તે ગ્રાહ્ય છે.
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૩) અહીં, (જ્ઞાન તેમજ સુખ બે પ્રકારનું છે.) એક જ્ઞાન તેમ જ સુખ મૂર્તિ અને ઇન્દ્રિય જ છે; અને બીજુ (જ્ઞાન તેમ જ સુખ) અમૂર્ત અને અતીન્દ્રિય છે. તેમાં જે અમૂર્ત અને અતીન્દ્રિય છે તે પ્રધાન હોવાથી ઉપાદેયપણે જાણવું.// ૧૭ના
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૩ ટીકામાંથી, આખી ટીકા જોવી)
ઇન્દ્રિયજ્ઞાન ઇન્દ્રિયોના નિમિત્તથી મૂર્ત સ્થૂલ ઇન્દ્રિયગોચર પદાર્થોને જ જ્ઞાનના ક્ષાયોપથમિક ઉઘાડ અનુસાર જાણી શકે છે. પરોક્ષ એવું તે ઇન્દ્રિયજ્ઞાન ઇન્દ્રિય, પ્રકાશ આદિ બાહ્ય સામગ્રીને શોધવારૂપ વ્યગ્રતાને (અસ્થિરતાને) લીધે અતિશય ચંચળ-ક્ષુબ્ધ છે, અલ્પ શક્તિવાળુ હોવાથી ખેદખિન્ન છે, પરપદાર્થોને પરિણમાવવાનો અભિપ્રાય કરતું હોવા છતાં પગલે પગલે ઠગાય છે. (કારણ કે પરપદાર્થો આત્માને આધીન પરિણમતા નથી); તેથી પરમાર્થે તો તે જ્ઞાન “અજ્ઞાન” નામને જ યોગ્ય છે. માટે તે હેય છે. ૧૮ાા
(શ્રી પ્રવચનસાર ગાથા-પ૫ ભાવાર્થ) ઉત્થાનિકા- આગે ત્યાગને યોગ્ય ઇન્દ્રિયસુખકા કારણ હોનેસે તથા અલ્પ વિષયકે જાનકી શક્તિ હોનેસે ઇન્દ્રિયજ્ઞાન ત્યાગને યોગ્ય હૈ. ઐસા ઉપદેશ કરતે હૈ.
અન્વય સહિત વિશેષાર્થ- (નીવો સર્ચ મુત્તો) જીવ સ્વયં અમુર્તિક હૈ અર્થાત્ શક્તિરૂપસે વ શુદ્ધદ્રવ્યાર્થિકનકસે અમૂર્તિક અતીન્દ્રિયજ્ઞાન ઔર સુખમય સ્વભાવકો રખતા હૈ તથા અનાદિકાલસે
* ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૪ કર્મબંધને કારણસે વ્યવહારમેં (મુત્તિવો) મૂર્તિક શરીરમેં પ્રાસ હૈ વ મૂર્તિમાન શરીરો દ્વારા મૂર્તિકસા હોકર પરિણમન કરતા હૈ (તેT મુત્તિUT) ઉસ મૂર્ત શરીર કે દ્વારા અર્થાત્ ઉસ મૂર્તિક શરીર કે આધારમેં ઉત્પન્ન જો મૂર્તિક દ્રવ્યન્દ્રિય ઔર ભાવેન્દ્રિય, ઉનકે આધારસે (નોમુત્ત) યોગ્ય મૂર્તિક વસ્તુ કો અર્થાત્ સ્પર્શાદિ ઇન્દ્રિયોને ગ્રહણયોગ્ય મૂર્તિક પદાર્થકો (શોપિ િદત્તા) અવગ્રહાદિસે ક્રમ ક્રમસે ગ્રહણ કરકે (નાની) જાનતા હૈ અર્થાત્ અપને આવરણકે ક્ષયોપશમકે યોગ્ય કુછભી સ્થૂલ પદાર્થોકો જાનતા હૈ (વાતમંનાનારિ) તથા કુછ મૂર્તિક પદાર્થકો નહીં ભી જાનતા હૈ, વિશેષ ક્ષયોપશમકે ન હોનેસે સૂક્ષ્મ યા દુરવર્તી, વ કાલસે પ્રચ્છન્ન વ ભૂત ભાવિ કાલકે બહોત સે મૂર્તિક પદાર્થો કો નહીં જાનતા હૈ.
યહાં યહ ભાવાર્થ હૈ કિ ઇન્દ્રિયજ્ઞાન યદ્યપિ વ્યવહારસે પ્રત્યક્ષ કહા જાતા હૈ તથાપિ નિશ્ચયસે કેવલજ્ઞાનકી અપેક્ષાસે પરોક્ષ હી હૈ. પરોક્ષ હોનેસે જિતને અંશમે વહુ સૂક્ષ્મપદાર્થોકો નહીં જાનતા હૈ ઉતને અંશમે જાનકી ઇચ્છા હોતે હુએ, ન જાન સકનેસે ચિત્તકો ખેદકા કારણ હોતા હૈ, ખેદ હી દુઃખ હૈ ઈસલિયે દુઃખો કો પૈદા કરનેસે ઇન્દ્રિયજ્ઞાન ત્યાગને યોગ્ય હૈા ૧૯
(શ્રી પ્રવચનસાર જયસેનાચાર્ય, ગાથા-૫૫ ટીકા) હવે, ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ યુગપ૬ નહિ પ્રવર્તતી હોવાથી ઇન્દ્રિયજ્ઞાન હેય જ છે. એમ નક્કી કરે છે... રવા
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૬ નું શીર્ષક) મુખ્ય એવા સ્પર્શ-રસ-ગંધ-વર્ણ તથા શબ્દ કે જેઓ પુદ્ગલ છે.
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી તેઓ-ઇન્દ્રિયો વડે ગ્રહાવાયોગ્ય ( જણાવાયોગ્ય) છે. (પરંતુ) ઇન્દ્રિયો વડે તેઓ પણ યુગપ ગ્રહાતા (જણાતા) નથી, કારણ કે ક્ષયોપશમની તે પ્રકારની શક્તિ નથી. ઈન્દ્રિયોને જે ક્ષયોપશમ નામની અંતરંગ (અંદરની) જાણનારી શક્તિ તે કાગડાની આંખના ડોળાની જેમ ક્રમે પ્રવર્તતી હોવાને લીધે અનેકતઃ પ્રકાશવાને (-એકી સાથે અનેક વિષયોને જાણવાને) અસમર્થ છે. તેથી દ્રવ્યેન્દ્રિયે-દ્વારો વિદ્યમાન હોવા છતાં સમસ્ત ઇન્દ્રિયોના વિષયોનુ (-વિષયભૂત પદાર્થોનું) જ્ઞાન એકસાથે થતું નથી, કારણ કે ઇન્દ્રિયજ્ઞાન પરોક્ષ છે. ૨૧
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૬ ટીકા) જે કેવળ આત્માપ્રતિ જ નિયત હોય તે (જ્ઞાન) ખરેખર પ્રત્યક્ષ છે. આ (ઈન્દ્રિયજ્ઞાન) તો, જે ભિન્ન અસ્તિત્વવાળી હોવાથી પદ્રવ્યપણાને પામી છે (અર્થાત્ પરદ્રવ્યરૂપ છે) અને આત્મસ્વભાવપણાને જરાપણ સ્પર્શતી નથી (અર્થાત્ આત્માના સ્વભાવરૂપ લેશમાત્ર પણ નથી) એવી ઇન્દ્રિયો વડ ઉપલબ્ધિ કરીને (એવી ઇન્દ્રિયોના નિમિત્તથી પદાર્થોને જાણીને) ઉપજે છે તેથી તે (ઈન્દ્રિયજ્ઞાન ) આત્માને પ્રત્યક્ષ હોઈ શકે નહીં. તે ૨૨/
(શ્રી પ્રવચનસાર ગાથા-પ૭ ની ટીકા) જે સીધું આત્મા દ્વારા જ જાણે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયજ્ઞાન તો પરદ્રવ્યરૂપ ઇન્દ્રિયો દ્વારા જાણે છે તેથી તે પ્રત્યક્ષ નથી. | ૨૩ાાં
(શ્રી પ્રવચનસારજી ગાથા-૫૭ ભાવાર્થ ) પરપદાર્થકા હીનાધિક જ્ઞાન આત્મ અનુભવમેં પ્રયોજનવાન નહીં
* ઇન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૬ હૈ. ઈસલિયે પરદ્રવ્ય કે અધિક જ્ઞાન કો કરનેકી આકુલતા છોડકર આત્મ અનુભવ કરને કા અભ્યાસ કર, ઉસમેં તેરા ભલા હૈ. ૨૪ (શ્રી પ્રવચનસારજી ગાથા-૩૩ કા ભાવાર્થ, પ્રકાશક બ્ર. લાડમલ
જૈન, શ્રી મહાવીરજી (રાજસ્થાન) ઇન્દ્રિયજ્ઞાન, ઇન્દ્રિય સાથે પદાર્થોનો (અર્થાત્ વિષયી સાથે વિષયનો) સન્નિકર્ષ સંબંધ થાય તો જ, (અને તે પણ અવગ્ર– ઈહા-અવાય-ધારણરૂપ ક્રમથી) પદાર્થને જાણી શકે છે. નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોની સાથે ઇન્દ્રિયનો સન્નિકર્ષ નહીં હોવાથી ઇન્દ્રિયજ્ઞાન તેમને જાણી શકતું નથી. માટે ઇન્દ્રિયજ્ઞાન હીન છે, હેય છે. IT ૨૫
(શ્રી પ્રવચનસારજી ગાથા-૪૦ ભાવાર્થ) ઇન્દ્રિયજ્ઞાન ઉપદેશ, અંત:કરણ, ઇન્દ્રિય વગેરેના વિરૂપ-કારણ પણે ( જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન સ્વરૂપવાળા ઉપદેશ, મન અને ઇન્દ્રિયો પૌદ્ગલિક હોવાથી તેમનું રૂપ જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન છે, તેઓ ઇન્દ્રિયજ્ઞાનમાં બહિરંગ કારણો છે.) (ગ્રહીને) અને ઉપલબ્ધિ (–ક્ષયોપશમ) સંસ્કાર વગેરેને અંતરંગ સ્વરૂપકારણપણે ગ્રહીને પ્રવર્તે છે; અને પ્રવર્તતુ થકું (તે), સપ્રદેશને જ જાણે છે કારણ કે સ્કૂલનું જાણનાર છે, અપ્રદેશને નથી જાણતું (કારણ કે સૂક્ષ્મનું જાણનાર નથી ); મૂર્તિને જ જાણે છે કારણ કે તેવા (મૂર્તિક) વિષય સાથે તેને સંબંધ છે, અમૂર્તને નથી જાણતું (કારણ કે અમૂર્તિક વિષય સાથે ઇન્દ્રિયજ્ઞાનને સંબંધ નથી), વર્તમાનને જ જાણે છે કારણ કે વિષય-વિષયીના સન્નિપાતનો સદ્ભાવ છે, વર્તી ચૂકેલાને અને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતું (કારણ કે ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષનો અભાવ છે.)..ર૬IT
(શ્રી પ્રવચનસાર ગાથા-૪૧ ટીકા પ્રથમ પારો) * ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
ઈન્દ્રિયજ્ઞાનને ઉપલંભક (જણાવનાર, જાણવામાં નિમિત્તભૂત) પણ મૂર્ત છે અને ઉપલભ્ય (જણાવાયોગ્ય) પણ મૂર્ત છે. એ ઇન્દ્રિયજ્ઞાનવાળો જીવ પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો, જ્ઞતિ નીપજવામાં બળધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંભક છે એવા તે મૂર્ત (શરીર) વડે મૂર્તિ એવી સ્પર્ધાદિ પ્રધાન વસ્તુને કે જે યોગ્ય હોય અર્થાત્ જે (ઇન્દ્રિયો દ્વારા) ઉપલભ્ય હોય તેને-અવગ્રહીને, કદાચિત્ તેનાથી ઉપર ઉપરની (અવગ્રહથી આગળ આગળની) શુદ્ધિના સદભાવને લીધે તેને જાણે છે અને કદાચિત્ અવગ્રહથી ઉપર ઉપરની શુદ્ધિના અસદ્ભાવને લીધે નથી જાણતું; કારણ કે તે (ઇન્દ્રિયજ્ઞાન) પરોક્ષ છે. પરોક્ષજ્ઞાન, ચૈતન્યસામાન્ય સાથે (આત્માને ) અનાદિ સિદ્ધ સંબંધ હોવા છતાં જે અતિ દઢતર અજ્ઞાનરૂપ તમો-ગ્રંથિ (અંધકારનો સમૂહ) વડ અવરાઈ જવાથી બિડાઈ ગયો છે. એવો આત્મા પદાર્થને સ્વયં જાણવાને અસમર્થ હોવાથી ઉપાત્ત અને અનુપાત્ત (મેળવેલા, અણમેળવેલા) પરપદાર્થોરૂપ સામગ્રીને શોધવાની વ્યગ્રતાથી અત્યંત ચંચળ-તરલ-અસ્થિર વર્તતું થયું, અનંત શક્તિથી શ્રુત થયું હોવાથી અત્યંત વિફલવ (ખિન્ન, દુઃખી, ગભરાયેલું ) વર્તતું થયું, મહા મોહમલ્લ જીવતો હોવાથી પરપરિણતિનો (–પરને પરિણમાવવાનો) અભિપ્રાય કરતું હોવા છતાં પદે પદે (-ડગલે ડગલે) છેતરાતું થયું, પરમાર્થે અજ્ઞાન ગણાવાને જ યોગ્ય છે. આથી તે હેય છે. ૨૭
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૫ ટીકા) કાગડાને આંખ બે હોય છે પણ પૂતળી (કીકી) એક જ હોય છે. જે આંખથી કાગડાને જોવું હોય તે આંખમાં પૂતળી આવી જાય
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ૧૮ છે; તે વખતે તે બીજી આંખથી જોઈ શકતો નથી. આમ હોવા છતાં પૂતળી એવી ઝડપથી બે આંખમાં ફરે છે કે બન્ને આંખોમાં જુદી જુદી પૂતળી હોય એમ લોકોને લાગે છે. વાસ્તવિક રીતે પૂતળી એક જ હોય છે. આવી જ દશા ક્ષાયોપથમિક જ્ઞાનની છે. દ્રવ્ય-ઈન્દ્રિયરૂપી દ્વારો તો પાંચ છે. પણ ક્ષાયોપથમિક જ્ઞાન એક વખતે એક ઈન્દ્રિય દ્વારા જ જાણી શકે છે; તે વખતે બીજી ઇન્દ્રિયો દ્વારા કાર્ય થતું નથી. ક્ષાયોપથમિક જ્ઞાન જ્યારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું (જોવાનું) કાર્ય કરતું હોય છે ત્યારે તે શબ્દ, ગંધ, રસ કે સ્પર્શને જાણી શકતું નથી. અર્થાત્ જ્યારે તે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા વર્ણ જવામાં રોકાયો હોય છે ત્યારે કાન પર શા શબ્દો પડે છે, નાકમાં કેવી ગંધ આવે છે વગેરે ખ્યાલ રહેતો નથી. જોકે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાં ઝડપથી પલટાતો હોવાથી જાણે કે બધા વિષયો એકી સાથે જણાતા હોય એમ સ્થૂળદષ્ટિએ જોતાં લાગે છે તોપણ સૂક્ષ્મદષ્ટિથી જોતાં ક્ષાયોપથમિકજ્ઞાન એક વખતે એક જ ઇન્દ્રિયદ્વારા પ્રવર્તતું સ્પષ્ટ રીતે ભાસે છે. આ રીતે ઇન્દ્રિયો પોતાના વિષયોમાં પણ ક્રમે પ્રવર્તતી હોવાથી પરોક્ષ એવું ઇન્દ્રિયજ્ઞાન ય છે. || ૨૮
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૬ નો ભાવાર્થ ) ગ્રાહક (-જ્ઞાયક ) એવા જેને લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે ગ્રહણ ( -જાણવું) થતું નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ ર૯ IT
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭ર અલિંગગ્રહણ બોલ-૧) ગ્રાહ્ય (જણાવાયોગ્ય) એવા જેવું, લિંગો વડે એટલે ઈન્દ્રિયો વડે ગ્રહણ (-જાણવું) થતું નથી, તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ૩OT
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭ર અલિંગગ્રહણ બોલ-૨) જે ખરેખર જ્ઞાનાત્મક આત્મારૂપ એક અગ્રને (વિષયને ) ભાવતો નથી; તે અવશ્ય જ્ઞયભૂત અન્યદ્રવ્યનો આશ્રય કરે છે, અને તેનો આશ્રય કરીને જ્ઞાનાત્મક આત્મજ્ઞાનથી ભ્રષ્ટ એવો તે સ્વયં અજ્ઞાની થયો થકો, મોહ કરે છે, રાગ કરે છે, અથવા વૈષ કરે છે; અને એવો (મોહી, રાગી અથવા હૃષી) થયો થકો બંધાય જ છે, પરંતુ મૂકાતો નથી. આથી અનેકાગ્રતાને મોક્ષમાર્ગપણું સિદ્ધ થતું નથી. / ૩૧ના
(શ્રી પ્રવચનસારજી ગાથા-૨૪૩ ટીકા) જે જ્ઞાનાત્મક આત્મારૂપ એક અગ્રને (વિષયને) ભાવે છે, તે યભૂત અન્યદ્રવ્યનો આશ્રય કરતો નથી, અને તેનો આશ્રય નહીં કરીને જ્ઞાનાત્મક આત્મજ્ઞાનથી અભ્રષ્ટ એવો તે સ્વયમેવ જ્ઞાની રહેતો થકો, મોડું કરતો નથી, રાગ કરતો નથી, દ્વેષ કરતો નથી; અને એવો (અમોહી, અરાગી, અષી) વર્તતો થકો મૂકાય જ છે પરંતુ બંધાતો નથી. આથી એકાગ્રતાને જ મોક્ષમાર્ગપણું સિદ્ધ થાય છે. [ ૩ર /
(શ્રી પ્રવચનસારજી ગાથા-૨૪૪ ટીકા) જીવ જે ભાવથી વિષયમાં આવેલ પદાર્થને દેખે છે અને જાણે છે, તેનાથી જ ઉપરક્ત થાય છે; વળી તેનાથી જ કર્મ બંધાય છે;એમ ઉપદેશ છે. || ૩૩
( શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૬ નો ગાથાર્થ) આ આત્મા સાકાર અને નિરાકાર પ્રતિભા સ્વરૂપ (-જ્ઞાન અને દર્શન સ્વરૂપ) હોવાથી પ્રતિભાસ્ય (–પ્રતિભાસવા યોગ્ય) પદાર્થસમૂહને
* ઈન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૦ જે મોહરૂપ, રાગરૂપ કે દ્વેષરૂપ ભાવથી દેખે છે અને જાણે છે, તેનાથી જ ઉપરક્ત થાય છે. જે આ ઉપરાગ (–મલિનતા, વિકાર) છે તે ખરેખર સ્નિગ્ધ-રૂક્ષત્વસ્થાનીય ભાવબંધ છે. વળી તેનાથી જરૂર પૌગલિક કર્મ બંધાય છે. આમ આ દ્રવ્યબંધનું નિમિત્ત ભાવબંધ છે. || ૩૪||
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૬ ની ટીકા) હું પરનો નથી, પર મારાં નથી, આ લોકમાં મારું કાંઈ પણ નથી-આવા નિશ્ચયવાળો અને જિતેન્દ્રિય વર્તતો થકો તે યથાજાતરૂપધર ( સહજ રૂપધારી) થાય છે. || ૩૫
(શ્રી પ્રવચનસારજી ગાથા-૨૦૪ નો ગાથાર્થ ) વળી ત્યાર પછી શ્રામપ્યાર્થી યથાજાતરૂપધર થાય છે. તે આ પ્રમાણેઃ “પ્રથમ તો હું જરાય પરનો નથી, પર પણ જરાય મારા નથી, કારણ કે સર્વ દ્રવ્યો તત્ત્વતઃ પર સાથે સમસ્ત સંબંધ રહિત છે; તેથી આ ષટદ્રવ્યાત્મક લોકમાં આત્માથી અન્ય એવું કાંઈ પણ મારું નથી;'—આમ નિશ્ચિત મતિવાળો (વર્તતો થકો) અને પરદ્રવ્યો સાથે સ્વસ્વામીસંબંધ જેમનો આધાર છે એવી ઇન્દ્રિયો અને નો-ઇન્દ્રિયના જય વડ જિતેન્દ્રિય વર્તતો થકો તે (શ્રામપ્યાર્થી) આત્મદ્રવ્યનું યથાનિષ્પન્ન શુદ્ધરૂપ ધારણ કરવાથી યથાજાતરૂપધર થાય છે. || ૩૬ IT
(શ્રી પ્રવચનસારજી ગાથા-૨૦૪ ની ટીકા) ભાવ યહ હૈ કિ મૈ કેવલજ્ઞાન તથા કેવલદર્શન સ્વભાવરૂપસે જ્ઞાયક એક ટંકોત્કીર્ણ સ્વભાવ હૃ. ઐસા હોતા હુઆ મેરા પરદ્રવ્યો કે સાથ અપને સ્વામીપને આદિકા કોઈ સંબંધ નહીં હૈ. માત્ર જ્ઞયજ્ઞાયક સંબંધ હૈ, સો ભી વ્યવહારનય સે હું. નિશ્ચય સે યહું શેય
*મોહરાજા ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
જ્ઞાયકસંબંધ ભી નહીં હૈ।। ૩૭।।
(શ્રી પ્રવચનસારજી, શ્રી જયસેનાચાર્ય ગા. ૨૦૦ ની ટીકામાંથી ) આત્મદ્રવ્યની પ્રાપ્તિનો પ્રકાર કહેવામાં આવે છે.
પ્રથમ તો, અનાદિ પૌદ્ગલિક કર્મ જેનું નિમિત્ત છે એવી મોહભાવનાના ( મોહના અનુભવના ) પ્રભાવ વડે આત્મપરિણતિ સદાય ઘૂમરી ખાતી હોવાથી આ આત્મા સમુદ્રની માફક પોતામાં જ ક્ષુબ્ધ થતો થકો ક્રમે પ્રવર્તતી અનંત જ્ઞસિવ્યક્તિઓ વડે પરિવર્તન પામે છે, તેથી શક઼િવ્યક્તિઓનાં નિમિત્તરૂપ હોવાથી જે શેયભૂત છે એવી બાહ્ય પદાર્થ વ્યક્તિઓ પ્રત્યે તેને મૈત્રી પ્રવર્તે છે, તેથી આત્મવિવેક શિથિલ થયો હોવાને લીધે અત્યંત બહિર્મુખ એવો તે ફરીને પૌદ્ગલિક કર્મને રચનારા રાગદ્વેષāતરૂપે પરિણમે છે અને તેથી તેને આત્મપ્રાપ્તિ દૂર જ છે. પરંતુ હવે જ્યારે આ જ આત્મા પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી અનાદિપૌદ્દગલિક–કર્મરચિત મોહને વધ્યધાતકના વિભાગજ્ઞાન પૂર્વક વિભક્ત ( જુદો ) કરવાને લીધે ( પોતે ) કેવળ આત્મભાવનાના (આત્માના અનુભવના) પ્રભાવ વડે પરિણતિ નિશ્ચય કરી હોવાથી સમુદ્રની માફક પોતામાં જ અતિ નિષ્કપ રહેતો થકો એકીસાથે જ અનંત જ્ઞપ્તિવ્યક્તિઓમાં વ્યાપીને અવકાશના અભાવને લીધે બિલકુલ વિવર્તન (પરિવર્તન ) પામતો નથી, ત્યારે શતિવ્યક્તિઓનાં નિમિત્તરૂપ હોવાથી જે શેયભૂત છે એવી બાહ્યપદાર્થવ્યક્તિઓ પ્રત્યે તેને ખરેખર મૈત્રી પ્રવર્તતી નથી અને તેથી આત્મવિવેક સુપ્રતિષ્ઠિત (સુસ્થિત ) થયો હોવાને લીધે અત્યંત અંતર્મુખ થયેલો એવો આ આત્મા પૌદ્ગલિક કર્મને રચનારા રાગદ્વેષāતરૂપ પરિણતિથી દૂર થયો થકો પૂર્વે નહીં અનુભવેલા અપૂર્વ
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ ૫૨ ઉપ૨ હોય છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી રર જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને અત્યંતપણે જ પ્રાપ્ત કરે છે. જગત પણ જ્ઞાનાનંદાત્મક પરમાત્માને પ્રાપ્ત કરો જ. || ૩૮
(શ્રી પ્રવચનસારજી કળશ-૧૯ પછીની ટીકા) જેમ જ્ઞાન, ઇન્દ્રિયજન્ય તથા અતીન્દ્રિય હોય છે, તે જ પ્રમાણે સુખ પણ ઇન્દ્રિયજન્ય તથા અતીન્દ્રિય હોય છે. તેમાં સમ્યગ્દષ્ટિને પહેલાના બન્ને અર્થાત્ ઇન્દ્રિયજન્ય જ્ઞાન તથા ઇન્દ્રિયજન્ય સુખ ઉપાદેય હોતા નથી. પરંતુ બાકીના બે અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન તથા અતીન્દ્રિય સુખ ઉપાદેય છેTI ૩૯
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૭૭) ઈન્દ્રિયજન્ય જ્ઞાનમાં દોષ. नूनं यत्परतो ज्ञानं प्रत्यर्थं परिणामि यत्।
व्याकुलं मोहसंपृक्तमर्थाद् दुःखमनर्थवत्।। २७८ ।। નિશ્ચયથી જે જ્ઞાન ઇન્દ્રિયના અવલંબનપૂર્વક થાય છે તથા જે જ્ઞાન પ્રત્યેક અર્થ તરફ પરિણમનશીલ રહે છે અર્થાત્ પ્રત્યેક અર્થના અનુસાર પરિણામી થાય છે. તે જ્ઞાન વ્યાકુળ અને મોહમય હોય છે. તેથી વાસ્તવમાં તે જ્ઞાન દુઃખરૂપ અને નિષ્પયોજન જેવું છે. તે ૪૦ાા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-ર૭૮) ઇન્દ્રિયજન્યજ્ઞાન, પરાલંબી અને પ્રત્યેક શેય અનુસાર પરિણમનશીલ હોવાથી વ્યાકુળ અને મોહના સાથ સહિત હોય છે. તેથી વાસ્તવમાં તે ઇન્દ્રિયજન્યજ્ઞાન દુ:ખરૂપ છે તેથી તે કાર્યકારી નથી IT ૪૧
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૭૮ ભાવાર્થ) * ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે પરને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૨૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
તે જ્ઞાનમાં વ્યાકુલતા હોય છે. તેથી એવા ઇન્દ્રિયજન્યજ્ઞાનમાં દુ:ખપણું ભલા પ્રકારથી સિદ્ધ થાય છે, કારણ કે જાણેલા પદાર્થ અંશ સિવાય બાકીના અંશો અજ્ઞાતરૂપ (નહીં જણાયેલા) રહેવાથી તેને જાણવાની આતુરતા આદિ તેમાં જોવામાં આવે છે।। ૪૨।।
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૭૯)
ઇન્દ્રિયજન્યજ્ઞાનમાં દુઃખપણું અસિદ્ધ નથી, કારણ કે તેમાં જાણતાં બાકી રહેલા શેયના અંશોને જાણવાની આતુરતા-અધિરાઈ વગેરે રહ્યા કરે છે તેથી તે જ્ઞાનમાં વ્યાકુળતાનો સદ્ભાવ સિદ્ધ થાય છે. વળી વ્યાકુળતા મોજુદ હોવાથી તે જ્ઞાનમાં દુઃખપણું સિદ્ધ થાય છે, અને એ દુ:ખપણાના સદ્દભાવથી તેમાં અનુપાદેયતાની પણ સિદ્ધિ થાય છે. ખરેખર તો મિથ્યાદ્દષ્ટિને ૫૨ ને જાણવાની રુચિ હોય છે. પણ સ્વને જાણવાની રુચિ હોતી જ નથી. તેથી તે દુ:ખી થાય છે. ।। ૪૩।। (શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૭૯ નો ભાવાર્થ)
બાકીના અર્થોને જાણવાની ઇચ્છા રાખવાવાળું મન અજ્ઞાનથી વ્યાકુળ રહે છે, એતો દૂર રહો પરંતુ જે પદાર્થો છે તેમાં પણ ઉપયોગી થવાવાળું જ્ઞાન દુ:ખજનક જ હોય છે. ।। ૪૪।।
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૦)
જણાયેલા અંશ સિવાય બાકીના અર્થને જાણવાની આતુરતાઅધિરાઈ રહેવાથી અજ્ઞાનીનું મન માત્ર વ્યાકુળ રહે છે એમાં તો કહેવું જ શું! અર્થાત્ તે તો નિશ્ચયથી વ્યાકુળ છે જદુઃખરૂપ છે જ, પરંતુ જે પદાર્થ છે તેને જાણવામાં ઉપયોગી થવાવાળા
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૨૪ ઇન્દ્રિયજન્યજ્ઞાનને પણ દુઃખરૂપ કહેવામાં આવે છે. ૪૫TI
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૦ નો ભાવાર્થ) તે ઇન્દ્રિયજન્યજ્ઞાન મોહસહિત હોવાથી પ્રમત્ત, પોતાની ઉત્પત્તિ માટે ઘણા કારણોની અપેક્ષા રાખતું હોવાથી નિકૃષ્ટ, કમપૂર્વક પદાર્થોને જાણવાવાળું હોવાથી બુચ્છિન્ન તથા ઈહા વગેરે પૂર્વક જ થતું હોવાથી દુ:ખરૂપ કહેવાય છે. |૪૬TI
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૧) તે ઇન્દ્રિયજન્યજ્ઞાન પરાધીન હોવાથી પરોક્ષ છે, ઈન્દ્રિયોથી પેદા થતું હોવાથી આફ્સ (ઇન્દ્રિયજન્ય) છે, તથા તેમાં સંશય વગેરે દોષો આવવાની સંભાવના હોવાથી તે સદોષ છે. | જગ્યા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૨) બંધના હેતુરૂપ હોવાથી વિરૂદ્ધ, બંધના કાર્યરૂપ હોવાથી કર્મજન્ય, આત્માનો ધર્મ નહીં હોવાથી અશ્રેયરૂપ તથા કલુષિત હોવાથી સ્વયં અશુચિ છે. || ૪૮
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૩) તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન બંધનો હેતુ હોવાથી વિરૂદ્ધ છે, પૂર્વબદ્ધ કર્મોના સંબંધને રાખીને જ તેમની ઉત્પત્તિ થાય છે. તેથી તે કર્મજન્ય છે, વાસ્તવમાં તે આત્માનો સ્વભાવ નથી તેથી તે અશ્રેયરૂપ છે તથા પોતે જ કલુષિત હોવાથી અશુચિ છે. IT ૪૯ાા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૩ નો ભાવાર્થ) જેમ મૃગીનો રોગ કોઈ વેળા વધી જાય છે, કોઈ વેળા ઘટી જાય છે
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી તથા કોઈ વેળા બિલકુલ દેખાતો નથી. તેવી જ રીતે આ ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ કોઈવેળા ઓછું, કોઈ વેળા અધિક તથા કોઈ કોઈ વેળા અત્યંત અલ્પ થઈ જાય છે. તેથી તે મૂર્શિત કહેવાય છે. ૫૦ાા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૪ નો ભાવાર્થ) ઇન્દ્રિયજન્ય જ્ઞાન કેવું તુચ્છ, અલ્પ, પરાધીન અને અત્રાણ (અશરણ) છે. તે ગાથા-૨૭૮ થી ૩૦૬ સુધીમાં બતાવ્યું. || ૫૧
(શ્રી પંચાધ્યાયી ગાથા-૨૮૫ નો ભાવાર્થ) ઇન્દ્રિયજન્ય જ્ઞાનની દુર્બળતા.
તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન, છ દ્રવ્યોમાંથી માત્ર મૂર્ત દ્રવ્યને જ વિષય કરે છે, અન્યદ્રવ્યોને નહીં; મૂર્તદ્રવ્યોમાં પણ તે સૂક્ષ્મ પુદ્ગલોને વિષય કરતું નથી પણ માત્ર સ્થૂળ પુગલોને જ વિષય કરે છે, એ
સ્થૂળ પુદ્ગલોમાં પણ સર્વ સ્થૂળ પુગલોને વિષય કરતું નથી–પરંતુ કોઈ કોઈ સ્થૂળ પુદ્ગલોને જ વિષય કરે છે; એ સ્થૂળ પુદ્ગલોમાં પણ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય પુદ્ગલોને જ વિષય કરે છે, પણ અગ્રાહ્ય પુગલોને નહીં; એ ગ્રાહ્ય પુદ્ગલોમાં પણ વર્તમાનકાળ સંબંધી પુગલોને જ વિષય કરે છે. પણ અતીત-અનાગતકાળ સંબંધી નહીં; વર્તમાનકાળ સંબંધી પુદ્ગલોમાં પણ જેનો સન્નિધાનપૂર્વક ઇન્દ્રિયોની સાથે સક્નિકર્ષ થાય છે તેને જ વિષય કરે છે, પણ અન્યને નહીં; તેમાં પણ અવગ્રહ-ઈહુ-અવાય, અને ધારણા થયા પછી જ તેને અવગ્રહાદિરૂપથી તે વિષય કરે છે, તથા એ બધાય કારણો હોવા છતાં પણ તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન કદાચિત્ થાય છે, સદેવ થતું નથી, તેથી એ ઇન્દ્રિયજન્ય જ્ઞાન દિગ્માત્ર (એટલે દેખાવમાત્ર) છે. (શ્રી પ્રવચનસારની
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ર૬ ગાથા-૪૨ ની ટીકામાં તો આવા જ્ઞાનને “જ્ઞાનમેવ નાસ્તિ-જ્ઞાન જ નથી” એમ શ્રી જયસેનાચાર્ય કહ્યું છે. ). | પર /
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૬ થી ૨૮૯ ભાવાર્થ) એટલા માટે પ્રકૃત અર્થ એ છે કે ઇન્દ્રિયજન્યજ્ઞાન દિગ્માત્ર છે અર્થાત્ નામમાત્ર જ જ્ઞાન છે. કારણ કે–તેના વિષયભૂત સર્વ પદાર્થોનું અલ્પમાત્ર જ જ્ઞાન થાય છે. | પટ્ટા
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૩૦૩ નો અર્થ) એ સર્વ વિષયોમાંથી પોતપોતાના વિષયભૂત એક એક અર્થને જ ખંડરૂપ વિષય કરવાના કારણથી તે ઇન્દ્રિયજ્ઞાન ખંડરૂપ છે તથા ક્રમ ક્રમપૂર્વક કેવલ વ્યસ્તરૂપ (પ્રગટરૂપ) પદાર્થોમાં નિયત વિષયને જ જાણે છે. તેથી તે ઇન્દ્રિયજ્ઞાન પ્રત્યેકરૂપ પણ છે. / ૫૪||
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૩૮૪ નો અર્થ) ઇન્દ્રિયજન્યજ્ઞાન, વ્યાકુળતાદિ અનેક દોષોના સમાવેશનું સ્થાન છે એ તો દૂર રહો, અર્થાત્ તે જ્ઞાન ઉપર કહેલા વ્યાકુળતાદિ દોષોનું સ્થાન છે એ વાત તો નિશ્ચિત જ છે. પરંતુ તેની સાથે ત્યાં સુધી તે જ્ઞાન, પ્રદેશ ચલનાત્મક પણ હોય છે, કે
જ્યાં સુધી નિષ્ક્રિય આત્માની કોઈપણ ઔદયિકી ક્રિયા થાય છે, તથા તે પ્રદેશોનું પરિસ્પંદન પણ કર્મોદયરૂપ ઉપાધિ વિના થતું નથી. || પપIT
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા. ૩૦૫-૩૦૬ નો અર્થ) ઇન્દ્રિયજ્ઞાન, કેવળ વ્યાકુળતાદિ ઉપર કહેલા દોષોનું સ્થાન તો છે જ પરંતુ સાથે સાથે જ્યાં સુધી અકંપસ્વરૂપ આત્માને યોગની
* ઇન્દ્રિયજ્ઞાન શેય બદલ્યા કરે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ઔદયિકી ક્રિયા રહે છે, ત્યાં સુધી તે પ્રદેશોનું પરિસ્પંદન પણ રહે છે, કારણ કે આત્માના પ્રદેશોનો પરિસ્પદ કર્મોદયરૂપ ઉપાધિ વિના થતો નથી. મતલબ કે ઇન્દ્રિયજ્ઞાન હોય ત્યારે યોગનું કંપન હોય છે. તે પણ એક વિકાર છે. તે પ૬
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૩O૬ નો ભાવાર્થ ) (સ્વાનુમૂલ્ય વસંતે) પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમજ જ્ઞાન, અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું-એવું માનનાર તૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. || પટ્ટા
(શ્રી સમયસારજી કળશ-૧ શ્લોકાર્થ માંથી) વળી દાઢ્યના (બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે શેયાકાર થવાથી તે “ભાવ”ને જ્ઞાયકપણુ પ્રસિદ્ધ છે તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે યાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપપ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તાકર્મનું અનન્યપણું હોવાથી, જ્ઞાયક જ છે પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ (જેમ દીપક ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને-પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ, દીપક જ છે, અન્ય કાંઈ નથી તેમ જ્ઞાયકનું સમજવું ). || પટા.
(શ્રી સમયસાર ગાથા-૬ ટીકા બીજો પેરાગ્રાફ )
* ઈન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણતું નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૮ “જ્ઞાયક” એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે; કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ યકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે “આ હું જાણનારો છું, તે હું જ છું; અન્ય કોઈ નથી”—એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. તે પ૯
(શ્રી સમયસારજી ગાથા-૬ ના ભાવાર્થમાંથી) જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને (મિતિ ) સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો શ્રુતકેવળી કહે છે; જે જીવ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનદેવો શ્રુતકેવળી કહે છે, કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે તેથી (તે જીવ) શ્રુતકેવળી છે. તે ૬૦ાા
(શ્રી સમયસારજી ગાથા-૯-૧૦ ગાથાર્થ) પ્રથમ “જે શ્રતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે; અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ - ઉપર કહેલું સર્વજ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચદ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાભ્ય બનતું જ નથી (કેમકે તેનામાં જ્ઞાન સિદ્ધ જ નથી.) તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી “જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એમ જ આવે છે;
* ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશકય હોવાથી “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી છે” એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દઢપણે સ્થાપિત કરે છે. તા ૬૧ ના
(શ્રી સમયસારજી ગાથા-૯-૧૦ ની ટીકા) જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે, એમ જાણવું. I ૬રના
(શ્રી સમયસારજી ગાથા-૯-૧૦ નો ભાવાર્થ) પરંતુ હવે ત્યાં, સામાન્યજ્ઞાનના આવિર્ભાવ ( પ્રગટપણું) અને વિશેષ ( શૈયાકાર) જ્ઞાનના તિરોભાવ (આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તો પણ જેઓ અજ્ઞાની છે, શયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. |૬૩ાા
(શ્રી સમયસારજી ગાથા-૧૫ ટીકામાંથી) દષ્ટાંતઃ- જેમ-અનેક તરેહના શાક આદિ ભોજનોના સંબંધથી
* ઇન્દ્રિયજ્ઞાન વૈભાવિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૩૦ ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદભેદે ભેદરૂપ-વિશેષરૂપ) લવણ તેનો સ્વાદ અજ્ઞાની, શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો
સ્વાદ આવતો નથી; વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષારસરૂપ) લવણ છે. એવી રીતે અનેક પ્રકારના યોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની, શેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય યાકારના સંયોગરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તેજ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સેંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સેંધવનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક ક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. / ૬૪
(શ્રી સમયસારજી ગાથા-૧૫ ની ટીકા) * સમ્યજ્ઞાનનું લક્ષણ - “પરલક્ષ અભાવાત્ ” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૩૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાની જન શૈયોમાં જ-ઇન્દ્રિયજ્ઞાનના વિષયોમાં જલુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે પરંતુ શૈયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, શૈયોમાં આસક્ત નથી તેઓ શૈયોથી જુદા એકાકાર જ્ઞાનનો આસ્વાદ લે છે, -જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદષ્ટિમાં આવતું જે સર્વ પદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ઘનયથી આમાં કાંઈ ભેદ નથી. ।। ૬૫।।
(શ્રી સમયસારજી ગાથા-૧પ નો ભાવાર્થ) અંતરંગમાં અભ્યાસ કરે-દેખે તો આત્મા પોતાના અનુભવથી જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો
જ
ભક્ત
( અનુભવગોચર ), નિશ્ચલ, શાશ્વત, નિત્યકર્મકલંક-કર્દમથી રહિતએવો પોતે સ્તુતિ કરવાયોગ્ય દેવ બિરાજમાન છે।। ૬૬।।
(શ્રી સમયસારજી કળશ-૧૨ શ્લોકાર્થમાંથી )
શુદ્ઘનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે બિરાજી રહ્યો છે. આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્મા-તેને બહાર ઢુંઢે છે, તે મોટું અજ્ઞાન છે. ।। ૬૭।।
(શ્રી સમયસારજી કળશ-૧૨ નો ભાવાર્થ ) * હું ધર્માદિને જાણું છું - તે અધ્યવસાન છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ડર મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે “આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે અને ત્યાર પછી તેનું જ આચરણ કરવુંઅનુભવ વડે તેમાં લીન થવું, કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે. (અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી.).!! ૬૮
(શ્રી સમયસારજી ગાથા-૧૭-૧૮ ની ટીકામાંથી) પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર(દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું” એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. || ૬૯ /
(શ્રી સમયસારજી ગાથા-૧૭-૧૮ ટીકામાંથી) સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કેઃ- પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું જ છું. ત્યારબાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાના થાય; વિના જાણે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય-એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જે જાણે જ
* હું જ્ઞાયક અને છ દ્રવ્ય ય તે ભ્રાંતિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી નહીં, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે; તો સ્થિરતા શામાં કરે? તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે. |૭૦
(શ્રી સમયસારજી ગાથા-૧૭-૧૮ નો ભાવાર્થ) उदयति न नयश्रीरस्तमेति प्रमाणं व्कचिदपि च न विद्मो याति निक्षेपचक्रम। किमपरभिद्मो धाम्नि सर्वङ्कषेडस्मि
न्नन्नुभवमुपयाते भाति न द्वैतमेव।।९।।
આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે-આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ કયાં જતો રહે છે તે અમે જાણતા નથી આથી અધિક શું કહીએ? દ્વત જ પ્રતિભાસિત થતું નથી || ૭૧ 1
(શ્રી સમયસારજી કલશ-૯ નો શ્લોકાર્થ) દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને જ્ઞયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે. || ૭ર
(શ્રી સમયસારજી કળશ-૧૦ ના શ્લોકાર્થમાંથી) આચાર્ય કહે છે કે તે ઉત્કૃષ્ટ તેજ-પ્રકાશ અમને હો કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું અવલંબન કરે છે તેમ જે તેજ એક જ્ઞાનરસ સ્વરૂપને અવલંબે છે, જે તેજ અખંડિત છે-શયોના આકારરૂપે
* હું પરને જાણું છું તે બુદ્ધિ મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૩૪ ખંડિત થતું નથી, જે અનાકુળ છે, જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે–જાણવામાં આવે છે, જે સ્વભાવથી થયું છે-કોઈ એ રચ્યું નથી અને હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે જે એકરૂપ પ્રતિભા સમાન છે | ૭૩ાા
(શ્રી સમયસારજી કળશ-૧૪ શ્લોકાર્થ) આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. || ૭૪
(શ્રી સમયસારજી કળશ-૧૪ નો ભાવાર્થ) જેમ રૂપી દર્પણની સ્વ-પરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મનો કર્મ પુદ્ગલના છે. એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબદ્ધ થશે. || ૭૫ ના
(શ્રી સમયસારજી ગાથા-૧૯ ટીકામાંથી) હવે કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે?
તેનું સમાધાન - તે એમ નથી; જો કે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી; કારણ કે સ્વયંબુદ્ધત્વ અથવા બોધિતબુદ્ધત્વ-એ કારણપૂર્વક જ્ઞાનની
* ઇન્દ્રિયજ્ઞાન આત્મ અનુભવ કરાવવામાં અસમર્થ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે છે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે) અહીં ફરી પૂછે છે કે એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમકે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે? તેનો ઉત્તરએ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. | ૭૬
(શ્રી સમયસારજી કળશ-૨૦ પછીની ટીકા) જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે; તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં શેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ જ્ઞય છે તે પ્રતિભાસે છે”—એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાંતો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. તે ૭૭
(શ્રી સમયસારજી ગાથા-૧૯ નો ભાવાર્થ) जे इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू।। ३१।। જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્માને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧
જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે. ૭૮/
(શ્રી સમયસારજી ગાથા-૩૧ નો ગાથાર્થ)
* જો જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો હોય તો આનંદ આવવો જોઈએ?*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૩૬ (જે મુનિ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે) અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વ-પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવિણતાથી પ્રાપ્ત છે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી; એ દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા એક અખંડચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન ( અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતાં જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્ધાદિ પદાર્થો તેમને, પોતાની ચૈતન્યશક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ, ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે (મુનિ) દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેને જીતીને, જ્ઞયજ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી “જિતેન્દ્રિય જિન” છે. ( જ્ઞાનસ્વભાવ અન્ય અચેતનદ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો
* પરમાત્મા કહે છે - “મારા લક્ષે દુર્ગતિ થશે” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭ ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી જ છે) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે રૂપ નહીં થતો), પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃસિદ્ધ અને પરમાર્થ સ-એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે. આ રીતે એક નિશ્ચય સ્તુતિ તો આ થઈ ! ૭૯
(શ્રી સમયસારજી ગાથા-૩૧ ટકા) ય તો દ્રલેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા-એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું; ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે ય જ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું. || ૮૦
(શ્રી સમયસારજી ગાથા-૩૧ ભાવાર્થ) અન્વયાર્થ- આ પણ નયાભાસ છે કે “જ્ઞાન અને શેયને પરસ્પર બોધ્ય–બોધક સંબંધ છે જેમ કે જ્ઞાન, યગત છે અને એ ય પણ જ્ઞાનગત છે.
ભાવાર્થ- જ્ઞય જ્ઞાયક સંબંધને લઈને જ્ઞાનને યગત કહેવું તથા શેયને જ્ઞાનગત કહેવા તે પણ નયાભાસ છે તેનું કારણ
અન્વયાર્થ- જેમ આંખ રૂપને દેખે છે પરંતુ તે આંખ જ પોતે રૂપમાં પ્રવેશી જતી નથી તે જ પ્રમાણે જ્ઞાન શેયોને જાણે છે તો પણ તે જ્ઞાન જ પોતે શયોમાં પ્રવેશી જતું નથી.
ભાવાર્થ- જેમ આંખ, રૂપને દેખે છે પરંતુ તેટલા માત્રથી તે આંખ કાંઈ રૂપમાં પ્રવેશી જતી નથી, તે જ પ્રમાણે જ્ઞાન શેયોને
* એક ભાવકભાવ, એક શેયનોભાવ - તેનાથી જુદો હું શાયકભાવ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૩૮ જાણે છે પરંતુ તેટલા માત્રથી તે જ્ઞાન કાંઈ શયોમાં પ્રવેશી જતું નથી. માટે જ્ઞય જ્ઞાયક સંબંધને લીધે જ્ઞાનને યગત કહેવું તે નયાભાસ છે. અહીં ગ્રંથકારે શેયને જ્ઞાનગત કહેવા સંબંધમાં જો કે લખ્યું નથી તો પણ એમ સમજવું કે જેમ જ્ઞાનનો પ્રવેશ શેયોમાં નથી, તેમ શેયનો પણ જ્ઞાનમાં પ્રવેશ નથી. | ૮૧
(શ્રી પંચાધ્યાયી પૂર્વાધ ગાથા-પ૮૫–૫૮૬ અર્થ ભાવાર્થ) અન્વયાર્થ- જેમકે આ વેળા “અર્થવિકલ્પાત્મક જ્ઞાન પ્રમાણ છે” એમ જે કહેવામાં આવે છે તે ઉપચરિત સભૂત વ્યવહારનયનું ઉદાહરણ છે. તેમાં અહીં સ્વ-પરસમુદાયને અર્થ કહે છે તથા જ્ઞાનનું સ્વપરવ્યવસાયરૂપ થવું તેને વિકલ્પ કહે છે.
- ભાવાર્થ- “અર્થવિજ્યો જ્ઞાનું પ્રમા' અર્થાત અર્થના વિકલ્પાત્મક જ્ઞાનને પ્રમાણે કહેવું એ ઉપચરિત સભૂત વ્યવહારનયનું ઉદાહરણ છે. અર્થ શબ્દનો અર્થ સ્વ-પર પદાર્થ અને વિકલ્પ શબ્દનો અર્થ તદાકાર વા વ્યવસાયાત્મક છે, તેથી અર્થવિકલ્પ શબ્દનો અર્થ સ્વ-પરવ્યવસાયાત્મક જ્ઞાન થાય છે. એ જ પ્રમાણનું લક્ષણ છે, અને એમ ઉપચરિત સભૂત વ્યવહારનયની અપેક્ષાએ કહેવામાં આવે છે.
અન્વયાર્થ- નિશ્ચયનયથી તત્ત્વનું સ્વરૂપ કેવળ સરૂપ માનતાં છતાં, નિર્વિકલ્પતાના કારણથી જો કે ઉક્ત લક્ષણ ઠીક નથી તો પણ અવલંબન વિના નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ કહી શકાતું નથી. તેથી જ્ઞાન સ્વરૂપ વડે સિદ્ધ હોવાથી અનન્યશરણ હોવા છતાં પણનિરાલંબ હોવા છતાં પણ અહીં આગળ તે જ્ઞાન હેતુવાશથી ઉપચરિત થઈને તેનાથી ભિન્ન શરણની માફક માલૂમ થાય છે, અર્થાત્ સ્વપરવ્યવસાયાત્મક પ્રતીત થાય છે.
* શેય શેયને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
ભાવાર્થ- જે કે જ્ઞાન, નિર્વિકલ્પાત્મક છે-કેવળ સત્ શબ્દથી જ પ્રતિપાદિત થઈ શકે છે, એટલે જ્ઞાનને અર્થ વિકલ્પાત્મક કહેવું એ યોગ્ય નથી, કારણ કે-તે તો કેવળ સદાત્મક અને કોઈના આશ્રિત નહીં થતું કેવળ સ્વરૂપસિદ્ધ હોવાથી નિર્વિકલ્પરૂપ છે, તોપણ એ નિર્વિકલ્પનું સ્વરૂપ કોઈને કોઈ અવલંબન વિના કહી શકાતું નથી તેથી યુક્તિપૂર્વક યનું અવલંબન કરીને તેને “સ્વપરવ્યવસાયાત્મક, અર્થવિકલ્પાત્મક' ઇત્યાદિ શબ્દો દ્વારા કહેવામાં આવે છે, અને તે શેયાશ્રિત જેવું ભાસિત થાય છે. જ્ઞયાશ્રિત કહેવું ઉપચારથી છે તેથી તે ઉપચરિત, વાસ્તવિકરૂપ હોવાથી સદભૂત અને ગુણ-ગુણીભેદ હોવાથી વ્યવહાર, એ પ્રમાણે આ નયને ઉપચરિત સદભૂત વ્યવહારનય કહે છે. આ ૮૨
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૫૪૧-૪૨-૪૩ ભાવાર્થ સહિત)
અન્વયાર્થ- તથા વિશેષમાં આ છે કે સ્વાત્માનુભૂતિના વખતમાં જેટલાં પ્રથમના તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે રહે છે તેટલા તે બધાંય સાક્ષાત્ પ્રત્યક્ષની માફક પ્રત્યક્ષ છે, અન્ય એટલે પરોક્ષ નથી.
ભાવાર્થ- તથા એ મતિ અને શ્રુતજ્ઞાનોમાં પણ આટલી વિશેષતા છે કે-જે સમયે એ બન્નેમાંથી કોઈ એક જ્ઞાન દ્વારા સ્વાત્માનુભૂતિ થાય છે તે સમયે એ બન્ને જ્ઞાન પણ અતેન્દ્રિય સ્વાત્માને પ્રત્યક્ષ કરે છે તેથી એ બન્ને જ્ઞાન પણ સ્વાત્માનુભૂતિના સમયમાં પ્રત્યક્ષરૂપ છે પણ પરોક્ષ નથી ૮૩ાા
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૭૦૬ નો અર્થ અને ભાવાર્થ) અન્વયાર્થ- અહીં સ્પર્ધાદિક ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરતી
* ઇન્દ્રિયજ્ઞાનમાં આકુળતા હોય, જ્ઞાનમાં નિરાકુળ આનંદ હોય. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૪૦ વેળા તથા આકાશ વગેરેને વિષય કરતી વેળા એ બન્ને મતિશ્રુતજ્ઞાન નિયમથી અહીં આગળ પરોક્ષ હોય છે, પ્રત્યક્ષ નહીં.
ભાવાર્થ- પરંતુ જે સમયે એ બન્ને જ્ઞાન સ્પર્ધાદિક વિષયો ને જાણે છે તે સમયે તથા જે સમયે આકાશ આદિ અમૂર્ત પદાર્થોને જાણે છે તે સમયે એ બન્ને જ્ઞાન નિયમથી પરોક્ષ જ છે પરંતુ સ્વાનુભૂતિના સમય માફક પ્રત્યક્ષ નથી. અહીં શંકા
અન્વયાર્થ- શંકાકાર કહે છે કે જો મતિ-શ્રુતજ્ઞાન સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ છે તો નિશ્ચયથી “પ્રથમના બે જ્ઞાન પરોક્ષ છે” એવો સૂત્રમાં નિર્દેશ શા માટે કર્યો? તથા પરોક્ષ લક્ષણના યોગથી પણ અર્થાત્ તેમાં પરોક્ષનું લક્ષણ ઘટી જવાથી પણ એ બન્ને જ્ઞાન પરોક્ષ પ્રતીત થાય છે.
ભાવાર્થ- શંકાકાર કહે છે કે જો મતિ-શ્રુતજ્ઞાન, સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ હોય છે તો સૂત્રકારે “માઘે પરોક્ષ' એ સૂત્રમાં તેને પરોક્ષ શા માટે કહ્યાં? અર્થાત્ જો મતિશ્રુતજ્ઞાન સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ હોત તો સૂત્રકાર પણ તેનો જુદો ઉલ્લેખ કરતા પરંતુ કર્યો નથી, તેથી મતિશ્રુતજ્ઞાનને સ્વાનુભૂતિના સમયમાં પણ પરોક્ષ જ કહેવાં જોઈએ પણ પ્રત્યક્ષ નહીં, કારણ કે–તેને પ્રત્યક્ષ કહેવા સૂત્ર વિરુદ્ધ હોવાથી આગમ બાધિત છે, તથા એમાં પાછળ ગાથા ૭OO૭૦૧માં કહ્યા પ્રમાણે પરોક્ષનું લક્ષણ ઘટી જાય છે તેથી પણ તેને પરોક્ષ જ કહેવા જોઈએ, પ્રત્યક્ષ નહીં તેનું સમાધાનઃ
અન્વયાર્થ:- ઠીક છે, કારણ કે-વિસંવાદ રહિત હોવાથી વસ્તુનો વિચાર અતિશય રહિત થાય છે તેથી એ બન્ને જ્ઞાન
* ઇન્દ્રિયજ્ઞાનના(શેયના) લક્ષ ઇન્દ્રિય(શેય) પ્રગટે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
સાધારણરૂપપણાથી એ સૂત્રમાં કહેલી પ્રતિજ્ઞાનુસાર પરોક્ષ છે.
ભાવાર્થ:- જો કોઈ વિસંવાદ ન રહેતો હોય તો વસ્તુનો વિચાર નિરતિશય થાય છે અર્થાત્ તેમાં અતિશયનું વર્ણન કરી શકાતું નથી. સ્વાત્માનુભૂતિના સમયમાં મતિ-શ્રુતજ્ઞાન દ્વારા આત્માનો સાક્ષાત્કાર થવાથી તેના પ્રત્યક્ષ હોવામાં કોઈ વિસંવાદ રહેતો નથી તેથી તેને પ્રત્યક્ષ કહેવા યોગ્ય જ છે; પરંતુ સૂત્રકારે એ બન્ને જ્ઞાનોને જે પરોક્ષ કહ્યાં છે તેમાં અપેક્ષા આટલી જ સમજવી કે–સાધારણરૂપથી એ બન્ને જ્ઞાન પરોક્ષ કહ્યાં છે પણ જ્યારે કોઈ ભવ્યજીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે કોઈ એક અનિર્વચનીયશક્તિનો પ્રાદુર્ભાવ થાય છે કે જે શક્તિના સામર્થ્યથી એ બન્ને જ્ઞાનોને પ્રત્યક્ષ કહ્યા છે. ।। ૮૪।।
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૭૦૭-૭૦૮-૭૦૯ અર્થ અને ભાવાર્થ સહિત )
અન્વયાર્થ:- અહીં આગળ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાત્વકર્મના ઉદયના વિનાશથી ઉત્પન્ન થવાવાળી કોઈ અનિર્વચનીય શક્તિ છે કે જે શક્તિ દ્વારા આ સ્વાત્મપ્રત્યક્ષ થાય છે.
ભાવાર્થ:- સત્ય પુરુષાર્થ કરતાં જ્યારે જીવને સમ્યગ્દર્શન પ્રગટે ત્યારે મિથ્યાત્વકર્મના ઉદયનો સ્વયં વિનાશ થાય છે, અને એવી દશા થતાં તે સમ્યગ્દષ્ટિ જીવને કોઈ એક એવી અનિર્વચનીયશક્તિ ઉત્પન્ન થાય છે કે જેના સાનિધ્યથી તે અનિર્વચનીય સ્વાત્માને પ્રત્યક્ષ કરી લે છે. અર્થાત્ સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વના અભાવની સાથે સાથે જ સ્વાનુભૃત્યાવરણકર્મનો ક્ષયોપશમ થાય છે ત્યારે આત્માને પોતાના
* ઇન્દ્રિયજ્ઞાન ૫૨ની પ્રસિદ્ધિ કરે છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૪૨
સામાર્થ્યથી આત્મપ્રત્યક્ષ થાય છે, તેથી સ્વાનુભૂતિના સમયમાં મતિશ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યાં છે.
અન્વયાર્થ:- તેનો ખુલાસો આ પ્રમાણે છે કે-આ શુદ્ધ સ્વાનુભૂતિના સમયમાં સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પ્રમાણે પાંચે ઇન્દ્રિયો ઉપયોગી માની નથી પરંતુ ત્યાં કેવળ મન જ ઉપયોગી માનવામાં આવ્યું છે તથા અહીં નિશ્ચયથી પોતાના અર્થની અપેક્ષાથી નોઇન્દ્રિય છે બીજું નામ જેનું એવું તે મન, દ્રવ્યમન તથા ભાવમન એ પ્રમાણે બે પ્રકારનું છે.
ભાવાર્થ:- પૂર્વોક્ત કથનનો ખુલાસો આ પ્રમાણે છે કે જે સમયે સમ્યગ્દષ્ટિ, સ્વાનુભૂતિ કરે છે તે સમયે તેને પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ થતો નથી પરંતુ કેવળ એક મનનો જ ઉપયોગ થાય છે, તથા એ મન, દ્રવ્યમન તથા ભાવમન એ પ્રમાણે બે પ્રકારનું માનવામાં આવ્યું છે. સારાંશ આ છે કે સ્વાનુભૂતિના સમયમાં ઇન્દ્રિયજન્યજ્ઞાન હોતું નથી. ।। ૮૫।।
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૭૧૦, ૭૧૧, ૭૧૨)
અન્વયાર્થ:- સ્પર્શ, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચો ઇન્દ્રિયો એક મૂર્તિક પદાર્થોને જાણવાવાળી છે તથા મન, મૂર્તિક તથા અમૂર્તિક બન્ને પદાર્થોને જાણવાવાળું છે.
અન્વયાર્થ:- તેથી અહીં આ કથન નિર્દોષ છે કેસ્વાત્મગ્રહણમાં નિશ્ચયથી મન જ ઉપયોગી છે પરંતુ આટલું વિશેષ છે કે-વિશિષ્ટદશામાં તે મન પોતે જ જ્ઞાનરૂપ થઈ જાય છે.
* ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ નહીં થાય. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૪૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ભાવાર્થ:- તેથી પૂર્વોક્ત કથન નિર્દોષ સિદ્ધ થાય છે કે સ્વાનુભૂતિના સમયમાં અતીન્દ્રિય આત્માને પ્રત્યક્ષ કરવા માટે માત્ર મન જ ઉપયોગી છે તથા સ્વાનુભૂતિ તત્પરતારૂપ વિશેષ અવસ્થામાં તે મન જ જ્ઞાતા અને શૈયના વિકલ્પોથી રહિત થઈને પોતે જ જ્ઞાનમય થઈ જાય છે તેથી એ જ્ઞાન દ્વારા જ સમ્યગ્દષ્ટિ જીવને અતીન્દ્રિય આત્માનો અતીન્દ્રિય પ્રત્યક્ષ થયો યુક્તિ સંગત છે. ।। ૮૬।।
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધગાથા-૭૧૫-૭૧૬ અર્થ અને ભાવાર્થ ) અન્વયાર્થ:- નિશ્ચયથી સૂત્રથી જે મતિજ્ઞાન ને ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે તથા મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન થાય છે, એવું જે કહ્યું તે કથન અસિદ્ધ નથી.
અન્વયાર્થ:- સારાંશ આ છે કે નિશ્ચયથી ભાવમન, જ્ઞાનવિશિષ્ટ થતું થકું પોતે જ અમૂર્ત છે તેથી એ ભાવમન દ્વારા થવાવાળું અહીં આત્મદર્શન અતીન્દ્રિય પ્રત્યક્ષ કેમ ન હોય?
ભાવાર્થ:- જો કદાચિત્ આમ કહેવામાં આવે કે મતિશ્રુતાત્મક ભાવમન સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ થાય છે તો સૂત્રમાં જે મતિજ્ઞાનને ઇન્દ્રિય અને અતીન્દ્રિયથી ઉત્પન્ન થવાથી તથા શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનપૂર્વક ઉત્પન્ન થવાથી પરોક્ષ કહ્યાં છે તે કથન અસિદ્ધ થઈ જશે તો એમ કહેવું પણ ઠીક નથી, કારણ કે મતિશ્રુતાત્મક એ ભાવમનને સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ કહેવાનો આ જ અર્થ છે કે સ્વાનુભૂતિના સમયમાં તે મતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમન વિશેષદશા સંપન્ન થઈ જાય છે તેથી એ વડે થવાવાળું અમૂર્ત આત્મદર્શન અતીન્દ્રિય પ્રત્યક્ષ કેમ ન હોય ? અર્થાત્ અવશ્ય હોય.
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૪૪ સારાંશ આ છે કે–સ્વાત્મરસમાં નિમગ્ન થવાવાળું ભાવમન પોતે જ અમૂર્ત હોઈને સ્વાનુભૂતિના સમયમાં આત્મપ્રત્યક્ષ કરવાવાળું કહેવામાં આવ્યું છે. જેમ શ્રેણી ચડતા સમયે જ્ઞાનની જે નિર્વિકલ્પ અવસ્થા છે તે નિર્વિકલ્પ-અવસ્થામાં ધ્યાનની અવસ્થા સંપન્ન શ્રુતજ્ઞાન વા એ શ્રુતજ્ઞાનની પહેલાનું મતિજ્ઞાન અતીન્દ્રિય પ્રત્યક્ષ હોય છે, તે જ પ્રમાણે જે સમ્યગ્દષ્ટિ જીવ ચોથા ગુણસ્થાનથી માંડીને સાતમાં ગુણસ્થાન વર્તી છે તેમનું મતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમન પણ સ્વાનુભૂતિના સમયમાં વિશેષ દશાસંપન્ન થવાથી શ્રેણીના જેવું તો નથી, પરંતુ તેની ભૂમિકાને યોગ્ય નિર્વિકલ્પ તો થાય છે.
તેથી એ મતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમનને સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ માનવામાં આવે છે ત્યાં એ જ કારણ છે કે-અતિશ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી. પરંતુ અવધિમન:પર્યયજ્ઞાન વિના થઈ શકે છે.
ભાવાર્થ- મતિશ્રુતજ્ઞાનને સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ કહ્યાં છે તે ઠીક કહ્યાં છે, કારણ કે-આત્મસિદ્ધિ માટે મતિશ્રુત એ બે જ્ઞાન જ આવશ્યક જ્ઞાન છે, કારણ કે અવધિ તથા મન:પર્યયજ્ઞાન વિના તો મોક્ષ થઈ શકે છે. પરંતુ મતિ-શ્રુતજ્ઞાન વિના કદી પણ મોક્ષ થઈ શકતો નથી. || ૮૭TI
(શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૭૧૭, ૭૧૮, ૭૧૯) ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી જેટલી સમસ્ત-જ્ઞયવસ્તુઓના જેટલા
* હું જાણનાર અને લોકાલોક બ્રેય - એવું કોણે કહ્યું? *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી છે શક્તિરૂપ સ્વભાવ તેમને જાણે છે જ્ઞાન, જાણતું થયું તેમની આકૃતિરૂપે પરિણમે છે, તેથી જ્ઞયની શક્તિની આકૃતિરૂપ છે જ્ઞાનના પર્યાય, તેમનાથી જ્ઞાનવસ્તુની સત્તા માને છે, તેમનાથી ભિન્ન છે પોતાની શક્તિની સત્તામાત્ર, તેને નથી માનતો; –એવો છે એકાંતવાદી તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ સમસ્ત જ્ઞયશક્તિને જાણે છે એવું સહજ છે; પરંતુ પોતાની જ્ઞાનશક્તિથી અતિરૂપ છે. એમ કહે છે-“પશુ: નશ્યતિ જેવ” (પશુ:) એકાંતવાદી (નશ્યતિ) વસ્તુની સત્તાને સાધવાથી ભ્રષ્ટ છે, (94) નિશ્ચયથી કેવો છે એકાંતવાદી? “વદિ: વસ્તુપુ નિત્ય વિશ્રાંત:” (વદિ: વરંતુષ) સમસ્ત જ્ઞયવસ્તુની અનેક શક્તિની આકૃતિરૂપે પરિણમ્યા છે જ્ઞાનના પર્યાય, તેમાં (નિત્ય વિશ્રાન્ત:) સદા વિશ્રાંત છે અર્થાત્ પર્યાયમાત્રને જાણે છે જ્ઞાનવસ્તુ, –એવો છે નિશ્ચય જેનો, એવો છે. શા કારણથી એવો છે?
પરમાવમાવર્તનાત્' (પરમાવો શેયની શક્તિની આકૃતિરૂપે છે જ્ઞાનનો પર્યાય, તેમાં (ભાવના ) અવધાર્યું છે જ્ઞાનવસ્તુનું અસ્તિપણું-એવા જુઠા અભિપ્રાયના કારણથી. વળી કેવો છે એકાંતવાદી? “સ્વભાવમમિનિ ઝાન્તનિરવતન:” (સ્વભાવ) જીવની જ્ઞાનમાત્ર નિજશક્તિના (મદિમનિ) અનાદિનિધન શાશ્વત પ્રતાપમાં (જેન્તનિશ્વતન:) એકાંત નિચેતન છે અર્થાત્ તેનાથી સર્વથા શૂન્ય છે. ભાવાર્થ આમ છે કે સ્વરૂપસત્તાને નથી માનતોએવો છે એકાંતવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે- “તું ચોદાવી નાશમ્ ન તિ” (1) એકાંતવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (ચાવી) અનેકાંતવાદી (નાશ) વિનાશ (ન તિ) પામતો નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર વસ્તુની સત્તાને સાધી શકે છે. કેવો છે અનેકાંતવાદી
* “જ્ઞાયક નથી ત્યમ પર તણો' *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૪૬ જીવ? “સદનપછીતપ્રચય:” (સહન) સ્વભાવશક્તિમાત્ર એવું જે અસ્તિત્વ તે સંબંધી (સ્પણીત) દઢ કર્યો છે (પ્રત્યય:) અનુભવ જેણે, એવો છે. વળી કેવો છે? “સર્વરમાત નિયત સ્વભાવમવનજ્ઞાનાત વિમવેત્ત: ભવન” (સર્વાન) જેટલા છે. (નિયતસ્વમવ) પોતપોતાની શક્તિએ બિરાજમાન એવા જે શેયરૂપ જીવાદિ પદાર્થો તેમની (મવન) સત્તાની આકૃતિરૂપે પરિણમ્યા છે એવા (જ્ઞાનાતુ) જીવના જ્ઞાનગુણના પર્યાય, તેમનાથી (વિમવત્ત: મિવન) ભિન્ન છે જ્ઞાનમાત્ર સત્તા–એવો અનુભવ કરતો થકો. | ૮૮ાા
(શ્રી સમયસારજી કળશ ટીકા. કળશ ૨૫૮) જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે ય પદાર્થોનું આલંબન નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માને બાહ્યપદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. |૮૯
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ નં-૭)
યહ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય તથા કાલદ્રવ્ય વ અન્ય જીવદ્રવ્યો આદિ લેકર જિતને ય અર્થાત્ જાનને યોગ્ય પદાર્થ હૈ યે સબ મેરે સંબંધી નહીં હૈ. મૈ વિશુદ્ધ જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ હી હું, કયોંકિ આત્માકા લક્ષણ જ્ઞાનદર્શનઉપયોગમય હૈ. ઈન દોનોંકો અભેદસે ઉપયોગ કહતે હૈ. અભેદસે જો ઉપયોગ હૈ સોહી આત્મા હૈ ક્યોકિં આત્મા કે પ્રત્યેક પ્રદેશમેં ઉપયોગ હૈ, મૈ આત્મા હું, અપનેકો ઈસ પ્રકાર જાનતા હૂં કિ ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવરૂપ મૈ હૂં તથા એક અકેલા હૂં ઐસા જ્ઞાની જાનતા હૈ. ઈસ કારણ તિન ધર્માદિ દ્રવ્યો પ્રતી મૈ
* પરને જાણે તેવું શાયકનું સ્વરૂપ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૪૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
મમત્વ રહિત હૂં, યપિ દહીં ઔર શક્કર કી શિખરણિ કે સમાન વ્યવહા૨નયસે જ્ઞેય જ્ઞાયક સંબંધકી અપેક્ષાસે પરદ્રવ્યોં કે સાથ મેરી એકતા હૈ તો શુદ્ઘનિશ્ચયનયસે યહ પરદ્રવ્ય મેરા સ્વરૂપ નહીં હૈ. કોંકિ મૈ શુદ્ધાત્મભાવના સ્વરૂપ હૂઁ, ઈસ કારણ ૫દ્રવ્યોંસે મમત્વ રહિત હૂં. ઐસા શુદ્ધાત્મા કે જાનનેવાલે પુરુષ કહતે હૈ. યહાં યહ તાત્પર્ય હૈ કિ પહલે સ્વસંવેદન જ્ઞાનકો હી પ્રત્યાખ્યાન કહા થા ઉસીકા યહાં ૫રદ્રવ્યર્સ મમત્વરહિતપના વિશેષણ બતલાયા હૈ।। ૯૦।।
(શ્રી સમયસારજી ટીકા શ્રી જયસેનાચાર્ય, બ્ર. શીતલપ્રસાદજીકૃત ગાથા-૪૨ (૩૭) કા શબ્દાર્થ સહિત વિશેષાર્થ )
૫૨દ્રવ્યોકો મૈં જાનતા હૂં ઐસા ભી જો અહંકાર હૈ સો ત્યાગને યોગ્ય હૈ. સર્વ પદ્રવ્યોંસે ભી મોહ કરના સ્વસંવેદન જ્ઞાનમેં બાધક હૈ ઈસ કારણ એસી મમતા ભી ત્યાગને યોગ્ય હૈ. નિર્વિકલ્પ હોકર નિજ શુદ્ધસ્વરૂપકા ધ્યાન હી કાર્યકારી હૈ. યપિ આત્મા કે જ્ઞાનસ્વભાવમેં શેયોકા પ્રતિભાસપના હોના ચિત હી હૈ તથાપિ ઉન શૈયો પ્રતિ જો મમત્વભાવ સો સ્વરૂપ સમાધિમેં નિષેધને યોગ્ય હૈ. મૈ જ્ઞાતા હૂં ૫૨દ્રવ્ય જ્ઞેય હૈ યહ વિલ્પ યોગ્ય નહી હૈ।। ૯૧।।
(શ્રી સમયસારજી ટીકા, શ્રી જયસેનાચાર્યકૃત, બ્ર. શીતલપ્રસાદજી ભાવાર્થ ૪૨ ગાથા [ ૩૭ ગાથા શ્રી અમૃતાચંદ્રાચાર્યજી ]). ।। ૯૧।।
પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને ગ્રસવાનો જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં હોય-જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ ધર્મ, અધર્મ,
* જ્ઞેયની પકડ કહો કે શૈયાકારમાં અટક - એક જ વાત છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૪૮ આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી, કારણ કે સંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે -હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, શેયજ્ઞાયકભાવમાત્રથી ઉપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન ) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એક પણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવોને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી.) આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું. [ ૯૨
(શ્રી સમયસારજી, ગાથા ૩૭ ટીકા, અમૃતચંદ્રાચાર્યજી ) આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને શયભાવોથી ભેદજ્ઞાન થતાં સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ ધારતો, જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શન જ્ઞાન ચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન)માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. || ૯૩ાા
(શ્રી સમયસારજી કળશ-૩૧ શ્લોકાર્થ. ) આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત
* ઇન્દ્રિયજ્ઞાન વિભાવ છે તેથી તેનો નિષેધ કરાવ્યો છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એના મને, જો કે તમારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે, તો પણ, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાં પણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરેફ-કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. IT ૯૪T
(શ્રી સમયસારજી ગાથા-૩૮ ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્યજી) (૧) પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને (આત્માને) નહીં હોવાથી તે (આત્મા) દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે.
(૨) પોતાના સ્વભાવની દષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને ( આત્માને) અભાવ હોવાથી તે (આત્મા) ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી, માટે અરસ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. || ૯૫ /
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ની ટીકામાંથી) (૧) પરમાર્થે પુદ્ગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે (આત્મા) દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખાતો નથી માટે અરૂપ છે.
* જે વાતથી અનુભવ થાય તે વાત સાચી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી પ૦ (૨) પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને ( આત્માને) અભાવ હોવાથી તે (આત્મા) ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખાતો નથી માટે અરૂપ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી માટે અરૂપ છે. || -૬
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી ૩, ૪, ૫ બોલ) (૧) પરમાર્થે પુદ્ગલનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે (આત્મા) દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે.
(૨) પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે (આત્મા) ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધવેદના પરિણામને પામીને ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. IT ૯૭TT
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી ૩-૪-૫ બોલ) (૧) પરમાર્થ પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું તેને નહીં હોવાથી તે (આત્મા) દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે.
(૨) પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક
* હું પરને જાણું છું ત્યાંથી સંસારની શરૂઆત છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૫૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ભાવનો પણ તેને (આત્માને) અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શવેદના પરિણામને પામીને સ્પર્શને સ્પર્શતો નથી, માટે અસ્પર્શ છે।। ૯૮।।
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી, ૩-૪-૫ બોલ)
(૧) પરમાર્થે પુદ્દગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે (આત્મા ) દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી, માટે અશબ્દ છે.
(૨) પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપમિકભાવનો પણ તેને ( આત્માને ) અભાવ હોવાથી તે ( આત્મા ) ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળાતો નથી માટે અશબ્દ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે.।। ૯૯।।
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી ૩-૪-૫ બોલ )
છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે.।। ૧૦૦।।
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી ) સામાન્યાર્થ:- મિથ્યાદર્શનાદિ તીન પ્રકાર ઉપયોગધારી આત્મા
* ઇન્દ્રિયજ્ઞાનમાં ભેદજ્ઞાન કરવાની તાકાત નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પર ઐસા મિથ્યા વિકલ્પ કરતા હૈ કિ ધર્માસ્તિકાયરૂપ મેં હૂં યા અધર્માસ્તિકાયરૂપ મૈ હૂં, તબ યહ આત્મા અપને ઉસ આત્મભાવમયી ઉપયોગકા કર્તા હોતા હૈ.
શબ્દાર્થ સહિત વિશેષાર્થ- (સુવમો) યહુ ઉપયોગવાન આત્મા સામાન્યપને અજ્ઞાનરૂપ એક તરહુ કા હોને પર ભી (તિવિદો) વિશેષ કરકે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ઔર મિથ્યાચારિત્રરૂપસે તીન પ્રકારકા હોતા હૂઆ પરદ્રવ્ય ઔર આત્માને જ્ઞય જ્ઞાયક સંબંધ કો એકરૂપ નિશ્ચય કરનેસે, એકરૂપ જાનનેસે વ એકરૂપ પરિણમન કરનેસે ઉનકે ભેદજ્ઞાનકે ન હોને કે કારણ જાનને યોગ્ય પદાર્થ ઔર જાનનેવાલા આત્મા ઈન દોનોં કે ભેદકો ન જાનતા હુઆ (ઈમ્પાવી) ધર્માસ્તિકાય વ અધર્માસ્તિકાયરૂપ મૈ હું, ઈત્યાદિ (સ) અપને આત્માકા અસત્ મિથ્યા (વિયU) વિકલ્પરૂપ અપને પરિણામકો (વરિ) પૈદા કરતા હૈ તબ (સો) વહી આત્મા નિર્મળ આત્માને અનુભવસે રહિત હોતા હુઆ (તસ્ય ૩વોર્સ અત્તમાંવ) અપને હી ઉસ મિથ્યા વિકલ્પરૂપ પરિણામ કા (ત્તા) કર્તા અશુદ્ધનિશ્ચયસે (દોઢિ) હોતા હૈ. યહાં શિષ્યને પ્રશ્ન કિયા કિ મેં ધર્માસ્તિકાયરૂપ હું, ઐસા કોઈ નહી કહતા હૈ તબ ઐસા કહુના કૈસે ઘટ સકતા હૈ. ઉસકા સમાધાન આચાર્ય કરતે હૈ કિ યહ ધર્માસ્તિકાય હૈ ઐસા જો જાનનરૂપ વિકલ્પ મનમેં ઉઠતા હૈ ઉસકો ભી ઉપચાર સે ધર્માસ્તિકાય કહતે હૈ. જૈસે ઘટક દ્વારા ઘટાકાર પરિણતિરૂપ જ્ઞાન કહા જાતા હૈ, ઉસી તરહ જાનના, કયોંકિ જ્ઞાન mયકે આકાર પરિણમન કરતા હૈ. જબ યહુ આત્મા શેયતત્ત્વક વિચારકે સમય ઐસા વિકલ્પ કરતા હૈ કિ ધર્માસ્તિકાય યહ હૈ તબ યહ અપને શુદ્ધ આત્મસ્વરૂપકો ભૂલ જાતા
* “જાણવાના લોભમાં સઘળો આ સંસાર છે?*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી હૈ. તબ ઈસ વિકલ્પકો કરતે હૂએ મૈ ધર્માસ્તિકાયરૂપ હું ઇત્યાદિ વિકલ્પ ઉસ જીવકે ઉપચારસે સિદ્ધ હોતા હૈ ઐસા પ્રયોજન હૈ. ઈસસે યહ સિદ્ધ હુઆ કિ શુદ્ધાત્મા કે અનુભવકે બિના જે અજ્ઞાનભાવ હૈ વહી કર્મો કે કર્તાપનકા કારણ હૈ.
ભાવાર્થ- જબ શુદ્ધાત્મસ્વરૂપકે અનુભવમેં તન્મય ઉપયોગ હોતા હૈ તબ ઈસકે કર્મોકા કરનેવાલા અજ્ઞાનભાવ નહીં હૈ. જબ ઈસકે વિપરીત હોતા હૈ તબ ઈસકા ઉપયોગ અજ્ઞાનભાવને કારણ કર્મોકા બાંધનેવાલા હોતા હૈ ા ૧૦૧/ (શ્રી સમયસારજી ટીકા જયસેનાચાર્ય, બ્ર શીતલપ્રસાદજી ગાથા
૧૦૩, અમૃતચંદ્રાચાર્ય ગાથા-૯૫) ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શનઅજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છૂપાવીને યજ્ઞાયકભાવને પામેલા એવા સ્વ-પરનું સામાન્ય અધિરણથી અનુભવન કરવાથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું” એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે, તેથી “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું, એવી ભ્રાન્તિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્ય પરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. ૧૦૨IT
(શ્રી સમયસાર ગાથા-૯૫ ટીકા)
*“પરને જાણતો નથી” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૫૪ ધર્માદિના વિકલ્પ વખતે જ, પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિ દ્રવ્યરૂપ માને છે.
આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માદિ દ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. આ ૧૦૩ાા
(શ્રી સમયસારજી ગાથા-૯૫ નો ભાવાર્થ) તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે યજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, “હું પરદ્રવ્યરૂપ છું” એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડ (પોતાની) શુદ્ધચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઈન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવલ બોધ (–જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃતક
ક્લેવર (-શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનવન (પોતે) મૂર્શિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે૧૦૪
(શ્રી સમયસારજી ગાથા-૯૬ ની ટીકામાંથી) આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પરશેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે. ૧૦૫
(શ્રી સમયસારજી ગાથા-૯૬ નો ભાવાર્થ)
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૫૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
સામાન્યાર્થ:- યહ જીવ અધ્યવસાન કે દ્વારા ધર્મ, અધર્મ, જીવ, અજીવ, લોક, અલોક આદિ સર્વ હી જ્ઞેયપદાર્થો કો અપના માન લેતા હૈ.
શબ્દાર્થ સહિત વિશેષાર્થ:- યહ જીવ જાનનેરૂપ વિકલ્પ કે દ્વારા ધર્માસ્તિકાય ઔર અધર્માસ્તિકાયકો ઔર જીવ ઔર અજીવકો ઔર અલોકાકાશ ઔર લોકાકાશ આદિ સર્વ હી જ્ઞેયપદાર્થોકો અપના કર લેતા હૈ. અર્થાત્ અપને આત્માસે ઉસકા સંબંધ કર લેતા હૈ. તાત્પર્ય યહ હૈ કિ જૈસે ઘટકે આકાર પરિણમન કરનેવાલે જ્ઞાનકો ઉપચારસે ઘટ કહતે હૈ તૈસે હી ધર્માસ્તિકાય આદિ જાનનેયોગ્ય પદાર્થોકે વિષયમેં યહ ધર્મ હૈ, યહુ અધર્મ હૈ ઇત્યાદિ જો જાનનરૂપ વિકલ્પ હૈ ઉસકો ભી ઉપચારસે ધર્માસ્તિકાય આદિ કહેતે હૈ. કોં ઐસા કહેતે હૈ? ઈસકા ઉત્તર યહ હૈ કિ ઉસ જાનનરૂપ વિકલ્પકા વિષય ધર્માસ્તિકાયાદિક હૈ. જબ યહ આત્મા સ્વસ્થભાવ અર્થાત્ અપને આત્મામેં તિષ્ઠનૈરૂપ સમાધિભાવસે ગિરકરકે યહ વિકલ્પ કરતા હૈ કિ યહ ધર્માસ્તિકાય હૈ વ યહુ અધર્માસ્તિકાય હૈ ઇત્યાદિ તબ ઈસ તરહ કે વિકલ્પકે કરતે હુએ ધર્માસ્તિકાયાદિ હી ઉપચા૨સે કિયે ગયે ઐસા કહનેમેં આતા હૈ. અર્થાત્ ઉસ સમય આત્માકા સંબંધ જ્ઞેયપદાર્થોસે હો રહા હૈ.
ભાવાર્થ:- જબ યહુ આત્મા અપની આત્મિક પરિણતિમેં તલ્લીન રહતા હૈ તબ આત્માકા હી અનુભવ કરતા હુઆ નિર્વિકલ્પ રહતા હૈ પરંતુ જબ આત્માસે ભિન્ન ધર્મ, અધર્મ, આકાશ, કાલ વ પુદ્દગલ ઈન પદાર્થો કે જાનનેમેં અપના વિકલ્પકા સંબંધ કરતા હૈ તબ સ્વસ્થભાવસે ગિરકરકે ઉસ જાનનરૂપ વિકલ્પકે અધ્યવસાનમેં પરિણમન કરતા હૈ
* ઇન્દ્રિયજ્ઞાન મુર્તિક છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી પ૬ જિસસે ઐસા કહા જાતા હૈ કિ ઉસને પરપદાર્થોને અપના સંબંધ કરી લિયા. અર્થાત્ યહુ આત્મા પરરૂપ હો ગયા. ૧૦૬ (શ્રી સમયસારજી જયસેનાચાર્ય ટીકા, બ્ર. શીતલપ્રસાદજી ગાથા
૨૮૬, શ્રી અમૃતચંદ્રાચાર્યમાં ગાથા ર૬૯) કભી જ્ઞયપદાર્થમેં જાનનરૂપ અધ્યવસાન કરતા હૈ કિ યહુ ધર્માસ્તિકાય ઇત્યાદિ હૈ ઈન અધ્યવસાનકો વિકલ્પ રહિત શુદ્ધાત્માસે ભિન્ન નહીં જાનતા હૈ, ઈસ તરફ ઈન અધ્યવસાનાંકો શુદ્ધાત્માસે ભિન્ન અનુભવ નહીં કરતા હુઆ હિંસાદિકે અધ્યવસાન સંબંધી વિકલ્પકે સાથ અપને આત્માના અભેદરૂપસે શ્રદ્ધાન કરતા હૈ, જાનતા હે તથા અનુભવ કરતા હૈ. તબ મિથ્યાદષ્ટિ, મિથ્યાજ્ઞાની ઔર મિથ્યાચારિત્રી હો જાતા હૈ. ઈસસે ઉસકે કર્મોકા બંધ હોતા હૈ ા ૧૦૭ (શ્રી સમયસારજી શ્રી જયસેનાચાર્યની ટીકા, બ્ર. શીતલપ્રસાદજી
ગાથા. ૨૮૭ માંથી, અમૃતચંદ્રાચાર્યમાં ગાથા-૨૭૦) આ જે અધ્યવસાનો છે તે “હું પરને હણું છું' એ પ્રકારના છે, “હું નારક છું' એ પ્રકારના છે તથા “હું પરદ્રવ્યને જાણું છું” એ પ્રકારના છે. તેઓ, જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિક કર્મોદયનિત ભાવોનો તથા આત્માનો ને શેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે; તેઓ ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાજ્ઞાનરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે, એમ ત્રણે પ્રકારે પ્રવર્તે છે તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ આત્માને સમ્યક જાણે છે, સમ્યક શ્રદ્ધે છે. અને સમ્યક આચરે છે, તેથી અજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ થયા થકા કર્મોથી લપાતાં નથી. ૧૦૮ાા
(શ્રી સમયસારજી ગાથા-ર૭૦ નો ભાવાર્થ) * હું પરને જાણું છું તેમાં આત્માનો વ્યરછેદ થઈ ગયો. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૭ ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીત-ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીત ઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે “હું રાગી છું, હું દ્વષી , હું ક્રોધી છું, હું માની છું' ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે. મા ૧૦૯
(શ્રી સમયસાર ગાથા-૯૨ નો ભાવાર્થ ) જ્ઞાયકભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિ કાળથી ય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે ( જ્ઞાયકભાવ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી (-અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી), તેને કર્તાપણું સંમત કરવું (અર્થાત્ તે કર્તા છે એમ સ્વીકારવું ; તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનની આદિથી જ્ઞય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત ) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયકભાવ), વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો (-જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે-રૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.// ૧૧ાા
(શ્રી સમયસાર ગા. ૩૩ર થી ૩૪૪ની ટીકામાંથી)
* હું પરમાં તન્મય થાઉં તો પરને જાણું. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૫૮
અહીં એમ જાણવું કેઃ- મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્દગલદ્રવ્યના પરમાણું છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે।। ૧૧૧।।
(શ્રી સમયસારજી ગાથા-૮૭ ના ભાવાર્થમાંથી )
આ મોહકર્મ છે તે જડ પુદ્દગલદ્રવ્ય છે; તેનો ઉદય કલુષ ( મલિન ) ભાવરૂપ છે; તે ભાવપણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્દગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે ‘ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ કલુપતા રાગદ્વેષમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની છે,’ ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે।। ૧૧૨।।
(શ્રી સમયસાર ગાથા-૩૬ નો ભાવાર્થ)
જીવ અધ્યવસાનથી તિર્યંચ, નાક, દેવ અને મનુષ્ય એ સર્વપર્યાયો, તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ-એ બધારૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ-અધર્મ, જીવ
* ઇન્દ્રિયજ્ઞાનમાં સ્વ-૫૨નો વિવેક નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી અજીવ અને લોક-અલોક એ બધારૂપ પોતાને કરે છે ! ૧૧૩ાા
(શ્રી સમયસારજી ગાથાર્થ-ર૬૮-ર૬૯) જેવી રીતે આત્મા પૂર્વોક્ત પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે (અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે) અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક (નારકી) કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતાં મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતાં દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતાંસુખાદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે અને ઉદયમાં આવતાં દુઃખાદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે; વળી તેવી જ રીતે જાણવામાં આવતાં જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે, જાણવામાં આવતાં અધર્મ (અધર્માસ્તિકાય)ના અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે, જાણવામાં આવતાં અન્યજીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ કરે છે, જાણવામાં આવતાં પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે, જાણવામાં આવતાં લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતાં અલોકાકાશનાં અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. (આ રીતે આત્મા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે.) ૧૧૪
(શ્રી સમયસારજી ગાથા-ર૬૮-૨૬૯ ની ટીકા ) વળી “આ ધર્મદ્રવ્ય જણાય છે' ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને પણ, જ્ઞાનમયપણાને લીધે સરૂપ અહેતુક
* ઇન્દ્રિયજ્ઞાન વધ્યું એટલે કે શેય વધ્યું. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૬૦ જ્ઞાન જ જેનું એકરૂપ છે એવા આત્માનો અને જ્ઞયમય એવા ધર્માદિક રૂપોનો વિશેષ નહીં જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. માટે આ સમસ્ત અધ્યવસાનો બંધના જ નિમિત્ત છે. ૧૧૫
(શ્રી સમયસારજી ગાથા-૨૭) ની ટીકામાંથી) આ જગતમાં ચેતયિતા (ચેતનારો અર્થાત્ આત્મા) છે તે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહાર તે ચેતયિતાનું (આત્માનું) જ્ઞય છે. હવે, “જ્ઞાયક (અર્થાત્ જાણનારો) ચેતયિતા, શેય (અર્થાત્ જણાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પદ્રવ્ય તેનો છે કે નથી?”—એમ તે બન્નેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે:- જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ - “જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; '- આવો તાત્વિક સંબંધ જીવંત (અર્થાત વિધમાન) હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિ સ્વરૂપ જ હોવો જોઈએ, પુદ્ગલાદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય; પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદગલાદિનો નથી. (આગળ વિચારીએ:) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો
* ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન માનવું તે જ્ઞાનની ભુલ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૧ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી બીજો ક્યો ચયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે? (આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી શાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે. / ૧૧૬
(શ્રી સમયસારજી ગાથા-૩૫૬ની ટીકામાંથી) વેધને જાણે અને વેદકને ન જાણે તે આશ્ચર્યકારી છે.
શબ્દાર્થ- દુર્બુદ્ધિ વેધને તો જાણે છે. વેદકને કેમ નથી જાણતો? પ્રકાશ્યને તો દેખે છે પરંતુ પ્રકાશકને દેખતો નથી. એ કેવું આશ્ચર્ય છે?
વ્યાખ્યાઃ- નિઃસંદેહ જોયને જાણવું અને જ્ઞાયકને-જ્ઞાન કે જ્ઞાનીને –ન જાણવું એ એક આશ્ચર્યની વાત છે. જેવી રીતે પ્રકાશથી પ્રકાશિત વસ્તુને તો દેખવી પરંતુ પ્રકાશકને ન દેખવો. આવા જ્ઞાયક-વિષયમાં અજ્ઞાનીઓને અહીં દુર્બુદ્ધિ-વિકારગ્રસિત બુદ્ધિવાળાકહ્યા છે. પાછલા પધમાં દીપક અને તેના પ્રકાશની વાત લઈને વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે, અહીં ઉદ્યોત અને તેના દ્વારા પ્રકાશિત પદાર્થની વાત લઈને તે જ વિષય સ્પષ્ટ કરવામાં આવેલ છે, ધોતક, ઘાત અને ઘોત્યનો જેવો સંબંધ છે તેવો જ સંબંધ જ્ઞાતા, જ્ઞાન અને શેયનો છે. એકને જાણવાથી બીજું જાણવામાં આવે છે. જેને એકને જાણતા બીજાનો બોધ થતો નથી તે જ ખરેખર દુબુદ્ધિ છે./ ૧૧૭ (શ્રી યોગસાર પ્રાભૃત, શ્રી અમિતગતિ આચાર્ય, નિર્જરા અધિકાર
ગાથા. ૩૯)
* પરણેયને શેય માનવું તે શેયની ભુલ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૬૨ શયના લક્ષ્ય દ્વારા આત્માના પરમસ્વરૂપને જાણીને અને લક્ષ્યરૂપથી વ્યાવૃત્ત થઈને શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરનારને કર્મોનો નાશ થાય છે.
વ્યાખ્યા:- જે લોકો શેયને જાણવામાં પ્રવૃત્ત હોવા છતાં પણ જ્ઞાયકને જાણવામાં પોતાને અસમર્થ બતાવે છે તેમને અહીં શેયના લક્ષ્યથી આત્માના ઉત્કૃષ્ટ સ્વરૂપને જાણવાની વાત કહેવામાં આવી છે અને સાથોસાથ એમ સમજાવવામાં આવ્યું છે કે આ રીતે શુદ્ધસ્વરૂપ સામે આવતાં શેયનું લક્ષ છોડીને પોતાના તે શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરો, એનાથી કર્મોની નિર્જરા થાય છે.
દ્રષ્ટાંત - જેવી રીતે કડછી-ચમચાથી ભોજન ગ્રહણ કરીને તેને છોડી દેવામાં આવે છે તેવી રીતે ગોચર-શય લક્ષ્ય-દ્વારા આત્માને જાણીને તેને છોડી દેવામાં આવે છે.
વ્યાખ્યા:- અહીં કડછી-ચમચાના ઉદાહરણ દ્વારા પૂર્વ પદ્યમાં વર્ણિત વિષયને સ્પષ્ટ કરવામાં આવેલ છે. કડછી-ચમચાનો ઉપયોગ જેવી રીતે ભોજનના ગ્રહણમાં કરવામાં આવે છે તેવી જ રીતે આત્માને જાણવામાં શેયના લક્ષ્યનો ઉપયોગ કરવામાં આવે છે. આત્માનું ગ્રહણ (જાણવું) થઈ જતાં શયનું લક્ષ્ય છોડી દેવામાં આવે છે, અને પોતાના ગ્રહીત સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. ૧૧૮ (શ્રી યોગસાર પ્રાકૃત, અમિતગતિ આચાર્ય, નિર્જરા અધિકાર,
ગાથા. ૪૦-૪૧)
* હું પરને જાણું છું એમાં ભાવેન્દ્રિયમાં એકત્ર થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
જ્ઞાનની ઓળખાણ થતાં જ્ઞાનીની ઓળખાણ થઈ જાય છે.
કારણ કે જ્ઞાન અને જ્ઞાનીમાં સર્વથા ભેદ વિદ્યમાન નથી. તેથી જ્ઞાનને જાણતાં વાસ્તવમાં જ્ઞાની જણાઈ જાય છે.
વ્યાખ્યા- જ્ઞાન અને જ્ઞાની એક બીજાથી સર્વથા ભિન્ન નથી. જ્ઞાનગુણ છે, જ્ઞાની ગુણી છે, ગુણગુણીમાં સર્વથા ભેદ હોતો નથી; બન્નેનો તાદાભ્ય સંબંધ હોય છે. અને તેથી વાસ્તવમાં જ્ઞાન જણાતાં, જ્ઞાની (આત્મા)નું હોવું જણાઈ જાય છે. અહીં સર્વથા ભેદ ના હોવાથી જે વાત કહેવામાં આવી છે તે એ વાતનું સૂચન કરે છે કે બન્નેમાં કથંચિત્ ભેદ છે, કે જે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ તથા પ્રયોજન આદિના ભેદની દૃષ્ટિએ રહ્યા કરે છે. / ૧૧૯ાા (શ્રી યોગસાર પ્રાભૃત, અમિતગતિ આચાર્ય, નિર્જરા અધિકાર
ગાથા-૩પ ) જેના દ્વારા પદાર્થ જણાય છે તેના દ્વારા જ્ઞાની ( જ્ઞાતા) કેમ ન જણાય? જેના દ્વારા ઉધોત (પ્રકાશ) દેખાય છે તેના દ્વારા શું દીપક નથી દેખાતો? –દેખાય જ છે.
વ્યાખ્યા- જેવી રીતે દીપકના પ્રકાશને દેખનાર દીપકને પણ દેખે છે તેવી જ રીતે જે શેયરૂપ પદાર્થને જાણે તે તેના જ્ઞાયક અથવા જ્ઞાનીને પણ જાણે છે, ન જાણવાની વાત કેવી?૧૨૦ (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, નિર્જરા અધિકાર ગાથા-૩૮)
ઇન્દ્રિયજ્ઞાનના વિષયથી ભિન્ન જે અંતરંગમાં અવભાસિત થાય
* હું પરને જાણું છું એમ માને તે દિગંબર જૈન નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૬૪ તે જ્ઞાતાને ગમ્ય આત્માનું અભ્રાંત રૂપ છે. ૧૨૧TT (શ્રી યોગસાર અમિતગતિ આચાર્ય, ચૂલિકા અધિકાર ગાથા-૪૪)
જેમ દીપકથી ઘોત્ય (પ્રકાશનીય વસ્તુ)ને જાણીને દીપકને ધોત્યથી અલગ કરવામાં આવે છે તેવી રીતે જ્ઞાન વડે શેયને જાણીને જ્ઞાનને અલગ કરવામાં આવે છે. જે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, સૂક્ષ્મ છે; વ્યપદેશરહિત અથવા વચન અગોચર છે જેનો ત્યાગ અથવા પૃથકકરણ થતું નથી, તેનાથી ભિન્ન જે વૈકારિક-ઇન્દ્રિયો આદિ દ્વારા વિભાવ પરિણત જ્ઞાન છે તેને દૂર કરવામાં આવે છે.// ૧૨૨/ (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, ચૂલિકાધિકાર ગાથા-૭૮, ૭૯)
શબ્દાર્થ જ્ઞાન આત્માને (પોતાને) અને પદાર્થ સમૂહને સ્વભાવથી જ જાણે છે. જેમ દીપક સ્વભાવથી અન્ય પદાર્થ સમૂહને પ્રકાશિત કરે છે તેમ પોતાના પ્રકાશનમાં અન્ય પદાર્થની અપેક્ષા રાખતો નથી. પોતાને પણ પ્રકાશિત કરે છે.
વ્યાખ્યા:- પાછળના પધમાં એ બતાવવામાં આવ્યું છે કે કેવળજ્ઞાન દૂરવર્તી પદાર્થોને પણ જાણે છે, ભલે તે દૂરપણું ક્ષેત્ર સંબંધી હોય કે કાળ સંબંધી ત્યાં એ ભ્રમ ઉત્પન્ન થાય છે કે જ્ઞાન પરને જ સ્વભાવથી જાણે છે કે પોતાને પણ જાણે છે? આ પધમાં દીપકના ઉદાહરણ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જેવી રીતે દીપક પરપદાર્થોનું ઉદ્યોતન કરે છે તેવી જ રીતે પોતાનું પણ ઉદ્યોતન (પ્રકાશન) કરે છે–પોતાના પ્રકાશનમાં કોઈ પ્રકારે પરની અપેક્ષા રાખતો નથી–તેવી જ રીતે જ્ઞાન પણ પોતાને તથા પરપદાર્થ સમૂહુને સ્વભાવથી જ જાણે છે–પોતાને અથવા આત્માને
* આત્મા ખરેખર પરને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી જાણવામાં કોઈ બીજાની અપેક્ષા રાખતું નથી. ૧૨૩ાા (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર ગાથા-૨૪)
ઇન્દ્રિયોના વ્યાપારને રોકીને ક્ષણભર અંતર્મુખ થઈને દેખનાર યોગીને જે રૂપ દેખાય છે તેને આત્માનું શુદ્ધ સંવેદનાત્મક (જ્ઞાનાત્મક ) રૂપ જાણવું જોઈએ.| ૧૨૪] (શ્રી યોગસાર પ્રાભૃત, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર ગાથા
૩૩. વ્યાખ્યા પણ જોવી.) પોતાના આત્માના વિચારમાં નિપુણ રાગરહિત જીવો દ્વારા નિર્દોષ શ્રુતજ્ઞાનથી પણ આત્મા કેવળજ્ઞાન સમાન જાણવામાં આવે છે. આ ૧૨૫TI (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર ગાથા-૩૪)
ઇન્દ્રિયોને પોતાના વિષયોથી રોકીને આત્મ ધ્યાનનો અભ્યાસ કરનાર નિર્વિકલ્પ ચિત્તવાળા ધ્યાતાને આત્માનું તે રૂપ વાસ્તવિકપણે સ્પષ્ટ પ્રતિભાસે છે–સાક્ષાત્ અનુભવમાં આવે છેTT ૧ર૬ાા (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર, ગાથા-૪૫,
વ્યાખ્યા પણ જોવી) શ્રી દેવસેનાચાર્ય તો આરાધનાસારમાં આ વિષયની વિશેષ સ્પષ્ટતા કરતાં લખ્યું છે કે “મનમંદિર ઉજ્જડ થતાં તેમાં કોઈપણ સંકલ્પવિકલ્પનો વાસ ન રહેતાં-અને સમસ્ત ઇન્દ્રિયોનો વ્યાપાર નષ્ટ થઈ જતાં આત્માનો સ્વભાવ અવશ્ય પ્રગટ થાય છે અને તે સ્વભાવ
* હું આંખથી રૂપને દેખું છું – એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૬૬
પ્રગટ થતાં આ આત્મા જ પરમાત્મા બની જાય છે।। ૧૨૭।। (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, જીવ અધિકાર, ગાથા-૪૫ની વ્યાખ્યામાંથી ઉદ્દધૃત )
‘ક્ષાયોપમિક ભાવ પણ શુદ્ધ જીવનું રૂપ નથી ' જે જ્ઞાન આદિના પણ રૂપમાં ક્ષાયોપમિક ભાવ છે તે પણ તત્ત્વદષ્ટિએ વિશુદ્ધ જીવનું સ્વરૂપ નથી.।। ૧૨૮।।
(શ્રી યોગસાર, જીવ અધિકાર, ગાથા. ૫૮) જે કાંઈ ઇન્દ્રિયગોચર તે બધું આત્મબાહ્ય
શબ્દાર્થ:- ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ દેખાવામાં આવે છે, જાણવામાં આવે છે અને અનુભવ કરવામાં આવે છે તે બધું આત્માથી બાહ્ય નાશવાન તથા ચેતના-રહિત છે।। ૧૨૯।।
(શ્રી યોગસા૨, અમિતગતિ આચાર્ય, અજીવ અધિકાર, ગાથા-૪૪)
કુતર્ક જ્ઞાનને રોકનાર, શાંતિનો નાશક, શ્રદ્ધાનો ભંગ કરનાર અને અભિમાન વધારનાર માનસિક રોગ છે કે જે અનેક પ્રકારે ધ્યાનનો શત્રુ છે. તેથી મોક્ષાભિલાષીઓએ કુતર્કમાં પોતાના મનને લગાવવું યોગ્ય નથી, બલ્કે તેને આત્મતત્ત્વમાં લગાવવું યોગ્ય છે કે જે સ્વાત્મોપલબ્ધિરૂપ સિદ્ધિ-સદનમાં પ્રવેશ કરાવનાર છે. ।। ૧૩૦।।
(શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, મોક્ષ અધિકાર, ગાથા૫૨-૫૩)
* હું કાનથી સાંભળું છું - એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
વૈષયિક જ્ઞાન બધું પૌદ્ગલિક છે.
શબ્દાર્થ- જીવને જેટલું વૈષયિક (ઇન્દ્રિયજન્ય) જ્ઞાન છે તે બધું પૌગલિક માનવામાં આવ્યું છે અને બીજું જે જ્ઞાન વિષયોથી પરાવૃત છે –ઇન્દ્રિયોની સહાય વિનાનું છે-તે બધું આત્મીય છે.
વ્યાખ્યા:- અહીં આ જીવના ઈન્દ્રિય-વિષયો સાથે સંબંધ રાખનારા બધા જ્ઞાનને “પૌદ્ગલિક' બતાવ્યું છે અને જે જ્ઞાન ઇન્દ્રિય વિષયોની સહાય રહિત અતીન્દ્રિય છે તે આત્મીય છે, આત્માનું નિજરૂપ છે. તેથી ઇન્દ્રિયજન્ય પરાધીન જ્ઞાન વાસ્તવમાં પોતાનું નથી અને તેથી તે ત્યાજ્ય છે ાા ૧૩૧TI (શ્રી યોગસાર, અમિતગતિ આચાર્ય, ચૂલિકાધિકાર, ગાથા-૭૬ )
પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (મતિજ્ઞાનના સ્વરૂપને ) આત્મ સંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતાં અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઈને, તત્કાલ નિજરસથી જ પ્રગટ થતાં, આદિ-મધ્ય-અંતરહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. IT ૧૩ર
(શ્રી સમયસારજી, ગાથા-૧૪૪ ની ટીકામાંથી) * હું નાકથી સુંઘું છું - એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૬૮ જે સમસ્ત વસ્તુ અમારા જ્ઞાન સ્વભાવમાં ઝલકે છે તેનું હું અવલોકન કરું તો અમારા જ્ઞાન સિવાય બહારમાં કોઈપણ વસ્તુને હું દેખતો નથી, જાણતો પણ નથી.
જો કદાચિત્ અમારું જ્ઞાન છે તે નિદ્રાવસ્થામાં મુદ્રિત થઈ જાય તથા રોગાદિક વખતે મૂર્શિત થઈ મુદ્રિત થઈ જાય તો સમજી લોક જે વિધામાન છે તો પણ અભાવરૂપ જેવું થયું, કારણ કે અમારો લોક તો અમારું જ્ઞાન જ છે. IT ૧૩યા (શ્રી રત્નકાંડશ્રાવકાચાર-ટીકાકાર પં. સદાસુખદાસજી કાશલીવાલ,
ગાથા-૧૧ ના ભાવાર્થમાંથી.) ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી; વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. ૧૩૪||
(શ્રી સમયસાર ગાથા-૧૮૧, ગાથાર્થ) पण्णाए चित्तव्वो जे चेदा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णायव्वा।। २९७।। પ્રજ્ઞાથી ગ્રહો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૭
પ્રજ્ઞા વડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. ૧૩પ તા.
(શ્રી સમયસાર ગાથા-૨૯૭ તથા અર્થ) નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે
* હું જીભથી ચાખું છું - એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ચેતક (ચેતનારો), તે આ હું છું અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવા યોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે, માટે હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી, “હું ગ્રહણ કરું છું” એટલે “હું ચતું જ ; ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ ) ચેતું છું, ચેતતા વડે જ ચતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતુ છું, ચેતતામાં જ ચતું છું, ચેતતાને જ ચતું છું અથવા-નથી ચેતતો નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિત્માત્ર (-ચૈતન્યમાત્ર) ભાવ છું... ૧૩૬ TI
(શ્રી સમયસાર ગાથા-૨૯૭ ની ટીકા) पण्णाए धित्तव्यो जो दट्ठा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९८ ।। पण्णाए धित्तव्यो जे णादा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९९ ।। પ્રજ્ઞાથી ગ્રહો-નિશ્ચયે જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૮ પ્રજ્ઞાથી ગ્રહોનિશ્ચયે જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૯
* હું સ્પર્શઇન્દ્રિયથી સ્પર્શ કરું છું - એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૭) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે દેખનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું.
પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. || ૧૩૭
(શ્રી સમયસારજી ગાથા-૨૯૮-૨૯૯) ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહીં હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. “ગ્રહણ કરું છું” એટલે દેખું જ છું” દેખતો જ (અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું. અથવા-નથી દેખતો નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખાતામાં દેખતો, નથી દેખતાને દેખતો; પરંતુ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું. વળી એવી જ રીતે-હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું. “ગ્રહણ કરું છું” એટલે જાણું જ છું', જાણતો જ (અર્થાત જાણતો થકો જ ) જાણું છું, જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું, જાણતામાં જ જાણું છું, જાણતાને જ જાણું છું. અથવા-નથી જાણતો નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો; પરંતુ સર્વવિશુદ્ધ જ્ઞતિમાત્ર (જાણ નક્રિયામાત્ર) ભાવ છું. (આમ દેખનારા આત્માને તેમ જ જાણનારા આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને
* હું મનથી છ દ્રવ્યને જાણું છું – એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી અધિકરણરૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને, પછી કારકભેદોનો નિષેધ કરી આત્માને અર્થાત્ પોતાને દર્શનમાત્રભાવરૂપે તેમજ જ્ઞાનમાત્રભાવરૂપે અનુભવવો અર્થાત્ અભેદરૂપે અનુભવવો.). ૧૩૮ાા
(શ્રી સમયસાર ગાથા. ૨૯૮, ૨૯૯ ટીકા) કઈ અપેક્ષાએ જીવનું સામાન્ય લક્ષણ કહ્યું છે? “વવIRT” વ્યવહારથી-વ્યવહારનયની અપેક્ષાએ કહ્યું છે. અહીં કેવળજ્ઞાન-દર્શન પ્રત્યે “શુદ્ધસદ્દભૂત” શબ્દથી વાચ્ય “અનુપચરિત સદ્દભૂત” વ્યવહાર છે, છમસ્થના અપૂર્ણ જ્ઞાન-દર્શનની અપેક્ષાએ “અશુદ્ધ સભૂત” શબ્દથી વાચ્ય “ઉપચરિત સદભૂત” વ્યવહાર છે. અને કુમતિ, કુશ્રુત, કુઅવધિ-એ ત્રણે જ્ઞાનને વિષે “ ઉપચરિત અસભૂત વ્યવહાર છે.
શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ અખંડ કેવળજ્ઞાન અને કેવળદર્શન (ગુણો)-એ બે જીવનું લક્ષણ છે..! ૧૩૯ાા
(શ્રી બૃહદ્રવ્યસંગ્રહ ગાથા-૬ ની ટીકામાંથી) પ્રમિતિ પ્રમાણકા ફલ (કાર્ય) હૈ” ઈસમેં કિસી ભી (વાદી યા પ્રતિવાદી) વ્યક્તિકો વિવાદ નહીં હૈ—સભી કો માન્ય હૈ. ઔર વહુ પ્રમિતિ અજ્ઞાનનિવૃતિ સ્વરૂપ હૈ. અતઃ ઉસકી ઉત્પત્તિમે જ કરણ હો ઉસે અજ્ઞાન વિરોધી હોના ચાહિયે. કિંતુ ઇન્દ્રિયાદિક અજ્ઞાનકે વિરોધી નહીં હૈ કયકિ અચેતન (જડ) હૈ. અતઃ અજ્ઞાન વિરોધી ચેતનધર્મ-જ્ઞાનકો હી કરણ માનના યુક્ત હૈ. લોકમેં ભી અંધકારકો દૂર કરને કે લિયે ઉસસે વિરુદ્ધ પ્રકાશકો હી ખોજા જાતા હૈ, ઘટાદિક કો નહીં. કયોંકિ ઘટાદિક અંધકારકે વિરોધી નહીં હૈ. અંધકારને સાથ ભી વે રહતે હૈ ઔર ઈસલિયે ઉનસે અંધકારકી નિવૃત્તિ નહીં હોતી. વહુ તો પ્રકાશસે હી હોતી હૈ.
* જ્ઞાની એમ માને છે કે – હું આંખથી રૂપ ને દેખતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૭૨ દૂસરી બાત યહ હૈ, કિ ઇન્દ્રિય વગૈરઠુ અસ્વસંવેદી (અપનેકો ન જાનનેવાલે ) હોનેસે પદાર્થોકા ભી જ્ઞાન નહીં કરા સકતે હૈ. જો સ્વયં અપના પ્રકાશ નહીં કર સકતા હૈ વહ દૂસરેકા ભી પ્રકાશ નહીં કરા સકતા હૈ. ઘટકી તરહ કિંતુ જ્ઞાન દીપક આદિકી તરહ અપના તથા અન્ય પદાર્થોકા પ્રકાશક હૈ, યહ અનુભવસે સિદ્ધ હૈ. અતઃ યહુ સિદ્ધ હુઆ કિ ઇન્દ્રિય વગૈરહ પદાર્થોક જ્ઞાન કરાનેમેં સાધકતમ ન હોનેકે કારણ કરણ (સાધન ) નહીં હૈ. (ઇન્દ્રિયોં અસ્વસંવેદી હોનેસે પદાર્થકો જાનનેમેં સાધકતમ નહીં હૈ કયોંકિ જો અપનેકો જાનનેમેં અસમર્થ હૈ વહ પરકો ભી નહીં જાન સકતા હૈ.)।। ૧૪૦।।
(શ્રી ન્યાય દીપિકા-પાનું ૧૪૭–૧૪૮ )
ઇન્દ્રિય-વિષયો નિગ્રહી, મન એકાગ્ર લગાય, આત્મામાં સ્થિત આત્માને, જ્ઞાની નિજથી ધ્યાય.।।૨૨।। અન્વયાર્થ:- ( ભાવ ) મનની એકાગ્રતાથી ઇન્દ્રિયોના સમૂહને વશ કરી આત્મવાન પુરુષે પોતાનામાં (આત્મામાં ) સ્થિત આત્માને આત્મા દ્વારા જ ધ્યાવવો જોઈએ.।। ૧૪૧||
(શ્રી ઇષ્ટોપદેશ, શ્રી પૂજ્યપાદસ્વામી, ગાથા-૨૨ અર્થ) ધ્યાવવો જોઈએ-ભાવવો જોઈએ કોણે ?
આત્મવાન ( પુરુષે ) અર્થાત્ જેણે ઇન્દ્રિયો અને મનને ગોપવેલ છે (સંયમમાં રાખેલ છે) અથવા જેણે ઇન્દ્રિયો અને મનની સ્વૈરાચારરૂપ ( સ્વચ્છંદ ) પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે એવા આત્માએ. કોને ( ધ્યાવવો )? આત્માને... શા વડે? આત્મા વડે જ અર્થાત્ સ્વસંવેદનરૂપ પોતાથી જ (પ્રત્યક્ષ જ્ઞાનથી જ) ધ્યાવવો જોઈએ ), કારણ
* જ્ઞાની એમ માને છે કે - હું કાનથી સાંભળતો નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી કે તે જ્ઞાતિમાં બીજા કરણ (સાધન)નો અભાવ છે. (સ્વયં આત્મા જ જ્ઞાતિનું સાધન છે.) તે આત્મા સ્વ-પર શરિરૂપ હોવાથી (અર્થાત્ તે સ્વયં સ્વને અને પરને પણ જાણતો હોવાથી તેને (તેનાથી ભિન્ન) અન્ય કરણનો (સાધનનો) અભાવ છે. માટે ચિંતાને છોડી સ્વ-સંવિત્તિ (એટલે સ્વસંવેદન) દ્વારા જ તેને જાણવો જોઈએ”.
આત્મા સ્વ-પર પ્રતિભાસસ્વરૂપ છે. અર્થાત્ સ્વપરપ્રકાશક છે. તે સ્વયં પોતાને જાણતાં પર જણાઈ જાય છે, તેથી જાણવા માટે તેને બીજા કારણોની (સાધનોની) આવશ્યકતા રહેતી નથી.
સ્વસંવેદનમાં જ્ઞતિ-ક્રિયાની નિષ્પત્તિ માટે બીજું કોઈ કરણ અથવા સાધકતમ હેતુ નથી, કારણ કે આત્મા સ્વયં સ્વ-પરજ્ઞતિરૂપ છે. માટે કારણોતરની(બીજા કારણની) ચિંતા છોડી સ્વ-શક્તિ દ્વારા જ આત્માને જાણવો જોઈએ. ૧૪૨
(શ્રી ઇષ્ટોપદેશ, પં. આશાધરજી ટીકા, ગાથા–૨૨) તે વખતે (સમાધિકાલમાં) આત્મામાં આત્માને જ દેખનાર યોગીને બાહ્યમાં પદાર્થો હોવા છતાં પરમ એકાગ્રતાના કારણે (આત્મા સિવાય) અન્ય કોઈપણ ભાસતું નથી” (માલૂમ પડતું નથી)., ૧૪૩ (શ્રી ઇષ્ટોપદેશમાંથી ઉદ્દધૃત્ત પાનું-૯૩, તત્ત્વાનુશાસન, શ્લોક-૧૭ર
માં છે) વિશેષોથી અજ્ઞાત રહી, નિજરૂપમાં લીન થાય, સર્વ વિકલ્પાતીત તે, છૂટે, નહીં બંધાય. ૪૪
અન્વયાર્થ:- (બીજે ઠેકાણે) નહીં જતો (અન્યત્ર પ્રવૃત્તિ નહીં કરતો યોગી) તેના વિશેષોનો (અર્થાત્ દેહાદિના વિશેષોનો સૌંદર્ય, અસૌંદર્યાદિ ધર્મોનો ) અનભિન્ન રહે છે (તેનાથી અજાણ રહે છે) અને
* જ્ઞાની એમ માને છે કે - હું નાકથી સુંઘતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૭૪ વિશેષોનો અજાણ હોવાથી તે બંધાતો નથી, પરંતુ વિમુક્ત થાય છે.
ટીકા - સ્વાત્મ-તત્ત્વમાં સ્થિર થયેલો યોગી, જ્યારે બીજે ઠેકાણે જતો નથી–પ્રવૃત્તિ કરતો નથી, ત્યારે તે સ્વાભાથી ભિન્ન શરીરાદિના વિશેષોથી અર્થાત્ સૌંદર્ય-અસૌંદર્યાદિ ધર્મોનો અનભિજ્ઞ (અજાણ) રહે છે, અર્થાત્ તે જાણવાને અભિમુખ (ઉત્સુક) થતો નથી અને તે વિશેષોથી તે અજ્ઞાત હોવાથી તેમાં તેને રાગ-દ્વેષ ઉત્પન્ન થતો નથી; તેથી તે કર્મોથી બંધાતો નથી. ત્યારે શું થાય છે? વિશેષ કરીને (ખાસ કરીને) વ્રતાદિ અનુષ્ઠાન (આચરણ) કરનારાઓ કરતા તે અતિરેકથી તેમનાથી (કર્મોથી) મુક્ત થાય છે. ૧૪૪
(શ્રી ઇષ્ટોપદેશ, ગાથા-૪૪, અન્વયાર્થ, ટીકા) કોનું, કેવું, કયાં, કહીં, -આદિ વિકલ્પ વિહીન, જાણે નહીં નિજ દેહને, યોગી આતમ-લીન. ૪રા
અન્વયાર્થ-યોગપારયણ (ધ્યાનમાં લીન) યોગી, આ શું છે? કેવું છે? કોનું છે? શાથી છે? કયાં છે? ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહીં કરતો થકો પોતાના શરીરને પણ જાણતો નથી (–તેને પોતાના શરીરનો પણ ખ્યાલ રહેતો નથી). ૧૪૫ /
(શ્રી ઈબ્દોપદેશ ગાથા-૪૨) દેખે પણ નહીં દેખતા, બોલે છતાં અબોલ, ચાલે છતાં ન ચાલતા, તત્ત્વસ્થિત અડોલ. ૪૧ાા
* જ્ઞાની એમ માને છે કે – હું જીભથી ચાખતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૭૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
અન્વયાર્થ:- જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તે બોલતો હોવા છતાં બોલતો નથી, ચાલતો હોવા છતાં ચાલતો નથી અને દેખતો હોવા છતાં દેખતો નથી.
(૧) ટીકા-જેણે આત્મતત્ત્વના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે-અર્થાત્ જેણે આત્મસ્વરૂપને દૃઢ પ્રતીતિનો વિષય બનાવ્યો છે તેવો યોગી સંસ્કાર વશયા બીજાના ઉપરોધથી બોલતો હોવા છતાં..... તે બોલતો જ નથી..... કારણકે તેને બોલવા તરફ અભિમુખપણાનો અભાવ છે..... સિદ્ધપ્રતિમાદિકને દેખતો હોવા છતાં દેખતો જ નથી, એ જ એનો અર્થ છે.।। ૧૪૬।।
(શ્રી ઈષ્ટોપદેશ ગાથા-૪૧ અન્વયાર્થ, ટીકામાંથી )
જેમ જેમ સુલભ (સહજ પ્રાપ્ત ) ઇન્દ્રિય-વિષયો પણ રૂચતા નથી તેમ તેમ સ્વાત્મ-સંવેદનમાં ઉત્તમ નિજાત્મતત્ત્વ આવતું જાય છે.।। ૧૪૭।। (શ્રી ઈષ્ટોપદેશ ગાથા-૩૮ નો અન્વયાર્થ )
વ્યવહારનયથી વળી ભગવાન બધું જાણે છે અને દેખે છે; નિશ્ચયથી વળજ્ઞાની આત્માને (પોતાને ) જાણે છે અને દેખે છે.।। ૧૪૮।। (શ્રી નિયમસારજી, શ્રી કુંદકુંદાચાર્ય, ગાથા-૧૫૯ )
અહીં જ્ઞાનીને સ્વ-૫ર સ્વરૂપનું પ્રકાશકપણું કચિત્ કહ્યું છે.
2
‘પરાશ્રિતો વ્યવહાર ( વ્યવહાર પરાશ્રિત છે ) ' એવું ( શાસ્ત્રનું ) વચન હોવાથી, વ્યવહારનયથી તે ભગવાન પરમેશ્વર પરમભટ્ટા૨ક આત્મગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મોના નાશ વડે પ્રાસ સકળ-વિમળ કેવળજ્ઞાન અને કેવળદર્શન વડે ત્રિલોકવર્તી તથા ત્રિકાળવર્તી સચરાચર દ્રવ્યગુણપર્યાયોને
'
* જ્ઞાની એમ માને છે કે - હું સ્પર્શઇન્દ્રિયથી સ્પર્શ કરતો નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૭૬ એક સમયે જાણે છે અને દેખે છે; શુદ્ધનિશ્ચયથી પરમેશ્વર મહાદેવાધિદેવ સર્વજ્ઞ વીતરાગને, પરદ્રવ્યના ગ્રાહકત્વ, દર્શકત્વ, જ્ઞાયકત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મૂળધ્યાનમાં અભાવરૂપ હોવાથી (?), તે ભગવાન ત્રિકાળ-નિરૂપાધિ, નિરવધિ (અમર્યાદિત), નિત્યશુદ્ધ એવા સજજ્ઞાન અને સહજદર્શન વડે નિજ કારણપરમાત્માને, પોતે કાર્યપરમાત્મા હોવા છતાં પણ, જાણે છે અને દેખે છે. કઈ રીતે? આ જ્ઞાનનો ધર્મ તો, દીવાની માફક,
સ્વપરપ્રકાશપણું છે. ઘટાદિની પ્રમિતિથી પ્રકાશ-દીવો (કથંચિત્ ) ભિન્ન હોવા છતાં સ્વયં પ્રકાશ સ્વરૂપ હોવાથી સ્વ અને પરને પ્રકાશ છે; આત્મા પણ જ્યોતિ સ્વરૂપ હોવાથી વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળરૂપ પરને તથા સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્માને પોતાને) પ્રકાશ
છે.
હવે “સ્વાશ્રિતો નિશ્ચય:' (નિશ્ચય સ્વાશ્રિત છે) એવું (શાસ્ત્રનું) વચન હોવાથી, (જ્ઞાનને) સતત નિરુપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે નિશ્ચયપક્ષે પણ સ્વપરપ્રકાશપણું છે જ. (તે આ પ્રમાણે)-સહજજ્ઞાન આત્માથી સંજ્ઞા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી (તેમજ ભિન્ન પ્રયોજનથી) ઓળખતું હોવા છતાં વસ્તુવૃત્તિએ (અખંડ વસ્તુની અપેક્ષાએ) ભિન્ન નથી; આ કારણને લીધે આ (સહજજ્ઞાન) આત્મગત (આત્મામાં રહેલાં ) દર્શન, સુખ, ચારિત્ર વગેરેને જાણે છે અને આત્માને-કારણપરમાત્માના સ્વરૂપને પણ જાણે છે.
(સહજજ્ઞાન સ્વાત્માને તો સ્વાશ્રિત નિશ્ચયનયથી જાણે જ છે અને એ રીતે સ્વાત્માને જાણતાં એના બધા ગુણ પણ જણાઈ જ જાય છે હવે સહજજ્ઞાને જે આ જાણ્યું તેમાં ભેદ–અપેક્ષાએ જોઈએ તો
* જ્ઞાની એમ માને છે કે - હું મનથી છ દ્રવ્યને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૭૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
સજજ્ઞાનને માટે જ્ઞાન જ સ્વ છે અને તે સિવાયનું બીજું બધું– દર્શન, સુખ વગેરે-૫૨ છે; તેથી આ અપેક્ષાએ એમ સિદ્ધ થયું કે નિશ્ચયપક્ષે પણ જ્ઞાન સ્વને તેમ જ ૫૨ને જાણે છે.।। ૧૪૯।।
(શ્રી નિયમસારજી, ગાથા-૧૫૯, શ્રી પદ્મપ્રભમલધારિદેવ ) જ્ઞાન, દર્શન ધર્મોથી યુક્ત હોવાને લીધે આત્મા ખરેખર ધર્મી છે. સકળ ઇન્દ્રિયસમૂહુરૂપી હિમને (નષ્ટ કરવા) માટે સૂર્યસમાન એવો સમ્યગ્દષ્ટિ જીવ તેમાં જ (જ્ઞાન, દર્શન ધર્મયુક્ત આત્મામાં જ) સદા અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરીને મુક્તિ પામે છે-કે જે મુક્તિ પ્રગટ થયેલી સહજ અવસ્થારૂપે સુસ્થિત છે. ।। ૧૫૦।।
(શ્રી નિયમસારજી કળશ. ૨૭૯ શ્રી પદ્મપ્રભમલધારિદેવ ) નિશ્ચયનયથી જ્ઞાન સ્વપ્રકાશક છે તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચયનયથી આત્મા સ્વપ્રકાશક છે. તેથી દર્શન સ્વપ્રકાશક છે.।। ૧૫૧।। (શ્રી નિયમસા૨, શ્રી કુંદકુંદાચાર્ય-ગાથા-૧૬૫ )
આ નિશ્ચયનયથી સ્વરૂપનું કથન છે.
અહીં નિશ્ચયનયથી શુદ્ધજ્ઞાનનું લક્ષણ સ્વપ્રકાશકપણું કહ્યું છે; તેવી રીતે સર્વ આવરણથી મુક્ત શુદ્ધદર્શન પણ સ્વપ્રકાશક જ છે. આત્મા ખરેખર, તેણે સર્વ ઇન્દ્રિય વ્યાપારને છોડયો હોવાથી, સ્વપ્રકાશકસ્વરૂપ લક્ષણથી લક્ષિત છે; દર્શન પણ, તેણે બહિર્વિષયપણું છોડયું હોવાથી સ્વપ્રકાશકત્વ પ્રધાન જ છે. આ રીતે સ્વરૂપ પ્રત્યક્ષલક્ષણથી લક્ષિત અખંડ-સહજશુદ્ધ જ્ઞાનદર્શનમય હોવાને લીધે, નિશ્ચયથી, ત્રિલોક-ત્રિકાળવર્તી સ્થાવર-જંગમસ્વરૂપ સમસ્ત દ્રવ્ય, ગુણ પર્યાયરૂપ વિષયો સંબંધી પ્રકાશ્ય-પ્રકાશકાદિ વિકલ્પોથી અતિ દૂર વર્તતો થકો,
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૭૮
સ્વસ્વરૂપસંચેતન જેનું લક્ષણ છે એવા પ્રકાશ વડે સર્વથા અંતર્મુખ હોવાને લીધે, આત્મા નિરંતર અખંડ-અદ્વૈત-ચૈતન્યચમત્કારમૂર્તિ રહે છે.।। ૧૫૨।।
(નિયમસાર ગાથા-૧૬૫ ટીકા પદ્મપ્રભમલધારિદેવ ) નિશ્ચયથી આત્મા સ્વપ્રકાશક જ્ઞાન છે; જેણે બાહ્ય આલંબન નષ્ટ કર્યું છે એવું (સ્વપ્રકાશક) જે સાક્ષાત્ દર્શન તે-રૂપ પણ આત્મા છે. એકાકાર નિજરસના ફેલાવથી પૂર્ણ હોવાને લીધે જે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન ) છે એવો આત્મા સદા પોતાના નિર્વિકલ્પ મહિમામાં નિશ્ચિતપણે વસે છે.।। ૧૫૩।।
(શ્રી નિયમસારજી, કળશ-૨૮૧, પદ્મપ્રભમલધારિદેવ ) (નિશ્ચયથી ) કેવળીભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહીં-એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી ).।। ૧૫૪।।
(શ્રી નિયમસાર, કુંદકુંદાચાર્યદેવ, ગાથા-૧૬૬) આ શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી પરદર્શન ( ૫૨ દેખવાનું ) ખંડન છે.
જો કે વ્યવહા૨થી એક સમયમાં ત્રણકાળ સંબંધી પુદ્દગલાદિ દ્રવ્યગુણપર્યાયોને જાણવામાં સમર્થ સકળ-વિમળ કેવળજ્ઞાનમયત્વાદિ વિવિધ મહિમાઓનો ધરનાર છે, તોપણ તે ભગવાન, કેવળદર્શનરૂપ તૃતીય લોચનવાળો હોવા છતાં, ૫૨મ નિરપેક્ષપણાને લીધે નિઃશેષપણે ( સર્વથા ) અંતર્મુખ હોવાથી કેવળ સ્વરૂપપ્રત્યક્ષ માત્ર વ્યાપારમાં લીન એવા નિરંજન નિજ સહજદર્શન વડે સચ્ચિદાનંદમય આત્માને નિશ્ચયથી દેખે છે (પરંતુ લોકાલોકને નહીં )–એમ જે કોઈપણ શુદ્ધ અંતઃતત્ત્વનો
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે.
*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૭૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
વેદના૨ ( જાણનાર, અનુભવનાર) પરમ જિનયોગીશ્વર શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી કહે છે, તેને ખરેખર દૂષણ નથી. ।। ૧૫૫ ।।
( શ્રી નિયમસાર ગાથા-૧૬૬ ટીકા શ્રી પદ્મપ્રભમલધારિદેવ )
पश्यत्यात्मा सहजपरमात्मानमेकं विशुद्धं स्वान्तः शुद्धयावसथमहिमाधारमत्यन्तधीरम् स्वात्मन्युच्चैविचलतया तस्मिन्नैव प्रकृतिमहति
(નિશ્ચયથી ) આત્મા સહજ પરમાત્માને દેખે છે-કે જે પરમાત્મા એક છે, વિશુદ્ધ છે, નિજ અંતઃ શુદ્ધિનું રહેઠાણ હોવાથી ( કેવળજ્ઞાન-દર્શનાદિ ) મહિમાનો ધરનાર છે, અત્યંત ધીર છે અને નિજ આત્મામાં અત્યંત અવિચલ હોવાથી સર્વદા અંતર્મગ્ન છે; સ્વભાવથી મહાન એવા તે આત્મામાં વ્યવહાર પ્રપંચ નથી જ (અર્થાત નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખાવારૂપ વ્યવહાર વિસ્તાર નથી જ). ।। ૧૫૬।।
सर्वदान्तर्निमग्नं व्यावहारप्रपंच: ।। २८२ ।।
(શ્રી નિયમસાર કળશ-૨૮૨ શ્રી પદ્મપ્રભમલાધારી દેવ દ્વિતીય આવૃતિ, સને ૧૯૭૪, વિક્રમ સંવત-૨૦૩૦)
યમીઓને આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ થાય છે. -કે જે આત્મલબ્ધીએ જ્ઞાનજ્યોતિ વડે ઇન્દ્રિયસમૂહના ઘોર અંધકારનો નાશ કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન દાવાનળની શિખાજાળનો નાશ કરવા માટે તેના પર સતત શમજલમયીધરાને ઝડપથી છોડે છે, વસાવે છે.।। ૧૫૭।।
(શ્રી નિયમસાર કળશ ૧૮૬, પદ્મપ્રભમલધારી દેવ )
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર જ્ઞેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૮૦ વળી કેવી છે આત્મજ્યોતિ? “નિયમાન” ચેતના લક્ષણથી જણાય છે. તેથી અનુમાનગોચર પણ છે. હવે બીજો પક્ષ “૩યોતમાન” પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે, શુદ્ધવસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યકત્વ છે. આ ૧૫૮ (શ્રી સમયસાર કળશટીકા-શ્લોક-૮ ટીકામાંથી પાંડે રાજમલજી)
વળી કેવો હોવાથી શુદ્ધ છે? “સર્વભાવાંતરધ્વસિસ્વભાવવત” (સર્વ) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ અથવા શેયરૂપ પર દ્રવ્ય એવા જે (ભાવાંતર) ઉપાધિરૂપ વિભાવભાવ તેમનું (ધ્વસિ) મેટનશીલ (મટાડવાના સ્વભાવ વાળું) છે. નિજસ્વરૂપ જેનું, એવો સ્વભાવ હોવાથી શુદ્ધ છે. ૧૫૯ (શ્રી સમયસાર કળશ ટીકા, કળશ-૧૮ ની ટીકામાંથી, પાડે
રાજમલજી ) કોઈ પ્રશ્ન કરે છે કે જેઓ અનુભવ પામે છે તેઓ અનુભવ પામવાથી કેવા હોય છે? ઉત્તર-આમ છે કે તેઓ નિર્વિકાર હોય છે. તે જ કહે છે-તે જ જીવો નિરંતરપણે અરીસાની પેઠે રાગ દ્વેષ રહિત છે. શાનાથી નિર્વિકાર છે? “પ્રતિરુનેન નિમન અનંત ભાવ સ્વભાવે.” (પ્રતિરુનેન) પ્રતિબિંબરૂપે (નિયમન) ગર્ભિત જે (અનંતભાવ) સકળ દ્રવ્યોના (સ્વા.) ગુણ પર્યાયો, તેમનાથી નિર્વિકાર છે. ભાવાર્થ આમ છે કે જે જીવના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે તેના જ્ઞાનમાં સકળ પદાર્થો ઉદીત થાય છે તેમના ભાવ અર્થાત્ ગુણપર્યાયો, તેમનાથી નિર્વિકારરૂપ અનુભવ છે. ૧૬Oા
(શ્રી સમયસાર કળશ ટીકા, કળશ-૨૧ ટીકામાંથી)
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
૮૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ક્ષાયોપશમિક જ્ઞાનના વિકલ્પનું સ્વરૂપ.
અન્વયાર્થ:- (યોગસંતિ:) યોગની પ્રવૃત્તિના પરિવર્તનને (વિજ્ઞ: ) વિકલ્પ કહે છે. (અર્થાત્) અર્થાત્ ( જ્ઞેયાર્થાત) એક જ્ઞાનના વિષયભૂત અર્થથી ( જ્ઞેયાર્થાતરસંત્ત: ) બીજા વિષયાંતરપણાને પ્રાસ થવાવાળી ( સ: ) જે ( જ્ઞેયાહાર:) શૈયાકારરૂપ (જ્ઞાનસ્ય પર્યાય:) જ્ઞાનની પર્યાય છે. ( સવિત્વ) તે વિકલ્પ કહેવાય છે.
ભાવાર્થ:- મન, વચન, કાયયોગની સંક્રાંતિના કારણે વિષયથી વિષયાંતરરૂપ જે જ્ઞાનની પ્રવૃત્તિ (વ્યાપાર ) થાય છે તેને વિકલ્પ કહે છે.।। ૧૬૧।।
(શ્રી પંચાધ્યાયી ઉતરાર્ધ ગાથા-૮૩૧)
અન્વયાર્થ:- વાસ્તવમાં ઇન્દ્રિય વિષયોને અવલંબીને ઉત્પન્ન થવાવાળી તે સવિકલ્પ જ્ઞાનની પર્યાય ક્ષાયોપમિક છે, કારણ કે અતીન્દ્રિય-ક્ષાયિક-કેવળજ્ઞાનમાં સંક્રાંતિ પણ થતી નથી, (તેથી તેમાં યોગના અવલંબનથી કોઈ પ્રકારના પરિવર્તનરૂપ વિકલ્પનો પણ સંભવ નથી.)
ભાવાર્થ:- યોગસંક્રાંતિરૂપ વિકલ્પનો માત્ર ક્ષયોપશમજન્ય ઇન્દ્રિયજનિત જ્ઞાનમાં જ સંભવ છે, કારણ કે–સ્વભાવિક અતીન્દ્રિય ક્ષાયિકજ્ઞાનમાં સંક્રાંતિ નહીં હોવાથી ત્યાં તે યોગસંક્રાંતિરૂપ વિકલ્પ પણ હોતો નથી, આ ઉપરથી જ આ અભિપ્રાય સમજવો જોઈએ કે જ્ઞાનનું એ પ્રમાણે સવિકલ્પરૂપ થવું એ તેનું નૈમિત્તિક સ્વરૂપ છે પણ વાસ્તવિક નથી તેથી તે વાસ્તવમાં સમ્યક્તત્વનું સ્વરૂપ બની શકતું નથી. ( ‘ વિકલ્પ ’ વિશેષ ક્ષાયોપશમિક જ્ઞાનને લાગુ પડે છે પણ જ્ઞાનસામાન્યનું તે
* ૫૨ને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૮૨
સ્વલક્ષણભૂત લક્ષણ નથી. જુઓ ૯૦૧ ગાથા. ।। ૧૬૨।। (શ્રી પંચાધ્યાયી ગાથા-૮૩૨, પાંડે રાજમલજી )
‘વિકલ્પ ’ શબ્દના બે અર્થ થાય છે. એક તો આકાર, નિશ્ચય વ્યવસાય, અને સ્વ-પરપ્રકાશકતા તથા બીજો-અર્થથી અર્થાત૨રૂપ થવાવાળી સંક્રાંતિ, તેમાંથી આકાર અને વ્યવસાયરૂપ વિકલ્પ તો જ્ઞાનનું સ્વલક્ષણ છે. તેથી અહીં તેનું ખંડન કર્યું નથી, પરંતુ યોગસક્રાંતિ અનુસાર છદ્મસ્થ જ્ઞાનીઓના જ્ઞાનમાં જે અર્થથી અર્થાતરાકારરૂપ પણિમન થાય છે. તે પરીક્ષા કરતાં સમ્યગ્દર્શનની માફક સભ્યાનમાં પણ સિદ્ધ નથી થતું, કારણ કે તે જ્ઞાનનું સ્વરૂપ નથી, પરંતુ જ્ઞાનની સાથે થવાવાળી રાગ ક્રિયાનું સ્વરૂપ છે. હવે આગળ એ જ અર્થનો ખુલાસો કરવામાં આવે છે.
અન્વયાર્થ:- તથા જે આ વિષયમાં કોઈ સ્થૂળ ઉપચારદષ્ટિ પુરુષોએ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનમાં સવિકલ્પપણું કહ્યું છે તેથી અહીં આ ઉપચારનું જે કારણ છે તેને જ ખરેખર આ સમયે કહે છે.
ભાવાર્થ:- કોઈ કોઈ આચાર્યોએ સ્થૂળ ઉપચારદષ્ટિથી સમ્યગ્દષ્ટિઓને સરાગ સમ્યક્ત્વ અને તેમના સમ્યજ્ઞાનમાં અર્થસંક્રાંતિરૂપ સવિકલ્પપણું કહ્યું છે તે માત્ર ઉપચારથી જ કહ્યું છે તેથી હવે એ ઉપચારના પ્રયોજનને અહીં કહે છે:
અન્વયાર્થ:- જે ક્ષાયોપશમિક જ્ઞાનને અર્થથી અર્થાંતરને વિષય કરવાના કારણથી સવિકલ્પ માનવામાં આવે છે તે વાસ્તવમાં જ્ઞાનનું સ્વરૂપ નથી પરંતુ નિશ્ચયથી તે જ્ઞાનની થવાવાળી રાગની ક્રિયા છે.
* હું ૫૨ને જાણું છું - તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
ભાવાર્થ- ક્ષાયોપથમિક જ્ઞાન જે પ્રત્યેક અર્થપરિણામી થતું રહે છે તે પ્રત્યેક અર્થપરિણામી થવું એ કાંઈ જ્ઞાનનું સ્વરૂપ નથી પરંતુ તે જ્ઞાનની સાથે થવાવાળી રાગપરિણતિનું સ્વરૂપ છે. આગળ તેનો જ ખુલાસો કરવામાં આવે છે.
અન્વયાર્થ- જેમ કે જે જ્ઞાન પ્રત્યેક અર્થ તરફ મોહયુક્ત, રાગયુક્ત અને દ્વેષયુક્ત થયા કરે છે તે જ જ્ઞાનનું પ્રત્યેક અર્થ સંબંધી પરિણામીપણું છે.
ભાવાર્થ- સંસારી જીવોને જ્ઞાનની જે રાગદ્વેષાદિ અનુસાર પ્રવૃત્તિ થઈ રહી છે તે જ જ્ઞાનનું પ્રત્યર્થપરિણામીપણું છે, અને તે પ્રત્યર્થપરિણામીપણાને જ્ઞાનનો સ્વલક્ષણભૂત વિકલ્પ કહી શકતા નથી પરંતુ એ તો રાગની ક્રિયા છે, ક્ષાયોપથમિક જ્ઞાન અને બુદ્ધિપૂર્વક રાગાદિનો છઠ્ઠી ગુણસ્થાન સુધી માત્ર સહભાવ ( સાથે રહેવું) હોય છે, તેથી એ ઉપચારથી તેને અર્થસંક્રાંતિરૂપ વિકલ્પ સહિત કહી દેવું એ બીજી વાત છે, પરંતુ વાસ્તવમાં અર્થસંક્રાંતિરૂપ વિકલ્પપણાને જ્ઞાનનો ધર્મ કહી શકાતો નથી.
અન્વયાર્થ- સ્વસંવેદન પ્રત્યક્ષ વડે આ પૂર્વોક્ત કથન સિદ્ધ થાય છે, કારણ કે-જેમ રાગી પુરુષનું રાગ સહિત જ્ઞાન, આકુલિત થાય છે તેમ મુનિનું થતું નથી.
ભાવાર્થ- ઉપરોક્ત આ કથન સ્વાનુભવથી પણ સિદ્ધ થાય છે, કારણ કે-જેવું રાગીનું જ્ઞાન ચંચળ રહે છે તેવું વીતરાગી મુનિનું રહેતું નથી.
* ઇન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૮૪ અન્વયાર્થ:- બુદ્ધિપૂર્વક રાગ ક્ષાયોપથમિક જ્ઞાનની સાથે અવિનાભાવ સંબંધ રાખે છે. કારણ કે-અજ્ઞાત (નહીં જાણેલા અર્થમાં આકાશપુષ્પની માફક રાગભાવ થતો નથી.
ભાવાર્થ- ક્ષાયોપથમિક જ્ઞાન અને બુદ્ધિપૂર્વકનો રાગ સહ્યોગ છે. જાણેલી વસ્તુ પ્રત્યે રાગભાવ થાય છે પણ નહીં જાણેલી વસ્તુ સંબંધી આ વસ્તુ સારી છે.' એવો રાગભાવ થતો નથી તેથી ક્ષાયોપથમિક જ્ઞાનની સાથે છબસ્થોને રાગાદિકની પ્રવૃત્તિ હોય છે તે સિવાય નહીં. એ પ્રમાણે રાગના કારણથી જ્ઞાનમાં અર્થાતરરૂપ પરિવર્તન થયા કરે છે તે જ્ઞાનનું સ્વરૂપ નથી પણ રાગક્રિયા છે. ૧૬૩ાા
(શ્રી પંચાધ્યાયી ઉતરાર્ધ ગાથા-૯૦૧ થી ૯૦૬ ) અન્વયાર્થી- પોતાના લક્ષણની અપેક્ષાએ ક્ષાયિક જ્ઞાનમાં જે વિકલ્પપણું છે તે એક અર્થથી અન્ય અર્થના વિષયમાં મન-વચનકાયયોગની-સંક્રાંતિરૂપ વિકલ્પ શબ્દના અર્થની અપેક્ષાએ નથી.
ભાવાર્થ- જ્ઞાનગુણ સાકાર છે અને બાકી ના ગુણો નિરાકાર છે, જ્ઞાન ગુણના સાકારરૂપ હોવાથી જ તેના દ્વારા વસ્તુનું વસ્તુપણું તથા નિજસ્વરૂપ પણ જાણી શકાય છે, તથા અન્ય જેટલા કોઈ ગુણોનો ઉલ્લેખ કરવામાં આવે છે તે સર્વ, એ બધા ગુણોનો વિકાસ થવાથી આ જ્ઞાનગુણમાં થવાવાળી એ વિકાસોનો અવિનાભાવી પર્યાયોના ઉલ્લેખથી જ તે બાકીના ગુણોનું નિરૂપણ કરી શકાય છે, એ પ્રકારનું જ્ઞાનનું સ્વલક્ષણભૂત સવિકલ્પપણું તો ક્ષાયિકજ્ઞાનમાં પણ હોય છે. પરંતુ અર્થથી અર્થાતરાકાર યોગ સંક્રાંતિરૂપ સવિકલ્પપણું ક્ષાયિકજ્ઞાનમાં નથી. જ્ઞાનનાં લક્ષણભૂત વિકલ્પપણામાં અને
* ઈન્દ્રિયજ્ઞાન દુ:ખરૂપ છે, દુઃખનું કારણ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી લાયોપથમિક જ્ઞાનના યોગસંક્રાંતિરૂપ વિકલ્પપણામાં ઘણો મોટો તફાવત છે. એ જ વિષયનો આગળ ખુલાસો કરવામાં આવે છે.૧૬૪
(શ્રી પંચાધ્યાયી ઉતરાર્ધ, ગાથા-૮૩૩) અન્વયાર્થ- સ્વ તથા અપૂર્વ અર્થને વિશેષ ગ્રહણ કરવો એ જ્ઞાનનું લક્ષણ છે. અર્થ એક છે, તથા આત્માને જે ગ્રહણ કરવો તે આકાર કહેવાય છે, અને એ જ સવિકલ્પતા ક્ષાયિકજ્ઞાનમાં હોય છે.
ભાવાર્થ- કેવળજ્ઞાનમાં જ્ઞાનગુણ તો “સ્વ” શબ્દથી ગ્રહિત થાય છે તથા જ્ઞાન વિના બાકીના અનંત ગુણો “અપૂર્વાર્થ” શબ્દથી ગ્રહિત થાય છે. અને “ગ્રહણ” શબ્દથી આકારનો બોધ થાય છે, એ પ્રમાણે જ્ઞાન દ્વારા પોતાના અનંતા ગુણોના ગ્રહણને “સ્વાપુર્વાર્થ ગ્રહણાત્મક આકાર” અથવા સવિકલ્પતા કહે છે. (જુઓ અધ્યાય-૨ ગાથા-૩૯૨ થી ૩૯૮). ૧૬૫ !
(શ્રી પંચાધ્યાયી, ઉતરાર્ધ ગાથા-૮૩૪) અન્વયાર્થ- ઇન્દ્રિયજન્યજ્ઞાન તો કોઈપણ ઠેકાણે યોગસંક્રાંતિ વિના થતું નથી કારણ કે-ઈન્દ્રિયજન્યજ્ઞાનની ક્ષણમાં પણ અર્થથી અર્થાતરરૂપ સંક્રાંતિ થયા કરે છે.
ભાવાર્થ- ઇન્દ્રિયજન્ય જ્ઞાનમાં અર્થથી અર્થાતરરૂપ પલટના થતી જ રહે છે તેથી ઈન્દ્રિયજન્યજ્ઞાન સંક્રાંતિ સહિત હોય છે, કદી પણ તે સંક્રાંતિ વિના થતું નથી.
અન્વયાર્થ- તથા એ ઇન્દ્રિયજ્ઞાન ક્રમવર્તી છે પણ અજમવર્તી નથી. કારણ કે તે એક વ્યક્તિને એટલે એક વિવક્ષિત અર્થને છોડી અન્ય અર્થને વિષય કરવા લાગે છે.
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૮૬ ભાવાર્થ- ઇન્દ્રિયજન્ય જ્ઞાન, એક વિષયને વિષય કરીને વળી તેને છોડી બીજા જ વિષયને વિષય કરે છે પણ એક સાથ ભિન્ન સમયવર્તી વિષયોને વિષય કરતું નથી. તેથી તે ક્રમવર્તી જ છે પણ અક્રમવર્તી નથી. ૧૬૬ ા
(શ્રી પંચાધ્યાયી ઉતરાર્ધ, ગાથા-૮૩૬, ૮૩૭) અન્વયાર્થ- સમવ્યાતિ હોવાથી અભિન્નની માફક એ બન્નેની એટલે અર્થથી અર્થાતરગતિ અને યોગસંક્રાંતિની આવી વૃત્તિ (પલટના) અવશ્ય થાય છે કે આ યોગસંક્રાંતિ તે ઇન્દ્રિયજ્ઞાન હોય ત્યારે જ થાય છે પણ અતીન્દ્રિય જ્ઞાનમાં થતી નથી. યોગસંક્રાંતિ હોય ત્યારે જ અર્થથી અર્થાતરરૂપ ગીત થાય છે અને તે સિવાય અર્થાતરગતિ થતી નથી, અર્થાત્ યોગસંક્રાંતિ થતા અર્થાતરગતિ ન થાય એમ બની શકતું નથી, અને અર્થાતરગતિ થતાં યોગસંક્રાંતિ ના થાય એમ પણ બની શકતું નથી તેથી યોગસંક્રાંતિ અને અર્થની અર્થાન્તરગતિમાં સમવ્યાતિ હોવાથી એક પ્રકારની અદ્વૈત (એકતા)
છે.
ભાવાર્થ- યોગસંક્રાંતિ અને ઇન્દ્રિયજ્ઞાન એટલે અર્થથી અર્થાતરગતિ એ બન્નેમાં પરસ્પર સમવ્યામિ છે; અર્થાત્ જ્યાં જ્યાં યોગસંક્રાંતિ હોય છે ત્યાં ત્યાં જ્ઞાન સંબંધી અર્થાતરગતિ પણ હોય છે અથવા જ્યાં જ્યાં ઇન્દ્રિયજ્ઞાનની અર્થાતરગતિ હોય છે ત્યાં ત્યાં યોગસંક્રાંતિ પણ અવશ્ય હોય છે, કારણ કે એ બન્ને પરસ્પર એકબીજાના અભાવમાં રહી શકતા નથી તેથી એ બન્નેની વ્યાતિને સમવ્યાતિ દર્શાવી છે. 7 ૧૬૭
( શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૮૩૮)
*ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
છદ્મસ્થોનાં ઉપયોગાત્મક જ્ઞાનમાં જ યોગસંક્રાંતિના કારણથી જ્ઞાનના વિપરિણમનરૂપ વિકલ્પ થાય છે પણ લધ્યાત્મક જ્ઞાનમાં નહીં, તેથી સ્વાનુભૂતિની ( જ્ઞાનચેતનાની) લબ્ધિ, ઉપયોગાત્મક ના હોવાથી નિર્વિકલ્પ છે. IT ૧૬૮
(શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૮૫૫ ભાવાર્થ) અન્વયાર્થ:- વાસ્તવમાં સ્વયં જ્ઞાનચેતનારૂપ જે શુદ્ધ સ્વકીય (પોતાના) આત્માનો ઉપયોગ છે તે સંક્રાંત્યાત્મક ન હોવાથી નિર્વિકલ્પરૂપ જ છે.
ભાવાર્થ- જે સમયે જ્ઞાનચેતનારૂપ શુદ્ધ આત્મોપયોગ થાય છે તે સમયે ઉપયોગમાં, અર્થથી અર્થાતરગતિ થતી નથી તેથી તેટલા સમય સુધી તે ઉપયોગ પણ નિર્વિકલ્પ જ છે. તે ૧૬૯ મા
(શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, ગાથા-૮૫૬) અન્વયાર્થ:- જ્ઞાનોપયોગના સ્વભાવનો મહિમા જ કોઈ એવો છે કે તે (જ્ઞાનોપયોગ) પ્રદીપની માફક સ્વ, તથા પર બન્નેના આકારનો એકસાથે પ્રકાશક છે.! ૧૭OTI
(શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, ગાથા-૮૫૮) ઐસા જ્ઞાયક પુરુષ તો પ્રત્યક્ષ સાક્ષાત્ વિદ્યમાન દીસે હૈ અર યહ જહાં તહાં જ્ઞાનકા પ્રકાશ મૌને (મને) દીસે હૈ, શરીરનૂ દીસતા નાહીં. મેં એક જ્ઞાન હી કા સ્વચ્છ નિર્મળ પિંડ બન્યા હૂં.// ૧૭૧ !
(શ્રી જ્ઞાનાનંદ શ્રાવકાચાર, બ્ર. રાયમલજી કૃત, મોક્ષ અધિકાર અન્વયાર્થ:- જે ચાર પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે
* ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૮૮ જીવતો હતો, તે જીવ છે. આમ છતાં પ્રાણો તો પુદ્ગલદ્રવ્યોથી નિષ્પન્ન છે. તે ૧૭ર /
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૭, કુંદકુંદાચાર્ય) (વ્યુત્પત્તિ પ્રમાણે) પ્રાણસામાન્યથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે. એ રીતે (પ્રાણસામાન્ય) અનાદિ સંતાનરૂપે (પ્રવાહરૂપે) પ્રવર્તતા હોવાને લીધે (સંસારદશામાં) ત્રણેકાળ ટકતા હોવાથી પ્રાણસામાન્ય જીવન જીવત્વના હેતુ છે જ. તથાપિ તે (પ્રાણસામાન્ય) જીવનો સ્વભાવ નથી કારણ કે પુદ્ગલદ્રવ્યથી નીપજેલાં રચાયેલાં છે. આ ૧૭૩ાા
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૭ ની ટીકા, શ્રી અમૃતચંદ્રાચાર્ય)
ભાવાર્થ:- જો કે નિશ્ચયથી જીવ સદાય ભાવપ્રાણથી જીવે છે, તોપણ સંસારદશામાં વ્યવહારથી તેને વ્યવહાર જીવત્વના કારણભૂત ઇન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણોથી જીવતો કહેવામાં આવે છે. આમ છતાં તે દ્રવ્યપ્રાણો આત્માનું સ્વરૂપ બિલકુલ નથી કારણ કે તેઓ પુદ્ગલદ્રવ્યથી બનેલા છે. IT ૧૭૪T
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૭ નો ભાવાર્થ) હવે પ્રાણોનું પૌલિકપણું સિદ્ધ કરે છે:- મોહાદિકકર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થયો થકો કર્મફળને ભોગવતાં અન્ય કર્મો વડે બંધાય છે. આ ૧૭૫T
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૮ શ્રી કુંદકુંદાચાર્ય) (૧) મોહાદિક પૌગલિક કર્મો વડે બંધાયો હોવાને લીધે જીવ પ્રાણોથી સંયુક્ત થાય છે અને (૨) પ્રાણોથી સંયુક્ત થવાને લીધે.
* ઇન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પદ્ગલિક કર્મફળને (મોહી-રાગ-દ્વેષી જીવ મોહરાગદ્વેષ-પૂર્વક) ભોગવતો થકો ફરીને પણ અન્ય પૌલિક કર્મો વડે બંધાય છે, તેથી (૧) પૌદ્ગલિક કર્મના કાર્ય હોવાને લીધે અને (૨) પૌગલિક કર્મના કારણ હોવાને લીધે પ્રાણો પૌગલિક જ નિશ્ચિત (નક્કી) થાય છે. તે ૧૭૬ II
( શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૮ ટીકા) - હવે પ્રાણોને પૌલિક કર્મનું કારણ પણું ( અર્થાત્ પ્રાણો પૌગલિક કર્મના કારણ કઈ રીતે છે તે) પ્રગટ કરે છે:- જો જીવ મોહ અને દ્વેષ વડે જીવોના (-સ્વ જીવના તથા પર જીવના) પ્રાણોને બાધા કરે છે, તો પૂર્વે કહેલો જ્ઞાનવર્ણાદિક ક વડે બંધ થાય છે. આ ૧૭૭
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૯ શ્રી કુંદકુંદાચાર્ય અન્વયાર્થ)
પ્રથમ તો પ્રાણોથી જીવ કર્મફળને ભોગવે છે; તેને ભોગવતો થકો મોહ તથા વૈષને પામે છે; મોહ તથા હૃષથી સ્વજીવ અને પરજીવના પ્રાણોને બાધા કરે છે. ત્યાં, કદાચિત્ (કોઈવાર) પરના દ્રવ્યપ્રાણોને બાધા કરીને અને કદાચિત્ (પરના દ્રવ્યપ્રાણોને) બાધા નહીં કરીને, પોતાના ભાવપ્રાણોને તો ઉપરક્તપણાનડે (અવશ્ય) બાધા કરતો થકો, (જીવ) જ્ઞાનાવરણાદિ કર્મો બાંધે છે. આ પ્રમાણે પ્રાણો પૌગલિક કર્મોના કારણપણાને પામે છે. IT ૧૭૮TT
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૪૯ ની ટીકા) દ્રવ્યપ્રાણોની પરંપરા ચાલ્યા કરવાનું અંતરંગ કારણ અનાદિ પુદ્ગલકર્મના નિમિત્તે થતું જીવનું વિકારી પરિણમન છે. જ્યાં સુધી જીવ દેહાદિક વિષયોમાં મમત્વરૂપ એવું તે વિકારી પરિણમન છોડતો નથી, ત્યાં સુધી તેના નિમિત્તે ફરી ફરી પુદ્ગલકર્મ બંધાયા કરે છે
* ઈન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૯૦
અને તેથી ફરીફરી દ્રવ્યપ્રાણોનો સંબંધ થયા કરે છે.।। ૧૭૯।। (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૫૦ નો ભાવાર્થ )
હવે પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ સમજાવે છેઃ- જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે, તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે ?
(અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.)।। ૧૮૦।।
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૫૧ અન્વયાર્થ, શ્રી કુંદકુંદાચાર્ય )
ખરેખર પૌદ્ગલિક પ્રાણોની સંતતિની નિવૃત્તિનો અંતરંગ હેતુ પૌદ્ગલિક કર્મ જેનું કારણ (-નિમિત્ત) છે એવા ઉ૫૨ક્તપણાનો અભાવ છે. અને તે અભાવ જે જીવ સમસ્ત ઇન્દ્રિયાદિક પદ્રવ્યો અનુસાર પરિણતિનો વિજયી થઈને, (અનેક વર્ણોવાળા ) આશ્રય અનુસાર સઘળી પરિણતિથી વ્યાવૃત્ત થયેલાં સ્ફટિકમણિની માફક, અત્યંત વિશુદ્ધ ઉપયોગમાત્ર આત્મામાં એકલામાં, સુનિશ્ચિતપણે વસે છે, તે જીવને હોય છે.
આ અહીં તાત્પર્ય છે કે -આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે વ્યવહાર જીવત્વના હેતુભૂત પૌગલિક પ્રાણો આ રીતે ઉચ્છદવા યોગ્ય છે.।। ૧૮૧।।
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૫૧ ની ટીકા ) જેમ અનેક રંગવાળી આશ્રયભૂત વસ્તુ અનુસાર જે ( સ્ફટિકમણિનું ) અનેકરંગી પરિણમન તેનાથી તદ્દન વ્યાવૃત્ત થયેલા સ્ફટિકમણિને ઉપરક્તપણાનો અભાવ છે, તેમ અનેક પ્રકારના કર્મ, ઇન્દ્રિયો ઇત્યાદિ અનુસાર જે (આત્માનું) અનેક પ્રકારનું વિકારી પરિણમન તેનાથી તદ્દન
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી વ્યાવૃત થયેલા આત્માને (-કે જે એકલા ઉપયોગ માત્ર આત્મામાં સુનિશ્ચિતપણે વસે છે તેને-) ઉપરક્તપણાનો અભાવ હોય છે. તે અભાવથી પૌદ્ગલિક પ્રાણોની પરંપરા અટકે છે. આ રીતથી પૌદ્ગલિક પ્રાણોનો ઉચ્છેદ કરવાયોગ્ય છે. ૧૮૨
( શ્રી પ્રવચનસાર ગાથા-૧૫૧ નો ભાવાર્થ) (વ્યવહારથી કહેવામાં આવતા એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ “જીવો માં) ઈન્દ્રિયો જીવો નથી; અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે. ૧૮૩ાા
(શ્રી પંચાસ્તિકાય, ગાથા-૧૨૧, શ્રી કુંદકુંદાચાર્ય) આ વ્યવહારજીવત્વના એકાંતની પ્રતિપત્તિનું ખંડન છે (અર્થાત્ જેને માત્ર વ્યવહારનયથી જીવ કહેવામાં આવે છે તેનો ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત નથી એમ અહીં સમજાવ્યું છે ) જે આ એકેન્દ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે, “જીવો” કહેવામાં આવે છે તે, અનાદિ જીવ-પુગલનો પરસ્પર અવગાહુ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા (-જીવને મુખ્યતા અર્પીને) “જીવો” કહેવામાં આવે છે. નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ ઇન્દ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભાવના અભાવને લીધે, જીવ નથી; તેમનામાં જ જે સ્વપરની શસિરૂપે પ્રકાશનું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત્ અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે. ૧૮૪
(શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૨૧ ની ટીકા)
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૯૨ શુદ્ધસ્વરૂપમાં અવિચલિત ચૈતન્ય પરિણતિ તે ખરેખર ધ્યાન છે. તે ધ્યાન પ્રગટવાની વિધિ હવે કહેવામાં આવે છે - જ્યારે ખરેખર યોગી, દર્શનમોહનીય અને ચારિત્રમોનીયનો વિપાક પુદ્ગલકર્મ હોવાથી તે વિપાકને (પોતાથી ભિન્ન એવા અચેતન) કર્મોમાં સમેટી દઈને, તદ્અનુસાર પરિણતિથી ઉપયોગને વ્યાવૃત્ત કરીને (–તે વિપાકને અનુરૂપ પરિણમવામાંથી ઉપયોગને નિવર્તાવીને) મોહી, રાગી અને હૃષી નહીં થતા એવા તે ઉપયોગને અત્યંત શુદ્ધ આત્મામાં જ નિષ્કપપણે લીન કરે છે, ત્યારે તે યોગીને-કે જે પોતાના નિષ્ક્રિય ચૈતન્યરૂપ સ્વરૂપમાં વિશ્રાંત છે, વચન-મન-કાયાને ભાવતો નથી અને સ્વકર્મોમાં વ્યાપાર કરતો નથી તેને-સકળ શુભાશુભકર્મરૂપ ઈધનને બાળવામાં સમર્થ હોવાથી અગ્નિ સમાન એવું પરમ પુરુષાર્થ સિદ્ધિના ઉપાયભૂત ધ્યાન પ્રગટે છે. ૧૮પ
| (શ્રી પંચાસ્તિકાય ગાથા-૧૪૬ ની ટીકા) પ્રશ્ન:- પાનંદી પંચવિંશતિમાં એમ કહ્યું છે કે-જે બુદ્ધિ આત્મસ્વરૂપમાંથી નીકળી બહાર શાસ્ત્રોમાં વિચરે છે, તે બુદ્ધિ વ્યભિચારિણી છે?
ઉત્તર- એ સત્ય કહ્યું છે, કારણ કે બુદ્ધિ તો આત્માની છે, તે તેને છોડી પરદ્રવ્ય-શાસ્ત્રોમાં અનુરાગિણી થઈ, તેથી તેને વ્યભિચારિણી જ કહીએ છીએ./ ૧૮૬ IT (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, સાતમો અધિકાર, નિશ્ચયાભાસી પ્રકરણ,
પાના નં-૨૦૭, ૫. શ્રી ટોડરમલજી ) જો બુદ્ધિ અને ચૈતન્યરૂપી જો કુલગૃહ ઉસસે નિકલી હુઈ હૈ અત એવ જ બાહ્યશાસ્ત્રરૂપી વનમેં વિહાર કરનેવાલી હૈ. ઔર અનેક
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઈન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૯૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
પ્રકારકે વિકલ્પોકો ધારણ કરનેવાલી હૈ ઐસી વહુ બુદ્ધિ ઉત્તમબુદ્ધિ નહીં, કિંતુ કુલટા સ્ત્રી કે સમાન નિકૃષ્ટ હૈ. ।। ૧૮૭।।
(શ્રી પદ્મનંદી પંચવિંશતિકા, સદ્દબોધ ચંદ્રોદય અધિકાર, ગાથા-૩૮ નો અર્થ )
જિસ પ્રકાર અપને ઘરસે નિકલકર બાહ્ય વનોમેં ભ્રમણ કરનેવાલી ઔર અનેક પ્રકા૨કે સંકલ્પ, વિકલ્પ કો ધારણ કરનેવાલી સ્ત્રી કુલટા સમજી જાતી હૈ ઓર નિકૃષ્ટ સમજી જાતી હૈ. ઉસી પ્રકાર જો બુદ્ધિ અપને ચૈતન્યરૂપી મંદિરસે નિકલકર બાહ્ય શાસ્ત્રોમેં વિહાર કરનેવાલી હૈ ઔર અનેક વિકલ્પોકો ધારણ કરનેવાલી હૈ અર્થાત્ સ્થિર નહીં હૈ ઐસી બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ નહીં સમજી જાતી ઈસલીયે અપની આત્માકે હિતકે અભિલાષિયોંકો ચાહીએ કિ વે અપને આત્માકે સ્વરૂપસે ભિન્ન પદાર્થોનેં અપની બુદ્ધિકો ભ્રમણ ન કરને દેવે ઔર સ્થિર ૨ખે. ઉસી સમય ઉનકી બુદ્ધિ ઉત્તમ હો શકતી હૈ. ।। ૧૮૮।।
(શ્રી પદ્મનંદી પંચવિંશશિત, ગાથા-૩૮ નો ભાવાર્થ )
પરંતુ ( માત્ર ) પુદ્દગલ પરિણામના જ્ઞાનને ( આત્માના ) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા ( કર્મ, નોકર્મથી ) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે.।। ૧૮૯ ।। (શ્રી સમયસારજી ગાથા-૭૫ ની ટીકામાંથી )
બહિરાત્મા ઇન્દ્રિય-હારોથી બાહ્ય પદાર્થોને જ ગ્રહણ કરવામાં પ્રવૃત્ત હોવાથી, આત્મજ્ઞાનથી પરાંમુખ–વંચિત હોય છે; તેથી તે પોતાના શરીરને મિથ્યા અભિપ્રાયપૂર્વક આત્મારૂપે સમજે છે.।। ૧૯૦।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૭ નો અર્થ, પૂજ્યપાદસ્વામી )
* ઇન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૯૪ ઇન્દ્રિયોરૂપ ધારોથી અર્થાત્ ઇન્દ્રિયોરૂપ મુખથી બહારના પદાર્થોના ગ્રહણમાં રોકાયેલો હોવાથી તે બહિરાત્મા-મૂઢાત્મા છે. તે આત્મજ્ઞાનથી પરમુખ અર્થાત્ જીવસ્વરૂપના જ્ઞાનથી બહિર્ભત છે. તેવો થયેલો તે (બહિરાભા) શું કરે છે? પોતાના દેહને આત્મારૂપે માને છે અર્થાત પોતાનું શરીર તે જ હું છું એવી મિથ્યામાન્યતા કરે છે. ૧૯૧ .
(શ્રી સમાધિતંત્ર ગાથા-૭ ની ટીકા, શ્રી પ્રભાચંદ્રજી) શરીરમાં આત્મબુદ્ધિ હોવી તે જ સંસારના દુઃખનું કારણ છે; તેથી તેને-શરીરમાં આત્મબુદ્ધિને–છોડીને તથા બાહ્ય વિષયોમાં ઇન્દ્રિય પ્રવૃત્તિને રોકીને અંતરંગમાં-આત્મામાં પ્રવેશ કરવો. ૧૯૨TI
(શ્રી સમાધિતંત્ર ગાથા-૧૫ નો અર્થ, શ્રી પૂજ્યપાદસ્વામી)
હું અનાદિકાળથી આત્મસ્વરૂપથી શ્રુત થઈને ઇન્દ્રિય દ્વારા વિષયોમાં પતિત થયો, તેથી તે વિષયોને પ્રાપ્ત કરી વાસ્તવમાં મનેપોતાને હું તે જ છું-આત્મા છું, એમ મેં ઓળખ્યો નહીં. ૧૯૩ાા
(શ્રી સમાધિતંત્ર ગાથા-૧૬ શ્રી પૂજ્યપાદસ્વામી) જ્ઞાન પરપદાર્થોને જાણે છે-એમ કહેવું તે પણ વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં તો આત્મા પોતાને જાણતાં સમસ્ત પરપદાર્થો જણાઈ જાય છે એવી જ્ઞાનની નિર્મળતા-સ્વચ્છતા છે. ૧૯૪૫
(શ્રી સમાધિતંત્ર ગાથા-૨) ના વિશેષમાંથી)
* મહારાજા ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૫ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી
જેના-શુદ્ધાત્માસ્વરૂપના-અભાવે હું સૂતો પડી રહ્યો હતોઅજ્ઞાન અવસ્થામાં હતો, વળી જેના-શુદ્ધાત્મસ્વરૂપના-સર્ભાવમાં હું જાગી ગયો-યથાવત્ વસ્તુસ્વરૂપને જાણવા લાગ્યો, તે-તે શુદ્ધાત્મસ્વરૂપ ઇન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય, વચનોથી અગોચર અને સ્વાનુભવગમ્ય છે; તે હું છું. // ૧૯૫ //
(શ્રી સમાધિતંત્ર ગાથા-૨૪, શ્રી પૂજ્યપાદસ્વામી) સર્વ ઇન્દ્રિયોને રોકીને સ્થિર થયેલા અંતરાત્મા દ્વારા ક્ષણમાત્ર જોનારને-અનુભવ કરનાર જીવને જે-ચિદાનંદસ્વરૂપ પ્રતિભાસે છે તે પરમાત્માનું સ્વરૂપ છે./ ૧૯૬I
(શ્રી સમાધિતંત્ર ગાથા-૩૦, શ્રી પૂજ્યપાદસ્વામી) પોતપોતાના વિષયમાં જતી–પ્રવર્તતી-કોણ (પ્રવર્તતી)? સર્વ ઈન્દ્રિયો, એટલે પાંચ ઈન્દ્રિયો, તેને રોકીને-નિરોધીને, ત્યારબાદ સ્થિર થયેલા અંતરાત્મા વડ એટલે મન વડે જે સ્વરૂપ ભાસે છે, શું કરતાં? ક્ષણવાર જોતાં-ક્ષણમાત્ર અનુભવતાં-અર્થાત્ બહુ કાળ સુધી મનને સ્થિર કરવું અશકય હોવાથી થોળાકાળ સુધી મનનો નિરોધ કરીને દેખાતા–જે ચિદાનંદસ્વરૂપ પ્રતિભાસે છે, તે તત્ત્વતદ્રુપતસ્વસ્વરૂપ પરમાત્માનું છે. ૧૯૭૫
(શ્રી સમાધિતંત્ર ગાથા-૩૦ ની ટીકા, શ્રી પ્રભાચંદ્રજી ) સર્વ ઇન્દ્રિયોના વિષયમાં ભમતી–પ્રવર્તતી ચિત્તવૃત્તિને રોકીને અર્થાત્ અંતર્જલ્પાદિ સંકલ્પ વિકલ્પોથી રહિત થઈને, ઉપયોગને પોતાના ચિદાનંદસ્વરૂપમાં સ્થિર કરવો; તે આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરમાત્મસ્વરૂપનો પ્રતિભાસ થાય છે.
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૯૬
પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છોડો અને મનના સંકલ્પ-વિકલ્પો તોડી જ્ઞાનાનંદસ્વભાવમાં એકાગ્ર થવું-સ્થિર થવું તે પરમાત્મપ્રાપ્તિનો ઉપાય છે.।। ૧૯૮।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૩૦ ભાવાર્થ )
જે પરમાત્મા છે તે જ હું છું, તથા જે હું છું તે પરમાત્મા છે; તેથી હું જ મારા વડે ઉપાસવાયોગ્ય છું, બીજો કોઈ (ઉપાસ્ય ) નથી, એવી વસ્તુસ્થિતિ છે. ।। ૧૯૯।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૩૧, શ્રી પૂજ્યપાદસ્વામી )
મને-મારા આત્માને પંચેન્દ્રિયોના વિષયોથી હટાવીને મારા જ વર્ડ-પોતાના જ આત્મા વડે હું મારામાં સ્થિત પરમાનંદથી નિવૃત્ત (રચાયેલાં ) જ્ઞાનસ્વરૂપ આત્માને પ્રાપ્ત થયો છું.।। ૨૦૦।।
(શ્રી સમાધિતંત્ર-ગાથા-૩૨, શ્રી પૂજ્યપાદસ્વામી )
જે જ્ઞાનનો ઉપયોગ રાગાદિ વિકારોમાં તથા પરપદાર્થોમાં રોકાય છે તે જ્ઞાન નથી, પણ જે જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત થાય છે તે જ વાસ્તવિક જ્ઞાન છે-આત્મતત્ત્વ છે; માટે તે ઉપાદેય છે.
જે ઉપયોગ પરમાં જ અટકેલો રહેવાથી આત્મ-સન્મુખ વળતો નથી, તે ૫૨ના વલણવાળું તત્ત્વ છે, આત્માના વલણવાળું તત્ત્વ નથી, તેનાથી સંસાર છે, માટે તે હેય છે.।। ૨૦૧।।
(શ્રી સમાધિતંત્ર, ગાથા-૩૬ ના વિશેષ માંથી )
જે એટલે શરીરાદિ બાહ્ય પદાર્થ ઇન્દ્રિયો દ્વારા હું દેખું છું તે મારાં નથી-મારું સ્વરૂપ નથી, પણ ભાવેન્દ્રિયોને બાહ્ય વિષયોથી
* ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે ૫૨ને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૯૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
રોકી જે ઉત્કૃષ્ટ અતીન્દ્રિય આનંદમય જ્ઞાન-જ્યોતિને અંતરંગમાં હું દેખું છું–તેનો અનુભવ કરું છું, તે મારું વાસ્તવિક સ્વરૂપ હો!।। ૨૦૨ ।। (શ્રી સમાધિતંત્ર, ગાથા-૫૧નો અર્થ, શ્રી પૂજ્યપાદસ્વામી ) જે એટલે શરીરાદિકને હું ઇન્દ્રિયોથી જોઉં છું, તે મારું નથી અર્થાત્ મારું સ્વરૂપ નથી. તો તારું રૂપ શું? તે ઉત્તમ જ્યોતિ હોજ્યોતિ એટલે જ્ઞાન અને ઉત્તમ એટલે અતીન્દ્રિય-તથા આનંદમય એટલે ૫૨મ પ્રસન્નતા (પ્રશાંતિ )થી ઉત્પન્ન થયેલા સુખથી યુક્ત (છે) એવા પ્રકારની જે જ્યોતિને (જ્ઞાનપ્રકાશને ) અંતરંગમાં હું જોઉં છું–સ્વસંવેદનથી હું અનુભવું છું, તે મારું સ્વરૂપ અસ્તુ-હો. હું કેવો થઈને જોઉં છું? ઇન્દ્રિયોને સંયમિત કરીને (બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોને રોકીને અને પોતે સ્વાધીન થઈને) અર્થાત્ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને (હું જોઉં છું). ૨૦૩।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૫૧ ટીકા, શ્રી પ્રભાચંદ્રજી ) ઇન્દ્રિયો દ્વારા જે શરીરાદિ બાહ્ય પદાર્થો દેખાય છે તે હું નથી. તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ અતીન્દ્રિય આનંદમય જ્ઞાનજ્યોતિ છે. જ્યારે હું ભાવ-ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને અર્થાત્ બાહ્ય વિષયોથી હઠાવીને અંતર્મુખ થાઉં છું, ત્યારે હું જ્ઞાનસ્વરૂપ આત્માને જોઈ શકું છું-સ્વસંદેવનથી અનુભવી શકું છું.।। ૨૦૪।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૫૧નો ભાવાર્થ ) જેના ચિત્તમાં આત્મસ્વરૂપની નિશ્ચલ ધારણા છે તેની એકાંતે એટલે નિયમથી મુક્તિ થાય છે. જેને આત્મસ્વરૂપમાં નિશ્ચલ ધારણા નથી તેની અવશ્યપણે મુક્તિ થતી નથી. ।। ૨૦૫ ।।
( શ્રી સમાધિતંત્ર ગાથા-૭૧, શ્રી પૂજ્યપાદસ્વામી )
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૯૮
એકાંતિક એટલે અવશ્ય થવાવાળી મુક્તિ તે અંતરાત્માને થાય છે કે જેના ચિત્તમાં અવિચળત્તિ અર્થાત્ આત્મસ્વરૂપની ધારણા હોય કે સ્વરૂપમાં પ્રસત્તિ (લીનતા ) હોય; પરંતુ જેના ચિત્તમાં અચળ ધૃતિ (ધારણા) હોતી નથી, તેને અવયંભાવી મુક્તિ થતી નથી.।। ૨૦૬ ।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૭૧ ટીકા, શ્રી પ્રભાચંદ્રજી )
જેનો ઉપયોગ બીજે નહીં ભમતાં આત્મસ્વરૂપમાં જ સ્થિર થાય છે, તેની નિયમથી મુક્તિ થાય છે, પરંતુ જેનો ઉપયોગ એકથી બીજે ભમે છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતો નથી, તેની કદી મુક્તિ થતી નથી.।। ૨૦૭।।
(શ્રી સમાધિતંત્ર ગાથા-૭૧ ભાવાર્થમાંથી )
જો ઇચ્છારહિત હોતા હૈ વહુ અપરિગ્રહી હોતા હૈ. અર્થાત્ જિસકે બાહ્ય દ્રવ્યોંકી ઈચ્છા નહીં હોતી-અર્થાત્ બાહ્ય પદાર્થોસે ઉસકા કોઈ લગાવ નહીં હોતા. ઈસસે સ્વસંવેદન જ્ઞાની જીવ શુદ્ધોપયોગરૂપ નિશ્ચયધર્મકો છોડકર શુભોપયોગરૂપ ધર્મ અર્થાત્ પુણ્યકો નહીં ચાહતા હૈ. ઈસલિયે પુણ્યરૂપ ધર્મકા પરિગ્રહવાન ન હોકર, કિંતુ પુણ્ય મેરા સ્વરૂપ નહીં હૈ ઐસા જાનકર, ઉસ પુણ્યરૂપસે પરિણમન નહીં કરતા હુઆ તન્મય નહીં હોતા હુઆ વહુ દર્પણમેં આયે હુએ પ્રતિબિંબકે સમાન ઉસકા જાનનેવાલા હી હોતા હૈ. ।। ૨૦૮।।
(શ્રી સમયસારજી, શ્રી જયસેનઆચાર્ય ટીકા, તાત્પર્યવૃત્તિ, નિર્જરા અધિકા૨ ગાથા-૨૨૩, અજમે૨ પ્રકાશન )
જિસકે બાહ્ય દ્રવ્યોનેં વાંછા નહીં હૈ વહ પરિગ્રહ રહિત હૈ. ઈસલિયે તત્ત્વજ્ઞાની જીવ વિષયકષાયરૂપ અધર્મકો, પાપકો કભી નહીં
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૯ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ચાહતા ઈસલિયે વહુ વિષયકષાયરૂપ પાપકા ગ્રાહક ન હોતા હુઆ, યહુ પાપ મેરા સ્વરૂપ નહીં હૈ ઐસા જાનકર પાપરૂપસે પરિણમન નહીં કરતા હુઆ વહુ દર્પણમેં આયે હુએ પ્રતિબિંબકે સમાન ઉસકા જ્ઞાયક હી હોતા હૈ. | ROલા (શ્રી સમયસારજી, શ્રી જયસેનાચાર્ય ટીકા, ગાથા-૨૨૪ અજમેર
પ્રકાશન.) જિસકે બાહ્ય દ્રવ્યોમેં ઇચ્છા, મૂર્છા, મમત્વ પરિણામ નહીં હૈ, વહુ અપરિગ્રહવાન કહા ગયા હૈ કયોંકિ ઇચ્છા અજ્ઞાનમય ભાવ હૈ ઈસસે ઈસકા હોના જ્ઞાનીકે સંભવ નહીં હૈ અતઃ જ્ઞાનીકે ભોજનકી ભી ઇચ્છા નહીં હોતી ઈસલિયે વહુ આત્મસુખમેં સંતુષ્ટ હોકર ભોજન વ તત્સંબંધી પદાર્થોમેં પરિગ્રહરહિત હોતા હુઆ જૈસે દર્પણમેં આયે હુએ પ્રતિબિંબકે સમાન કેવલ આહારમું ગ્રહણ કરનેયોગ્ય વસ્તુકા ઉસ વસ્તુરૂપસે જ્ઞાયક હી હોતા હૈ. કિંતુ રાગરૂપસે ઉસકા ગ્રહણ કરનેવાલા નહીં હોતા.// ૨૧Oા
(શ્રી જયસેનાચાર્યકૃત, સમયસાર ટીકા, ગાથા-૨૨૬ ) જો ઇચ્છારહિત હૈ વહુ પરિગ્રહરહિત કહલાતા હૈ, અર્થાત્ જિસકે બાહ્ય પદાર્થોમેં ઇચ્છા, મૂર્છા વ મમત્વ પરિણામ નહીં હૈ વહુ અપરિગ્રહવાન કહા ગયા હૈ. અતઃ ઇચ્છા જો અજ્ઞાનમયભાવરૂપ હૈ વહુ જ્ઞાનીકે કભી સંભવ નહીં હૈ. અત એવ ઉસકે પીને યોગ્ય વસ્તુ કી ભી ઇચ્છા નહીં હો સકતી, ઈસલિયે સ્વાભાવિક પરમાનંદ સુખમેં સંતુષ્ટ હોકર નાના પ્રકારને પાનકકે વિષયમે પરિગ્રહરહિત હોતા હુઆ જ્ઞાનીજીવ તો દર્પણમેં આયે હુએ પ્રતિબિંબકે સમાન વસ્તુસ્વરૂપસે ઉસ પાનકકા જ્ઞાયક હી હોતા હૈ. રાગસે ઉસકા
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ગ્રાહક નહીં હોતા હૈં.।। ૨૧૧।।
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૦૦
(શ્રી સમયસાર, જયસેનાચાર્યકૃત ટીકા, ગાથા-૨૨૭, અજમે૨ પ્રકાશન )
દર્પણમાં મયૂર, મંદિર, સૂર્ય, વૃક્ષ વગેરેના પ્રતિબિંબ પડે છે. ત્યાં નિશ્ચયથી તો પ્રતિબિંબો દર્પણની જ અવસ્થા છે; છતાં દર્પણમાં પ્રતિબિંબો દેખીને, કાર્યમાં કારણનો ઉપચાર કરીને, ‘મયુરાદિ દર્પણમાં છે, એમ વ્યવહારથી કહેવાય છે. એવી રીતે જ્ઞાનદર્પણમાં સર્વ પદાર્થોના સમસ્ત જ્ઞેયાકારના પ્રતિબિંબો પડે છે અર્થાત્ પદાર્થોના શેયાકારોના નિમિત્તે જ્ઞાનમાં જ્ઞાનની અવસ્થારૂપ તૈયાકારો થાય છે (કારણ કે જો એમ ન થાય તો જ્ઞાન સર્વ પદાર્થોને જાણી શકે જ નહી ). ત્યાં નિશ્ચયથી તો જ્ઞાનમાં થતાં શૈયાકારો જ્ઞાનની જ અવસ્થા છે, પદાર્થોના શેયાકારો કાંઈ જ્ઞાનમાં પેઠાં નથી. નિશ્ચયથી આમ હોવા છતાં વ્યવહારથી જોઈએ તો, જ્ઞાનમાં થતાં શૈયાકારોના કારણ પદાર્થોના શેયાકારો છે અને તેમના કારણ પદાર્થો છે-એ રીતે પરંપરાએ જ્ઞાનમાં થતાં શૈયાકારોના કારણ પદાર્થો છે; માટે તે (જ્ઞાનની અવસ્થારૂપ ) શેયાકારોને જ્ઞાનમાં દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને પદાર્થો જ્ઞાનમાં છે’ એમ વ્યવહારથી કહી શકાય છે.।। ૨૧૨।।
6
(શ્રી પ્રવચનસારજી ગાથા-૩૧ નો ભાવાર્થ )
ભાવાર્થ આમ છે કે–જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે.।। ૨૧૩।। (શ્રી સમયસાર કળશટીકા, કળશ-૯૩ માંથી )
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેય બદલ્યા કરે છે.
*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૧ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
નિશ્ચયથી મુનિવરોને જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વરૂપનો અનુભવ સહજ જ આલંબન છે, કેવું છે જ્ઞાન? જે બાહ્ય રૂપ પરિણમ્યું હતું તે જ પોતાના શુદ્ધસ્વરૂપે પરિણમ્યું છે શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં કાંઈ વિશેષ પણ છે. તે કહે છે–વિદ્યમાન જે સમ્યગ્દષ્ટિ મુનીશ્વર શુદ્ધસ્વરૂપના અનુભવમાં મગ્ન છે તે સર્વોત્કૃષ્ટ અતીન્દ્રિય સુખને આસ્વાદે છે. ૨૧૪TI
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૦૪ માંથી) ભાવાર્થ આમ છે-ય જ્ઞાયકનો સંબંધ બે પ્રકારે છે. (૧) એક તો જાણપણામાત્ર છે, રાગદ્વેષરૂપ નથી. જેમ કે-કેવળી સકળ શેયવસ્તુને દેખું-જાણે છે, પરંતુ કોઈપણ વસ્તુમાં રાગ-દ્વેષ કરતા નથી. તેનું નામ શુદ્ધજ્ઞાન ચેતના કહેવાય છે સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધજ્ઞાન ચેતનારૂપ જાણપણું છે, તેથી મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી.
(૨) બીજું જાણપણું એવું છે કે કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે. અને મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઇષ્ટમાં રાગ કરે છે, ભોગની અભિલાષા કરે છે તથા અનિષ્ટમાં વૈષ કરે છે, અરુચિ કરે છે, ત્યાં આવા રાગ-દ્વેષ સાથે મળેલું છે જે જ્ઞાન તેનું નામ અશુદ્ધ ચેતનાલક્ષણ કર્મચેતના-કર્મફળચેતનારૂપ કહેવાય છે, તેથી બંધનું કારણ છે. !! ર૧૫TT
(શ્રી સમયસાર કળશ ટીકા, કળશ-૧૧૬માંથી) આ સમસ્ત અધિકારમાં નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? આત્માના શુદ્ધસ્વરૂપનો અનુભવ સૂકમ કાળમાત્ર પણ વિસારવાયોગ્ય નથી. શા કારણે ? કારણકે શુદ્ધસ્વરૂપનો
* ઇન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણતું નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૦૨
અનુભવ તેના નહીં છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મ બંધ થતો નથી. વળી શા કારણે ? શુદ્ધસ્વરૂપનો અનુભવ તેના છૂટવાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે. ભાવાર્થ પ્રગટ છે.।। ૨૧૬।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૨૨ )
સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા સૂક્ષ્મકાળમાત્ર પણ શુદ્ધનય અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર વસ્તુનો અનુભવ વિસ્મરણ યોગ્ય નથી. કેવો છે શુદ્ધનય ? બોધમાં અર્થાત્ આત્મસ્વરૂપમાં અતીન્દ્રિય સુખસ્વરૂપ પરિણતિને પરિણમાવે છે.।। ૨૧૭।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૨૩ માંથી )
66
,,
વળી કેવી છે ? “ નિખરસપ્રાભાર” (નિષ્નસ) ચેતનગુણનો સમૂહ છે. વળી કેવી છે? पररुपतः व्यावृत्त ( પરરુપત્ત: ) શેયાકા૨ પરિણમનથી (વ્યાવૃત્ત) ૫૨ાંગ્યુખ છે. ભાવાર્થ આમ છે કે–સકળ જ્ઞેયવસ્તુને જાણે છે, તદ્દરૂપ થતી નથી, પોતાના સ્વરૂપે રહે છે.।। ૨૧૮।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૨૫માંથી )
દ્રવ્યરૂપે મિથ્યાત્વકર્મ ઉપશમ્યું છે જેને, ભાવરૂપે શુદ્ધ સમ્યક્ત્વભાવરૂપ પરિણમ્યો છે જે જીવ, તેને શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું અને જેટલા પદ્રવ્ય-દ્રવ્યકર્મરૂપ, ભાવકર્મરૂપ, નોકર્મરૂપ-જ્ઞેયરૂપ છે તે સમસ્ત પદ્રવ્યનો સર્વ પ્રકારે ત્યાગ-એવી બે શક્તિઓ અવશ્ય હોય છે-સર્વથા હોય છે.।। ૨૧૯ ।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૩૬માંથી ) ભાવાર્થ આમ છે કે જેવી રીતે ઉષ્ણતામાત્ર અગ્નિ છે, તેથી દાહ્ય વસ્તુને બાળતો થકો દાઘના આકારે પરિણમે છે; તેથી લોકોને એવી
* ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી બુદ્ધિ ઉપજે છે કે કાષ્ટનો અગ્નિ, છાણાનો અગ્નિ, તૃણનો અગ્નિ; પરંતુ આ સમસ્ત વિકલ્પ જૂઠા છે, અગ્નિનું સ્વરૂપ વિચારતાં ઉષ્ણતામાત્ર અગ્નિ છે, એકરૂપ છે, કાષ્ઠ, છાણાં, તૃણ અગ્નિનું સ્વરૂપ નથી; તેવી રીતે જ્ઞાનચેતના પ્રકાશ માત્ર છે, સમસ્ત જ્ઞયવસ્તુને જાણવાનો સ્વભાવ છે તેથી સમસ્ત જ્ઞયવસ્તુને જાણે છે, જાણતું થયું જ્ઞયાકાર પરિણમે છે; તેથી જ્ઞાની જીવને એવી બુદ્ધિ ઉપજે છે કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન, કેવળજ્ઞાન-એવા ભેદવિકલ્પ બધા જૂઠા છે; જ્ઞયની ઉપાધિથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ-એવા વિકલ્પ ઉપજ્યા છે, કારણ કે સૅયવસ્તુ નાના પ્રકારે છે; જેવા શેયનો જ્ઞાયક થાય છે તેવું જ નામ પામે છે, વસ્તુસ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાનમાત્ર છે, નામ ધરવું બધું જૂઠું છે-આવો અનુભવ શુદ્ધસ્વરૂપનો અનુભવ છે; નિશ્ચયથી એમ જ છે.) રર૦ના
(શ્રી સમયસાર કળશટીકા કળશ-૧૪૦ માંથી) વળી કેવું છે? જીવનો સ્વભાવ સ્વ-પર જ્ઞાયક છે એમ વિચારતાં સમસ્ત જ્ઞયવસ્તુના અતીત-અનાગત-વર્તમાનકાળગોચર પર્યાય એક સમયમાત્ર કાળમાં જ્ઞાનમાં પ્રતિબિંબરૂપ છે; વસ્તુને સ્વરૂપસત્તામાત્ર વિચારતાં “શુદ્ધજ્ઞાનમાત્ર’ એમ શોભે છે. ભાવાર્થ આમ છે કે વ્યવહારમાત્રથી જ્ઞાન સમસ્ત શેયને જાણે છે, નિશ્ચયથી જાણતું નથી, પોતાના સ્વરૂપમાત્ર છે, કેમકે શેય સાથે વ્યાપ્ય-વ્યાપક રૂપ નથી. ર૨૧
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-ર૭૪ માંથી) ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રમાં શુદ્ધ જીવનું સ્વરૂપ નિઃસંદેહુપણે કહ્યું છે. વળી કેવું છે? જ્ઞાનમાત્ર શુદ્ધજીવ વડે
* ઇન્દ્રિયજ્ઞાન વૈભાવિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૦૪ શુદ્ધજીવમાં શુદ્ધજીવને નિરંતર અનુભવગોચર કરતું થયું. કેવો છે આત્મા? સર્વકાળ એકરૂપ જે ચેતના તે જ છે સ્વરૂપ જેનું, એવો છે. II ૨૨૨TI
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૨૭૬ માંથી) બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતાં થકા જેટલું ભણવું, વિચારવું, ચિંતવવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે તે મોક્ષનું કારણ નથી એમ જાણીને હેય ઠરાવ્યું છે. શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થઈને મનને બાંધ્યું છે. આવું કાર્ય જે રીતે થયું તે રીતે કહે છે. --નિરાવરણ કેવળજ્ઞાનનો સમૂહું જે આત્મદ્રવ્ય, તેની પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી. ર૨૩ાા
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૮૮માંથી) ભાવાર્થ આમ છે કે-કૃપાસાગર જે સૂત્રના કર્તા આચાર્ય, તે એમ કહે છે કે નાના પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યસિદ્ધિ તો નથી. કેવો છે, નાના પ્રકારના વિકલ્પો કરનારો જન?
જેમ જેમ અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી ભ્રષ્ટ થી ભ્રષ્ટ થાય છે. તે કારણ થી જન અર્થાત્ સમસ્ત સંસારી જીવરાશિ નિર્વિકલ્પ થી નિર્વિકલ્પ અનુભવરૂપ કેમ પરિણમતો નથી? કેવો છે જન? નિર્વિકલ્પ છે. કેવો છે નિર્વિકલ્પ અનુભવ? જેમાં પઠન-પાઠન, સ્મરણ, ચિંતન, સ્તુત્તિ વંદન ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો વિષ સમાન કહ્યા છે, તે નિર્વિકલ્પ અનુભવમાં ન ભણવું, ન ભણાવવું, ન વંદવું, ન નિંદવું એવો ભાવ અમૃતના નિધાન સમાન છે. ભાવાર્થ આમ છે કેનિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે, તેથી ઉપાદેય છે; નાના પ્રકારના વિકલ્પો
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
આકુળતારૂપ છે, તેથી હૈય છે.।। ૨૨૪।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૮૯ માંથી )
સર્વકાળ જ્ઞાન અર્થાત્ અર્થગ્રહણશક્તિ સ્વપર સંબંધી સમસ્ત શૈયવસ્તુને એક સમયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયભેદસક્તિ જેવી છે તેવી જાણે છે. એક વિશેષ-જ્ઞાનના સંબંધથી જ્ઞેયવસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી, નિશ્ચયથી એમ જ છે. દષ્ટાંત કહે છે-ચાંદની-નો પ્રસાર ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ-ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદનીરૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે-જેમ ચાંદની પ્રસરે છે, સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી; તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે; તો પણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી; એવો વસ્તુનો સ્વભાવ છે.।। ૨૨૫।।
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૨૧૬માંથી )
'
૫રદ્રવ્યરૂપ શેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શકતાં નથી. માટે જ્ઞાયક ૫૨ દ્રવ્યોને જાણે છે' એમ વ્યવહા૨થી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે.।। ૨૨૬।।
(
(શ્રી સમયસારજી કળશ-૨૧૪ ભાવાર્થમાંથી ) જેમ ખડી પરની (ભીંત આદિની ) નથી, ખડી તે તો ખડી જ છે, તેમ જ્ઞાયક (જાણનારો આત્મા ) પ૨નો ( ૫દ્રવ્યનો ) નથી, જ્ઞાયક તે તો જ્ઞાયક જ છે. જેમ ખડી ૫૨ની નથી, ખડી તે તો ખડી જ છે, તેમ દર્શક (દેખનારો આત્મા) ૫૨નો નથી, દર્શક તે તો દર્શક જ છે.।। ૨૨૭ાા
(શ્રી સમયસારજી ગાથા-૩૫૬-૩૫૭ નો અર્થ )
* હું ધર્માદિને જાણું છું - તે અધ્યવસાન છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૦૬ શુદ્ધનયથી આત્માનો એક ચેતનામાત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે. ત્યાં નિશ્ચયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈપણ સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ, ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી. /૨૨૮ાા (શ્રી સમયસારજી ગાથા-૩પ૬ થી ૩૬૫ ના ભાવાર્થમાંથી પં. શ્રી
જયચંદજી છાબડા.) જો ઉપચરિત સ્વભાવ સ્વભાવસે હી હોતા હૈ ઉસકો સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ કહતે હૈ જૈસે-સિદ્ધ જીવોકે પરજ્ઞતા ઔર પરદર્શકત્વસ્વભાવ. કયોંકિ નિશ્ચયનયસે આત્મા (મુક્તાત્મા) અપની આત્માકા હી જ્ઞાતાદ્રષ્ટા માના ગયા હૈ પરપદાર્થોના જ્ઞાતાદષ્ટા નહીં. ઈસલિયે આત્મા જો પરદ્રવ્યોના જ્ઞાતાદષ્ટા કહા જાતા હૈ વહુ ઉપચારસે હી કહા જાતા હૈં, વાસ્તવમેં નહીં. ર૨૯T
(શ્રી દેવસેનાચાર્યકૃત, આલાપપદ્ધતિ, પાનું-૯૯) ઉપચરિત એકાંત પક્ષમેં ભી નિયમિત પક્ષ હોને સે આત્માને આત્મજ્ઞાન સંભવ નહીં હોતી હૈ.
ભાવાર્થ- યદિ ઉપચરિત સ્વભાવસે આત્મા સર્વથા પરપદાર્થોના હી જ્ઞાતાદા હૈ, આત્માકા નહીં ઐસા ઉપચરિત એકાંત પક્ષ માના જાયેગા તો નિયમિત પક્ષ હોને કે કારણ, આત્મામેં જો
* ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે પરને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
અનુપચારસે આત્માકો જાનનેરૂપ આત્મજ્ઞતા પાયી જાતી હૈ ઉસકા અભાવ હો જાયેગા અર્થાત્ આત્માનેં આત્મજ્ઞતા સિદ્ધ નહીં હો સકેગી અતઃ અનુપરિત પક્ષ નિરપેક્ષ સર્વથા ઉપચરિત પક્ષ માનના અર્થાત્ આત્માકો સર્વથા પદાર્થોકા હી જ્ઞાતાદષ્ટા માનના યુક્તિ સંગત નહીં હૈં.।। ૨૩૦।।
(શ્રી દેવસેનાચાર્યકૃત આલાપપદ્ધતિ, પાનું-૧૧૨ )
યહ સ્વસંવેદન કયા હૈ? ઈસકે વિષયમેં આત્માનુશાસનમેં ભી એક શ્લોક આયા હૈ.
વેધત્વ, વેદકત્વ ચ યસ્વસ્ય સ્પેન યોગીનઃ તત્ત્વસંવેદનં પ્રાહુ, રામનોડનુભવં દૃશઃ
અર્થાત્ જહાં પર યોગી કે જ્ઞાનમેં શૈયપના જ્ઞાયકપના યે દોનો અપને આપમેં હી હો ઐસી અનન્ય અવસ્થાકા નામ સ્વસંવેદન હૈ. ઈસીકો આત્માનુભવ યા સ્વાનુભવ પ્રત્યક્ષ ભી કહતે હૈં.।। ૨૩૧।।
(શ્રી જયસેનાચાર્ય ટીકા, શ્રી સમયસાર, પાનુ-૨૦૨ )
જ્ઞાન જ્ઞાને પ્રતિષ્ઠિત ઈસ અમૃતચંદ્રાચાર્ય કે વચનાનુસાર જબ છદ્મસ્થ આત્માકા જ્ઞાન, જ્ઞાનકો હી વિષય કરનેવાલા હો જાતા હૈ, ઉસ સમય ઉસમેં અપને આપકે સિવાય ઔર કિસીકા ભાન ભી નહીં રહતા. તબ ઉસકો જ્ઞાનગુણ યા જ્ઞાનભાવ કહતે હૈ. સ્વરૂપાચરણ, સ્વસંવેદન, આત્માનુભવ, શુદ્ધોપયોગ ઔર શુદ્ધનય આદિ સબ ઈસીકે નામ હૈ. ઈસ જ્ઞાનગુણકો પ્રાપ્ત કિયે બિના આજ તક કિસીકો ન તો મોક્ષ પ્રાપ્ત હુઆ ઔર ન હો સકતા હૈ.।। ૨૩૨।। (શ્રી જયસેનાચાર્ય ટીકા, શ્રી સમયસાર ગાથા-૨૨૨ વિશેષમાંથી )
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ૧૦૮ અબ યહાં અભિન્ન કર્તાકર્મરૂપ નિશ્ચય કથનકો ઔર ભિન્ન કર્તાકર્મરૂપ વ્યવહાર કથનકો દષ્ટાંત દ્વારા સમજાતે હૈ જૈસે સફેદ કરનેવાલી ખડિયા-મિટ્ટી અન્ય ભીંત આદિ વસ્તુ કો સફેદ કરનેવાલી હૈ ઈસલિયે ખડિયા હૈ-એસી બાત નહીં કિંતુ વહુ તો અપને આપ હીં ખડિયા-મિટ્ટી હૈ. ભીતસે ભિન્ન વસ્તુ હૈ. ઈસ પ્રકાર જો જ્ઞાયક હૈ, જાનનેવાલા હૈ વહુ પરદ્રવ્યકો જાનનેવાલા હૈ ઈસલિયે જ્ઞાયક નહીં હૈ કિંતુ વહુ તો સહજ જ્ઞાયકરૂપ હી હૈ. ઇસ પ્રકાર દર્શક હૈ વહુ ભી પરદ્રવ્યકો દેખનેવાલા હોને સે દર્શક નહીં હૈ કિંતુ વહુ તો અપને સહજ સ્વભાવસે હી દર્શન હૈ. ૨૩૩ (શ્રી જયસેનાચાર્ય ટીકા, શ્રી સમયસાર ગાથા-૩૮૫, ૩૮૬ અર્થ)
જ્ઞાનાત્મા ભી નિશ્ચય કે દ્વારા ઘટપટાદિ શેય પદાર્થોના શાયક નહીં હોતા હૈ અર્થાત્ ઉન્હેં જાનતે હુએ ભી, ઉનસે તન્મય નહીં હોતા. ફિર કયા હોતા હૈ? કિ જ્ઞાયક તો જ્ઞાયક હી હોતા હૈ. અપને સ્વભાવમેં રહતા હૈ... ૨૩૪ (શ્રી જયસેનાચાર્ય ટીકા, શ્રી સમયસાર ગાથા-૩૮૫ ની ટીકા)
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે “તું અમને જાણ ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્ર પણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (સંબંધ વિનાનો, તટસ્થ) છે. તો પણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિક ને સારાં-નરસાં માનીને રાગી-દ્વષી થાય છે. તે તેનું અજ્ઞાન છે. / ૨૩પ /
(શ્રી સમયસાર ગાથા-૩૭૩-૩૮૨ નું મથાળું )
* ઇન્દ્રિયજ્ઞાન આત્મ અનુભવ કરાવવામાં અસમર્થ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
असुहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेच। णय एदि विणिग्गहिदुं सोदविसयमागदं सदं ।। ३७५।। શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે, કર્ણગોચર શબ્દને; ૩૭૫ના
અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે “તું મને સાંભળ; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને) શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલાં શબ્દને ગ્રહવા (જાણવા) જતો નથી. ર૩૬ /
(શ્રી સમયસાર, શ્રી કુંદકુંદાચાર્ય, ગાથા-૩૭૫ ) असुहं सुहं व रुवं ण तं भणदि पेच्छ मं ति सो चेच। ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं रुवं।। ३७६।। असुहो सुहो व गंधो ण तं भणदि जिग्ध मं ति सो चेव। ण य एदि विज्गिहिदुं घाणविसयमागदं गंधं ।। ३७७।। असुहो सुहो व रसो ण तं भणदि रसय मं ति सो चेव। ण य णदि विणिग्गहिदुं रसणविसयमागदं तु रसं।। ३७८ ।। શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે, ચક્ષુગોચર રૂપને;ા ૩૭૬ શુભ કે અશુભ જે ગંઘ તે “તું સૂંઘ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને. ૩૭૭ના શુભ કે અશુભ રસ જે તે “તું ચાખ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે !ા ૩૭૮ાા
* જો જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો શ્રેય તો આનંદ આવવો જોઈએ?*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૧૧૦ અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કહેતું કે “તું મને જ; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) રૂપને ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભગંધ તને એમ નથી કહેતી કે “તું મને સૂધ; અને આત્મા પણ ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને (પોતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભ રસ તને એમ નથી કહેતો કે “તું મને ચાખ'; અને આત્મા પણ રસના-ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને (પોતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતો નથી. ર૩૭IT
(શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી સમયસાર, ગાથા-૩૭૬ થી ૩૭૮) असुहो सुहो व फासो ण तं भणदि फुससु मं ति सो चेव। ण य एदि विणिग्गहिदुं कायविसयमागदं कासं।। ३७९ ।। શુભ કે અશુભ જે સ્પર્શ તે “તું સ્પર્શ મુજને” નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને... ૩૭૯ાા
અશુભ અથવા શુભ સ્પર્શ તને એમ નથી કહેતો કે “તું મને સ્પર્શ'; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), કાયાના (સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને ગ્રહવા જતો નથી. ર૩૮ાા
(શ્રી કુંદકુંદાચાર્ય, શ્રીસમયસાર, ગાથા-૩૭૯) असुहो सुहो व गुणो ण तं भणदि बुज्झ म ति सो चेव। ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं ।। ३८०।।
* પરમાત્મા કહે છે - “મારા લક્ષે દુર્ગતિ થશે*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૧૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
असुहं सुहं व दव्वं ण तं भणदि बुज्झ मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं बुद्धिविसमागदं दव्वं ।। ३८१ । । एयं तु जणिऊणं एवसमं णेव गच्छदे मूढो । णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ।। ३८२ ।। શુભ કે અશુભ જે ગુણ તે ‘તું જાણ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે, બુદ્ધિગોચર ગુણને;।। ૩૮૦।। શુભ કે અશુભ જે દ્રવ્ય તે ‘તું જાણ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચ૨ દ્રવ્યને..।।૩૮૧।। -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે ! શિવ બુદ્ધિને પામેલ નહિ એ ૫૨ ગ્રહણ ક૨વા ચહે.. ।। ૩૮૨ ।।
અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે ‘તું મને જાણ '; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલાં ગુણને ગ્રહવા જતો નથી.
અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે ‘તું મને જાણ '; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલાં દ્રવ્યને ગ્રહવા જતો નથી.
આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી; અને શિવબુદ્ધિને ( કલ્યાણકારી બુદ્ધિને, સમ્યગ્નાનને) નહીં પામેલો પોતે ૫૨ને ગ્રહવાનું મન કરે છે.।। ૨૩૯।।
(શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી સમયસાર, ગાથા-૩૮૦ થી ૩૮૨ )
* એક ભાવકભાવ, એક જ્ઞેયનોભાવ - તેનાથી જુદો હું શાયકભાવ *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૧ર सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि। तम्हा अण्णां णाणं अण्णं सत्थं जिणा बेंति।। ३९०।। રે! શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું-જિન કહે.... ૩૯૦ના
શાસ્ત્ર જ્ઞાન નથી કારણ કે શાસ્ત્ર કાંઈ જાણતું નથી –જડ છે. ) માટે જ્ઞાન અન્ય છે, શાસ્ત્ર અન્ય છે–એમ જિનદેવો કહે છે. ૨૪Oા
(શ્રી સમયસાર, ગાથા-૩૯૦) सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि।
तम्हा अण्णं णाणं अण्णं सद्वं जिणा बेंति।। ३९१ ।। રે! શબ્દ તે નથી જ્ઞાન, જેથી શબ્દ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, શબ્દ જુદો-જિન કહે.૩૯૧ાા
શબ્દ જ્ઞાન નથી કારણ કે શબ્દ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, શબ્દ અન્ય છે-એમ જિનદેવો કહે છે.) ૨૪૧ાા
(શ્રી સમયસાર, ગાથા-૩૯૧) रुवं णाणं ण हवदि जम्हा रुवं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं रुवं जिणा बेंति।। ३९२।। રે! રૂપ તે નથી જ્ઞાન, જેથી રૂપ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, રૂપ જુદું-જિન કહે... ૩૯૨ના
રૂપ જ્ઞાન નથી કારણ કે રૂપ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, રૂપ અન્ય છે-એમ જિનદેવો કહે છે. // ૨૪૨TI
(શ્રી સમયસાર, ગાથા-૩૯૨)
* શેય શેયને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
वण्णो णाणं ण हवदि जम्हा वण्णो याद किंचि । तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति ।। ३९३ ।। રે ! વર્ણ તે નથી જ્ઞાન, જેથી વર્ણ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, વર્ણ જુદો-જિન કહે. ।। ૩૯૩।।
વર્ણ જ્ઞાન નથી કારણ કે વર્ણ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે–એમ જિનદેવો કહે છે.।। ૨૪૩।।
(શ્રી સમયસાર ગાથા-૩૯૩) गंधो णाणां ण हवदि जम्हा गंधो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेंति ।। ३९४ ।।
રે ! ગંધ તે નથી જ્ઞાન, જેથી ગંધ કંઈ જાણે નહીં, તે કારણ છે જ્ઞાન જુદું, ગંધ જુદી-જિન કહે. ।। ૩૯૪।।
ગંધ જ્ઞાન નથી કારણ કે ગંધ કાંઈ જાણતી નથી, માટે જ્ઞાન અન્ય છે, ગંધ અન્ય છે–એમ જિનદેવો કહે છે.।। ૨૪૪।।
(સમયસાર ગાથા ૩૯૪)
ण रसो दु हवदि णाणं जम्हा दु रसो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं रसं च अण्णं जिणा बेंति ।। ३९५ ।।
રે! ૨સ નથી કંઈ જ્ઞાન, જેથી રસ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, ૨સ જુદો-જિનવર કહે. ।। ૩૯૫ ।।
* ઇન્દ્રિયજ્ઞાનમાં આકુળતા હોય, જ્ઞાનમાં નિરાકુળ આનંદ હોય. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૧૪ રસ જ્ઞાન નથી કારણ કે રસ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે અને રસ અન્ય છે-એમ જિનદેવો કહે છે. તે ૨૪૫ /
(શ્રી સમયસાર ગાથા-૩૯૫) फासो ण हवदि णाणं जम्हा फासो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं फासं जिणा बेति।। ३९६ ।। રે! સ્પર્શ તે નથી જ્ઞાન, જેથી સ્પર્શ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, સ્પર્શ જુદો-જિન કહે... ૩૯૬ાા
સ્પર્શ જ્ઞાન નથી કારણ કે સ્પર્શ કંઈ જાણતો નથી માટે જ્ઞાન અન્ય છે, સ્પર્શ અન્ય છે એમ જિનદેવો કહે છે. આ ૨૪૬ IT
(શ્રી સમયસાર ગાથા. ૩૯૬) कम्मं णाणं ण हवदि जम्हा कम्मं ण याणदे किंच। तम्हा अण्णं णाणं अण्णं कम्मं जिणा बेंति।। ३९७।। રે! કર્મ તે નથી જ્ઞાન, જેથી કર્મ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કર્મ જુદું-જિન કહે. ૩૯૭
કર્મ જ્ઞાન નથી કારણ કે કર્મ કાંઈ જાણતું નથી, માટે જ્ઞાન અન્ય છે, કર્મ અન્ય છે-એમ જિનદેવો કહે છે. ૨૪૭ના
(શ્રી સમયસાર ગાથા-૩૯૭) धम्मो णाणं ण हवदि जम्हा धम्मो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं धम्मं जिणा बेति।।३९८ ।।
* ઇન્દ્રિયજ્ઞાનના(શેયના) લક્ષ ઇન્દ્રિય(શેય) પ્રગટે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૧૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
રે ! ધર્મ તે નથી જ્ઞાન, જેથી ધર્મ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, ધર્મ જુદો-જિન કહે. ૩૯૮
ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) જ્ઞાન નથી કારણ કે ધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, ધર્મ અન્ય છે, એમ જિનદેવો કહે છે.।। ૨૪૮।।
(શ્રી સમયસાર ગાથા-૩૯૮ )
णाणमधम्मो ण हवदि जम्हाधम्मो ण याणदे किंचि । तम्हा अण्णं णाणं अण्णंधम्मं जिणा बेंति ।। ३९९ ।। અધર્મ તે નથી જ્ઞાન, જેથી અધર્મ કંઈ જાણે નહીં, તે કા૨ણે છે જ્ઞાન જુદું, અધર્મ જુદો-જિન કહે. ૩૯૯
અધર્મ ( અર્થાત્ અધર્માસ્તિકાય ) જ્ઞાન નથી કારણકે અધર્મ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે અધર્મ અન્ય છે-એમ જિનદેવો કહે છે.।। ૨૪૯।।
( શ્રી સમયસાર–ગાથા-૩૯૯)
कालो णाणं ण हवदि जम्हा कालो ण याणदे किंचि । तम्हा अणणं णाणं अणणं कालं जिणा बेंति ।। ४०० ।। રે! કાળ તે નથી જ્ઞાન, જેથી કાળ કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જુદું, કાળ જુદો-જિન કહે. ૪૦૦
કાળ જ્ઞાન નથી કારણ કે કાળ કાંઈ જાણતો નથી, માટે જ્ઞાન અન્ય છે, કાળ અન્ય છે–એમ જિનદેવો કહે છે.।। ૨૫૦।।
(શ્રી સમયસારજી ગાથા-૪૦૦)
* ઇન્દ્રિયજ્ઞાન ૫૨ની પ્રસિદ્ધિ કરે છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૧૬ अयासं पि ण णाणं जम्हा आया ण याणदे किंचि। तम्हायासं अण्णं अण्णं णाणं जिणा बेंति।। ४०१।। આકાશ તે નથી જ્ઞાન, એ આકાશ કંઈ જાણે નહીં, તે કારણે આકાશ જુદું, જ્ઞાન જુદું-જિન કહે. ૪૦૧.
આકાશ પણ જ્ઞાન નથી કારણકે આકાશ કાંઈ જાણતું નથી માટે જ્ઞાન અન્ય છે, આકાશ અન્ય છે-એમ જિનદેવો કહે છે. રપ૧TT
(શ્રી સમયસાર ગાથા. ૪૦૧.) अज्झसाणं णाणं अज्झवसाणं अचेदणं ज्म्हा। तम्हा अण्णं णाणं अज्झवसाणं तहा अण्णं ।। ४०२।। નહીં જ્ઞાન અધ્યવસાન છે, જેથી અચેતન તેહ છે, તે કારણે છે જ્ઞાન જુદું, જુદું અધ્યવસાન છે. ૪૦૨ના
અધ્યવાસન જ્ઞાન નથી કારણકે અધ્યવસાન અચેતન છે, માટે જ્ઞાન અન્ય છે તથા અધ્યવાસન અન્ય છે (એમ જિનદેવો કહે છે) || રપર IT.
( શ્રી સમયસાર ગા. ૪૦૨) હે અજ્ઞાની જીવ! શુભ યા અશુભ શબ્દ તુમકો યહું નહીં કહતા હૈ કિ તુમ મુઝે સૂનો ઔર ન વહુ શબ્દ તેરે દ્વારા ગ્રહણ કિયે જાને કે લિયે આતા હૈ. શબ્દ શ્રોત્ર- ઇન્દ્રિયકા કેવલ વિષયરૂપ હોનેસે શ્રોત્રમ્ આતા હૈ.
શુભ યા અશુભ રૂપ તુઝકો યહ નહીં કહુતા કિ તૂ મૂઝે દેખ
* ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ નહીં થાય. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૭ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ઔર ન વહુ રૂપ તેરેસે ગ્રહણ કિયે જાનેકે લિયે આતા હૈ, રૂપ ચક્ષુઈન્દ્રિયકા વિષય હોનેસે ચક્ષુમેં ઝલકતા હૈ.
શુભ યા અશુભ ગંધ તુઝકો યહ નહીં કહુતી કિ તૂ મુઝે સૂંઘ ઔર ન વહુ ગંધ તેરે દ્વારા ગ્રહણ કિયે જાનેકે લિયે આતી હૈ. કિંતુ ગંધ ધ્રાણેન્દ્રિયકા વિષય હૈ ઈસસે નાસિકા દ્વારા માલૂમ હોતી હૈ.
અશુભ યા શુભ રસ તુઝકો યહું નહીં કહુતા કિ તૂ મેરા સ્વાદ લે ઔર ન વહુ રસ તેરેસે ગ્રહણ કિયે જાનેકો આતા હૈ. રસ રસના ઇન્દ્રિયકા વિષય હૈ ઈસસે રસનાસે માલૂમ હોતા હૈ.
અશુભ યા શુભ સ્પર્શ તુઝકો યહ નહીં કહતા કિ તૂ મુઝે સ્પર્શ કર ઔર ન વહ તેરે સે ગ્રહણ કિયે જાનેકે લિયે આતા હૈ. સ્પર્શ શરીરકા વિષય હૈ. ઈસસે કાયા દ્વારા માલૂમ હોતા હૈ.) ર૫૩ાા (શ્રી સમયસાર, શ્રી જયસેનાચાર્ય ટીકા, બ્ર. શીતલપ્રસાદજીકા
અનુવાદ, ગાથા. ૪૦૧ થી ૪૦૫ સામાન્યાર્થ) ભાવાર્થ આમ છે કે જીવવસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય; નામભેદ છે, વસ્તુભેદ નથી. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષમાર્ગ છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી. ૨૫૪||
(શ્રી સમયસાર કળશટીકા, કળશ-૧૩ ની ટીકામાંથી)
* “હું પરને હણું છું અને હું પરને જાણું છું - સમકક્ષી પાપ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૧૮ જ્ઞાન તો બરાબર શુદ્ધ જીવનું સ્વરૂપ છે. તેથી (અમારો) નિજ આત્મા હુમણાં ( સાધકદશામાં) એક (પોતાના) આત્માને નિયમથી (નિશ્ચયથી) જાણે છે. અને જો તે જ્ઞાન પ્રગટ થયેલી સહજ અવસ્થા વડે સીધું (પ્રત્યક્ષપણે) આત્માને ન જાણે તો તે જ્ઞાન અવિચળ આત્મસ્વરૂપથી અવશ્ય ભિન્ન ઠરે. ૨૫૫
(શ્રી નિયમસાર કળશ-૨૮૬) વળી એવી રીતે (અન્યત્ર ગાથા દ્વારા ) કહ્યું છે કે “(ગાથાર્થ) જ્ઞાન જીવથી અભિન્ન છે તેથી તે આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો તે જીવથી ભિન્ન ઠરે.” || રપ૬/
(શ્રી નિયમસાર કળશ-૨૮૬ પછી) જ્ઞાન જીવનું સ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત (જુદું) ઠરે.. ૨૫૭ના
(શ્રી નિયમસાર ગાથા-૧૭) શ્રી કુંદકુંદાચાર્યજી) ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહું નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમયભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
એ જ પ્રમાણે ગાથામાં “અધર્મ' શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન અને સ્પર્શન-એ સોળ શબ્દો મૂકી સોળ
* હું જાણનાર અને લોકાલોક શેય - એવું કોણે કહ્યું? *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૯ ઇન્દ્રિયજ્ઞાન..જ્ઞાન નથી ગાથા સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
આ રીતે-ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમયભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમયભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની મન, વચન, કાય, ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, રસન અને સ્પર્શનને ઇચ્છતો નથી. માટે જ્ઞાનીને શ્રોત્રાદિ (ભાવેન્દ્રિયો)નો પરિગ્રહ નથી, જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદભાવને લીધે આ ( જ્ઞાની) શ્રોત્રાદિ (ઇન્દ્રિયો) નો કેવળ જ્ઞાયક જ છે. ૨૫૮ાા
(શ્રી સમયસાર ગાથા-૨૧૧ ની ટીકા અમૃતચંદ્રાચાર્ય) ખરેખર રાગ નામનું પદ્ગલ કર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું (આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે.)
વળી આ જ પ્રમાણે “રાગ” પદ બદલીને તેની જગ્યાએ દ્રષ, મોર્ડ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, દ્રાણ, રસન અને સ્પર્શન-એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (કહેવાં) અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.// ૨૫૯TI
(શ્રી સમયસાર ગાથા-૧૯૯ ટીકા, શ્રી અમૃતચંદ્રાચાર્ય) જે સહજ પરમ પારિણામિકભાવે સ્થિત, સ્વભાવ-અનંત
* “જ્ઞાયક નથી ત્યમ પર તણો” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૨૦ ચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે નિયમ (-કારણ નિયમ ) છે. નિયમ (-કાર્યનિયમ ) એટલે નિશ્ચયથી (નક્કી) જે કરવા યોગ્ય-પ્રયોજનસ્વરૂપ-હોય તે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે.
(૧) પદ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય ( –ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય ) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (–જાણવું ) તે જ્ઞાન છે.
(૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્ત્વના વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે ૫૨મ શ્રદ્ધાન તે જ દર્શન છે.
(૩) નિશ્ચય જ્ઞાનદર્શનાત્મક કારણપરમાત્મામાં અવિચળ સ્થિતિ (નિશ્ચયપણે લીન રહેવું) તેજ ચારિત્ર છે. આ જ્ઞાનદર્શન ચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. તે ‘નિયમ’ શબ્દને વિપરીતના પરિહાર અર્થે ‘સાર ’ શબ્દ જોડવામાં આવ્યો છે.।। ૨૬૦।।
(શ્રી નિયમસાર ગાથા-૩ ની ટીકા, પદ્મપ્રભમલધારિદેવ ) ઉત્થાનિકા-આગે કહતે હૈ કિ ઇન્દ્રિયજ્ઞાન પ્રત્યક્ષ નહીં હૈ
વિશેષાર્થ:- વે પ્રસિદ્ધ પાંચો ઇન્દ્રિયે આત્માકી અર્થાત્ વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવ-ધારી આત્માકો સ્વભાવરૂપ નિશ્ચયર્સ નહીં કહી ગયી હૈં કયોંકિ ઉનકી ઉત્પત્તિ ભિન્ન પદાર્થ સે હુઈ હૈ ઈસલિયે વે પરદ્રવ્ય અર્થાત્ પુદ્દગલદ્રવ્યમયી હૈ, ઉન ઇન્દ્રિયોકે દ્વારા જાના હુઆ
* ૫૨ને જાણે તેવું શાયકનું સ્વરૂપ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૧ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ઉનહીકે વિષય યોગ્ય પદાર્થ સો આત્માને પ્રત્યક્ષ કિસ તરહ હો સકતા હૈ? અર્થાત્ કિસી ભી તરવું નહીં હો સકતા હૈ.
જૈસે પાંચ ઇન્દ્રિયો આત્માને સ્વરૂપ નહીં હૈ ઐસે હી નાના મનોરથોકે કરનેમેં “યે બાત કહુને યોગ્ય હૈ, મૈ કહનેવાલા હૂં' ઈસ તરહુ નાના વિકલ્પોકે જાલકો બનાનેવાલા જે મન હૈ વહ ભી ઈન્દ્રિયજ્ઞાનકી તરહુ નિશ્ચયસે પરોક્ષ હી હૈ, ઐસા જાનકર કયા કરના ચાહિયે સો કહતે હૈ–સર્વ પદાર્થો કો એકસાથે અખંડરૂપસે પ્રકાશ કરનેવાલે પરમજ્યોતિસ્વરૂપ કેવલજ્ઞાન કે કારણરૂપ તથા અપને શુદ્ધ આત્મ-સ્વરૂપકી ભાવનાને ઉત્પન્ન પરમાનંદ એક લક્ષણકો રખનેવાલે સુખકે વેદનકે આકારમેં પરિણમન કરનેવાલે ઔર રાગ દ્વેષાદિ વિકલ્પોકી ઉપાધિસે રહિત સ્વસંવેદનજ્ઞાનમેં ભાવના કરની ચાહિયે, યહ અભિપ્રાય હૈ.|| ર૬૧
(શ્રી પ્રવચનસાર, શ્રી જયસેનાચાર્ય ટીકા, ગાથા-૫૭) વિષયાનુભવ અને સ્વાત્માનુભવનમાં ઉપાદેય કોણ? विषायानुभवं बाह्यं स्वात्मानुभवमान्तरम्। विज्ञाय प्रथमं हित्वा स्थेयमन्यसर्वतः।। ७५।।
ઇન્દ્રિય વિષયોનો જે અનુભવ છે તે બાહ્ય (સુખ) છે અને સ્વાત્માનો જે અનુભવ છે તે અંતરંગ (સુખ) છે, એ વાત જાણીને બાહ્ય વિષય-અનુભવને છોડીને સ્વાત્માનુભવરૂપ અંતરંગમાં પૂર્ણપણે સ્થિત થવું જોઈએ. આ ર૬રના (શ્રી યોગસાર અમિતગતિ આચાર્ય, ચૂલિકા અધિકાર, ગાથા-૭૫)
* શેયની પકડ કહો કે શેયાકારમાં અટક – એક જ વાત છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૨૨ અન્વયાર્થ- નિજ બોધથી-આત્મજ્ઞાનથી બાહ્ય જે શાસ્ત્ર વગેરેનું જ્ઞાન છે તેનાથી કોઈપણ પ્રયોજન નથી કારણ કે વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન રહિત તપ થોડી જ વારમાં જીવને દુઃખનું કારણ થાય છે. આ ર૬૩
(શ્રી પરમાત્મપ્રકાશ, ગુજરાતી, બીજો મહાધિકાર, ગાથા-૭૫) નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત માન, હે યોગી! શિવહેતુ એ નિશ્ચયથી તું જાણ. રજા
(શ્રી યોગસાર, યોગીન્દુદેવ, ગાથા-૧૫) શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ તે કારણ એ જીવ અરે! પામે નહીં નિવણ. ર૬પા
(શ્રી યોગસાર, યોગીન્દુદેવ, ગાથા-પ૩) મન ઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત, રાગ પ્રસાર નિવારતા, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૨૬૬ાા
(શ્રી યોગસાર, યોગીન્દુદેવ, ગાથા-૫૪) જે સકળ ઇન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે, જે સદાશિવમય છે, ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી છે, એવું આ અના-ચૈતન્યમય સહજ તત્ત્વ અત્યંત જયવંત છે. | ૨૬૭ના
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૫૬) જે અક્ષય અંતરંગ ગુણમણિઓનો સમૂહ છે, જેણે સદા વિશદ-વિશદ (અત્યંત નિર્મળ) શુદ્ધભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપકલંકને ધોઈ નાંખ્યા છે અને જેણે ઇન્દ્રિયસમૂહુનો કોલાહલને હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકારદશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે.ર૬૮
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૬૩) ટીકા- અહીં (આ ગાથામાં) સમાધિનું લક્ષણ (અર્થાત સ્વરૂપ ) કહ્યું છે.
સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. જે આત્માને આત્મામાં આત્માથી ધારી-ટકાવી-જોડી રાખે છે તે અધ્યાત્મ છે. અને એ અધ્યાત્મ તે તપ છે. સમસ્ત બાહ્ય ક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃ ક્રિયાના અધિકરણભૂત આત્માને-કે જેનું સ્વરૂપ અવધિ વિનાના ત્રણેકાળે (અનાદિકાળથી અનંતકાળ સુધી) નિરૂપાધિક છે તેને-જે જીવ જાણે છે, તે જીવની પરિણતિવિશેષ તે સ્વઆત્માશ્રિત નિશ્ચય ધર્મધ્યાન છે. ધ્યાન-ધ્યેયધ્યાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત (અર્થાત્ એવા વિકલ્પો
* જે વાતથી અનુભવ થાય તે વાત સાચી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૨૪ વિનાનું), અંતર્મુખાકાર (અર્થાત્ અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું ) સમસ્ત ઇન્દ્રિય સમૂહુથી અગોચર નિરંજન નિજ-પરમતત્વમાં અવિચળ સ્થિતિ રૂપ (એવું જે ધ્યાન) તે નિશ્ચય શુકલધ્યાન છે. આ સામગ્રી વિશેષો સહિત (આ ઉપર્યુક્ત ખાસ આંતરિક સાધન સામગ્રી સહિત ) અખંડ અદ્વૈત પરમ ચૈતન્યમય આત્માને જે પરમ સંયમી નિત્ય ધ્યાવે છે, તેને ખરેખર પરમ સમાધિ છે.// ર૬૯
(શ્રીનિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, ગાથા-૧૨૩ ટીકા)
અન્વયાર્થ- જે સર્વ સાવધમાં વિરત છે, જે ત્રણ ગુસિવાળો છે અને જેણે ઇન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ- અહીં (આ ગાથામાં), જે સર્વસાવધ વ્યાપારથી રહિત છે, જે ત્રિગુપ્તિ વડે ગુપ્ત છે અને જે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારથી વિમુખ છે, તે મુનિને સામાયિક વ્રત સ્થાયી છે એમ કહ્યું છે.
અહીં (આ લોકમાં) જે એકેન્દ્રિયાદિ પ્રાણીસમૂહને કલેશના હેતુભૂત સમસ્ત સાવધના વ્યાસંગથી વિમુક્ત છે, પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત કાય-વચન-મનના વ્યાપારના અભાવને લીધે ત્રિગુપ્ત (ત્રણ ગુતિવાળો) છે અને સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇન્દ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયોને યોગ્ય વિષયના ગ્રહણનો અભાવ હોવાથી બંધ કરેલી ઇન્દ્રિયોવાળો છે, તે મહામુમુક્ષુ પરમવીતરાગસંયમીને ખરેખર સામાયિક વ્રત શાશ્વત-સ્થાયી છે. ર૭Oા (શ્રી નિયમસારજી, કુંદકુંદાચાર્ય-પદ્મપ્રભમલધારિદેવ, ગાથા-૧૨૫)
* હું પરને જાણું છું ત્યાંથી સંસારની શરૂઆત છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૫ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
ભાવાર્થ- શુદ્ધનયની દષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતા અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો “જ્ઞાનને પરજ્ઞયો સાથે પરમાર્થ સંબંધ છે” એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી શ્રુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરૂણા કરીને આચાર્યદવ કહે છે કે-આ લોકો તત્ત્વથી કાં ગ્રુત થાય છે? ા ૨૭૧ાા
(શ્રી સમયસારજી, જયચરંજી કળશ-ર૧૫ નો ભાવાર્થ) સકળ ઇન્દ્રિયસમૂહના આલંબન વિનાનુ, અનાકુળ, સ્વહિતમાં લીન, શુદ્ધ, નિર્વાણના કારણનું કારણ (મુક્તિના કારણભૂત શુકલધ્યાનનું કારણ ), શમ-દમ-યમનું નિવાસસ્થાન, મૈત્રી દયાદમનું મંદિર (ઘર)-એવું આ શ્રી ચંદ્રકીર્તિ મુનિનું નિરૂપમ મન (ચૈતન્ય પરિણમન) વંધ છે. ૨૭ર ..
(શ્રી નિયમસારજી, પદ્મપ્રભમલધારિદેવ, કળશ-૧૦૪)
* ઇન્દ્રિયજ્ઞાનમાં ભેદજ્ઞાન કરવાની તાકાત નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૨૬
પૂ. ગુરુદેવશ્રીના વચનામૃત
પ્રભુ! તું સર્વને જાણનાર દેખનાર સ્વરૂપે પૂરો છો ને! પણ તારા પૂર્ણ સ્વરૂપને નહીં જાણતાં એકલા જ્ઞેયને જાણવા-દેખવા રોકાઈ ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપના ભાવને કરવા અને જાણવા દેખવાના સ્વભાવને ભૂલી ગયો તે તારો અપરાધ છે. પુણ્ય પાપ એ જ અને એટલું જ મારું જ્ઞેય છે એમ માનીને તેને જ જાણવામાં રોકાઈ ગયો ને પોતાના પૂરણ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો અપરાધ છે. કર્મના કારણે તારા પૂરણ સ્વભાવને જાણતો નથી, એમ નથી, પણ એ તારો પોતાનો જ અપરાધ છે.।। ૨૭૩।।
(ગુજરાતી આત્મધર્મ, ૯૬ મી જન્મ જયંતિ અંક, એપ્રિલ ૧૯૮૫, પૂ. ગુરુદેવશ્રીનો બોલ નં-૫૧ )
અગીયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ થાય એ જ્ઞાન પણ ખંડ ખંડ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહીં. આંખથી હજારો શાસ્ત્રો વાંચ્યા કે કાનથી સાંભળ્યા તે ઇન્દ્રિય જ્ઞાન છે, આત્મજ્ઞાન નથી, આત્મા અતીન્દ્રિય જ્ઞાનથી જાણનારો છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણે તે આત્મા નહીં. આત્માને જાણતા જે આનંદનો સ્વાદ આવે છે તે સ્વાદ ઇન્દ્રિયજ્ઞાનથી આવતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહીં.।। ૨૭૪।।
(ગુજરાતી આત્મધર્મ એપ્રિલ ૧૯૮૫, પૂ. ગુરુદેવશ્રીનો બોલ નં૫૪ )
આબાલ ગોપાલ સૌ ખરેખર જાણનારને જ જાણે છે પણ એને જાણનારનું જોર દેખાતું નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૨૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર ૫૨માં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી, તેથી જાણના૨ને જ જાણે છે એ બેસતું નથી.।। ૨૭૫ ।।
(ગુજરાતી આત્મધર્મ મે ૧૯૮૪, પૂ. ગુરુદેવશ્રીનો બોલ નં-૧૨ )
અહીં તો કહે છે–ભગવાન! તું પરને જાણતો જ નથી. ભગવાન લોકલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભુત વ્યવહાર છે. ભગવાન ! તું ૫૨ને જાણતો જ નથી.।। ૨૭૬।।
(પૂ. ગુરુદેવશ્રીના પ્રવચન, શ્રી પ્રવચનસાર ગાથા-૧૧૪ ઉ૫૨અધ્યાત્મ પ્રવચન રત્નત્રય. પાનું-૧૩૯ )
આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી પને જાણવા ઉપયોગ મૂકવો એ વાત જ કયાં રહી?
પોતે પોતાને જાણે છે, એમ કહેવું તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે. ખરેખર જ્ઞાયક તે જ્ઞાયક જ છે તે નિશ્ચય છે. જૈનદર્શનથી ઝીણું બહુ!।। ૨૭૭।।
(ગુજરાતી આત્મધર્મ માર્ગ ૧૯૮૧ માંથી ઉતારો )
જ્ઞાનીને સમયે સમયે Àય સંબંધી પોતાના જ્ઞાનની પ્રસિદ્ધિ છે, પરંતુ શેયની પ્રસિદ્ધિ નથી. અહા ! જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે, પરંતુ શેય પણ જ્ઞાનને જાહેર કરે છે. આ સત્ની પરાકાષ્ટા
છે.।। ૨૭૮।।
(શ્રી અધ્યાત્મ પ્રણેતામાંથી ઉતારો ) પોતે સ્વને જાણતાં એ સર્વને જાણે એવો એનો જ્ઞાન સ્વભાવ
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૨૮ છે. પોતાનો સ્વપર-પ્રકાશક સ્વભાવ હોવાથી પોતાને જાણતાં એ બધું સહજ જણાઈ જાય છે. પરંતુ એકલું પરને જ જાણવું એ મિથ્યાજ્ઞાન છે. સ્વભાવમાં તન્મય થઈને પોતાને જાણતાં ૫૨ જણાઈ જાય, તેને વ્યવહાર કહે છે. આનું નામ સભ્યજ્ઞાન છે.।। ૨૭૯।। (શ્રી પ્રવચન રત્નાકાર ભાગ-૫ પાનું નં-૩૫૧ )
અહીં તો . સ્વદ્રવ્યને-આત્માને જાણવાની વાત છે. તેથી કહે છે–ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતી જે બુદ્ધિઓ એટલે જ્ઞાનની અવસ્થાઓ-તે બધીને મર્યાદામાં લાવીને મતિજ્ઞાન તત્ત્વને આત્મ સન્મુખ કરતા આત્મા પ્રસિદ્ધ થાય છે. ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતા જ્ઞાનનો જે પ૨સન્મુખ ઝૂકાવ છે તેને ત્યાંથી સમેટી લઈને સ્વસન્મુખ કરતાં ભગવાન આત્મા જણાય છે, અનુભવાય છે.।। ૨૮૦।।
(શ્રી પ્રવચનરત્નાકર ભાગ-૫ પાના નં-૩૫૩)
મતિજ્ઞાનના સ્વરૂપને તેણે જાણનાર પ્રતિ વાળી દીધું છે, ૫૨જ્ઞેયથી હઠાવીને મતિજ્ઞાનના સ્વરૂપને સ્વજ્ઞેયમાં જોડી દીધું છે. આવો માર્ગ અને આવી વિધિ છે. બાપુ! એને જાણ્યા વિના એમ ને એમ અવતાર પુરો થઈ જાય છે! અરેરે ! આવું સત્ય સ્વરૂપ સાંભળવા મળે નહીં તે બિચારા કે દિ' ધર્મ પામે ? કેટલાક તો મિથ્યાત્વને અતિ પુષ્ટ કરતાં થકાં સંપ્રદાયમાં પડયા છે. અહા ! ક્રિયાકાંડના રાગમાં તેઓ બિચારા જિંદગી વેડફી નાખે છે!।। ૨૮૧।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૫, પાના નં-૩૫૩)
આત્મા જ્ઞાયક સ્વભાવી વસ્તુ છે. અને આ શ૨ી૨-પરિણામને પ્રાપ્ત જે ઇન્દ્રિયો છે તે જડ છે. તથા એક એક વિષયને જે ખંડ
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૯ ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ખંડપણે જાણે છે તે ભાવેન્દ્રિયો-ક્ષયોપશમ જ્ઞાન પણ ખરેખર ઇન્દ્રિય છે. શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો જેમ શાયકનું પરય છે તેમ શબ્દ, રસ, રૂપ, ગંધ આદિને જાણનાર ભાવેન્દ્રિયો પણ નિશ્ચયથી જ્ઞાયકનું પરજ્ઞય છે; જ્ઞાયક ભગવાન આત્માનું તે સ્વય નથી. તેમજ ભાવેન્દ્રિયોથી જણાતા જે શબ્દ, રસ, ગંધ, સ્પર્ધાદિ પરપદાર્થો તે પણ પરય છે. સ્વયપણે જાણવા લાયક જ્ઞાયક અને પર તરીકે જાણવાલાયક પરય-એ બન્નેની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ, અજ્ઞાન અને સંસારભાવ છે. એ ત્રણેયને (દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો, અને તેમના વિષયભૂત પદાર્થોને) જે જીતે એટલે કે પરણેય તરફનું લક્ષ છોડીને સ્વય જે શુદ્ધ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા છે તેનો અનુભવ કરે, તેને જાણે, વેદે અને માને તે સમ્યગ્દષ્ટિ છે અને તેને કેવળીની સાચી અથવા નિશ્ચય સ્તુતિ હોય છે. ૨૮૨
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૨૧) હવે ભાવેન્દ્રિયોને જીતવાની વાત કરે છે. જુદા જુદા પોત પોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. કાનનો ઉઘાડ શબ્દને જાણે, આંખનો ક્ષયોપશમ રૂપને જાણે, સ્પર્શનો ઉઘાડ સ્પર્શને જાણે ઇત્યાદિ પોત પોતાના વિષયોમાં વ્યાપાર કરી જે વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે તે ભાવેન્દ્રિયો છે. આ બાહ્ય ઇન્દ્રિયોની વાત નથી. એક એક ઇન્દ્રિય પોત પોતાનો વ્યાપાર કરે છે તેથી જ્ઞાનને ખંડખંડ રૂપ જણાવે છે. જેમ દ્રવ્યેન્દ્રિયો અને આત્માને એકપણે માનવાં તે અજ્ઞાન છે. તેમ જ્ઞાનને ખંડખંડરૂપે જણાવનાર ભાવેન્દ્રિયો અને જ્ઞાયકને એકપણે માનવા એ પણ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. જુદા જુદા પોતપોતાના વિષયોને જે ખંડખંડ ગ્રહણ
* ઇન્દ્રિયજ્ઞાન પદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૩૦ કરે છે અને અખંડ એકરૂપ જ્ઞાયકને જે ખંડખંડરૂપે જણાવે છે તે ભાવેન્દ્રિયોની જ્ઞાયક આત્મા સાથે એકતા કરવી તે મિથ્યાત્વ છે.
દ્રવ્યેન્દ્રિયો છે તે શરીર પરિણામને પ્રાપ્ત છે, જ્યારે ભાવેન્દ્રિયો જ્ઞાનના ખંડખંડ પરિણામને પ્રાપ્ત છે. જે જ્ઞાન એક એક વિષયને જણાવે, જ્ઞાનને ખંડખંડરૂપે જણાવે, અંશી (જ્ઞાયક) ને પર્યાયમાં ખંડરૂપે જણાવે તે ભાવેન્દ્રિયો છે. જેમ જડ દ્રવ્યેન્દ્રિયો શાયકનું પરશેય છે. તેમ ભાવેન્દ્રિયો પણ શાયકનું ૫૨શેય છે. અહીં શેયજ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરાવે છે. જેમ શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો શૈય અને આત્મા જ્ઞાયક ભિન્ન છે તેમ ભાવેન્દ્રિયો પણ પરશેય છે અને આત્મા જ્ઞાયક ભિન્ન છે. અહાહા! એક એક વિષયને જાણનાર જ્ઞાનનો ક્ષયોપશમ તથા અખંડ જ્ઞાનને ખંડખંડપણે જણાવનાર ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પરજ્ઞેય છે અને જ્ઞાયકપ્રભુ આત્માથી ભિન્ન છે. આમાં અખંડ એક ચૈતન્યશક્તિપણાની પ્રતીતિનું જોર લીધું છે. પહેલા દ્રવ્ય ઇન્દ્રિયોને ભિન્ન કરવામાં એના (જ્ઞાયકભાવના ) અવલંબનનું બળ લીધું છે. જ્ઞાયકભાવ એક અને અખંડ છે, જ્યારે ભાવેન્દ્રિય અનેક અને ખંડખંડરૂપ છે. અખંડ એક જ્ઞાયકભાવરૂપ ચૈતન્યશક્તિની પ્રતીતિ થતાં અનેક અને ખંડખંડરૂપ ભાવેન્દ્રિય જુદી થાય છે, -ભિન્ન જણાય છે. આ રીતે અખંડ જ્ઞાયકભાવની પ્રતીતિ વડે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવનાર ૫૨શેયરૂપ ભાવેન્દ્રિયને સર્વથા જુદી કરવી એ ભાવેન્દ્રિયોનું જીતવું છે એમ કહેવાય છે.।। ૨૮૩।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાવ-૨ પાનું-૧૨૫ ) આ (૩૧) ગાથામાં શૈય-જ્ઞાયકના સંકરદોષના પરિહારની વાત છે. શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો ૫૨જ્ઞેય હોવા છતાં તે મારી છે
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
એવી એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વભાવ, સંકર-ખીચડો છે. જેની આવી માન્યતા છે તેણે જડની પર્યાય અને ચૈતન્યની પર્યાયને એક કરી છે. તેવી રીતે એક એક વિષયને (શબ્દ, રસ, રૂપ ઇત્યાદિ ) જાણવાની યોગ્યતાવાળો ક્ષયોપશમભાવ તે ભાવેન્દ્રિય છે. તે પણ ખરેખર પરશેય છે. પરજ્ઞેય અને જ્ઞાયકભાવની એકતાબુદ્ધિ તે સંસાર છે, મિથ્યાત્વ છે. ભાવેન્દ્રિયનો વિષય જે આખી દુનિયા, સ્ત્રી, કુટુંબ, દેવ, શાસ્ત્ર, ગુરુ—તે બધાંય ઇન્દ્રિયના વિષયો હોવાથી ઇન્દ્રિય કહેવામાં આવે છે. તે પણ પરશેય છે. એનાથી મને લાભ થાય એમ માનવું તે મિથ્યાભ્રાંતિ છે.।। ૨૮૪।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨ પાનુ-૧૨૬)
મિથ્યાદષ્ટિને નવ પૂર્વની જે લબ્ધિ પ્રગટ થાય છે તે અને સાત દ્વીપ તથા સમુદ્રને જાણે તેવું જે વિભંગ જ્ઞાન હોય છે તે ઇન્દ્રિયજ્ઞાન છે, ભાવેન્દ્રિય છે. તે નવ પૂર્વનું જ્ઞાન કે વિભંગ જ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરવામાં કાંઈ કામ આવતું નથી. ભાવેન્દ્રિયને જીતવી હોય તો પ્રતીતિમાં આવતાં અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે તેને સર્વથા જુદી જાણ. જ્ઞાનમાં તે પરશેય છે પણ સ્વજ્ઞેય નથી એમ
જાણ.।। ૨૮૫।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨ પાનુ-૧૨૬)
પર્યાયને અંતર્મુખ વાળતાં તે સામાન્ય એક અખંડ સ્વભાવમાં જ એકત્વ પામે છે. આ અખંડ માં એકત્વ થાઉં એવું પણ રહેતું નથી. પર્યાય જે બહા૨ ની તરફ જતી હતી તેને જ્યાં અંતર્મુખ કરી ત્યાં તે (પર્યાય ) સ્વયં સ્વતંત્ર કર્તા થઈને અખંડમાં જ એકત્વ પામે છે. પર્યાયને રાગાદિ પર તરફ વાળતાં મિથ્યાત્વ પ્રગટ થાય છે. અને અંતર્મુખી વાળતાં પર્યાયનો વિષય અખંડ જ્ઞાયક થઈ જાય છે.
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૩ર (કરવો પડતો નથી.) આહાહા! તે વાળવા વાળો કોણ? દિશા ફેરવવા વાળો કોણ? પોતે. પરની દિશાના લક્ષ તરફ દશા છે એ દશા સ્વલક્ષ પ્રતિ વાળતાં શુદ્ધતા વા ધર્મ પ્રગટ થાય છે. અરે ! જે પરય છે અને સ્વજ્ઞય માની આત્મા મિથ્યાત્વથી જીતાઈ ગયો છે. (હણાઈ ગયો છે.) હવે તે પરજ્ઞયથી ભિન્ન પડી, સ્વય જે એક અખંડ ચૈતન્યસ્વભાવ તેની દષ્ટિ અને પ્રતીતિ ક્યાં કરી ત્યાં ભાવેન્દ્રિય પોતાથી સર્વથા ભિન્ન જણાય છે. તેને ભાવેન્દ્રિય જીતી એમ કહેવાય છે. તેને સમ્યગ્દર્શન એટલે સાચું દર્શન કહેવાય છે. આ ર૮૬ /
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનુ-૧ર૬ ) દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયો એ ત્રણે જણાવાલાયક છે અને જ્ઞાયક આત્મા પોતે જાણનાર છે. એ ત્રણેય પરય તરીકે અને ભગવાન આત્મા સ્વય તરીકે જાણવાલાયક છે. ચાહે તો ભગવાન ત્રણલોકના નાથ હો, તેમની વાણી હો કે તેમનું સમવસરણ–તે બધુંય અતીન્દ્રિય આત્માની અપેક્ષાએ ઇન્દ્રિય છે. પરણેય તરીકે જણાવા લાયક છે. અને આત્મા ગ્રાહુક-જાણનાર છે. આમ હોવા છતાં ગ્રાહ્ય-ગ્રાહુક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે વાણીથી જ્ઞાન થાય છે એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે. શયાકારરૂપે જે જ્ઞાનની પર્યાય થાય છે તે જ્ઞાનનું પરિણમન છે, શેયનું નહીં, શયના કારણે પણ નહીં, છતાં યજ્ઞાયકના સંબંધની અતિ નિકટતા છે તેથી શયથી જ્ઞાન આવ્યું, યના સંબંધથી જ્ઞાન થયું એમ અજ્ઞાની (ભ્રમથી) માને છે.
પહેલા જ્ઞાન ઓછું હતું, અને શાસ્ત્ર સાંભળતા નવું (વધારે) જ્ઞાન થયું તેથી સાંભળવાથી જ્ઞાન થયું એમ અજ્ઞાનીને લાગે છે.
જેવું
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૩૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
શાસ્ત્ર હોય તેવું જ્ઞાન થાય ત્યારે અજ્ઞાની એમ માને છે કે શાસ્ત્રથી જ્ઞાન થયું. શૈય-જ્ઞાયકનો અતિ નિકટ સંબંધ હોવાથી પરસ્પર શેય જ્ઞાયકરૂપ અને જ્ઞાયક શેયરૂપ એમ બન્ને એકરૂપ હોય એવો તેને ભ્રમ થાય છે. ખરેખર એમ નથી, છતાં આવી માન્યતા તે અજ્ઞાન છે. જેવી વાણી હોય તેવા પ્રકારનું જે જ્ઞાન થાય છે તે પોતાનાં કા૨ણે છે, વાણીના કારણે નહીં. ૫૨સત્તાવલંબી જ્ઞાન પણ પરથી થયું છે–એમ માનવું તે અજ્ઞાન છે. જ્ઞેય-જ્ઞાયક સંબંધની નિકટતાને લીધે અજ્ઞાનીને જ્ઞાન અને શેય પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, પરંતુ એક થયા નથી.
પ્રશ્ન:- વાણી સાંભળી માટે જ્ઞાન થયું, પહેલા તો તે ન હતું? ઉત્તર:- ભાઈ! તે કાળે તે (જ્ઞાનની) પર્યાયની તે પ્રકારના શેયને જાણવાની યોગ્યતા હતી. તેથી જ્ઞાન પોતાથી થયું છે, વાણીના કારણે નહીં. પ્રવચનસારમાં આવે છે કે વીતરાગની વાણી પુદ્દગલ છે, તેનાથી જ્ઞાન થાય નહીં, જ્ઞાનસૂર્ય પ્રભુ પોતે જાણનાર છે. તે સ્વને જાણતા ૫૨ને સ્વતઃ જાણે છે. ૫૨થી તો તે જાણે નહી, પણ પર છે માટે ૫૨ને જાણે છે એમ પણ નથી.।। ૨૮૭।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૨૭)
જેણે ૫૨થી અધિકપણે-ભિન્નપણે પૂર્ણ આત્મને જાણ્યો, સંચેત્યો અને અનુભવ્યો તેણે ઇન્દ્રિયોના વિષયોને જીત્યા. જડ ઇન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને તેના વિષયભુત પદાર્થો એ ત્રણેય જ્ઞાનનું પરશેય છે. એ ત્રણેયને જેણે જીત્યાં એટલે એ સર્વથી જે ભિન્ન પડયો તે જિન થયો, જૈન થયો. સ્વ-પરની એકતા બુદ્ધિ વડે તે અજૈન હતો. હવે
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૩૪ પરથી ભિન્ન પડી નિર્મળ પર્યાયને પ્રગટ કરી તે જિતેન્દ્રિય જિન થાય છે. ૨૮૮ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૨૮) દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો એ ત્રણેયને ઈન્દ્રિય કહે છે. તે સર્વનું લક્ષ છોડીને પોતાના જ્ઞાન સ્વભાવ વડ પરથી અધિક-ભિન્ન એવા નિજ પૂર્ણ શુદ્ધ ચૈતન્યનો જે અનુભવ કરે છે તેને નિશ્ચયનયના જાણનાર ગણધરદેવ જિતેન્દ્રિય જિન અને ધર્મી કહે છે. IT ૨૮૯ )
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૨૯) શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યન્દ્રિય, ખંડખંડ જ્ઞાનરૂપ ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો-કુટુંબ પરિવાર, દેવ, શાસ્ત્ર, ગુરુ ઇત્યાદિ બધાય પરય છે અને જ્ઞાયક સ્વયં ભગવાન આત્મા સ્વય છે. વિષયોની આસક્તિથી તે બન્નેનો એક જેવો અનુભવ થતો હતો. નિમિત્તની રુચિથી શેય-જ્ઞાયકનો એક જેવો અનુભવ થતો હતો. પણ જ્યારે ભેદજ્ઞાન વડે ભિન્નતાનું જ્ઞાન થયું ત્યારે જ્ઞયજ્ઞાયક સંકર દોષ દૂર થયો. ત્યારે હું તો એક અખંડ જ્ઞાયક છું, શયની સાથે મારે કાંઈ સંબંધ નથી” આવું અંદરમાં (સ્વસંવેદન) જ્ઞાન થયું. આ પહેલા પ્રકારની સ્તુતિ થઈ. // ૨૯૦ના
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨ પાનું-૧૩૧) પ્રશ્ન:- શાસ્ત્ર દ્વારા મનથી આત્મા જાણ્યો હોય તેમાં આત્મા જણાયો છે કે નહિ?
ઉત્તરઃ- એ તો શબ્દ જ્ઞાન થયું, આત્મા જણાયો નથી. આત્મા
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
તો આત્માથી જણાય છે. શુદ્ધ ઉપાદાનથી થયેલા જ્ઞાનમાં સાથે આનંદ આવે પણ અશુદ્ધ ઉપાદાનથી થયેલા જ્ઞાનમાં સાથે આનંદ આવે નહીં -અને આનંદ આવ્યા વિના આત્મા ખરેખર જાણવામાં આવતો નથી.।। ૨૯૧।।
(જ્ઞાનગોષ્ટિ, સમ્યગ્નાન. પ્રશ્ન-૨૮૮) (આત્મધર્મ અંક-૪૧૧, જાન્યુઆરી ૧૯૭૮, પાનું-૨૪)
પ્રશ્ન:- શું ઇન્દ્રિયજ્ઞાન આત્મજ્ઞાનનું કારણ નથી ?
ઉત્ત૨:- અગિયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ થાય એ જ્ઞાન પણ ખંડખંડ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહીં. આંખથી હજારો શાસ્ત્ર વાંચ્યા કે કાનથી સાંભળ્યા એ ઇન્દ્રિયજ્ઞાન છે, આત્માજ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય-જ્ઞાનથી જાણનારો છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણે તે આત્મા નહીં આત્માને જાણતા જે આનંદનો સ્વાદ આવે છે તે સ્વાદ ઇન્દ્રિયજ્ઞાનથી આવતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહીં.।। ૨૯૨૫
(જ્ઞાનગોષ્ટિ પ્રશ્ન નં. ૨૯૦) (આત્મધર્મ અંક-૪૧૨ ફેબ્રુઆરી ૧૯૭૮, પાનું-૩૭)
પ્રશ્ન:- ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી તો પછી આપ જ બતાવો કે તે આત્મા કેમ જાણવામાં આવે ?
ઉત્ત૨:- ભગવાનની વાણી એ શ્રુત છે-શાસ્ત્ર છે, શાસ્ત્ર પૌદ્ગલિક છે તેથી તે જ્ઞાન નથી, ઉપાધિ છે અને એ શ્રુતથી થતું જ્ઞાન એ પણ ઉપાધિ છે. કેમ કે તે શ્રુતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન સ્વને જાણી શકતું નથી. માટે તેને પણ
* હું ૫૨ને જાણું છું - તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૩૬ શ્રુતની જેમ ઉપાધિ કહે છે જેમ સુત્ર-શાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છે-ઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છે-ઉપાધિ છે. આહાહા! શું વીતરાગની શૈલિ છે! પરલક્ષી જ્ઞાનને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે.
સ્વજ્ઞાનરૂપ જ્ઞતિક્રિયાથી આત્મા જણાય છે. ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. / ર૯૩ાાં
(જ્ઞાનગોષ્ટિ પ્રશ્નઃ ર૯૨) (આત્મધર્મ અંક. ૪૨૫, માર્ચ ૧૯૯, પાનું-ર૬) પ્રશ્ન:- અગિયાર અંગ ને નવપૂર્વના જ્ઞાનવાળો પંચ મહાવ્રતોનું પાલન કરે છતાં આત્માનું જ્ઞાન કરવામાં તેને શું બાકી રહી ગયું?
ઉત્તર- અગિયાર અંગનું જ્ઞાન ને પંચ મહાવ્રતોનું પાલન કરવા છતાં એને ભગવાન આત્માનું અખંડ જ્ઞાન કરવું બાકી રહી ગયું. ખંડખંડ ઇન્દ્રિયજ્ઞાન-અગિયાર અંગનું કર્યું હતું તે ખંડખંડ જ્ઞાન પરવશ હોવાથી દુઃખનું કારણ હતું. અખંડ આત્માનું જ્ઞાન કર્યા વિનાનું અગિયાર અંગનું જ્ઞાન નાશ પામતાં કાળક્રમે નિગોદમાં પણ તે જીવ ચાલ્યો જાય છે. અખંડ આત્માનું જ્ઞાન કરવું તે જ મૂળ વસ્તુ છે. એના વિના ભવભ્રમણનો અંત નથી. ૨૯૪
(જ્ઞાનગોષ્ટિ પ્રશ્ન-નં. ૨૯૩) (આત્મધર્મ અંક-૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, પાનું-૨૭) પ્રશ્ન- સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાનમાં ભેદ અને તેનું ફળ બતાવીને સ્પષ્ટ કરો કે સમ્યગ્દષ્ટિ તેમાંથી પોતાનું જ્ઞાન કોને માને છે?
* ઈન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ઉત્તર:- વિષયોમાં એકાકાર થયેલાં જ્ઞાનને વિશેષ જ્ઞાન એટલે કે મિથ્યા જ્ઞાન કહે છે. અને તેનું લક્ષ છોડીને એકલા સામાન્ય જ્ઞાન સ્વભાવના આલંબનથી ઉત્પન્ન થયેલ જ્ઞાનને સામાન્યજ્ઞાન એટલે કે સમ્યજ્ઞાન કહે છે. જ્ઞાનસ્વભાવમાં એકાકાર થઈને પ્રગટ થયેલા સામાન્ય જ્ઞાન–વીતરાગી જ્ઞાન કહે છે ને તેને જૈનશાસન કહે છે, આત્માનુભૂતિ કહે છે. સામાન્યજ્ઞાનમાં આત્માના આનંદ નો સ્વાદ આવે છે. વિશેષજ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્માના આનંદનો સ્વાદ આવતો નથી. પણ આકુળતાનો-દુ:ખનો સ્વાદ આવે છે, ૫૨દ્રવ્યને અવલંબીને જે જ્ઞાન થયું તે વિશેષજ્ઞાન છે. ભગવાનની વાણી સાંભળીને જે જ્ઞાન થયું તે ઇન્દ્રિયજ્ઞાન છે, વિશેષ જ્ઞાન છે, તે આત્માનું જ્ઞાન-અતીન્દ્રિય જ્ઞાન-સામાન્ય જ્ઞાન નથી. જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું છે તે સામાન્ય જ્ઞાનને પોતાનું જ્ઞાન જાણે છે અને ૫૨ને જાણતું ઇન્દ્રિયજ્ઞાન જે અનેકાકારરૂપ પરસત્તાવલંબી જ્ઞાન થાય છે તેને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમ ૫૨શેયને પોતાના માનતો નથી તેમ પરના જ્ઞાનને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમાં આનંદનો સ્વાદ આવે છે તેને પોતાનું જ્ઞાન માને છે.।। ૨૯૫ ।। (જ્ઞાનગોષ્ઠિ, પ્રશ્ન-૨૯૯ ) (આત્મધર્મ અંક-૪૨૪, ફેબ્રુઆરી ૧૯૭૯, પાનું-૨૨૨૯) પ્રશ્ન:- શું ખંડખંડ જ્ઞાન-ઇન્દ્રિય જ્ઞાન પણ સંયોગરૂપ છે?
ઉત્તર:- હા, વાસ્તવમાં તો ખંડખંડ જ્ઞાન પણ ત્રિકાળી સ્વભાવની અપેક્ષાથી સંયોગ રૂપ છે. જેમ ઇન્દ્રિયો સંયોગ રૂપ છે તેમ તે પણ સંયોગરૂપ છે. જેવી રીતે શરીર જ્ઞાયકથી અત્યંત ભિન્ન છે, તેવી રીતે ખંડખંડ જ્ઞાન-ઇન્દ્રિયજ્ઞાન પણ જ્ઞાયકથી ભિન્ન છે, સંયોગરૂપ છે,
* ઇન્દ્રિયજ્ઞાન દુઃખરૂપ છે, દુ:ખનું કા૨ણ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૩૮ સ્વભાવરૂપ નથી. ૨૯૬IT
(જ્ઞાનગોષ્ટિ પ્રશ્નઃ ૩(૨) (આત્મધર્મ હિન્દી. ઓક્ટોબર ૧૯૭૮ પાનું-૨૪) હવે કહે છે કે, “વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, એટલે જાણનારો જણાણો એ જાણવાની પર્યાય પોતાની છે. જાણનાર જે વસ્તુ જણાણી છે તે પર્યાય પોતાની છે. અર્થાત્ તે પર્યાય પોતાનું કાર્ય છે, ને આત્મા તેનો કર્તા છે. અહા! જાણનારો એવો ધ્વનિ છે ને? એટલે-તે જાણનારો છે તેથી જાણે કે તે પરને જાણે છે (એમ તેને થાય છે, કેમ કે જાણનાર કહ્યો છે ને !ા ૨૯૭
(“જ્ઞાયકભાવ” પુસ્તકમાંથી પાનું-૧૦) પ્રશ્ન:- પણ જાણનાર છે માટે પરને જાણે છે ને?
સમાધાન:- ના, પરંતુ એ તો પરસંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વ-પરપ્રકાશક થાય છે, તે પર્યાય જ્ઞાયકની છે. અહા! તે જ્ઞાયકપણે રહેલો છે તેથી જ્ઞાયકનો જાણનાર પર્યાય તે તેનું કાર્ય છે. પણ જણાવા યોગ્ય વસ્તુ છે તેનું એ જાણવાનું કાર્ય નથી. અને જણાવા યોગ્ય વસ્તુ છે તે જાણનારનું (જ્ઞાયક ) નું કાર્ય નથી.
અહા! અહીંયા જ્ઞાતિ-જ્ઞાયક પણે જણાયો...એમ કીધું છે ને! તથા જણાયો તે તો તે જ છે. –એમ પણ કહ્યું છે ને! તેથી તે (જ્ઞાયક) જાણનારો છે માટે, તેમાં બીજો જણાયો છે એમ નથી. ૨૯૮
(“જ્ઞાયકભાવ” પુસ્તકમાંથી પાનું-૧૦)
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉન
૧૩૯ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
પ્રશ્ન:- પરંતુ તે જાણનાર છે ને! માટે તે જાણનાર છે તેથીતેમાં બીજો પણ જણાયો છે ને?
સમાધાનઃ- ના, કેમકે જે જણાય છે તે પોતે જ છે. અથવા પોતાની પર્યાય જ જણાણી છે, જાણનારની પર્યાય જણાણી છે. અહા ! રાગાદિ હો તો હો, પરંતુ અહીં રાગ સંબંધીનું જે જ્ઞાન છે તે જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે. અર્થાત્ તે રાગ છે માટે અહીં સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે એમ નથી. // ૨૯૯
(“જ્ઞાયકભાવ' માંથી પાનું-૧૦-૧૧) પ્રશ્ન- “બીજો કોઈ નથી” એમ કહ્યું છે તો બીજો એટલે કોણ?
ઉત્તર- બીજો એટલે કે તે રાગ નથી, રાગનું જ્ઞાન નથી. પણ એ જ્ઞાનનું જ્ઞાન છે અહીં ! વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એમ (આગળ ૧૨ મી ગાથામાં) આવશે. પરંતુ અહીં તો કહે છે કે આ રાગ છે તો રાગનું જ્ઞાન અહીં થયું છે એમ નથી. તેમજ તે (જાણનાર) રાગને જાણે છે એમ પણ નથી. પણ એ તો રાગસંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થયું છે તેને તે જાણે છે. આવી વાત છે !ા ૩OOT
(“જ્ઞાયકભાવ' પુસ્તક પાનું-૧૨) પ્રશ્ન:- જ્ઞાયક પણ આત્મા અને શેય પણ આત્મા?
સમાધાન - જ્ઞાયક ને શેય તરીકે અહીં તો પર્યાય લેવી છે અત્યારે તો તેની પર્યાય લેવી છે. કેમ કે જે જણાયો છે તે પર્યાય પોતાની છે. અને તેને તે જાણે છે પરંતુ પરને જાણે છે એમ નથી. તથા “વળી જે જ્ઞાયકપણે જણાયો’ એમ આવ્યું છે ને? તો તે
* ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૪૦ પર્યાય છે. અહા ! ઝીણી વાત છે ભાઈ ! આ અનંતકાળની મૂળ ચીજનો અભ્યાસ જ નથી ને! તેથી વાત ઝીણી લાગે છે.
અહા! અહીયા “તે જ છે, બીજો કોઈ નથી' એમ છે ને? તો, “બીજો કોઈ નથી' એટલે કે તે પરનું-રાગનું જ્ઞાન નથી અર્થાત્ જાણનાર જાણે છે માટે જાણનારે પરને જાણ્યું છે કે પરને જાણનારુ જ્ઞાન છે, એમ નથી. અહા ! શબ્દ શબ્દ ગૂઢતા છે કેમ કે આ તો સમયસાર છે ને? અને તેમાંય પણ કુંદકુંદાચાર્ય! અહા ! ત્રીજે નંબરે આવ્યા ને!
મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી, મંગલમ્ કુંદકુંદાર્યો...// ૩૦૧ાા
(“જ્ઞાયકભાવ” પુસ્તક પાનું-૧૨) એકવાર સાંભળ, કે તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા છે, તેનો વપરપ્રકાશક સ્વભાવ હોવાથી, ભલે તારી નજર ત્યાં ન હોય તો પણ, તે પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે, અરેરે! આ વાત કયાં છે? અરે! ક્યાં જાવું છે ને પોતે કોણ છે? તેની ખબર જ નથી, અહા! ત્રિલોકનાથ એમ કહે છે કે ભગવાન આત્મા! પ્રભુ! તું જેવડો મોટો પ્રભુ છો એવડો તારી એક સમયની પર્યાયમાં-અજ્ઞાન હોય તોપણ, પર્યાયમાં જણાય જ છે. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. માટે તે પર્યાયમાં સ્વ (આત્મા) પ્રકાશે તો છે જ, પણ તારી નજર ત્યાં નથી. તારી નજર દયા કરી, વ્રત પાળ્યાં ભક્તિ કરી અને પૂજાઓ કરી-એવો જે રાગ છે તેના ઉપર છે. અને તે નજરને લઈને તેને રાગ જ જણાય છે જે
* ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૧ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી મિથ્થાબુદ્ધિ છે. અર્થાત્ રાગને જાણનારી જે જ્ઞાનપર્યાય છે તે જ પર્યાય સ્વને જાણનારી છે. પરંતુ તેમાં (સ્વમાં) તારી નજર નહીં હોવાથી તને રાગ અને પર્યાય જ જણાય છે. જે મિથ્યાબુદ્ધિ, મિથ્યાદષ્ટિ છે.
પણ જેની (જ્ઞાનીની) દષ્ટિ પરદ્રવ્ય અને તેના ભાવ ઉપરથી છૂટી ગઈ છે તેમ પર્યાયના ભેદ ઉપરથી પણ જેનું લક્ષ છૂટી ગયું છે અને અન્યદ્રવ્યના ભાવથી પણ લક્ષ છૂટયું એટલે કે રાગથી લક્ષ છૂટયું તો, પર્યાયથી પણ લક્ષ છૂટી ગયું. આવી વાત છે બાપુ! ૩૦રા!
(જ્ઞાયકભાવ પુસ્તક પાનું-૨૫) અરે! ૧૭-૧૮ ગાથામાં તો એમ કહ્યું છે કે તેની વર્તમાન જ્ઞાનપર્યાયમાં આખું દ્રવ્ય જ જણાય છે. ઝીણી વાત છે બાપા! પ્રભુ! તારી પ્રભુતાનો પાર ન મળે. જેની પ્રભુતાની પૂર્ણતાનું કથન કરવું પણ કઠણ પડે એવો તું સર્વોત્કૃષ્ટ નાથ! અંદર બિરાજે છે.
તો, આ એવો સર્વોત્કૃષ્ટ નાથ! એક સમયની પર્યાયમાં જે પડેલો છે, તે અજ્ઞાનીને પણ સમીપમાં છે, નજરમાં છે, કેમકે પર્યાય સ્વભાવ જ એવો છે. શું કહ્યું? કે જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે આખા (પૂર્ણ) દ્રવ્યને જ એ જાણે છે. કહે છે કે એક સમયની જ્ઞાનની વર્તમાન ઉઘડલી જે પર્યાય છે તેમાં એ દ્રવ્ય જ જણાય છે. પણ અજ્ઞાનની દષ્ટિ ત્યાં નથી. અનાદિની તેની દષ્ટિ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ અને કાં તેને જાણનારી એક સમયની પર્યાય ઉપર છે. બસ, ત્યાં આગળ જ એ ઉભો છે તેથી મિથ્યાદષ્ટિ છે, સત્ય દષ્ટિથી વિરુદ્ધ દષ્ટિવાળો છે. પરંતુ સત્ય
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૪૨ જે પ્રભુ આત્મા છે, તેને જ્ઞાયકભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, પૂર્ણાનંદનો પ્રભુ કહો કે સત્ય સાહેબો કહો, એક જ છે. તો તેની ઉપર અજ્ઞાનીની નજર નથી. જો કે એ છે તો પર્યાયમાં જણાય એવી ચીજ. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ, જ્ઞાયકભાવ જ જણાય છે એમ પરમાત્મા પ્રભુ કહે છે. ૩૦૩
(“જ્ઞાયકભાવ” પુસ્તક, પાનું-૨૪) વળી કોઈ એમ પણ કહેતાં હોય છે-“પર્યાય છે, તેનું જ્ઞાન કરવું જોઈએ ને? પર્યાય જાણવી જોઈએ, પર્યાયને વિષય બનાવવો જોઈએ અન્યથા એકાંત થઈ જાય-પર્યાય પણ વસ્તુ છે, અવસ્તુ નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને? પર્યાય વિના કોઈ કાર્ય થાય? આમ પર્યાયનો પક્ષ કરી પરસ્પર વ્યવહારના પક્ષરૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા હોય છે. ૩૦૪
( શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧, પાનું-૧૪૬) શ્રી સમયસાર કળશટીકા-કળશ-ર૭૧ કળશાર્થ ઉપરનું
પ્રવચન
ભાવાર્થ આમ છે કે...' જોયું? કળશનો અર્થ કર્યા પહેલા તેમાં શું કહેવું છે તે સ્પષ્ટ કરવા પહેલેથી જ ભાવાર્થ લીધો. જુઓ, આમ ઉપાડ્યું છે કે “જ્ઞયજ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે.”
લ્યો, પરદ્રવ્ય શેય છે ને આત્મા એનો જ્ઞાયક છે એમ માને એ ભ્રાંતિ છે એમ કહે છે, ભાઈ ! પરય છે તે તો વ્યવહાર જ્ઞય છે, વાસ્તવમાં નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની દશામાં જે છ દ્રવ્યોનું જ્ઞાન
* ઇન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૪૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
થાય છે તે જ પોતાનું જ્ઞેય છે, તે જ પોતાનું જ્ઞાન છે અને પોતે આત્મા જ જ્ઞાતા છે.
એ તો પહેલા કહ્યું ને કે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ( ચારેય )–તે નું તે જ છે. એટલે શું? કે દ્રવ્ય પણ તે જ છે, ક્ષેત્ર પણ તે જ છે, કાળ પણ તે જ છે. અને ભાવ પણ તે જ છે; પરંતુ દ્રવ્ય ભિન્ન છે, ક્ષેત્ર ભિન્ન છે, કાળ ભિન્ન છે ને ભાવ ભિન્ન છે–એમ નથી.
અહાહા...! અનંતગુણનું વાસ્તું જે વસ્તુ દ્રવ્ય છે તે દ્રવ્ય જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્રે છે, તે જ ત્રિકાળ (−કાળ) છે અને તે જ ભાવ છે. કેરીની અંદર સ્પર્શ-રસ-ગંધ-વર્ણ (કેરીથી ) જુદાં છે એમ નથી, પરંતુ સ્પર્શ કહો તો પણ તે છે, રસ કહો તો પણ તે છે, ગંધ કહો તો પણ તે છે ને વર્ણ કહો તો પણ તે છે. તેમ અનંત ગુણના પિંડસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનું જે દ્રવ્ય છે તે જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. અહાહા...! જે દ્રવ્ય છે તે જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, અને જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે તે જ દ્રવ્ય છે. વળી જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્રે છે તે જ ત્રિકાળ (કાળ) છે અને જે ત્રિકાળ છે તે જ ભાવ છે.
લ્યો, આ પ્રમાણે ચા૨નો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવનો-ભેદ કાઢી નાખીને નિશ્ચયે બધું અભેદ છે એમ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ કહ્યું. સમજાણું કાંઈ... ? બહુ ઝીણું, પણ સત્ય તો ઝીણું જ હોય ને?
અહાહા...! દૃષ્ટિનો વિષય તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ-ભાવનું એક
રૂપ
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૪૪
એવો ચિત્સ્વભાવ છે, દષ્ટિના વિષયમાં ચાર ભેદ નથી. દ્રવ્ય છે તે જ પરમપારિણામિક ભાવ છે. ક્ષેત્ર છે તે જ પરમપારિણામિક ભાવ છે, ત્રિકાળ વસ્તુ છે તેય પ૨મ પારિણામિક ભાવ છે અને અનંત સ્વભાવ-ભાવ છે તેય પ૨મ પારિણામિક ભાવ છે; માટે તે ચાર એક જ ચીજ છે, પણ તે ચાર શુદ્ધ ચિસ્વરૂપથી ભિન્ન-ભિન્ન ચીજ છે એમ નથી. અહા! આવી અભેદ એક શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છે. એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. ભાઈ! બાહ્ય નિમિત્ત તો સમ્યગ્દર્શનનો વિષય નહીં, વ્યવહારનો રાગેય નહીં ને એક સમયમાં પ્રગટેલી નિર્મળ નિર્વિકાર પર્યાય પણ સમ્યગ્દર્શનનો વિષય નથી. અહો ! સમ્યગ્દર્શન અને એનો વિષય આવી પ૨મ અદ્દભૂત અલૌકિક વસ્તુ છે.
અહીં કહે છે-પદ્રવ્ય જ્ઞેય ને ભગવાન આત્મા જ્ઞાયક-એમ શેય-જ્ઞાયક-સંબંધ છે એવી ભ્રાંતિ છે, અર્થાત્ એવી વાસ્તવિક જ્ઞેયજ્ઞાયક સંબંધ છે નહિ. વાસ્તવમાં તો જ્ઞાન-જાણ પણારૂપ શક્તિ, શેય-જે જાણવામાં આવે છે તે, અને જ્ઞાતા-અનંત ગુણના પિંડરૂપ વસ્તુ-એ બધું એક વસ્તુ છે એમ કહે છે. જુઓ, શું કહે છે? કે
66
શેય જ્ઞાયક સંબંધ વિષે ઘણી ભ્રાંતિ ચાલે છે, તેથી કોઈ એમ સમજશે કે જીવ-વસ્તુ જ્ઞાયક, પુદ્દગલથી માંડીને છ દ્રવ્યો શેય છે; પરંતુ એમ તો નથી...
,,
જુઓ, અહીં છ દ્રવ્યો કહ્યાં એમાં અનંત કેવળી ભગવંતો આવી ગયા, અનંતા સિદ્ધ આવી ગયા, પંચ પરમેષ્ઠી આવી ગયા અને અનંતા નિગોદના જીવો સહિત સર્વ સંસારી જીવ આવી ગયા. તો,
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૫ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
આત્મા જ્ઞાયક છે ને અરહંતાદિ પંચપરમેષ્ઠી ને અન્ય જીવ એના જ્ઞય છે–એમ છે નહિ એમ કહે છે ગજબ વાત છે ભાઈ ! બાપુ! આ તો શેય-જ્ઞાયક નો વ્યવહાર સંબંધ છોડાવીને ભેદજ્ઞાન કરાવવાની વાત છે. સમજાય છે કાંઈ?
ઝીણી વાત છે પ્રભુ! કહે છે-જાણગસ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક છે અને અનંત કેવળીઓ, સિદ્ધો અને સંસારી જીવો એના જ્ઞય છે–એવું છે નહિ તથા જીવ-વસ્તુ જ્ઞાયક છે ને એક પરમાણુથી માંડીને અચેતન મહાકંધ પર્વતના સ્કંધ અને કર્મ આદિ એનાં શેય છે-એવું છે નહિ. જૈન તત્ત્વ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને? અહીં કહે છે-આત્મા જ્ઞાયક છે ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું જ્ઞય છે-એમ છે નહિ. સમયસારની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે વ્યવહાર (રાગ,) જાણેલો પ્રયોજનવાન છે, પણ ત્યાં એને “જાણેલો કહ્યો એ વ્યવહાર છે, કેમ કે ખરેખર તો તે પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે અને તે પર્યાય જ પોતાનું જ્ઞય છે. રાગને શેય કહેવો એ તો વ્યવહાર છે.
આ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નો રાગ, નવતત્ત્વની ભૂદવાળી શ્રદ્ધાનો રાગ ને પાંચ મહાવ્રતના પરિણામનો રાગ કે જે છ દ્રવ્યોમાં આવી જાય છે તે, પોતાનો સ્વભાવ તો નથી પણ ખરેખર તે પોતાનું જ્ઞય પણ નથી, પરવસ્તુ છે. આ શરીર અને તેની રોગ, વાર્ધકય આદિ જે અનેક અવસ્થાઓ થાય છે, તથા સ્ત્રી-કુટુંબપરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર, ધન-સંપત્તિ ઇત્યાદિ પરદ્રવ્ય ભગવાન જ્ઞાયકમાં તો નથી, પણ એ પરદ્રવ્ય જ્ઞય છે, પ્રમેય છે (ભગવાન
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ૧૪૬ જ્ઞાયકનાં) અને ભગવાન આત્મા પ્રમાતા-પ્રમાણ કરવાવાળો છે એમ પણ નથી. ભાઈ ! આ તો સર્વ તરફથી પરથી સંકેલી લેવાની વાત છે. આકરું કામ છે બાપા ! કેમ કે અનંતકાળમાં એણે કર્યું નથી; પણ એના વિના (ભેદજ્ઞાન વિના) ભવનો આરો આવે એમ નથી. સમજાણું કાંઈ..?
અહાહા..! કહે છે-જીવવસ્તુ જ્ઞાયક અને પુદ્ગલથી માંડીને ભિન્ન છ દ્રવ્યો એના જ્ઞય-એમ વસ્તુ સ્વરૂપ નથી, કેમ કે છ દ્રવ્યો જે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે જ્ઞાનની પર્યાય તે-તે શયના કારણે થઈ નથી પણ સ્વપરને પ્રકાશતી થકી પોતાથી–પોતાના સામર્થ્યથી પ્રગટ થઈ છે. માટે પોતાની જ્ઞાનની પર્યાય જ પોતાનું જ્ઞય છે. લ્યો, આવી ખૂબ ગંભીર વાત!
હવે કહે છે-“જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે-” શરુ ગયે : જ્ઞાનમાત્ર: ભાવ: રિમ “હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું” “સ: શેય: ” તે હું શેયરૂપ છું.
અહાહા..! જોયું? શું કીધું? જાણવા-દેખાવારૂપ ચેતના જેનું સર્વસ્વ છે એવા વસ્તુ સ્વરૂપે હું છું અને તે હું શેયરૂપ છું. મતલબ કે એ છ દ્રવ્યોનું જ્ઞયપણુ મને છે અર્થાત્ છ દ્રવ્યો મારા શેય છે એમ છે નહિ. મારી જ્ઞાનની પર્યાય તે જ મારામાં ય છે. અહા ! આ છેલ્લા કળશોમાં ભારે સુક્ષ્મ ગંભીર વાતો કરી છે.
ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ નથી એમ અહીં કહે છે.
* ઈન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ત્યારે કોઈ કહે છે-શું ભગવાન લોકાલોકને નથી જાણતા? આત્મા જ્ઞાયક છે તો છ દ્રવ્યો એનાં શેય છે કે નહિ? કેવળજ્ઞાનના છ દ્રવ્યો શેય છે કે નહિ? કોઈ વળી કહે છે કે-નિશ્ચયથી નથી, વ્યવહારે છે.
અરે ભાઈ ! “વ્યવહારે છે” નો અર્થ શું? એ જ કે એમ છે નહિ. પોતાનામાં પોતાની જ્ઞાનપર્યાયમાં-લોકાલોકનું જ્ઞાન પોતાના કારણે થાય છે; તે જ્ઞાનપર્યાય પોતાનું જ્ઞય છે, પણ લોકાલોક શેય નથી. બહુ ઝીણી વાત! આ તો ધીરાના કામ બાપુ! આ કાંઈ એકદમ ઉતાવળથી (અધીરાઈથી) મળી જાય એવી વસ્તુ નથી.
અહાહા...! કહે છે- “સ: શેય: 7 pવ” હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છે તે હું યરૂપ છું, પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી ? “જ્ઞયજ્ઞાનમાત્ર:” પોતાના જીવથી ભિન્ન છે દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર. ભાવાર્થ આમ છે કે-હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારા શય-એમ તો નથી.
જુઓ, આ શું કીધું? કે ચૈતન્યમાત્ર ભગવાન શાયકથી ભિન્ન છ દ્રવ્યોના જાણપણામાત્ર હું નથી, હું તો મારી જ્ઞાનની પર્યાયને શેય બનાવીને જાણવાવાળો છું. લ્યો, હવે વ્યવહાર-દયા, દાન, વ્રત આદિનો રાગ જ્ઞય અને આત્મા જ્ઞાયક-એમ પણ જ્યાં નથી તો વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત કયાં રહી પ્રભુ? લ્યો, આવો અર્થ!
પણ આવો અર્થ કેમ કરીને કાઢવો? બાપુ! તું ધંધામાં નામાના અર્થ કેમ કરીને કાઢે છે? એની રુચિ છે ને? એટલે ત્યાં તો
* મોહરાજા ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૪૮ ફડાક-ફડાક કહી દે છે કે આની પાસે આટલા ને આની પાસે આટલા બાકી છે. એમાં ટેવાઈ ગયો છું. બહારગામ ઉઘરાણી જાય અને પચાસ હજાર કે લાખ લઈ આવે એટલે માને ને હરખ કરે કે આટલા પૈસા લઈ આવ્યો, પણ બાપુ! એ પૈસા કયાં તારા છે? અને તું શું એને લાવી શકે છે? લાવવાનું તો દૂર રહો, અહીં તો કહે છેએ પૈસા આવ્યા તે મારું શેય ને હું જ્ઞાયક-એમ નથી. અહાહા...! જાણવાની પર્યાય મારી છે તેથી હું જ શેય છું, હું જ જ્ઞાન છું ને હું જ જ્ઞાયક છું જ્ઞાયક એવા મારામાં પરનું જ્ઞયપણું છે જ નહિ.
તત્ત્વદષ્ટિ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! અરે, અનંતકાળથી એણે પરનો-નિમિત્તનો, રાગનો અને પર્યાયનો અભ્યાસ કર્યો છે, એને પોતાના ય માન્યાં છે, પણ જ્ઞાન-જ્ઞાતા-શેય બધું જ હું એક છું એમ અંતર્મુખ થઈ અભેદનો અભ્યાસ કર્યો નથી! પણ બાપુ ! જન્મમરણ રહિત થવાની ચીજ તો અંતઃપુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે.
આ શાસ્ત્ર છે તે ય છે ને તેને જાણનારો હું આ જ્ઞાયક છુંઅહીં કહે છે. એમ વસ્તુસ્વરૂપ નથી; કારણ કે મારી જ્ઞાનપર્યાયમાં જેવું શાસ્ત્ર છે તેવું જ જ્ઞાન આવ્યું છે તો પણ તે કાંઈ શેયને-શાસ્ત્રને કારણે નથી આવ્યું પણ મારી જ્ઞાનની પર્યાય સ્વયં સ્વતઃ નિજસામર્થ્યથી જ તે-રૂપે-જાણવારૂપ પરિમિત થઈ છે. તેને પરથી શાસ્ત્રથી શું સંબંધ છે? એને પરની સાથે શેય-જ્ઞાયક સંબંધ પણ નથી. (તો પછી શાસ્ત્રથી જ્ઞાન થયું એ તો ક્યાંય દૂરની વાત છે.)
હા, પણ પર સાથે શેય-જ્ઞાયક સંબંધ કહેવામાં આવ્યો છે ને?
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૪૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
એ સંબંધ તો વ્યવહારે કહ્યો છે. નિશ્ચયથી તો છ એ દ્રવ્યોનું જ્ઞાન મારી પર્યાયમાં મારાથી થયું છે, છ દ્રવ્યોની હયાતીને કારણે થયું નથી, જુઓ, છ દ્રવ્યો છે, પણ છ દ્રવ્યોની હયાતીને કારણે મારું જ્ઞાન થયું નથી, પણ મારી પર્યાયની તાકાતથી એ જ્ઞાન થયું છે. ભાઈ! આ તો ભગવાનની વાણીમાંથી નીકળેલું એકલું અમૃત છે અહો! દિગંબર સંતોએ જગત સમક્ષ આવી વાત મૂકીને પરમામૃત રેલાવ્યું છે! આવી વાત બીજે કયાંય છે નહિ.
અહા ! કહે છે-જે છ દ્રવ્યો છે તેનું જે જ્ઞાન થયું છે તે જ્ઞાન મારું જ્ઞેય છે, છ દ્રવ્યો મારાં શેય નહિ. છ દ્રવ્યોના જાણવામાત્ર હું નથી.
પ્રશ્ન:- જ્ઞાનની પર્યાય (૫૨) શેયના કારણે થઈ છે ને? એમ કે જ્ઞેય છે તો જ્ઞાન થયું છે ને?
સમાધાનઃ- ના, એમ નથી, એ જ્ઞાન તો પોતાની પર્યાયના સામર્થ્યથી જ થયું છે, અને તેથી પોતાની પર્યાય જ પોતાનું શેય છે ૧૨મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો છે પણ એનો અર્થ એ છે કે તે-તે પ્રકારની જ્ઞાનની પર્યાય સ્વયં પોતાથી થાય છે. વ્યવહારનો જે રાગ છે એવું જ તેનું જ્ઞાન પોતાની પર્યાય સ્વયં પોતાથી થાય છે. વ્યવહારનો જે રાગ છે એવું જ તેનું જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી જ ઉત્પન્ન થાય છે. જ્ઞાનનો એવો જ કોઈ સ્વપરપ્રકાશક સ્વભાવ છે, એને ૫૨ની કોઈ અપેક્ષા નથી. માટે પોતાની પર્યાય જ પોતાનું જ્ઞેય છે, પણ તે-તે વ્યવહાર રાગ શેય નથી. આ તો ધીરાનાં કામ બાપુ!
* ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે ૫૨ને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૫૦ ભગવાનની વાણીને સમજવા માટે પણ ધીરજ જોઈએ. ઉતાવળે કાંઈ આંબા ન પાકે.
પોતાની જ્ઞાન પર્યાયમાં છ દ્રવ્યો જાણવામાં આવે છે, પણ તે છ દ્રવ્યો છે તો અહીં જ્ઞાન થયું છે એમ નથી. પોતાની જ્ઞાનપર્યાય જ સ્વતઃ એવી પ્રગટ થઈ છે અને તે પર્યાય જ પોતાનું શેય છે. જુઓ, કળશમાં છે કે નહિ? કે “પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહુના જાણવામાત્ર” હું નથી. શું કીધું આ? કે છ દ્રવ્યોના જાણવામાત્ર હું નથી, મતલબ કે મારી પર્યાયના જાણવામાત્ર હું છું કેમકે સર્વસ્વ મારામાં જ છે.
એના ભાવાર્થમાં આમ કહ્યું કે “ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય-એમ તો નથી” જુઓ, છે અંદર? અહાહા..ભગવાન પંચપરમેષ્ઠી મારા તો નથી, પણ તે મારાં જ્ઞય છે એમ પણ નથી, કેમ કે અહીં (પોતાની પર્યાયમાં) પંચપરમેષ્ઠી સંબંધી જે જ્ઞાન થયું છે તે તેમનાથી થયું નથી પણ પર્યાયની તત્કાલીન યોગ્યતાથી-સામર્થ્યથી થયું છે. તેથી પોતાની પર્યાય જ પોતાનું વાસ્તવિક જ્ઞય છે. લ્યો, આ પ્રમાણે બહારમાંથી દષ્ટિને અંદર સંકેલી લીધી છે. એ તો પછી પોતાનામાં શેય-જ્ઞાન-જ્ઞાતાના ત્રણ ભેદ પણ કાઢી નાખશે. અહીં તો પ્રથમ પર શેય, ને હું જ્ઞાયક છું– એવી ભ્રાંતિ મટાડી છે પછી જ્ઞાતા જ જ્ઞાતા છે, જ્ઞાતા જ જ્ઞાન છે ને જ્ઞાતા જ ય છે એમ કહેશે, અહો! સંતોએ મારગ એકદમ ખુલ્લો કરી દીધો છે. વાહ સંતો વાહ!
અહાહા..! કહે છે-“હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૧ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી શેય છે-એમ તો નથી” ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પરમાણુથી માંડી ને મહાત્કંધ, કર્મ આદિ મારાં જ્ઞય છે ને હું જ્ઞાયક છું, એમ નથી એમ કહે છે. અહા ! કર્મ મારા છે, મારામાં છે એમ તો નથી, પણ કર્મ મારાં શેય છે ને હું જ્ઞાયક છું એમ પણ નથી, અજ્ઞાની પોકાર કરે છે કે કર્મથી આમ થાય છે ને કર્મથી તેમ થાય છે, પણ અરે! સાંભળ તો ખરો નાથ ! કર્મ તો તને અડતાંય નથી. વાસ્તવમાં તારા જ્ઞાનનું સામર્થ્ય જ એવું છે કે તેમાં પરની અપેક્ષા જ નથી.
અહાહા..! “છ દ્રવ્યો મારા જ્ઞય-એમ તો નથી. તો કેમ છે? આમ છે-જ્ઞાનજ્ઞેયજ્ઞાતૃમસ્તુમાત્ર: શેય:' જ્ઞાન અર્થાત્ જાણપણારૂપ શક્તિ, જ્ઞેય અર્થાત્ જણાવાયોગ્ય શક્તિ, જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર-એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે એવા શેયરૂપ છું.”
શું કહે છે? કેમ કે જાણપણા શક્તિરૂપ હું, જણાવાયોગ્ય શક્તિરૂપ પણ હું ને અનંતશક્તિરૂપ વસ્તુ-જ્ઞાતા પણ હું છું અહાહા ! અનંત ગુણનિધાન પ્રભુ આત્મામાં એક જાણવારૂપ શક્તિ છે, ને એક જ્ઞયશક્તિ-પ્રમેયશક્તિ પણ છે, એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં જ્ઞાનની જેમ જ્ઞયશક્તિનું-પ્રમેયશક્તિનું વ્યાપકપણ છે. તેથી જે પ્રમેય-શેય પર્યાય છે તે પણ હું, જ્ઞાન પણ હું અને અનંતશક્તિનું ધામ જ્ઞાતા પણ હું છું.
અહો! બહુ સરસ વાત છે ભાઈ ! તારે પર સામે કયાંય જોવાનું જ નથી. ભગવાન સર્વજ્ઞદેવ સામેય તારે જોવાનું નથી. કેમ કે
* ઈન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૫ર ભગવાન સર્વજ્ઞદેવ સમવસરણમાં બિરાજી રહ્યા હોય તે તારું શેય અને તું જ્ઞાયક એમ છે નહિ. ભગવાન સંબંધી કે તેમની વાણી સંબંધી પર્યાયમાં તને જે જ્ઞાન થયું તે જ્ઞયને ( જ્ઞાનદશાને) તું જાણે છે. માટે, શેય પણ પોતે, જ્ઞાન પણ પોતે અને અનંતગુણધામ જ્ઞાતા પણ પોતે જ છે.
અરે! તું બહારમાં ભટક-ભટક કરે છે તો તારે કયાં જવું છે, પ્રભુ? આવે છે ને કે-“ભટકે તાર-દ્વાર લોકન કે, કૂકર આશ ધરી”
દસ વાગ્યે જમવાનો સમય થાય ત્યારે કૂતરો દાળ-ભાતશાકની ગંધ આવે એટલે, જાળી બંધ હોય ત્યાં આવીને ઉભો રહે; હમણાં મને કાંઈક મળશે એમ આશા ધરીને બિચારો ઘેર-ઘેર ભટકે. તેમ મારી જ્ઞાનની પર્યાય કયાંક પરમાંથી–નિમિત્તમાંથી આવશે એમ અભિપ્રાય કરી આ ભિખારી-પામર જ્યાં હોય ત્યાં ભટકે છે. પણ ભાઈ ! પરમાંથી તારું જ્ઞાન આવે એ વાત તો દૂર રહો, પર તારું શેય બને એમ પણ નથી, કેમ કે ય-જ્ઞાન ને-જ્ઞાતા તું જ છો. માટે પરની આશા છોડી દે. આનંદઘનજીએ કહ્યું છે કે
આશા ઔરન કી કયા કીજૈ, જ્ઞાન-સુધા-રસ પીજૈ,'
અહા! પરની આશા છોડીને, પરનું લક્ષ છોડીને અંતરલક્ષે જ્ઞાનરૂપી સુધારસ પીને પ્રભુ!
અજ્ઞાની કહે છે મારા ગુરુ છે, મારા ભગવાન છે, મારા દેવ છે, મારું મંદિર છે. પણ ભાઈ ! એ તો બધી પ્રત્યક્ષ
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૩ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ભિન્ન વસ્તુ તારી કયાંથી હોય? એ બધા મારા છે, મારું ભલું કરનારા છે એ વાત દૂર રહો, એ તારા જ્ઞય થાય એમ સંબંધ પણ નથી, કેમકે શેય પોતે, જ્ઞાન પણ પોતે અને જ્ઞાતા પણ પોતે જ છે અહાહા..! કહે છે ય પણ હું, જ્ઞાન પણ હું અને જ્ઞાતા પણ હું. એવી ચેતના સર્વસ્વ વસ્તુ હું છું. મારગ બહુ સૂક્ષ્મ અને ગંભીર છે ભાઈ ! એમાં મોં-માથુ સૂઝે નહીં એટલે લોકો ક્રિયાકાંડમાં જોડાઈ જાય અને એની પ્રરૂપણા કરે પણ એ બધા મિથ્યાભાવ ને બધી મિથ્યા પ્રરૂપણા છે ભાઈ ! એનાથી મિથ્યાત્વ પુષ્ટ થશે, ધર્મ નહીં થાય. અરે! લોકો કુગુરુ વડે લૂંટાઈ રહ્યા છે!
ત્યારે કોઈ વળી પૂછે છે-એ કેમ ખબર પડે કે આ ભાવલિંગી સાધુ છે કે દ્રવ્યલિંગી સાધુ છે?
અરે ભાઈ ! જો તને તારા માટે નિર્ણય કરવો છે તો સાંભળ, જ્યાં પ્રરૂપણા જ ચોખી ઉંધી હોય ત્યાં આ મિથ્યાત્વ છે એમ ખબર પડી જ જાય છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ જે પરજ્ઞય તરીકે તારા જ્ઞાનમાં જણાય છે તેને ધર્મનું કારણ માનેમનાવે, એનાથી ધર્મ થશે એમ પ્રરૂપણા કરે-એ બધું ધૂળ મિથ્યાત્વ છે. તને આ આકરું લાગે એવું છે. પણ ગઈકાલે કહ્યું નહોતું? કે વ્યવહારનો નિષેધ કરીએ છીએ તે તારો નિષેધ કરવા માટે નહીં, કેમ કે તું એવો (વ્યવહારરૂપ) છો જ નહીં તો પછી તારો નિષેધ કયાં આવ્યો પ્રભુ? ય-જ્ઞાન-જ્ઞાતા સ્વરૂપે તું આત્મા છો ને ભગવાન! તો એમાં તારો અનાદર કયાં આવ્યો? ઉલટાનો એમાં તો સ્વનો આદર આવ્યો છે.
* ઇન્દ્રિયજ્ઞાન શેય બદલ્યા કરે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૫૪ અહા...! પોતાની પર્યાયમાં જે વ્યવહારનું (–શુભભાવનું ) જ્ઞાન છે તે વ્યવહાર જ્ઞેય છે અને આત્મા જ્ઞાન છે–એવું જ્યાં નથી ત્યાં વ્યવહારથી લાભ થાય એ કયાં રહ્યું? ભગવાન! તું સ્વરૂપથી એવો છો જ નહીં. રાગ આવે, હોય એ બીજી વાત છે; પણ એનાથી તને લાભ થાય એવું વસ્તુસ્વરૂપ જ નથી.
એમ તો છ એ દ્રવ્ય અનાદિ છે, તે પ્રત્યેક સતરૂપે છે, અસતરૂપે નથી. શું કીધું? ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા ’–એમ નથી. પોતાની શુદ્ધ એક શાયક વસ્તુની અપેક્ષાએ જગત મિથ્યા-અવસ્તુ ભલે હો, પરંતુ પોતપોતાની અપેક્ષાએ તો છ એ દ્રવ્યો–પ્રત્યેક અનાદિ સત્-વિધમાન છે. અહાહા...! એક એક દ્રવ્ય અનંતગુણથી ભરેલું સ્વયંસિદ્ધ સત્ છે. પણ એ મારા જ્ઞાનનું જ્ઞેય છે એ વાત, કહે છે, મને ખટકે છે, કેમ કે તે મારું વાસ્તવિક જ્ઞેય નથી. હવે આમ છે જ્યાં ત્યાં તે મારાં અને મારા હિતકારી એ વાત કયાં રહી? ભાઈ ! આ તારા હિતની વાત છે હોં. પોતાને સૂઝ પડી જાય એવી ચીજ છે, કોઈને પૂછવું ન પડે.
અહાહા...! કહે છે-એક જાણપણારૂપ શક્તિ, બીજી જણાવાયોગ્ય શક્તિ અને ત્રીજી અનેક શક્તિએ બિરાજમાન વસ્તુ એવા ત્રણભેદ મારું સ્વરૂપમાત્ર છે. મતલબ કે એ ત્રણેય હું જ છું; શેય પણ હું, જ્ઞાનપણ હું અને જ્ઞાતા પણ હું–એ ત્રણેય સ્વરૂપ હું છું, પરશેય હું છું એમ નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર અને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ શ્રદ્ધા-વિનય-ભક્તિનો જે વિકલ્પ ઉઠે તે હું છું, એમ નથી કેમ કે એ બધા પ૨જ્ઞેય છે. અહાહા...! પ્રભુ! તારી અંદરની ચીજ તો જો! શું ચીજ છે! વીતરાગ... વીતરાગ... વીતરાગ... એકલું વીતરાગ વિજ્ઞાન!!
* ઇન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણતું નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
પ્રશ્ન- પણ દેવ-ગુરુ-શાસ્ત્ર તો શરણદાતા કહ્યા છે?
ઉત્તર:- હા; કહ્યા છે, વ્યવહારથી કહ્યા છે; પણ નિશ્ચયે એ સર્વ બાહ્ય નિમિત્તો તારા ય પણ નથી અહા..! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંતાસિદ્ધો, અનંત આચાર્ય-ઉપાધ્યાય-સાધુઓ તને લાભ કરે છે એમ તો નથી, તેઓ તારી ચીજ તો નથી, પણ તેઓ તારા વાસ્તવિક જ્ઞય છે એમ પણ નથી. ધવલમાં પાઠ આવે છે ને કે, -
નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આઈરિયાણું, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સાહૂણં,
અહા..! પહેલા જે થઈ ગયા અને ભવિષ્યમાં જે થશે તે અરિહંતાદિ પણ અત્યારે વંદનમાં આવી ગયા. જો કે વ્યક્તિગત ન આવ્યા, પણ સમૂહમાં તે સર્વ આવી ગયા. અહીં કહે છે-ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠી શેય છે ને તું જ્ઞાયક છો એમ નથી. તો કેમ છે? કે તસંબંધી તને જે જ્ઞાન થયું છે તે તારી જ્ઞાનપર્યાય જ તને ય થઈ છે. પ્રમેય નામનો ગુણ તારામાં છે તેથી તારું જ્ઞાન તેને પ્રમાણ કરીને તે પ્રમેયને (તારી જ્ઞાનપર્યાયને) જાણે છે. પણ પરપ્રમેયને તું જાણે છે એ વાત સત્યાર્થ નથી.
અરે! એને આ સમજવાની નવરાશ કયાં છે? એક તો ધંધા આડે ફૂરસદ ન મળે અને બાકીનો સમય પંચેન્દ્રિયના ભોગમાં ચાલ્યો જાય. કદાચિત્ ફૂરસદ મળે તો ક્રિયાકાંડમાં રોકાઈ જાય. અરે ! પરથી
* ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૫૬ પોતાના માન-પ્રતિષ્ઠા વધે એની દરકારમાં ને દરકારમાં એને આખી વસ્તુ ગાયબ થઈ ગઈ છે. પણ ભાઈ ! આ અવસર છે હો; નવરાશ લઈને જો આ ન સમજ્યો તો કયાંય કાગડ-કૂતરે-કંથવે... તિર્યંચયોનિમાં ખોવાઈ જઈશ.
અહાહા..! જ્ઞય-જ્ઞાન-જ્ઞાતા એવા ત્રણ ભેદ મારું સ્વરૂપમાત્ર છે. એટલે કે ત્રણપણે એક જ વસ્તુ હું છું પરણેયથી શું કામ છે? પરન્નય સાથે મને કાંઈ સંબંધ નથી. ભાઈ ! તારે આવો નિર્ણય કરવો પડશે હોં; આ છેલ્લા કળશ છે ને! એટલે એકદમ અભેદ લીધું છે. ભાઈ ! આ તો આખા શાસ્ત્રનો સાર કહેતા નીચોડ છે નીચોડ.
ભાઈ ! આ જે અનંત જ્ઞય છે તેને જાણવાની શક્તિ તારી છે કે એ શેયની છે? જાણવાની શક્તિ તો તારી છે, તો એમાં પરય કયાં આવ્યા? એ તો બાપુ! પોતાની જ્ઞાનની શક્તિમાં પરપ્શયનું જ્ઞાન પોતાના જ કારણે પોતાનું ય થઈને આવ્યું છે. અહા ! પોતાનું જ્ઞાન જ પોતાનું જ્ઞય થઈને પોતાને જાણે છે તથા અનંત શક્તિનો પિંડ-જ્ઞાતા પણ પોતે જ છે. આમ ત્રણે થઈને વસ્તુ તો એક જ છે. જુઓ, ભાષા એમ લીધી ને કે-જ્ઞાનàયજ્ઞીતૃસ્તુમાત્ર:' એમ કે ત્રણ ભેદસ્વરૂપ વસ્તુમાત્ર હું છું તેમાં જ મારું સર્વસ્વ છે. લ્યો, આવું વસ્તુસ્વરૂપ છે અને તે ભગવાનની વાણીમાં આવ્યું છે.
અહીંનો વિરોધ કરવા માટે કેટલાક પંડિતો પોકાર કરે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એમ માને તે દિગંબર જૈન નહીં. પણ ભગવાન ! એમાં તો તારો પોતાનો જ વિરોધ થાય છે. ભાઈ ! તને
* ઇન્દ્રિયજ્ઞાન વૈભાવિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ખબર નથી, પણ તેમાં તને મોટું નુકશાન છે. એવા (તત્ત્વવિરોધના) પરિણામનું ફળ બહુ આકરું છે ભાઈ ! અનંતકાળમાં જે ઘોર દુ:ખ સહ્યાં તે આવા જ પરિણામનું ફળ છે. તું દુઃખી થાય એ કાંઈ ઠીક છે? (માટે તત્ત્વદૃષ્ટિ કર.)
અજ્ઞાની કહે છે કે પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નહીં. જ્યારે અહીં ( દિગંબર આચાર્ય) કહે છે કે પોતાને પરનો જાણવાવાળોય માને તે દિગંબર નહીં. બહુ ફેર ભાઈ ! પણ મારગ તો આવો છે, પ્રભુ! તું સ્વભાવથી જ ભગવાન સ્વરૂપ છો, તારી શક્તિમાં બીજાની જરૂર નથી. તને જાણવામાં કે પરને જાણવામાં પરની જરૂર નથી; પણ તને પોતાને જાણવામાં તારી શક્તિની જરૂર છે (અને તે તો છે જ) હવે આમાં વિય ને કષાયનો રસ કયાં રહ્યો? વિષય-કષાયના ભાવ તો પરય છે, તારે એનાથી કાંઈ સંબંધ નથી. તેઓ તારામાં તો નથી, તારા જ્ઞય છે એમ પણ નથી.
અહીં કહે છે- “એવા શેયરૂપ છું.” કેવા શેયરૂપ છું? કે જ્ઞાનશક્તિરૂપ હું, જ્ઞયશક્તિરૂપ હું, અને અનંતગુણની જ્ઞાતા શક્તિરૂપ પણ હું છું. –આવો હું શેયરૂપ છું, પણ પરશેયરૂપ હું છું એમ નથી અહો ! ગજબ વાત છે! કેવળી પરમાત્મા અને એના કેડાયતી દિગંબર સંતો સિવાય અહા ! આવી વાત કોણ કરે? જગતને ઠીક પડે કે ન પડે, સમાજ સમતોલ રહે કે ન રહે વસ્તુસ્થિતિ આ જ છે.
જુઓ, રાજમલજી આના ભાવાર્થમાં શું કહે છે? “ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેદ-વેદકરૂપે જાણું છું તેથી મારું નામ
* સભ્યજ્ઞાનનું લક્ષણ - “પરલક્ષ અભાવાત્*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૫૮ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શય, એવી બે શક્તિઓથી માંડીને અનંતશક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા એવા નામભેદ છે, વસ્તુભેદ નથી”
શું કીધું? વેધ એટલે જાણવાલાયક છે તે અને વેદક એટલે જાણવાવાળો છે તે હું જ છું એમ કહે છે અને તેથી મારું નામ જ્ઞાન છે. અહાહા...! સ્વયને હું જાણું છું માટે હું જ્ઞાન છું. વળી હું મારા પોતાના વડે જ જણાવાયોગ્ય છે માટે હું શેય છું. લ્યો, આવી વાત! ભાઈ ! શાસ્ત્રથી તો મારું જ્ઞાન નહીં, પણ શાસ્ત્ર મારું ય છે એમેય નહીં.
તો શાસ્ત્ર વાંચવા કે નહીં?
સ્વલક્ષ (સ્વલક્ષના હેતુએ) શાસ્ત્ર વાંચવા, શાસ્ત્ર-અભ્યાસ કરવો એમ વાત આવે પણ ત્યાં જે જ્ઞાન થાય તે શાસ્ત્રનું જ્ઞાન છે એમ નથી. જ્ઞાન તો જ્ઞાનનું છે, શાસ્ત્રનું નહીં અને શેય પણ જ્ઞાન પોતે જ છે. લ્યો, આવી સૂક્ષ્મ વાત !
પ્રથમ જ્ઞાનની પર્યાયમાં આવું જ્ઞાન નહોતું; આવી વાણી સાંભળતા આ જ્ઞાન આવ્યું ને?
સમાધાનઃ- ના; એમ નથી. તે જ્ઞાનની પર્યાય જ તારું શેય છે, ને તેમાંથી જ તારું જ્ઞાન આવ્યું છે, પણ પરયમાંથી–વાણીમાંથી જ્ઞાન આવ્યું નથી, આવું ઝીણુ છે, પણ જન્મ-મરણના અંતનો મારગ તો આ છે પ્રભુ! અહા ! તારે કોની સામે જોયું છે પ્રભુ! આ દેવ મારા, ગુરુ મારા ને શાસ્ત્ર મારું એમ તો વસ્તુમાં છે નહિ,
* હું ધર્માદિને જાણું છું તે અધ્યવસાન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પણ એ મારા જ્ઞય છે એમ પણ વસ્તુમાં છે નહિ. હવે આ આકરું પડે એટલે આ તો નિશ્ચય.... નિશ્ચય છે એમ ઠેકડી કરીને એને કાઢી નાખે પણ ભાઈ ! નિશ્ચય એટલે જ સત્ય પરમસત્ય. સમજાય છે કાંઈ ?
હું પોતા વડે જણાવાયોગ્ય છું, પણ પર વડે જણાવાયોગ્ય છું– એમ નથી. મારા દ્રવ્ય-ગુણ-પર્યાય મારા વડ જાણવાલાયક છે તેથી હું જ મારું શેય છું, પણ પર મારું શેય નથી. જ્ઞાન પણ હું, શેય પણ હું, ને જ્ઞાતા પણ હું જ છું. આ પરમાર્થ સત્ય છે ભાઈ ! કહ્યું કે“નામભેદ છે, વસ્તુભેદ નથી” પોતાનું ય કોઈ જુદી ચીજ છે, જ્ઞાન જુદી ચીજ છે ને જ્ઞાતા જુદી ચીજ છે એમ નથી. પણ જે ય છે તે જ જ્ઞાન છે અને તે જ જ્ઞાતા છે. ત્રણેય વસ્તુપણે એક જ છે. આ તો ભાઈ ! વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ટા છે.
જુઓ, કોઈ નિંદા કરે તો નારાજ થાય અને પ્રશંસા કરે તો રાજી થાય પણ. નિંદા છે એ તો શબ્દરૂપ જડનું પરિણામ છે, ને પ્રશંસા ય જડ શબ્દની પર્યાય છે ભાઈ! એ નિંદા-પ્રશંસા તો તારી ચીજ નથી, પણ એ તારું શેય છે અને તું જ્ઞાયક છો એમ પણ નથી. આમ છે તો પછી આ મારો નિંદક ને આ મારો પ્રશંસક, એ વાત કયાં રહી? આ મારી નિંદા કરે છે ને આ મારી પ્રશંસા કરે છે એવું કાંઈ સત્યાર્થપણે છે જ નહીં.
હવે કહે છે-“કેવો છું? “જ્ઞાનજ્ઞયત્નોનવન'- જીવ જ્ઞાયક છે, જીવ શેયરૂપ છે એવો જે વચનભેદ તેનાથી ભેદને પામુ
* હું જ્ઞાયક અને છ દ્રવ્ય શેય તે ભ્રાંતિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ૧૬૦ ભાવાર્થ આમ છે કે-વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી.”
શું કીધું? પોતે જ્ઞય, પોતે જ્ઞાન અને પોતેજ જ્ઞાતા-એમ ત્રણ ભેદ વચનભેદથી છે, પણ વસ્તુતો પોતે જે છે તે જ છે. એટલે કે શયપણ હું, જ્ઞાન પણ હું ને જ્ઞાતા પણ હું એમ ત્રણે મળીને એક જ વસ્તુ હું છું, પણ ત્રણ વસ્તુ નથી. અહા! સ્વ-વસ્તુમાં પરવસ્તુ તો નથી, સ્વ-વસ્તુમાં ત્રણ ભેદ પણ નથી. આવો મારગ છે જે અનંતકાળમાં સાંભળ્યો ન હોય!
અહો ! સમયસારમાં આવેલી આ વાત લોકોત્તર અલૌકિક છે.
જુઓ–
-પર મારાં ને હું પરનો છું એમ તો નથી, -પરય છે ને હું જ્ઞાયક છું એમ પણ નથી,
–વળી મારામાં શેય, જ્ઞાન ને જ્ઞાતા-એવા વસ્તુભેદ પણ નથી. હું શેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવો જો ભેદ ઉપજે તો રાગ-વિકલ્પ થઈ જાય; પણ વસ્તુ ને વસ્તુની દ્રષ્ટિમાં એવા ભેદ છે નહીં; બધું અભેદ એક છે.
અહા ! પરય છે ને હું જ્ઞાયક છું એ તો વસ્તુમાં છે જ નહીં, પણ વસ્તુમાં ત્રણ ભેદ છે તે પણ નામભેદ છે, દષ્ટિના વિષયમાં એ ત્રણ ભેદ છે જ નહીં. જેવી આ વસ્તુસ્થિતિ છે તેવી અજ્ઞાનીને ખ્યાલમાં આવતી નથી, તેથી તેની ધારણાથી શાસ્ત્રમાં જુદી વાત આવે એટલે એમાં તેને વિરોધ લાગે છે. વિરોધ થાઓ તો થાઓ, પણ એ વિરોધ તારો છે હોં, બીજાનો વિરોધ બીજો કોણ કરે?
* હું પરને જાણું છું તે બુદ્ધિ મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૬૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
બીજી ચીજમાં તારો વિરોધ કયાં જાય છે કે તું બીજાનો વિરોધ કરે ?
અહીં કહે છે-જીવ જ શેયરૂપ છે, જીવ જ જ્ઞાયક છે અને જીવ જ જ્ઞાતા છે, એવો જે વચનભેદ તેનાથી ભેદને પામું છું, અર્થાત્ એ તો કલ્લોલ નામ વચનના ભેદ છે, પણ વસ્તુમાં ભેદ નથી. હું શેય, હું જ્ઞાન ને હું જ્ઞાતા –એમ વચનભેદ કથનમાત્ર ભેદ છે, બાકી વસ્તુ તો વસ્તુ અભેદ જ છે, આવી વાત છે.।। ૩૦૫ ||
(શ્રી સમયસાર કળશટીકા-૨૭૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન તાઃ ૨૯-૯-’૭૭ અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનુ-૧૬૬)
કળશ-૨૭૧ શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ
:
यः अयं ज्ञानमात्रः भावः अहम् अस्मि सः ज्ञेय - ज्ञानमात्रः एवं ન જ્ઞેય:' જે આ જ્ઞાનમાત્રભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો.
જુઓ શું કહે છે? જે આ જ્ઞાનમાત્રભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો. શું કીધું? લોકમાં જેટલા દ્રવ્યો છે–અનંતા સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો, અનંતાનંત પુદ્દગલોદેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ–એમ છ દ્રવ્યો-તેના દ્રવ્ય-ગુણ-પર્યાયો-તે મારા જ્ઞેય અને હું એનો શાયક એમ કહે છે, ન જાણવું. હવે એનું કર્તાપણુ તો કયાં ગયું, –અહીં તો કહે છે-એના (છ દ્રવ્યોના ) જાણવામાત્ર હું છું એમ ન જાણવું. ગજબ વાત છે ભાઈ! પરદ્રવ્યો સાથે જ્ઞેયજ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી, વ્યવહારમાત્ર એવો સંબંધ છે. સમજાય છે કાંઈ...? જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને ? અહીં કહે છે–ભગવાન આત્મા જ્ઞાયક,
* ઇન્દ્રિયજ્ઞાન આત્મ અનુભવ કરાવવામાં અસમર્થ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૬ર ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું ય એમ વાસ્તવમાં છે નહીં. બારમી ગાથામાં વ્યવહાર “જાણેલો” પ્રયોજનવાન કહ્યો એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું જ્ઞય છે. રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એના શેય કહેવા તે વ્યવહારથી છે, નિશ્ચયથી પર સાથે એને ય જ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો-સ્વામીત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાતો તો કયાંય ઉડી ગઈ. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે? તો કહે છે-શેય-જ્ઞાનછત્નોન વન' (પરંતુ ) શૈયાના આકારે તથા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે જ્ઞાન–શેય–જ્ઞાતૃ–વસ્તુમાત્ર: ગ્લેય:' જ્ઞાન-જ્ઞયજ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો. (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ શેય અને પોતે જ જ્ઞાતા-એમ જ્ઞાન-શૈય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો)
“યોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો...આ વ્યવહારથી કહ્યું હોં.
ખરેખર તો શયોનું-છ દ્રવ્યોનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. “યોના આકારે થતું જ્ઞાન” એ તો કહેવામાત્ર છે, બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞયાકાર છે જ નહીં. સમજાણું કાંઈ...? અહાહા ! અહીં કહે છે-એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ-(દ્રવ્ય-ગુણ-પર્યાય) ત્રણે થઈને હું જ્ઞય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું
* જો જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો શ્રેય તો આનંદ આવવો જોઈએ?*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૩ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ને શેય આ લોકાલોક એવું કોણે કહ્યું? પરમાર્થ એમ છે નહીં. એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા...! ધર્મીના અંતરની ખુમારી તો જુઓ ! કહે છે-જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો તો હો, પરમાર્થે તેની સાથે મારે જાણવાપણાનોય સંબંધ છે નહીં. આવી વાત ! સમજાણું કાંઈ....?
અહાહા...! અહીં શું કહે છે? કે પરય (પરપદાર્થો–દેવગુરુ-શાસ્ત્ર, પંચપરમેષ્ઠી, ને વ્યવહારરત્નત્રય આદિ જ્ઞય,) હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવો સંબંધ હોવાનું તો દૂર રહો, હું શેય, હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવા ત્રણ ભેદરૂપ પણ હું નથી. એ ત્રણેય હું એક છું. જુઓ, આ સ્વાનુભવની દશા ! જ્ઞાન-જ્ઞાતા-શેય એવા ભેદોથી ભરાતો નથી. એવો અભેદ ચિત્માત્ર હું આત્મા છું. હું શેય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવા ત્રણ ભેદ ઉપજે એ તો રાગ-વિકલ્પ છે પણ વસ્તુ ને વસ્તુની દષ્ટિમાં એવા ભેદ છે નહીં. બધું અભેદ એક છે.
ભાઈ ! તારામાં તારું હોવાપણું કેવડું છે તેની તને ખબર નથી. ત્રણ લોકના દ્રવ્યો-દ્રવ્ય-ગુણ-પર્યાયો ત્રિકાળવર્તી જે અનંતાનંત છે તે બધાને જાણનારી તારી જ્ઞાનની દશા તે ખરેખર તારું જ્ઞય છે. તે દશા એકલી નહીં, પણ તારા દ્રવ્ય-ગુણ-પર્યાય તે બધું ય છે. અહાહા....! તે સમસ્તનું (–પોતાનું) જ્ઞાન તે જ્ઞાન, તે સમસ્ત (–પોતે) શેય અને પોતે જ્ઞાતા-એ ત્રણેય વસ્તુ એકની એક છે, ત્રણભેદ નથી. આવી ઝીણી વાત! જ્ઞાન-જ્ઞાતા-શેય ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર પોતે એક છે.
* પરમાત્મા કહે છે - “મારા લક્ષે દુર્ગતિ થશે” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૬૪ ભાવાર્થ ઉપરનું પ્રવચન
અહાહા...! બહુ સરસ ભાવાર્થ છે; વસ્તુના મર્મનું માખણ છે. કહે છે-પોતાના દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપતા પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન અને પોતે જ શેય છે એમ અનુભવાય છે, છ દ્રવ્ય જ્ઞય, હું જ્ઞાન અને હું જ્ઞાતા, એમ અનુભવાતું નથી; કેમ કે પરમાર્થે પર સાથે જ્ઞય-જ્ઞાયક સંબંધ છે જ નહીં. આવી વાત!
કહે છે-“જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ
જુઓ, આ શું કીધું? કે શેયો જગતના છે તેને જાણવારૂપ જાણનક્રિયા તે જ્ઞાન-સ્વરૂપ છે, શેયસ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી, પણ છ દ્રવ્ય સંબંધી પોતાનું જે જ્ઞાન તે જણાય છે અને તે ખરેખર આત્માનું જ્ઞય છે. પરય જણાય છે એમ કહેવું એ તો વ્યવહાર છે. શેય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જાણવારૂપ થઈ તે એનું જ્ઞય છે, ઓલું (પરજ્ઞય) નહીં, કેમકે પોતામાં પોતાની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ છે (પરનું નહીં) અહાહા...! છ દ્રવ્યોને જાણવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, તેને છ દ્રવ્યનું જ્ઞાન કહેવું તે વ્યવહાર છે; ય-જ્ઞાન શયનું નથી, પણ જ્ઞાનનું જ્ઞાન છે, જાણનક્રિયારૂપ ભાવ જ્ઞાનસ્વરૂપ છે. પંડિત જયચંદજી એ જ સ્પષ્ટ કરે છે. -
“વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય જ્ઞયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી; શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞયાકારરૂપ દેખાય છે. પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે.
* એક ભાવકભાવ, એક શેયનોભાવ - તેનાથી જુદો હું જ્ઞાયકભાવ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
આહાહા...! જુઓ, બાહ્ય જ્ઞયો-રાગાદિકથી માંડી છે એ દ્રવ્યો પોતાના આત્માથી (–પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય-ત્રણેથી) જુદાં છે. જો તે જુદાં ન હોય તો એક હોય, પણ એમ કદી બનતું નથી, છે નહીં.
રાગનું જ્ઞાન થાય તેમાં કાંઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. કેવળીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કાંઈ જ્ઞાનમાં પેસી ગયા નથી. ઘટનો જાણનાર ઘટરૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાનરૂપે આત્મા જ થાય છે. ઘટને જાણવાના જ્ઞાનરૂપે આત્મા થાય છે; તેથી ઘરનું જ્ઞાન નહીં, પણ આત્માનું જ જ્ઞાન છે. પોતાનામાં તો પોતાના જ્ઞાનપરિણામનું અસ્તિત્વ છે, શયનું નહીં. આત્માનો “જ્ઞ” સ્વભાવ છે, ને “જ્ઞ” સ્વભાવી આત્મામાં જાણનક્રિયા થાય છે તે પોતાથી થતી પોતાની ક્રિયા છે, એમાં પરણેયનું કાંઈ જ નથી. આમ
યસંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે ય પોતે, જ્ઞાન પોતે જ, ને પોતે જ જ્ઞાતા છે. સમજાણું કાંઈ..?
યોના આકારની ઝલક જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે, જુઓ, જ્ઞાન શૈયાકાર છે એમ નહીં, એ તો શયને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. શયનું તેમાં કાંઈ જ નથી. જ્ઞય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહીં; અર્થાત્ જ્ઞાન શેયરૂપે થાય છે એમ છે જ નહીં. જ્ઞાન જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે.
અહાહા...! કેવું ભેદજ્ઞાન કરાવ્યું છે! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ
* શેય શેયને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૬૬ ભાઈ ! જરા ધીરો થઈને સાંભળ કહે છે–આત્મા પરને કરે કે પરથી આત્મામાં કાંઈ થાય એ વાત તો જવા દે, એ વાત તો છે નહીં, પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે કે પર ય જ્ઞાનની પર્યાયમાં આવે-પેસે એમ પણ છે નહીં. વસ્તુ-દ્રવ્ય એક શાકભારેપણે છે. તે પોતે જ્ઞાનની પર્યાયપણે, જાણનક્રિયારૂપે થાય છે તે પોતાની સ્વપરપ્રકાશકની ક્રિયા છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે બસ. પર જણાતું નથી, પોતાની જાણ નક્રિયા જાણવારૂપે છે તે જણાય છે.
ભગવાન! તું આવડો ને આવો જ છે; બીજી રીતે માન તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી, તારી જ્ઞાન પર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ અસભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. તો સાચો વ્યવહાર શું છે?
તે આ; પોતે જાણગ-જાણવાના ભાવવાળું તત્ત્વ હોવાથી લોકાલોકના જેટલા જોયો છે તેને અને પોતાને જાણવાની ક્રિયારૂપે પોતામાં (પોતાના અસ્તિત્વમાં) પોતાના કારણે પરિણમે છે. ખરેખર તો આ જ્ઞાનનો પર્યાય તે શેય છે. જ્ઞાનની પર્યાયનું પર (પદાર્થ) શેય છે એમ કહેવું તે વ્યવહાર છે. આવી વાત છે.
શેયોના આકાર એટલે શેયોના વિશેષો-એની જ્ઞાનમાં ઝલક આવે છે અર્થાત્ તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે. તે જ્ઞાન યાકાર દેખાય છે એમ કહ્યું પણ તે શેયાકાર થયું નથી; એ તો જ્ઞાનાકાર – જ્ઞાનના જ તરંગો છે. અહાહા..!
* ઇન્દ્રિયજ્ઞાનમાં આકુળતા હોય, જ્ઞાનમાં નિરાકુળ આનંદ હોય. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૭ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી જાણગ...જાણગ...જાણગ પોતાનો સ્વભાવ છે, એમાં પરવસ્તુનો પરયનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું અહીં (પોતામાં) થાય છે તે ખરેખર એનું (પરયનું) જાણવું નથી; જાણવાની પોતાની દશા છે એનુ જાણવું છે. આ ન્યાયથી તો વાત છે; એને સમજવી તો પડે ને! કોઈ થોડું સમજાવી દે?
જુઓ દર્પણના દષ્ટાંતે આ વાત સમજીએ.
જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલા હોય તે દર્પણમાં દેખાય છે. પણ એ દર્પણથી જુદી ચીજ છે ને ? દર્પણમાં તો તે પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા ને અગ્નિ વગેરે દર્પણમાં છે? દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. જે અગ્નિ વગેરે તેમાં પેઠાં હોય તો દર્પણ અગ્નિમય થઈ જાય, તેને હાથ અડકાડયે હાથ બળી જાય, પણ એમ છે નહીં. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે; કોલસા કે અગ્નિનું તેમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ....?
આ શું કીધું? લ્યો, ફરીથી એક બાજુ દર્પણ છે, અને તેની સામે એક બાજુ અગ્નિ ને બરફ છે. અગ્નિ અગ્નિમાં લબક-ઝબક થાય છે, ને બરફ બરફમાં પીગળતો જાય છે. તે સમયે દર્પણમાં પણ બસ એવું જ દેખાય છે. તો શું દર્પણમાં અગ્નિ કે બરફ છે? ના; અગ્નિ અને બરફનું હોવું તો બહાર પોતપોતામાં છે, દર્પણમાં તેમનું હોવાપણુ નથી.
દર્પણમાં તેઓ પઠાં નથી. દર્પણમાં તો દર્પણની તે-રૂપ સ્વચ્છદશા થઈ છે તે છે. અગ્નિ અને બરફ સંબંધી દર્પણની
* ઇન્દ્રિયજ્ઞાનના(શેયના) લશે ઇન્દ્રિય(શેય) પ્રગટે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૬૮
સ્વચ્છતાની દશા તે દર્પણનું પોતાનું પરિણમન છે. અગ્નિ ને બરફનું તેમાં કાંઈ જ નથી; અગ્નિ અને બરફે એમાં કાંઈ જ કર્યું નથી, એ તો જુદા પદાર્થો છે. તેમ ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં શેયોના આકારની ઝલક આવતા જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે. સામે જેવા જ્ઞેયો છે તે જ પ્રકારની વિશેષતારૂપે પોતાની જ્ઞાનની દશા થતાં જાણે કે જ્ઞાન શૈયાકાર થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન શેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; અર્થાત્ તે શેયના કલ્લોલો નથી, પણ જ્ઞાનના જ લ્લોલો છે, જ્ઞાનની જ દશા છે; જ્ઞેયોનું એમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ ?
અહા ! આવો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઈ! તું દયા, દાન, વ્રત, તપ કરી કરીને સૂકાઈ જાય તોય લેશ પણ ધર્મ થાય નહીં. પોતાના સ્વરૂપના મહાતમ (–માહાત્મ્ય ) વિના ધર્મની ક્રિયા કોઈ દિ' થઈ શકતી નથી.
નાની ઉંમરની વાત છે. પાલેજમાં પિતાજીની દુકાન હતી. તે બંધ કરી રાત્રે મહારાજ ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યાં એમની પાસે જતા. ત્યાં મહારાજ ગાતા
‘ભૂધરજી તમને ભૂલ્યો રે, ભટકું છું ભવ વનમાં,
કૂતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા, ત્યાં ભૂખના વેઠયા ભડકા રે ”
(
હવે આમાં તત્ત્વની કાંઈ ખબર નહીં, પણ સાંભળીને તે વખતે રાજી રાજી થઈ જતા. લોકમાં પણ બધે આવું જ ચાલી રહ્યું છે ને! પોતે કોણ ને કેવડો છે એની ખબર ન મળે, પણ માંડે વ્રત,
તપ,
* ઇન્દ્રિયજ્ઞાન ૫૨ની પ્રસિદ્ધિ કરે છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ભક્તિ, પૂજા આદિ કરવા; એમ કે એનાથી ધર્મ થશે, પણ ધૂળમાંય ધર્મ નહીં થાય. પોતે કોણ છે એની ખબર વિના શેમાં ધર્મ થશે ? બાપુ! હું જ્ઞાનસ્વભાવ છું એમ ભૂલીને રાગનાં કર્તાપણામાં મંડ્યો રહે એ તો પાગલપણુ છે. દુનિયા આખી આવી પાગલ છે. સમજાણું કાઈ....?
અહાહા.... અહીં કહે છે-આ જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે; પોતાના હોવાપણામાં દયા, દાન આદિના ભાવ, કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરજ્ઞયોનો પ્રવેશ નથી, એ તો જુદા પર છે; માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, આત્મા વડે જણાય છે. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું જ્ઞય છે, પણ દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી, ને પરમાર્થે તે આત્માનું જ્ઞય નથી.
હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડા દેવા, ને માંદાની માવજત કરવી-એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ ! એ તો બધી રાગની ક્રિયા બાપુ! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવાયોગ્ય થઈ, તે ક્રિયા તારી નહીં, ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે, તે કાળે રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી, રાગ તેમાં પેઠો નથી, જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે તે તારી છે, અને તે ખરેખર તારું ય છે, રાગાદિ પરમાર્થ તારા શય નથી. સમજાય છે કાંઈ...?
અજ્ઞાની જીવોને આટલું બધુ (દયા, દાન આદિન) ઓળંગીને
* ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ નહીં થાય.*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૭૦ અહીં (જ્ઞાન ભાવમાં) આવવું મોટો મેરૂ પર્વત ઉપાડવા જેવું લાગે છે; પણ આમાં તારું હિત છે ભાઈ ! હવે કહે છે-“આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞય અને જ્ઞાતા એ ત્રણે ભાવોયુક્ત સામાન્ય-વિશેષ સ્વરૂપ વસ્તુ છે.'
જુઓ, આ બધાનો સરવાળો કર્યો. જણાવાયોગ્ય પરપદાર્થો પરમાં રહ્યા છે અને જાણનારો જાણનારમાં રહેલ છે. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે. આમ આત્મા પોતે જ જણાવાયોગ્ય છે; જ્ઞાનમાત્ર ભાવ જ પોતાનું જ્ઞય છે. પરપદાર્થને શેય કહેવું એ વ્યવહાર છે બસ.
વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. અહાહા...! પરની સાથે પરમાર્થે આત્માને કોઈ સંબંધ નથી. જે જણાય છે તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ, અહીં..! જ્ઞાન, જ્ઞાતા, શેય ત્રણેય એકરૂપ. અંતરમાં દષ્ટિ મૂકતાં આવા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. પરવસ્તુ શેય ને પોતે જ્ઞાતા એ તો કયાંય રહી ગયું, પોતે જ શેય, પોતે જ જ્ઞાન, ને પોતે જ જ્ઞાતા-એવા ત્રણ ભેદ પણ અંતરદષ્ટિમાં સમાતા નથી, બધું અભેદ એકરૂપ અનુભવાય છે. લ્યો, આનું નામ ધર્મ છે, જેમાં સામાન્ય વિશેષનું અભેદપણું પ્રાત-સિદ્ધ થયું તે ધર્મ
અહાહા...! “આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું” એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું, ને જ્ઞય પણ
*“હું પરને હણું છું” અને “હું પરને જાણું છું' - સમકક્ષી પાપ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૧ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી એમ ત્રણેય એક હું - આવો જે જ્ઞાનમાત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે. “અનુભવ”—અનુ નામ અનુસરીને, ભવ નામ ભવન થવું; આત્માને – જ્ઞાનમાત્ર વસ્તુને - અનુસરીને થવું તે અનુભવ છે ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવારૂપ જે અનેક ક્રિયાઓ છે એ બધો સંસાર છે, એ બધું રણમાં પોક મૂકવા જેવું છે.
અહાહા! અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જાણનારે ય હું, જ્ઞાને ય હું, ને જણાવાયોગ્ય જ્ઞય પણ હું જ છું. આ ત્રણેના અભેદની દષ્ટિ થતાં અને સ્વાનુભવ પ્રગટ થયો છે, ને તેમાં એને અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આને સમકિત અને ધર્મ કહે છે. સમજાણું કાંઈ....?
જુઓ, અહીં સામાન્ય-વિશેષ બેય ભેગું લીધું છે, કેમકે પ્રમાણજ્ઞાન કરાવવું છે. પ્રમાણજ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત, એની શક્તિઓ ત્રિકાળી સત્ અને એની વર્તમાન પર્યાય એ ત્રણે થઈને વસ્તુ આત્મા કહ્યો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ, ને વિકાર ઇત્યાદિ ન આવે. ૩/૬ (શ્રી સમયસાર કળશ. ર૭૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું ૧૭ મી વખતનું
પ્રવચન રત્નાકર ભાગ-૧૧ માંથી) પ્રશ્ન:- જ્ઞાનનું સ્વરૂપ શું?
ઉત્તર- જાણવું તે. ( જાણવામાં રાગ, દ્વેષ તે જ્ઞાનનું સ્વરૂપ નથી) “હું આને જાણું છું” એમ બોલાય પણ ખરેખર પરને નહીં પણ પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે. ૩૦૭ના
(આત્મધર્મ વર્ષ-૧ અંક-૬, વૈશાખ, ૨000 પાન-૧૦૨)
* હું જાણનાર અને લોકાલોક શેય - એવું કોણે કહ્યું? *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૭ર સર્વત્ર જ્ઞાનનું જ ચમકવું છે. કોઈ જીવ પરને ભોગવી શકતો નથી, પણ કોઈ પરનું વર્ણન પણ કરી શકતો નથી; માત્ર પોતે પરનું જે જ્ઞાન કર્યું છે તેનું, (પોતાના જ્ઞાનનું) વર્ણન કરી શકે છે, જ્ઞાનગુણ સિવાય એક ગુણનું વર્ણન થઈ શકતું નથી પણ જે જ્ઞાને સુખગુણને નક્કી કર્યો છે તે
સુખગુણના જ્ઞાનનું વર્ણન કરી શકે છે. આ રીતે જ્ઞાન ખરેખર પર-પ્રકાશક નથી, પણ સ્વ-પર્યાય ( જ્ઞાન અવસ્થા) ને પ્રકાશે છે. આ રીતે જ્ઞાનનો જ બધે ચમત્કાર છે. અને જ્ઞાન એ જ આત્માની વિશિષ્ટતા છે. IT ૩O૮ાા. (આત્મધર્મ વર્ષ-૧ અંક-૧૦-૧૧, ભાદરવો ૨000 પર્યુષણ અંક,
પાનુ-૧૮O) ત્યારે કોઈ પંડિતો વળી કહે છે-પરનો કર્તા ન માને તે દિગંબર જૈન નથી.
અરે પ્રભુ! તું શું કહે છે આ? આ દિગંબર આચાર્ય શું કહે છે એ તો જ. અહાહા... કર્તા તો નહીં, પણ ખરેખર તો એનો જાણનારે નહીં. જાણનારી પર્યાય જાણગને-જાણનારને જાણતી સતપણે ઉત્પન્ન થાય છે. આ ૩OCT
(અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનુ-૧૨૬) અજ્ઞાની કહે છે કે પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગંબર નહીં, જ્યારે અહીં ( દિગંબરાચાર્ય) કહે છે કે પોતાને પરનો જાણવાવાળો ય માને તે દિગંબર નહીં. બહુ ફેર ભાઈ ! પણ મારગ તો આવો છે. પ્રભુ! તું સ્વભાવથી જ ભગવાન સ્વરૂપ !
* “જ્ઞાયક નથી ત્યમ પર તણો *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી છો, તારી શક્તિમાં બીજાની જરૂર નથી. તને જાણવામાં કે પર જાણવામાં પરની જરૂર નથી; પણ તને પોતાને જાણવામાં તારી શક્તિની જરૂર છે (અને તે તો છે જ ). હવે આમાં વિષય ને કષાયનો રસ કયાં રહ્યો ? વિષય કષાયના ભાવ તો પરશેય છે, તારે એનાથી કોઈ સંબંધ નથી. તેઓ તારામાં તો નથી, તારા જ્ઞય છે એમ પણ નથી.// ૩૧૦ના
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનુ-૧૭૬ ) શું કહે છે? કે વિશેષને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દે. આહાહા... બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકકોર રહી; કેમ કે પોતાના સિવાય બીજા જે પદાર્થો છે, પછી ભલે તે ત્રણલોકના નાથ ભગવાન હોય તોપણ, તેને જોવાની જે દષ્ટિ છે તે કાંઈ પર્યાયાર્થિક દૃષ્ટિ કે દ્રવ્યાર્થિક દષ્ટિ નથી. ફક્ત પોતાનામાં બે પ્રકાર છે. એક સામાન્યપણું-કાયમ રહેવાપણું અને બીજું વિશેષપણુંબદલવાપણું અને તેને જોનાર બે આંખ છે. હવે એ વિશેષને જોનારી આંખને બિલકુલ બંધ કરીને ઉઘાડેલી દ્રવ્યાર્થિક આંખ વડે જો એમ કહે છે. ભારે ગજબ વાત છે! થોડ શબ્દ ઘણું ભર્યું છે હોં! અહો ! વાત બહુ ઊંચી છે !. ૩૧૧
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનુ-૧૩પ.) એ અહીંયા કહે છે કે જ્યારે આત્માને અમે જ્ઞાયક કહ્યો અને તે જ્ઞાયક જ્ઞાયકપણે જણાયો ત્યારે જાણનારને તો જાણ્યો પણ હવે તે જાણનાર છે” એમ કહેવાય છે તો તે પરને પણ જાણે છે એવું એમાં આવ્યું ને? ભાઈ ! તે પરને જાણે છે એમ ભલે કહીએ. તોપણ ખરેખર તો જે પર છે તેને તે જાણે છે એમ નથી. અર્થાત્
* પરને જાણે તેવું શાયકનું સ્વરૂપ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૭૪ પર છે, રાગાદિ થાય છે તેને જે જાણે છે તે રાગાદિને લઈને જાણે છે એમ નથી. પરંતુ એ જ્ઞાનની પર્યાયનું સ્વપર-પ્રકાશક સામર્થ્ય જ એવું છે કે પોતે પોતાને જાણે છે અર્થાત જ્ઞાયક (જાણનાર પર્યાય ) જ્ઞાયકને (જાણનાર પર્યાયને ) જાણે છે. અહીં પર્યાયની વાત છે હોં. કેમ કે દ્રવ્યને તો તે જાણે જ છે. અહીં! ગજબ વાત છે. તે ૩૧ર
(“શ્રી જ્ઞાયકભાવ' પુસ્તકમાંથી પાન-૪૯) અહા! વસ્તુસ્વરૂપ ચિદાનંદ પ્રભુ આત્મા જ્ઞાયકપણે તો જણાયો, લક્ષમાં આવ્યો, દષ્ટિમાં આવ્યો. પરંતુ તેને જાણનારોસ્વપરપ્રકાશક-કહીએ છીએ, તો “તે પરને જાણનારો છે” એમ પણ તેમાં આવ્યું. એટલે કે સ્વને તો જાણ્યો. પણ હવે પરને જાણવાનું પણ તેમાં આવ્યું. તો કહે છે કે પરને જાણવું એ એમાં નથી આવ્યું. પરંતુ પરસંબંધીનું જ્ઞાન કે જે પોતાને પોતાથી થયું છે તેવા શાયકને જ્ઞાને જાણ્યો છે. માટે, પર્યાયે જ્ઞાનને જાણ્યું છે એ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ? બહુ આકરું કામ બાપુ! કેમ કે વીતરાગ સર્વજ્ઞનો મારગ જ એવો છે. || ૩૧૩ાા
(“શ્રી જ્ઞાયકભાવ' પુસ્તકમાંથી પાન-૪૯-૫૦) અહીં કહે છે કે “જ્ઞયાકાર અવસ્થામાં.' શેયને-રાગને જાણવાની અવસ્થામાં પણ “જ્ઞાયકપણે જે જણાયો છે–તે જ્ઞાયકની પર્યાયપણે જણાયો છે. પણ રાગની પર્યાય તરીકે તે જણાયો છે એમ છે નહીં. તો કહે છે કે “ૉયકૃત અશુદ્ધતા તેને નથી” એટલે? કે શરીરની ક્રિયા અને રાગ થાય તે વખતે તે રીતે જ્ઞાન પોતે પરિણમે અને તેને જાણે, છતાં તે શેયકૃત અશુદ્ધતા-પરાધીનતા જ્ઞાનના પરિણમનને નથી, હુવે કહે છે કે એ જ્ઞાનનું પરિણમન જે થયું છે
* શેયની પકડ કહો કે શેયાકારમાં અટક – એક જ વાત છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૭૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
તે ‘શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો' એટલે કે એમાં તે જાણનારો જણાયો છે. પણ જણાય એવી ચીજ જણાતી નથી. જે જણાય છે તે ચીજ જણાઈ નથી. પરંતુ તે જાણનારો ત્યાં જણાયો છે. આવી ગૂઢ અલૌકિક વાતુ છે ભાઈ !।। ૩૧૪।।
(‘શ્રી જ્ઞાયકભાવ ’ પુસ્તકમાંથી, પાનુ-૫૨ )
અહા! જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યા અને જેને જ્ઞાનનું-શાયકનું–જ્ઞાન થયું તેનું જ્ઞાન રાગને અને શરીરને પણ જાણે છે. પરંતુ એથી તેને શેયકૃત-પ્રમેયકૃત અશુદ્ધતા થઈ નથી. કેમ કે એ તો જ્ઞાયકની પર્યાયને જ જાણે છે. અહા! એ રાગને જાણવા કાળે રાગ આકારે જે જ્ઞાન થયું છે તે રાગને કારણે (રાગને આકારે) થયું છે એમ નથી. પરંતુ તે કાળે જ્ઞાન પર્યાયનો જ પોતાના જ્ઞાનાકારે થવાનો સ્વભાવ હોવાથી એ રીતે થયું છે. માટે, તે વખતે રાગ જણાયો નથી પણ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ?।। ૩૧૫।।
(‘શ્રી જ્ઞાયકભાવ ’ પુસ્તકમાંથી, પાનુ–૫૩)
અહીં કહે છે કે ભગવાન આત્માને જ્યારે તેણે સર્વજ્ઞપણે સ્થાપ્યો અને જ્યારે તેને સર્વજ્ઞ સ્વભાવનું ભાન થયું ત્યારે તેણે સ્વને–જાણનારને–તો જાણ્યો. પણ તે વખતે તેણે ૫૨ને જાણ્યું છે ? ભાઈ! તે વખતે પણ તેણે જાણનારની પર્યાયને જ જાણી છે, જાણનારની પર્યાય તરીકે જ તે જણાયો છે. પણ રાગની પર્યાય તરીકે જણાયો છે કે રાગની પર્યાય છે માટે તેને જાણે છે એમ નથી. ભગવાનની, પરમાત્માની વાણી અને મુનિઓની વાણીમાં તે બેમાં ફેર નથી. કેમ કે મુનિઓ આડતિયા થઈને સર્વજ્ઞની વાણી જ કહે છે.
* ઇન્દ્રિયજ્ઞાન વિભાવ છે તેથી તેનો નિષેધ કરાવ્યો છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૭૬ પણ ભાઈ ! તે વાત તેં સાંભળી નથી. ૩૧૬
(“શ્રી જ્ઞાયકભાવ' પુસ્તકમાંથી, પાન-૫૪) તે પોતાની પર્યાયનો જાણનારો છે. માટે, કેવળી લોકાલોકને જાણે છે એમ પણ નથી. પરંતુ કેવળી પોતાની પર્યાયને જાણે છે. તેથી પર્યાય તેમનું કાર્ય છે. અને કર્તા તેમનું જ્ઞાનસ્વરૂપ છે. અથવા પર્યાય છે, તે કારણે લોકાલોક છે માટે અહીં જ્ઞાન-કેવળજ્ઞાન-થયું છે એમ નથી.// ૩૧૭ના
(“શ્રી જ્ઞાયકભાવ” પુસ્તકમાંથી પાન-૫૮) અહીં કહે છે કે “અન્ય કાંઈ નથી, તેમ શાયકનું સમજવું એટલે?
કે જાણનારો ભગવાન આત્મા અને જાણતા, જે પર્યાયમાં સ્વને જાણ્યો તે જ પર્યાયમાં પરને પણ જાણ્યું. તો એ પરને જાણતી જે જાણવાની પર્યાય થઈ છે તે પોતાથી જ થઈ છે. એટલે કે ખરેખર તો તેણે પોતાની પર્યાયને જાણી છે. કારણ કે તે પર્યાયમાં કંઈ ય આવ્યા નથી. જેમ દીવો ઘટ, પટને પ્રકાશે છે એટલે કાંઈ દીવાના પ્રકાશમાં ઘટ, પટ આવી ગયા નથી, દીવાના પ્રકાશમાં તેઓ પેઠાં નથી. એમ ભગવાન આત્મા ચૈતન્યદીવો-ચંદ્ર-પ્રભુ છે. –આવું જેને રાગથી ભિન્ન થઈને અંતરમાં જ્ઞાન થયું છે અર્થાત્ આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એમ જ્યાં ભાન થયું ત્યાં અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞ સ્વભાવનું ભાન થયું. તો એ જે અલ્પજ્ઞ પર્યાય થઈ તે સર્વજ્ઞ સ્વભાવની છે એટલે કે તેને જાણનારી તે પર્યાય જ્ઞાયકની પર્યાય છે અને તે પર્યાય પરને જાણે છે તોપણ તે જ્ઞાયકની પર્યાય છે. પરંતુ તે પરની પર્યાય છે કે પરને લઈને થઈ છે એમ છે નહીં. અહા !
* જે વાતથી અનુભવ થાય તે વાત સાચી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૭ ઇન્દ્રિયજ્ઞાનજ્ઞાન નથી એકવાર મધ્યસ્થ થઈને સાંભળે તો ખબર પડે. પરંતુ આગ્રહ રાખીને પડયા હોય કે આનાથી આમ થાય ને આનાથી આમ થાય તો ખબર ન પડે. અજ્ઞાની આગ્રહ રાખીને પડ્યો છે કે વ્રત કરવાથી સંવર થાય અને તપસ્યા કરવાથી નિર્જરા થાય. પણ વ્રત કોને કહેવું અને નિશ્ચયવ્રત કોને કહેવું તેની ખબર ન મળે!ા ૩૧૮
(“શ્રી શાકભાવ' પુસ્તકમાંથી પાન-૬૧-૬૨) લ્યો, સૌ પોતપોતાના ભાવે પરિણમતા પદાર્થોને એકબીજાને કાંઈ કરી શકતા નથી. જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે એમ કહેવામાં આવે તે પાત્ર ઉપચારથી છે. નિશ્ચયથી તો જ્ઞાયક પણ પોતે, જ્ઞાન પણ પોતે ને શેય પણ પોતે જ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! પરને જાણવા કાળે પણ તે પોતાની જ્ઞાનની પર્યાયને જ જાણે છે. અહાહા...! જ્ઞાનની પર્યાયના સામર્થ્ય વડે જ સ્વ ને પર જણાય છે, પરશયોના કારણે જ્ઞાન થાય છે એમ કદીય નથી. લ્યો, કહે છે-નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે; અર્થાત્ જ્ઞાયક પોતાને જ-પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને જ જાણતો થકો જ્ઞાયક છે. આવી વાત!ા ૩૧૯
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૯, પાન-૩૪૧ છેલ્લો પેરેગ્રાફ )
આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે એમ પહેલા વ્યવહારથી કહ્યું, અને હવે શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ નિશ્ચય કહ્યો. આમ કેમ કહ્યું? કે વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે. તેમાં શબ્દશ્રુત જણાણું પણ આત્મા જણાયો નહિ, તેથી તેને વ્યવહાર કહ્યું અને સત્યાર્થ જ્ઞાનમાં-નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા પરિપૂર્ણ જણાણો; તેથી તેને નિશ્ચય કહ્યું. એને ભગવાન આત્માનો આશ્રય છે ને? અને ભગવાન આત્મા એમાં પૂરો જણાય છે ને? તેથી તે નિશ્ચય
* હું પરને જાણું છું ત્યાંથી સંસારની શરૂઆત છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૭૮ છે, યથાર્થ છે. અહો ! આચાર્યદવે અમૃત રેડ્યાં છે. ભાઈ ! આમાં તો શાસ્ત્ર-ભણતરના અભિમાન ઉતરી જાય એવી વાત છે. શાસ્ત્ર ભણતર-શબ્દશુતજ્ઞાન તો વિકલ્પ છે બાપુ! એ તો ખરેખર બંધનું કારણ છે, ભાઈ ! ૩૨૦
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૮, પાનુ-૨૭૧, વચલો પેરાગ્રાફ)
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને ખંડજ્ઞાન અને અખંડજ્ઞાન બન્ને એક સાથે હોય?
ઉત્તર- સમ્યગ્દષ્ટિને અખંડની દષ્ટિ છે તેમ ખંડખંડ જ્ઞાન શેયરૂપ છે, એક જ્ઞાનપર્યાયમાં બે ભાગ છે, જેટલું સ્વલક્ષી જ્ઞાન છે તે સુખરૂપ છે. જેટલું પરલક્ષી પરસત્તાવલંબી જ્ઞાન છે તે દુઃખરૂપ છે. પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન છે, પરય છે, પરદ્રવ્ય છે. આહાહા ! દેવ-ગુરુ તો પરદ્રવ્ય છે પણ ઇન્દ્રિયજ્ઞાન પણ પરદ્રવ્ય છે. આત્માનું જ્ઞાન તે જ વાસ્તવિક જ્ઞાન છે. ૩ર૧//
(શ્રી પરમાગમસાર, પાન-૧૩૪, બોલ નં-૪૮૧) પ્રશ્ન- શેયને જાણવાથી રાગ-દ્વેષ થાય કે ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ કરવાથી રાગ-દ્વેષ થાય?
ઉત્તર- પરશેયને જાણવા ગયો (પરની સન્મુખ થવું) તે જ રાગ છે. ખરેખર પરયને જાણવા જવું પડતું નથી. IT ૩રરા
(શ્રી પરમાગમસાર, પાનુ-૧૩૫, બોલ નં-૪૮૪) પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ ખરેખર તો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. આ વાત આચાર્યદવે ગાથા-૧૭-૧૮ માં કરી છે.
* ઇન્દ્રિયજ્ઞાનમાં ભેદજ્ઞાન કરવાની તાકાત નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
જ્ઞાનની પર્યાયનો સ્વપ૨પ્રકાશપણાનો સ્વભાવ છે. તેથી વર્તમાન જ્ઞાન-પર્યાયમાં જે આ વસ્તુ ત્રિકાળ પ૨મ પારિણામિકભાવે સ્થિત છે તે જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમાં જણાય છે, પણ એની નજર એના ઉપર નથી. દૃષ્ટિનો ફેર છે બાપા! ધ્રુવની દૃષ્ટિ કરવાને બદલે તે પોતાની નજ૨ પર્યાય ઉપર, રાગ ઉપર, નિમિત્ત ઉપર ને બહારના પદાર્થ ઉપર રાખે છે અને તેથી તેને અંદરનું ચૈતન્યનિધાન જોવા મળતું નથી. ।। ૩૨૩।।
(અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ–૯૭, બીજો પેરાગ્રાફ)
તો પણ શૈયપદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. શેયકૃત અશુદ્ધતા તેને નથી. ૫૨ના કારણે જ્ઞાન શેયાકારરૂપ થાય છે એમ નથી. પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો જ્ઞાન આકાર પોતાથી થયો છે. ૩૨૪।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧ પાનુ-૯૭, ગાથા-૬ ટીકા ઉપરનું પ્રવચન.) જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે શેય છે, તેનું જ્ઞાન થયું, તે પોતાના કારણે થયું છે. જે શૈયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ, કર્તાકર્મનું અનન્યપણું, હોવાથી, જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જ જાણ્યો માટે પોતે જ કર્મ. શેયને જાણ્યું જ નથી પણ શેયાકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે અહાહા...! વસ્તુ તો સત્ સહજ અને સરળ છે, પણ એનો અભ્યાસ નહિ એટલે કઠણ પડે, શું થાય ?.।। ૩૨૫।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, ગાથા-૬ ટીકા ઉપરનું પ્રવચન, પાનુ–૯૮, પેરા-બીજો ) * ‘ જાણવાના લોભમાં સઘળો આ સંસાર છે’*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૮૦ જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે જોયાકારે પરિણમે છે એમ છે જ નહિ. આ જ્ઞાયકરૂપી દીવો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ પરિણામ જે જોય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે, અન્ય જ્ઞયરૂપ થતો નથી. જ્ઞયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, યની નથી. જ્ઞાનની પર્યાય શેયના જાણનપણે થઈ માટે તેને
યકૃત અશુદ્ધતા નથી. સાક્ષાત્ તીર્થકર ભગવાન સામે હોય અને તે જાણવાના આકારે જ્ઞાનનું પરિણમન થાય તો તે જ્ઞયના કારણે થયું એમ નથી. તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી પણ ખરેખર તત્ સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે. આત્મા જાણનાર છે તે જાણે છે, તે પરને જાણે છે કે નહિ? તો કહે છે કે પરને જાણવાના કાળે પણ સ્વનુ પરિણમન-જ્ઞાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણે નહીં. આ શાસ્ત્રના શબ્દો જે જ્ઞય છે એ શેયના આકારે જ્ઞાન થાય છે પણ તે જ્ઞય છે માટે જ્ઞાનનું અહીં પરિણમન થયું છે એમ ત્રણકાળમાં નથી. તે વખતે જ્ઞાનના પરિણમનની લાયકાતથી અર્થાત્ ?યનું જ્ઞાન થવાની પોતાની લાયકાતથી જ્ઞાન થયું છે.
જ્ઞાન શેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે. જ્ઞય છે માટે પરિણમે છે એમ નથી. ૩ર૬IT (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પાન-૯૮, ગાથા-૬ ટીકા ઉપરનું
પ્રવચન) જેમ અરીસો હોય તેમાં સામે જેવી ચીજ કોલસા, શ્રીફળ વગેરે હોય તેવી ચીજ ત્યાં જણાય એ રૂપે અરીસો પરિણમ્યો છે, એ અરીસાની અવસ્થા છે. અંદર દેખાય એ કોલસા કે શ્રીફળ નથી. એ
* જ્ઞાની એમ માને છે કે - હું મનથી છ દ્રવ્યને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી તો અરીસાની અવસ્થા દેખાય છે તેમ જ્ઞાનની પર્યાયમાં શરીરાદિ mયો જણાય ત્યાં જ્ઞાનની પર્યાય એ પોતાની છે, એ શરીરાદિ પર લઈને થઈ છે એમ નથી; કેમકે જેવું શેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. જાણનારો જાણનારપણે જ રહ્યો છે, શયપણે થયો જ નથી. ગેય પદાર્થનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાનું પોતાથી જ છે, શયથી નથી. ૩ર૭ા
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧ પાન-૧૦૨, પેરા-૩) “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી'. શેયપદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું છું, જ્ઞય તે હું નથી એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો. ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે શયને પણ ભેગુ જાણું. એ શેયને નહિ, પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયાનો કર્તા પણ પોતે અને જાણનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ “શુદ્ધ” જણાયો પર્યાયમાં એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. જણાયા વિના શુદ્ધ કોને કહેવું? ૩૨૮
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, ગાથા-૬, પાન-૧૦૨, પેરા-૪) - રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ ખરેખર તો સામાન્યનું વિશેષ છે, છતાં અજ્ઞાની માને છે કે એ રાગનું વિશેષ છે. એ દષ્ટિનો ફેર છે. સમયસાર ગાથા-૧૭-૧૮માં આવે છે કે-આબાળ-ગોપાળ સર્વને રાગ, શરીર, વાણી જે કાળે દેખાય છે તે કાળે ખરેખર જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે, પણ એવું ન માનતાં મને આ જાણવામાં આવ્યું, રાગ જાણવામાં આવ્યો એ માન્યતા વિપરીત છે. એવી રીતે
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, શેય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૮૨ જ્ઞાનપર્યાય છે તો સામાન્યનું વિશેષ, પણ શેય દ્વારા જ્ઞાન થતાં ( જ્ઞયાકાર જ્ઞાન થતાં) અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આ શેયનું વિશેષ છે, યનું જ્ઞાન છે. ખરેખર જે જ્ઞાનપર્યાય છે તે સામાન્ય જ્ઞાનનું જ જ્ઞાન-વિશેષ છે, પરજ્ઞયનું જ્ઞાન નથી, પરશેયથી પણ નથી.. ૩૨૯ ( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, ગાથા-૧૫, પાનુ-ર૬પ, પેરા-૩).
“જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં” જુઓ શું કહે છે? આબાળ-ગોપાલ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં તો સદાકાળ (નિરંતર) અનુભૂતિસ્વરૂપજ્ઞાયકસ્વરૂપ નિજ આત્મા જ આવે છે (અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળીનું વિશેષણ છે. જ્ઞાયકભાવને અહીં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે.) આબાળ-ગોપાળ સૌને જાણનક્રિયા દ્વારા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. (અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાનો જ્ઞાનમય આત્મા જે ઉર્ધ્વપણે જણાઈ રહ્યો છે. જાણપણુ નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડ જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જણાતો હોવા છતાં તેનો તિરોભાવ કરે છે અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગાદિ પરયોનો આવિર્ભાવ કરે છે.). ૩૩)ના (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, પાન-૩૩, ગાથા-૧૭-૧૮, પેરા-૨)
અહાહા, આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે. (અજ્ઞાનીઓ કહે છે આત્મા કયાં જણાય છે ?
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૩ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી અને અહીં જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક આત્માઓને પોતાનો આત્મા જ જણાય છે. પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી.) પુણ્ય, પાપ આદિ જે વિકલ્પ છે તે અચેતન અને પર છે તેથી ઉર્ધ્વપણે જ્ઞાનની પર્યાયમાં તે જણાતા નથી પરંતુ જાણનાર જ જણાય છે. ૩૩૧ાા (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, પાનુ-૩૩, ગાથા-૧૭-૧૮, પેરા-૩)
આમ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વિશે એટલે અનાદિ બંધના કારણે એમ નહીં પરંતુ અનાદિ બંધને (પોતે) વશ થાય છે તેથી આ જાણનાર-જાણનાર-જાણનાર તે હું છું એમ ન માનતાં રાગ હું છું એમ માને છે. અનાદિ બંધના વશે-એટલે કર્મને લઈને એમ નહિ.
આ એક સિદ્ધાંત છે કે કર્મ છે માટે વિકાર થાય છે એમ નથી. આત્મા અનાદિ બંધ છે તેને વશ થાય છે માટે વિકાર થાય છે એટલે કે સૌને જાણન... જાણન. જાણન ભાવ જે જાણવામાં આવે છે, શરીરને, રાગને જાણતાં પણ જાણનાર જ જણાય છે પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા હું છું, આ જાણનાર તે હું છું, એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડયો છે. આત્માને વશ થવું જોઈએ તેને બદલે કર્મને વશ થયો છે. ૩૩ર IT (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭–૧૮, પાન-૩૩, પેરા-૪)
એમ પરપદાર્થ રાગાદિ તેને પોતાના માને છે, પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી છે એનું ભાન નહીં હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો નથી. ૩૩યા! (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૭-૧૮ પાન-૩૪, પેરા-૧)
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૮૪ ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ધ્રુવ વસ્તુ છે એ તો જાણન સ્વભાવે પરમપરિણામિક ભાવે સ્વભાવભાવરૂપે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી; પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાનપર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતાં, કર્મને રાગને વશ પડયો થકો બહારમાં જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. આહા! આચાર્ય સાદી ભાષામાં મૂળ વાત મૂકી દીધી છે. ત્રિલોકીનાથ તીર્થકર અને ગણધરોની વાણીની ગંભીરતાની શી વાત. પંચમ આરાના અંતે આટલામાં તો સમ્યગ્દર્શન પામવાની કળા અને મિથ્યાદર્શન કેમ પ્રગટ થાય છે, તેની વાત કરી છે.// ૩૩૪ / (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાન-૩૪, પેરા-૩)
અહીં કહે છે કે આ જાણનાર. જાણનાર... જાણનાર-આ જે જાણનક્રિયા દ્વારા જણાય છે તે હું એમ અંતરમાં ન જતાં જાણવામાં આવે છે જે રાગ તેને વશ થઈ રાગ તે હું એમ અજ્ઞાનીએ માન્યું તેથી આ અનુભૂતિમાં જણાય છે તે જ્ઞાયક હું એવું આત્મજ્ઞાન ઉદય પામતું નથી. ૩૩પ ! (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૭–૧૮, પાનુ-૩૫, પેરા-૩).
હું જ્ઞાયક છું. આ જાણનાર છે તે જ જણાય છે. જણાય છે તે જ્ઞાયક વસ્તુ છે એમ જ્ઞાન ન થતાં જાણવાની પર્યાયમાં જે અચેતન રાગ જણાય છે તે હું એમ માને છે. દયા, દાન, ભક્તિના વિકલ્પ છે એ જડ છે એ જ્ઞાનમાં અને ભાસતાં એ હું છું એમ માનનારને
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી એનાથી રહિત હું આત્મા છું એવું જ્ઞાન પ્રગટ થતું નથી. અને એ આત્મજ્ઞાનના અભાવમાં નહિ જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન હોય છે. જેમ માનો કે “ગધેડાના શિંગડા” પણ ગધેડાને
જ્યાં શિંગડા હોય જ નહીં ત્યાં શી રીતે મનાય? એમ ભગવાન આત્મા જાણવાની પર્યાયમાં જણાય તે હું છું એમ ન માનતા રાગ હું એમ માને છે અને આત્માનું જ્ઞાન નથી. અને એ આત્માનું જ્ઞાન નહીં હોવાથી તેની શ્રદ્ધા પણ “ગધેડાના શિંગડા જેવી છે. / ૩૩૬ IT ( શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાન-૩૬, પેરા-૨)
જે આ દષ્ટિ-જ્ઞાનની પર્યાય એમાં રાગ નહિ હોવા છતાં એમાં રાગ છે એવું જેણે જાણ્યું અને માન્યું તથા જે પર્યાય શાયકની છે એમાં જે જ્ઞાયક જણાય તે હું છું એમ જાણવાને બદલે જાણવાની પર્યાયમાં જે રાગ જણાય છે તે હું છું એમ માનનારા આત્મજ્ઞાન વિનાના મિથ્યાદષ્ટિ છે. આ ૩૩૭ના (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭–૧૮, પાનુ-૩૬, પેરા-૨)
અહીં કહે છે કે જાણવાની પર્યાયમાં જે જાણનાર જણાય છે તે હું એમ અંતરમાં જવાને બદલે બહારમાં જે પરશેયરૂપ રાગ જણાય છે તે હું એમ વશ થયો તે અજ્ઞાની મૂઢ જીવને આત્મજ્ઞાન થતું નથી. તેથી આત્મા ને જાણ્યા વગર શ્રદ્ધાન શી રીતે થાય? જે વસ્તુ જ ખ્યાલમાં આવી નથી એને (આ આત્મા એમ) માનવામાં શી રીતે આવે? ભાઈ ! આ તો સંસારનો છેદ કેમ થાય એની વાત છે. અહો ! આ સમયસાર અદ્વિતીય ચક્ષુ છે, અજોડ આંખ છે. ભરતક્ષેત્રની કેવળજ્ઞાનની આંખ છે. ભાગ્ય જગતનું કે આ સમયસાર રહી ગયું. ૩૩૮ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, પાનુ-૩૬, પેરા-૫, ગાથા-૧૭-૧૮)
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૮૬ આ જાણનારો જણાય છે એવા આત્મજ્ઞાનના અભાવને લીધે આ જાણનારો જ્ઞાયક તે જ હું એવું શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. એને સમકિત થતું નથી. રાગમાં એકત્વબુદ્ધિને લીધે નહીં જાણેલા ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માનું એને શ્રદ્ધાન-સમકિત થતું નથી. ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવામાં એને અસમર્થપણું છે. રાગથી ભિન્ન એવું આત્મજ્ઞાન અને શ્રદ્ધાન ન થયું તેથી જેમાં કરવું છે એ જણાયો નહિ. તેથી રાગથી ભિન્ન પડીને આત્મામાં ઠરવાનું અસમર્થપણું હોવાથી એ રાગમાં ઠરશે. મિથ્યાદષ્ટિ ગમે તેટલા શુભભાવરૂપ ક્રિયાકાંડ કરે, મુનિપણું ધારે અને વ્રતનિયમ પાળે તોપણ એ રાગમાં ઠરશે આત્મજ્ઞાન-શ્રદ્ધાન વિના એ બધી રાગની રમતોમાં રમે છે. // ૩૩૯ાા (શ્રી પ્રવચનરત્નાકર, ભાગ-૨ પાનુ-૩૭, પેરા-૨, ગાથા-૧૭–૧૮)
જેમ રૂપી દર્પણની સ્વપરના આકારનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જવાળા અગ્નિની છે.. શું કહે છે? જ્યારે દર્પણની સામે અગ્નિ હોય ત્યારે દર્પણમાં જે પ્રતિબિંબ ( અગ્નિ જેવો આકાર) દેખાય છે. તે દર્પણની સ્વચ્છતાની પર્યાય છે, પણ અગ્નિની પર્યાય નથી. જે બહારમાં જવાળા અને ઉષ્ણતા છે તે અગ્નિનાં છે પરંતુ દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તો દર્પણની સ્વ-પરના આકારનો સ્વરૂપનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે. અને કર્મ તથા નોકર્મ પુદ્ગલના છે” શું કહે છે? રાગ, દયા, દાન, પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ એના આકારે એટલે
યાકારે જ્ઞાન થયું એ તો જ્ઞાનની પર્યાય છે, પણ રાગની નથી. જેમ અગ્નિની
* હું પરને જાણું છું- તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પર્યાય અગ્નિમાં રહી, પણ તેનો આકાર (પ્રતિબિંબ) જે અરીસામાં દેખાય છે તે અગ્નિની પર્યાય નથી પણ એ તો અરિસાની સ્વચ્છતાની આકૃતિની પર્યાય છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞયાકાર સ્વનું જ્ઞાન કરે છે અને દયા, દાન, વ્રત આદિ વિકલ્પનું જ્ઞાન કરે છે. એ પરનું જ્ઞાન થાય છે એ પોતાની પર્યાયમાં થાય છે. એ પરનું જ્ઞાન પરમાં તો થતું નથી. પણ પરને લીધે પણ થતું નથી. પોતાના જ્ઞાનની સ્વચ્છત્વશક્તિને લીધે થાય છે. તે ૩૪૦ના (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૯, પાન-૫૪, પેરા-૨)
સ્વનું જ્ઞાન થવું અને પર-રાગનું જ્ઞાન થવું એ તો પોતાની જ્ઞાન પરિણતિનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ નથી. પરંતુ તે સમયે પોતાની જ્ઞાનની પર્યાય સ્વયં રાગના જ્ઞયાકારરૂપે પરિણમતી થકી જ્ઞાનાકારરૂપ થઈ છે. તે પોતાથી થઈ છે, પોતામાં થઈ છે, પરથી ( જ્ઞયથી) નહિ. અરૂપી આત્માની તો પોતાને અને પરને જાણવાવાળી જ્ઞાતૃતા છે. એ જ્ઞાતૃતા પોતાની છે, પોતાથી સહજ છે, રાગથી નહિ અને રાગની પણ નહિ. એ રાગ છે તો તે જ્ઞાતતા (જાણપણું) છે એમ નથી. વસ્તુનું સહજ સ્વરૂપ જ આવે છે. અહો! આચાર્ય દેવે મીઠી, મધુરી ભાષામાં વસ્તુ ભિન્ન પાડીને બતાવી છે. IT ૩૪૧TI ( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૯, પાન-૫૪ પેરા-૩)
પોતાની જ્ઞાનની પર્યાય પોતાને જાણે છે અને રાગને જાણે છે. રાગ છે તો જાણે છે એમ નથી, પણ તે કાળે પોતાની જ્ઞાનપર્યાય જ એવી -પરપ્રકાશક પ્રગટ થાય છે. તે ૩૪૨TI.
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૯, પાનુ-પ૫, પેરા-૧)
* ઇન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૮૮
સ્વ-૫૨નો પ્રતિભાસ થવો એ પોતાનું સહજ સામર્થ્ય છે. પર છે તો પ૨નો પ્રકાશ થાય છે એમ નથી. આત્માની તો સ્વ-૫૨ને જાણનારી જ્ઞાતૃતા છે.।। ૩૪૩।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૯, પાનુ-૫૫, પેરા-૨ )
ચૈતન્યબિંબ પડયું છે ને અંદર! તેમાં સામી જે ચીજ છે એ પ્રકારના (જ્ઞેયના ) જ્ઞાનરૂપે પરિણમવું, એને જાણવું એ તો પર્યાયનો તે ક્ષણનો ધર્મ છે. ખરેખર તો એ જ્ઞેયસંબંધી પોતાની જે જ્ઞાનની પરિણતિ એને એ જાણે છે. આ બધા (અજ્ઞાની) કહે છે કે દેવગુરુની ભક્તિ કરો, તેથી એમાંથી માર્ગ મળી જશે. અહીં કહે છે કે ભક્તિ એ રાગ છે. એ રાગ જે થાય તે જ સમયનું જ્ઞાન સ્વ અને પરને જાણતું પરિણમે એવી પર્યાયની તાકાતથી એ રાગને જાણી રહ્યું છે. રાગને જાણી રહ્યું છે એ પણ વ્યવહારથી છે. નિશ્ચયથી તો રાગ સંબંધી જ્ઞાન અને પોતા સંબંધી જ્ઞાનને જાણી રહ્યું છે. મૂળ વાત-પ્રથમ દશા સમજાય નહિ અને પછી ચારિત્ર અને વ્રત કયાંથી આવે ? મૂળ એકડા વિનાના મીંડા શા કામના ?. ।। ૩૪૪।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૯, પાનુ-પ૬, પેરા-૩)
જ્ઞાનનો નિશ્ચયથી સ્વપ્રકાશક સ્વભાવ હોવાથી, જ્ઞાયક એમાં જણાઈ જ રહ્યો છે, પરંતુ અજ્ઞાનીની દૃષ્ટિ જ્ઞાયક ઉપર નથી. પર્યાયબુદ્ધિ વડે પુણ્ય-પાપનું કરવું અને શાતા-અશાતાપણે સુખદુઃખનું ભોગવવુંએ જ જીવ છે એમ અજ્ઞાની માને છે.।। ૩૪૫।। (શ્રી પ્રચવન રત્નાકર, ભાગ-૩, ગાથા-૩૯-૪૩, પાનુ-૧૩, પેરા-૧) ખરેખર તો સર્વજ્ઞપણું એ આત્મજ્ઞપણું છે. કેવળજ્ઞાનની પર્યાયનો
* ઇન્દ્રિયજ્ઞાન દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૯ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી સ્વભાવ જ એટલો અને એવડો છે કે તે સ્વ અને પરને સંપૂર્ણ પ્રકાશે. લોકાલોક છે તો પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયનો એ સહજ જ સ્વભાવ છે કે એ સમસ્ત વિશ્વને જાણે.
સ્વપરપ્રકાશપણાનું સામર્થ્ય પોતાથી જ પ્રગટયું છે. અરિહંત દેવ વિશ્વને સાક્ષાત્ દેખે છે એટલે કે પોતાની પર્યાયમાં પૂર્ણતાને દેખે છે. જેમ રાત્રિના સમયે કોઈ સરોવરના પાણીમાં તારા, ચંદ્ર વગેરે દેખાય છે તે ખરેખર તો પાણીની જ અવસ્થા દેખાય છે. એમ જ્ઞાન ખરેખર તો જ્ઞાનને જ સંપૂર્ણ જાણી રહ્યુ છે. || ૩૪૬ (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૩, ગાથા-૪૪, પાન-૨૦, પેરા-૩)
કેવળજ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસભૂતવ્યવહારનયનો વિષય છે. ખરેખર તો પોતાની પર્યાયને જ જાણે છે શ્રી સમયસાર કળશટીકામાં કળશ ર૭૧માં આવે છે કે-“હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારા શેય એમ તો નથી. તો કેમ છે?” કે જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે અને શેય પોતે જ છે. અહીં કહે છે કે શબ્દનું જ્ઞાન શબ્દને લઈને થતું નથી. શબ્દની પર્યાયનું જ્ઞાન આત્મામાં પોતાને કારણે થાય છે. વળી જે શબ્દ પર્યાય છે તે આત્માથી થાય છે એમ નથી કેમકે આત્મા પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે. આમ શબ્દ પર્યાય છે તે જ્ઞાયક સ્વભાવી આત્મામાં વિધમાન નથી માટે આત્મા અશબ્દ છે. અહો ! શું ગજબ ભેદજ્ઞાનની વાત છે !!! ૩૪૭ના (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૩, ગાથા-૪૯, પાન-૬૫, પેરા-૪).
શબ્દનું જ્ઞાન એતો નિમિત્તથી કહ્યું છે. ખરેખર તો એ જ્ઞાનનું જ્ઞાન છે; પણ એ જ્ઞાન શબ્દ સંબંધીનું છે એટલું બતાવવા શબ્દનું
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૧૯૦ જ્ઞાન” એમ કહ્યું છે. શબ્દ તે જ્ઞય છે અને શુદ્ધ આત્મા જ્ઞાયક છે. I૩૪૮ / (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૩, ગાથા-૪૯, પાનુ-૬૬, પેરા-૫)
આ બાયડી, છોકરા કુટુંબ-પરિવાર, ધંધા, વેપાર ઇત્યાદિ જ્ઞાનમાં જણાય છે ને! તે, કહે છે, જ્ઞાનસ્વરૂપમાં નથી. વાસ્તવમાં તો તે તે પદાર્થો નહિ, પણ તે વખતે તેની જ્ઞાનની પર્યાય જણાય છે, પણ એ માને છે કે મને આ (પર) પદાર્થો જણાય છે. તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ માને તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય ઉપર ઢળી જાય.|| ૩૪૯ો ( શ્રી પ્રવચનરત્નાકર ભાગ-૧૦, પરિશિષ્ટ પાનુ-૩૫૭, શ્લોકાર્થ
૨૪૭) અહીં અમૃતચંદ્રાચાર્ય મહારાજ દાખલો આપીને કહે છે કેપ્રથમ તો આત્માને જાણવો. જાણવો એટલે સ્વસંવેદનશાનથી એને જાણવો. શાસ્ત્રથી જાણવો, ધારણાથી જાણવો કે ગુરુએ જણાવ્યો તેથી જાણવો એમ નહીં. પણ શુદ્ધ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને પર્યાયમાં જ્ઞય બનાવતાં પર્યાયમાં જે જ્ઞાન થાય એ સ્વસંવેદન જ્ઞાનથી આત્માને જાણવો. ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. જ્ઞાતાદ્રવ્યનું પર્યાયમાં જ્ઞાન થાય ત્યાં દ્રવ્ય પર્યાયમાં આવે નહિ, પણ પર્યાયમાં જ્ઞાતાદ્રવ્યનું પૂરું જ્ઞાન થાય. આત્માને જાણવો એનો અર્થ એમ છે કે એક સમયની જ્ઞાનપર્યાયમાં આ શેય પૂર્ણ અખંડ ધ્રુવ શુદ્ધ પ્રભુ જેવો છે તેવો પરિપૂર્ણ જણાય ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. આવી વાત છે, ભાઈ ! દુનિયા અનેક પ્રકારે વિચિત્ર છે. તેની સાથે મેળ કરવા જઈશ તો મેળ
* ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૧ ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી નહીં ખાય.II ૩૫Oા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાનુ-૨૭, પેરા
ભગવાનની દિવ્યધ્વનિની સંતોએ ટીકા કરી છે. અહીં ટીકામાં પ્રથમ એટલે સૌ પહેલા આત્મા જાણવો એમ લીધું છે. નવતત્ત્વને જાણવા કે રાગને જાણવો એ અહીં ન લીધું. એકને જાણે તે સર્વને જાણે છે. જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા શેયપણે જણાય અને સૌ પ્રથમ આ જ કરવાનું છે. ૩પ૧ના ( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭–૧૮, પાનુ-૨૮, પેરા
પહેલો) હવે આત્મા અને રાગ વચ્ચે સાંધ છે, એ વાત સમજાવે છે. (મોક્ષ અધિકાર, ગાથા-ર૯૪માં સંધિની વાત છે.) એ બંધના વિશે પર સાથે એકપણાના નિશ્ચયથી–“ જાણનાર-જાણનાર જણાય છે” એમ ન જાણતાં જાણનારની પર્યાય વર્તમાન કર્મસંબંધને વશ થઈ (સ્વતંત્રપણે વશ થઈ ) પર સાથે-રાગ અને પુણ્યના વિકલ્પો સાથે એકપણાનો અધ્યાસ-નિર્ણય કરે છે. હું રાગ જ છે એમ માને છે છતાં એકપણે થતો નથી. રાગ અને આત્મા વચ્ચે સંધિ છે. (સાંધ છે.) રાગનો વિકલ્પ અને જ્ઞાનપર્યાય એ બે વચ્ચે સંધિ છે. જેમ મોટા પથ્થરની ખાણ હોય તેમાં પથ્થરમાં પીળી, લાલ, ધોળી રંગ હોય છે. એ બે વચ્ચે સંધિ છે. એ પથ્થરોને જુદા પાડવા હોય તો એ સંધિમાં સુરંગ નાખે એટલે પથરા ઉડીને જુદા પડી જાય છે. તેમ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા અને રાગ બે વચ્ચે સંધિ છે. આહાહા !
ત્યાં તો એમ કહ્યું કે નિ:સંધિ થયા નથી–એટલે બે એક થયા નથી. (બે વચ્ચે સંધિ હોવા છતાં બે એક થયા નથી) પણ (બન્નેના)
* ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૯૨
એકપણાના નિશ્ચયથી મૂઢ અજ્ઞાની તેને જે રાગનો વિકલ્પ ઉઠે છે એને વશ થઈને તે હું છું, એમ ૫૨૫દાર્થ જે રાગાદિ તેને પોતાના માને છે, પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી છે એનું ભાન નહીં હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો નથી.।। ૩૫૨।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાનુ-૩૪, પેરા-પહેલો )
પ્રવચનસાર ગાથા-૨૦૦માં આવે છે કે જ્ઞાયકભાવ કાયમ જ્ઞાયકપણે જ રહ્યો છે. છતાં અજ્ઞાની બીજી રીતે હું આ રાગ છું, પુણ્ય છું એવો અન્યથા અધ્યવસાય કરે છે. ભાઈ! સૂક્ષ્મ વાત છે. જિનેન્દ્ર માર્ગ જુદો છે. લોકો બહારમાં એકલા ક્રિયાકાંડ-આ કરવું અને તે કરવું–એમાં ખૂંચી ગયા છે. એટલે કાંઈ હાથ આવતું નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્ય ટીકાકાર કહે છે કે પ્રભુ! તું તો જાણનાર સ્વરૂપ સદાય રહ્યો છે ને? જાણનાર જ જણાય છે ને? આહાહા ! જાણનાર જ્ઞાયક છે તે જણાય છે એમ ન માનતાં બંધના વશે જે જ્ઞાનમાં ૫૨ રાગાદિ જણાય તેના એકપણાનો નિર્ણય કરતો મૂઢ જે અજ્ઞાની તેને ‘આ અનુભૂતિ છે તે જ હું છું' એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. ઝીણી વાત, ભાઈ! આ ટીકા સાધારણ નથી. ઘણો મર્મ ભર્યો છે.।। ૩૫૩।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૭–૧૮, પાનુ-૩૪, પેરા-૨ )
અરે ભાઈ ! તું દુઃખી પ્રાણી અનાદિનો છે. રાગને બંધને વશ થયો તેથી દુ:ખી છે. એ નિરાકુળ ભગવાન આનંદનો નાથ છે. એને પર્યાયમાં જ્ઞાનમાં જાણનારો તે પોતે છે, એમ ન જાણતા જ્ઞાનની
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પર્યાયમાં પરને વશ થયો થકો રાગ તે હું એવી મૂઢતા ઉત્પન્ન કરે છે. થોડા શબ્દોમાં મિથ્યાત્વ કેમ છે અને સમ્યકત્વ કેમ થાય એની વાત કરી છે. ૩૫૪ (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાન-૩૫, પેરા-૧)
તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિકચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણ તિર્યચપણું, મનુષ્યપણુ, દેવપણુ અને સિદ્ધપણુ-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે. આ ૩૫૫ ના (શ્રી અધ્યાત્મપ્રવચન રત્નત્રય, પ્રવચનસાર ગાથા-૧૧૪,
પાનુ-૧૨૯, છેલ્લો પેરા) અહીં કહે છે..“ખરેખર સર્વવસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે-(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક' પાઠમાં (ગાથામાં) તો આટલું જ લીધું છે કે સામાન્યવિશેષને અનુક્રમે જોવા. પણ અહીં ટીકામાં સાથે જોવાની વાત પણ લેશે. ૩પ૬ IT
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૩૪, પેરા-૪) તો કહે છે...“તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.” લ્યો, અહીંથી ઉપાડયું છે. દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરીને એમ ઉપાડ્યું નથી. કહે છે દ્રવ્યને જોવા માટે પર્યાયાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. ગજબ વાત ભાઈ ! પર્યાય છે ખરી પણ તેને જોવા તરફની
* ઈન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૯૪ દષ્ટિ બંધ કરી દે એમ વાત ઉપાડી છે. પહેલાં એ તો કહ્યું કેસામાન્યવિશેષાત્મક વસ્તુ છે, વિશેષ નથી એમ કયાં વાત છે? પણ હવે વિશેષને જોવાની આંખને બંધ કરીને આહાહા....! છે? (પાઠમાં?)
તે પાછું કથંચિત બંધ કરીને એમ નહીં, પણ “પર્યાયાર્થિક ચક્ષને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે...' . ૩પ૭ના
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૪, પેરા-૫) અહાહા !... ભાષા તો જુઓ! અવસ્થાને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દઈને દ્રવ્યસામાન્યને જોનારી-જાણનારી દ્રવ્યાર્થિક, આંખ વડે જો; તેથી તને અવસ્થામાં સામાન્ય-સામાન્ય દ્રવ્ય ભગવાન આત્મા જણાશે. આહાહા..! અવસ્થાને જોનારી આંખ બંધ કરી દઈને સામાન્યને જોતા જોનારી વિશેષ પર્યાય તો રહેશે, પણ પર્યાયનો જોવાનો વિષય વિશેષ નહીં પણ સામાન્ય રહેશે. સમજાણું કાંઈ...!.૩૫૮
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૩પ, પેરા-૧) જુઓ, અહીં એમ ન કહ્યું કે પરદ્રવ્યને-સ્ત્રી-પુત્ર-મિત્રધનાદિને જોવાનું બંધ કરી દે, કેમ કે જે સ્વરૂપમાં નથી તેની વાત શું કામ કરીએ. અહીં તો કહે છે–પ્રભુ! તારા સ્વરૂપમાં બે-સામાન્ય અને વિશેષ છે. તો હવે એ બે છે એમાંથી વિશેષને જોવાની આંખ સર્વથા બંધ કરી દઇને ઉઘાડેલા દ્રવ્યાર્થિકચક્ષુ વડ જો. જુઓ! વિશેષને જોવાની આંખને કથંચિત્ ઉઘાડીને અને કથંચિત્ બંધ કરીને અથવા તેને ગૌણ કરીને-એમે ય વાત નથી લીધી. અહો ! આ
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૫ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી તો તત્કાલ સમ્યગ્દર્શન–વસ્તુ દશર્ન થવાની વાત છે. પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને જનારું જ્ઞાન ઉઘડ્યું એમ કહે છે. દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જોનારું તે જ્ઞાન છે તો પર્યાય, પણ તે ઉઘડેલું જ્ઞાન છે અહો ! શું ગંભીર ટીકા છે! ભરતક્ષેત્રમાં આવી વાત બીજે કયાં છે? અહો! આ તો ત્રણલોકના નાથની દિવ્યધ્વનિનું અમૃત સંતોએ રેલાવ્યું છે.૩૫૯T
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૫, પેરા-છેલ્લો ) જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય અને વિશેષને જુએ છે. પણ પરને નહીં. આહાહા...! ખૂબ ગંભીર વાત છે! પોતાની વિશેષ પર્યાયમાં જે પર જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે; એટલે સામાન્ય અને વિશેષને જોનારા એમ બે ચક્ષુ કહ્યાં છે. પણ પરની વાત લીધી નથી.// ૩૬૦
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-૧) એમાં “અનુકમે કહ્યું ને? મતલબ કે પ્રથમ સામાન્યને જાણે છે, પછી વિશેષને જાણે છે; કારણ કે સામાન્યનું યથાર્થ જ્ઞાન થાય તો વિશેષનું જ્ઞાન યથાર્થ થાય. અહીં પરને જાણવાની વાત નથી લીધી કેમકે આત્મા જે પરને જાણે છે એ ખરેખર તો પોતાની પર્યાયમાં પર્યાયને જાણે છે. લ્યો, આવી સૂક્ષ્મ વાત! પરને જાણે છે એમ કહેવું એ તો અસદભુત વ્યવહાર છે. ખરેખર તો ત્રિકાળ સામાન્ય આત્માનું જે વિશેષ છે તે વિશેષમાં વિશેષને જ જાણવાનું છે, પરને નહીં અહીં વિશેષ દ્વારા સામાન્યને જાણવાનું પહેલું કહ્યું અને પછી
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૯૬ વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું, કેમ કે સામાન્યને જાણતા જે જ્ઞાન થાય છે, જે પોતાનું વિશેષ છે તેને, વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. આ ૩૬૧
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-ર) કહે છે-“સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે'.! ત્રણ ચક્ષુ નથી કીધાં, પણ પોતાનું જે સામાન્યસ્વરૂપ છે અને પોતાનું જે વિશેષસ્વરૂપ છે-બસ તેને જાણનારા બે ચક્ષુઓ કહ્યાં છે.
ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. અહો! શું ગંભીર ટીકા છે! વળી તેમાં અનુક્રમે' શબ્દ છે; એટલે કે પહેલા સામાન્યને જુએ છે અને પછી વિશેષને જુએ છે. ટીકામાં પણ એમ જ લીધું છે. આ ૩૬રા
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-૩) તો કહે છે-“તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને...” જુઓ પોતાની પર્યાયમાં જે વિશેષતા જણાય છે તે પોતાની પર્યાય જ જણાય છે, પર નહી; એટલે પરને જાણવાના ચક્ષુ બંધ કરીને એમ ન કહ્યું પણ પોતાની પર્યાયને જાણનારું પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરીને-એમ કહ્યું. ૩૬૩ના
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-૪) અહીં તો કહે છે-ભગવાન! તું પરને જાણતો જ નથી. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસભૂત વ્યવહાર છે ભાઈ ! પરને અને આત્માને સંબંધ શું છે? પરને અને સ્વની વચ્ચે તો અત્યંત અભાવનો અભેદ્ય કિલ્લો ઉભો છે. પરદ્રવ્યની
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે અત્યંત-અભાવરૂપ અભેદ્ય કિલ્લો પડ્યો છે. પોતાની એક સમયની જે પર્યાય છે તેમાં પરનો પ્રવેશ કયાં છે? (નથી) અહીં ટીકામાં તો આમ લીધું છે કે આત્મા પોતાના વિશેષને જાણે છે. સામાન્યને જાણે છે એ પહેલા કહીને વિશેષને જાણે છે એમ કહ્યું છે; પરને જાણે છે એમ અહીં વાત જ લીધી નથી. ૩૬૪
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૯, પેરા-૧) અહાહા...ભગવાન! તું સામાન્ય-વિશેષસ્વરૂપ છો. ત્યાં તારા વિશેષમાં પરને જાણવું એ કાંઈ છે નહિ. કેમ કે ત્યાં તો એ પોતાની પર્યાય જ જણાય છે. ૩૬૫ /
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય પાનુ-૧૩૯, પેરા-૩) જ્યાં પર્યાયને જોવાનું સર્વથા બંધ કર્યું ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડી ગયું છે એમ કહે છે. કેમ કે પોતે જાણનારો છે ને? જાણનારની પર્યાયમાં અંધારૂ થઈ જાય અર્થાત્ જાણવાનું જ બંધ થઈ જાય એવું તો કોઈ દિ' છે નહિ.// ૩૬૬
(શ્રી અધ્યાત્મપ્રવચન રત્નત્રય પાન-૧૪૦, પેરા-૧) આહાહા...! કહે છે-પર્યાયને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને-પ્રભુ! એમ કહીને શું કહેવું છે આપને? એમ કે શુદ્ધ ત્રિકાળી આત્મદ્રવ્યને જોવું છે ને તારે તો તે જાણવું પર્યાયમાં આવે છે. એથી કહે છે કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિકચક્ષુ વડે જ. મતલબ કે પર્યાયને જોનારો જ્ઞાનનો અંશ સર્વથા બંધ થઈ જતા અંદરનો જ્ઞાનનો પર્યાય કે જે એકલા દ્રવ્યને જાણે છે તે ઉઘડી ગયો છે. તો
* ઇન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૯૮ તે વડે દ્રવ્યને (ભાળ) દેખ. હવે આવી વાત સાંભળવાય મળે નહીં એટલે એકાંત છે, એકાંત છે-એમ રાડો પાડે. પણ બાપુ ! આ સમ્યક એકાંત છે. ભાઈ ! આ તારા ઘરની વાત છે. ૩૬૭
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાન-૧૪૦, પેરા-ર) ગજબ વાત છે ભાઈ ! કહે છે-સિદ્ધ-સિદ્ધપર્યાયને જોવાની પર્યાય આંખને બંધ કરી દે. પોતાને વર્તમાન તો સિદ્ધપર્યાય નથી, પણ શ્રદ્ધામાં છે કે મારે સિદ્ધપર્યાય થવાની છે. તો કહે છેસિદ્ધપર્યાયને પણ જોવાની પર્યાય આંખ બંધ કરી દે.
વંવિસુ સવ્વસિન્ડે એમ સમયસારમાં છે ને? ત્યાં સર્વસિદ્ધો ને જ્ઞાનની પર્યાયમાં સ્થાપ્યા છે. અહીં કહે છે ભગવાન! સર્વ સિદ્ધોને જાણનારી જે પર્યાય તે પર્યાયને જોવાની પર્યાય આંખ બંધ કરી દે અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિકચક્ષુ વડે જો. અહો ! આ તો સંતોના હૃદયની કોઈ અપાર ઉંડપ છે! શું કહીએ? જેવું ઉંડુ ભાસે છે તેવું ભાષામાં આવતું નથી. ૩૬૮
(શ્રી અધ્યાત્મપ્રવચન રત્નત્રય, પાન-૧૪૦, પેરા-૩) પ્રશ્ન:- અને ત્યારે જ પર્યાયનું સાચુ જ્ઞાન થાય ને?
ઉત્તર- જ્ઞાન ત્યારે સાચુ-એ વાત અહીં નથી. પણ જ્ઞાન જે દ્રવ્યને જુએ છે એ સાચું છે. પાંચે પર્યાયોમાં રહેલું જે આ અખંડ એકરૂપ તત્ત્વ છે તે જીવદ્રવ્ય પોતે છે. એમ જોનારું જ્ઞાન સાચુ છે. વજન અહીં છે કે તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે.”|| ૩૬૯)
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૪૨, છેલ્લો પેરા)
* મોહરાજા ઈન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૯ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી
ભાઈ ! “પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા'—એટલે કે પરના જાણવામાં તે રહેલો છે એમ નથી, પણ પોતાની ફક્ત જે પાંચ પર્યાય છે તેમાં રહેલો છે. ૩૭૦
(શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૪૩, પેરા-૩) માટે તે શરીરને ન જો, આકૃતિને ન જો, પરને ન જો. અરે! એ બહારમાં તો કયાં તારે જોવું છે! પણ એ બધાં જે તારી પર્યાયમાં જણાય છે તે પર્યાયને જોવાની તારી પર્યાય આંખને બંધ કરી દે અને ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને જો. તેથી તેને અનંત સુખનો સમુદ્ર ભગવાન આત્મા ભળાશે, તું ન્યાલ થઈ જઈશ. આહાહા..! અદ્દભૂત વાત !!! ૩૭૧ ||
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૪૫, છેલ્લો પેરા)
બહારનું કરવું એ તો દૂર રહો-એ તો છે નહિ, પણ બહારમાં જોવાનું ય નથી. ભગવાન! તું જે જુએ છે એ તારી પર્યાય છે. ઝીણી વાત ભાઈ ! ૩૭રતા
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાન-૧૪૮, પેરા-ર) લ્યો, હવે એકકોર એમ કહેવું કે ત્રિકાળી સામાન્ય વસ્તુ જે પરમ સ્વભાવભાવ શુદ્ધ જ્ઞાયકભાવ તેમાં તો ગતિય નથી, ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી અને વળી અહીં કહ્યું-દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય છે. એ તો કેવી વાત!
સમાધાન- ભાઈ ! ત્રિકાળી સામાન્ય વસ્તુ એ પરમ સ્વભાવભાવ શુદ્ધ જ્ઞાયકભાવ તેની દષ્ટિ કરાવવા કહ્યું કે તેમાં ગતિય નથી, ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી અને અહીં તે તે
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ર00 વિશેષોના કાળે તેમાં દ્રવ્ય વર્તી રહ્યું છે, તે તે વિશેષો તે કાળે તે દ્રવ્યના છે. એમ જ્ઞાન કરાવવા તે તે કાળે તે વિશેષોમાં તન્મય છે એમ કહ્યું. માટે જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. ૩૭૩ાા
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૫૧, પેરા-૩) આહાહા...! કહે છે-દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, કેમ કે દ્રવ્યશ્રુત અચેતન છે; માટે જ્ઞાન અને શ્રુતને ભિન્નતા છે, જુદાઈ છે. એટલે શું? કે દ્રવ્યશ્રુતથી અહીં (આત્મામાં) જ્ઞાન થાય છે એમ નથી. તો કેવી રીતે છે? સાંભળનાર શ્રોતાને પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન થાય છે, અને દ્રવ્યશ્રુત તો ત્યારે નિમિત્તમાત્ર છે. વળી દ્રવ્યશ્રતનું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી નથી; માટે દ્રવ્યશ્રતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે.! ૩૭૪ |
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પેરા-૫, પાન-૧૦૧) પરમાર્થ વચનિકામાં આવે છે કે જેટલું પરસત્તાવલંબી જ્ઞાન છે તે જ્ઞાનને વાસ્તવમાં મોક્ષમાર્ગ કહેતા નથી. દ્રવ્યશ્રતવાણી જે છે તે જડ છે, તે આત્મા નથી અને તેને સાંભળવાથી આત્મા તત્વજ્ઞાન) પ્રગટે છે એમ પણ નથી. પણ જે શ્રત વિકલ્પ છે તેનું લક્ષ મટાડી અંદર જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે તેને સ્પર્શીને જે જ્ઞાન પ્રગટ થાય તે વાસ્તવિક જ્ઞાન છે. આ સિવાય અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી જાય તોયે તે જ્ઞાન નથી. ૩૭૫ના
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પેરા-૬, પાનુ-૧૮૧) આહાહા.! દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, આત્મા નથી; એનાથી આત્મા ભિન્ન છે. વળી દ્રવ્યશ્રુતનું જે જ્ઞાન થાય એનાથી પણ આત્મા ભિન્ન
* ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે પરને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૦૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
છે. પ્રવચનસારમાં આવે છે કે દ્રવ્યશ્રુતને બાદ કરીએ તો એકલું જ્ઞાન રહી જાય છે. આહા...! સમયસાર, પ્રવચનસા૨ આદિ શાસ્ત્રોમાં ગજબની રામબાણ વાતો છે. બાપુ! શબ્દોનું જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી–(આત્મજ્ઞાન નથી ).।। ૩૭૬।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પેરા-૭, પાનુ−૧૮૧)
જુઓ, આચારાંગમાં ૧૮૦૦૦ પદ છે, અને એક એક પદમાં એકાવન કરોડ જેટલા ઝાઝેરા શ્લોક છે. તેનું જે જ્ઞાન થાય તે શબ્દજ્ઞાન છે. આહા! જે જ્ઞાન અતીન્દ્રિય નથી, જેમાં અતીન્દ્રિય આનંદ નથી તે જ્ઞાન જ્ઞાન નથી. પાંચ-પચાસ હજાર શ્લોક કંઠસ્થ થઈ જાય તેથી શું? અંદર ભગવાન જ્ઞાનસ્વભાવનો સાગર છે તેને સ્પર્શીને જે ન થાય તેને જ્ઞાન કહેતા નથી.।। ૩૭૭।।
(પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાનુ-૧૮૨, પેરા-૧)
શબ્દ છે તે કાંઈ ભાવશ્રુત નથી; શબ્દ તો જડ અચેતન જ છે, ને શબ્દનું જ્ઞાન થાય તે પણ જડ અચેતન છે. જે જ્ઞાન અંદર ઝળહળ ચૈતન્ય જ્યોતિસ્વરૂપ ભગવાન આત્મા છે તેના લક્ષે પ્રગટ થાય તે જ્ઞાન જ જ્ઞાન છે, તે આત્મજ્ઞાન છે. ભલે શબ્દ શ્રુતજ્ઞાન ન હોય, પણ ચૈતન્યના સ્વભાવઝરામાંથી પ્રગટ થાય તે સમ્યજ્ઞાન છે. બાકી શબ્દના આશ્રય-નિમિત્તે થયેલું જ્ઞાન અચેતન છે. પરલક્ષી જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી. આવી વાત છે.।।૩૭૮।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૪, પેરા-૧) માટે જ્ઞાન અને રૂપને વ્યતિરેક છે, ભિન્નતા છે. શાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાનના શરીરનું પ્રભામંડલ એવું હોય છે કે તેને
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૨૦૨ દિખનારને સાત ભવનું જ્ઞાન થાય છે. આ એક પુણ્યપ્રકૃત્તિનો પ્રકાર છે. તે ભગવાનના ભામંડલના તેજથી કાંઈ જ્ઞાન થયું નથી, અને તેને જોતાં જે જ્ઞાન થયું તે જ્ઞાન નથી. (ભવ વિનાનો આત્મા ભાળે તે જ્ઞાન છે.) વસ્તુસ્થિતિ આવી છે. રૂપ અને જ્ઞાન જુદાં છે. તે ૩૭૯
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાનુ-૧૮૪, પેરા-૩) રંગ તે જ્ઞાન નથી, અને રંગના નિમિત્તે જે જ્ઞાન થાય તે ય વાસ્તવમાં જ્ઞાન નથી. સુંદર સ્વરૂપવાન ચિતૂપ અંદર ભગવાન આત્મા છે, તેના આશ્રયે જ્ઞાન થાય તે પરમાર્થ જ્ઞાન છે. | ૩૮Oાા
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૪, પેરા-૫) જ્ઞાન સાથે અતીન્દ્રિય આનંદનો અનુભવ અવિનાભાવી છે. તે જ્ઞાન સ્વના લક્ષે થાય છે. પરના-રંગના લક્ષે જ્ઞાન થાય તે જ્ઞાન (આત્મજ્ઞાન) નથી, તે તો અચેતન છે. માટે રંગ જુદો અને જ્ઞાન જુદું છે. ૩૮૧
( શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૪, પેરા-૬)
આ કેટલાકને શ્વાસ ગંધાતો નથી હોતો? ભગવાનને શ્વાસ સુગંધિત હોય છે. શરીરના પરમાણુઓમાં સુગંધ-સુગંધ હોય છે. આહા! તેના નિમિત્તે જે ગંધનું જ્ઞાન થાય તે, અહીં કહે છે, જ્ઞાન નથી; ગંધને અને જ્ઞાનને ભિન્નતા છે. ગંધ તે જ્ઞાન નહીં, ને ગંધનું જ્ઞાન થાય તે ય જ્ઞાન નહીં. આત્મજ્ઞાન જ એક જ્ઞાન છે. IT ૩૮૨ //
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૨) જુઓ, ખાટો, મીઠો ઇત્યાદિ ભેદપણે જે રસ છે તે જ્ઞાન નથી, અને તે રસનું જ્ઞાન થાય તે ય જ્ઞાન નથી. રસ તો બાપુ! જડ
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
છે, ને જડનું જ્ઞાન થાય તે ય જડ છે. ભગવાન આત્મા ચૈતન્ય જ્યોતિસ્વરૂપ પ્રભુ છે તેનું જ્ઞાન થાય તે જ્ઞાન છે; આહાહા...! સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, તે સમ્યજ્ઞાન છે અને તેને મોક્ષમાર્ગમાં ગણ્યું છે. સમજાય છે કાંઈ...?।। ૩૮૩।।
(શ્રી પ્રવચન રત્નાકાર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૪) શરીરના સ્પર્શનું જ્ઞાન થાય તે જ્ઞાન નથી; તેનાથી જે જ્ઞાન તે તો જડનું જ્ઞાન છે, એ કયાં આત્માનું જ્ઞાન છે? ભાઈ! જેના પાતાળના ઉંડા તળમાં ચૈતન્ય પ્રભુ પરમાત્મા બિરાજે છે તે ધ્રુવના આશ્રયે જ્ઞાન થાય. તે વાસ્તવિક જ્ઞાન છે. આહાહા..! અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણોનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પર્યાય અંદર ઉંડ ધ્રુવ તરફ જઈને પ્રગટ થાય તે જ્ઞાન છે, તે ધર્મ છે. આવી વાત !
૫૫ ૩૮૪।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૬) પ્રશ્ન:- હા, પણ કેટલે ઉંડે એ (–ધ્રુવ) છે?
ઉત્તર:- આહાહા...! અનંત અનંત ઉંડાણમય જેનું સ્વરૂપ છે તેની મર્યાદા શું? દ્રવ્ય તો બેદ અગાધ સ્વભાવવાન છે, તેના સ્વભાવની મર્યાદા શું? આહાહા...! આવું અપરિમિત ધ્રુવ-દળ અંદરમાં છે ત્યાં પર્યાયને લઈ જવી (કેન્દ્રિત કરવી ) તેનું નામ સમ્યજ્ઞાન છે.
ઇન્દ્રિયોથી પ્રવર્તતું જ્ઞાન કાંઈ જ્ઞાન નથી. ।। ૩૮૫ ।।
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૭)
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ર૦૪ કે આઠ કર્મ જે છે તે જ્ઞાન નથી, કેમ કે કર્મ અચેતન છે. કર્મ તરફનું જે જ્ઞાન થાય તેય જ્ઞાન નથી, કર્મનો બંધ, સત્તા, ઉદય, ઉદીરણા ઇત્યાદિ કર્મ સંબંધી જે જ્ઞાન થાય તે જ્ઞાન નથી. કર્મસબંધી જ્ઞાન થાય પોતામાં પોતાથી, કર્મ તો તેમાં નિમિત્તમાત્ર છે; પણ તે જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. આહાહા.! ભગવાન આત્મા અંદર અબદ્ધસ્પષ્ટ છે; સ્વરૂપથી આત્મા અકર્મ-અસ્પર્શ છે. આહા! આવા અકર્મસ્વરૂપ પ્રભુનો અંતઃસ્પર્શ કરી પ્રવર્તે તે જ્ઞાનને જ્ઞાન કહીએ. |૩૮૬ ના
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૫, પેરા-૯). ભાઈ! કર્મ છે એવું શાસ્ત્ર કહે, અને એવો તને ખ્યાલ (જ્ઞાનમાં) આવે તો પણ તે કર્મ સંબંધીનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. કર્મ અચેતન છે, માટે જ્ઞાન જુદું અને કર્મ જુદાં છે. ૩૮૭TI
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાન-૧૮૬, પેરા-પ) અહીં કહે છે-આ ધર્માસ્તિકાય જ્ઞાન નથી. વળી ધર્માસ્તિકાય છે એવો ખ્યાલ (જ્ઞાનમાં) આવ્યો તો તે જ્ઞાન પણ જ્ઞાન નથી. ધર્માસ્તિકાયમાં જ્ઞાનસ્વભાવ ભર્યો નથી; ભગવાન આત્મા અંદર જ્ઞાનસ્વભાવથી ભરપૂર ભર્યો છે. આહા! તેના આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય તે સમ્યજ્ઞાન છે અને તે જ્ઞાન મોક્ષનો માર્ગ છે. // ૩૮૮ાા
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૭, પેરા-૧) આ આકાશદ્રવ્ય તે, કહે છે, જ્ઞાન નથી. વળી તેનું લક્ષ થતાં
આ
* જ્ઞાની એમ માને છે કે – હું મનથી છ દ્રવ્યને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૫ ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી
આકાશ છે” એવું જે જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન પણ પરમાર્થે જ્ઞાન નથી. અહીં તો સ્વસંવેદન જ્ઞાનને જ પરમાર્થે જ્ઞાન કહ્યું છે. પરલક્ષી જ્ઞાન થાય તેય પરની જેમ અચેતન છે. માટે જ્ઞાન અને આકાશ બન્ને જુદાં છે; અર્થાત્ જ્ઞાનનું (-આત્માનું) આકાશ નથી. ૩૮૯
( શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૧૮૭, પેરા-૭) બીજી રીતે કહીએ તો ગાથા-૧૭-૧૮માં કુંદકુંદ આચાર્ય તો એમ કહે છે કે ભલે અજ્ઞાનીની જ્ઞાનપર્યાય હો એમાં આત્મા જણાય છે. અજ્ઞાનીની પર્યાયનો સ્વભાવ પણ સ્વ-પરપ્રકાશક હોવાથી પર્યાયમાં સ્વજ્ઞાયક ચિદાનંદ ભગવાન પૂરણ જણાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે તો એ પર્યાયમાં એકલું પરને જાણે એવું હોઈ શકે નહિ. એ પર્યાય સ્વને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વભાવ છે, છતાં અજ્ઞાનીની દૃષ્ટિ એક ઉપર (શાકભાવ ઉપર) જતી નથી. હું એકને (જ્ઞાયકને) જાણું છું એમ (દષ્ટિ) ત્યાં જતી નથી. હું રાગને ને પર્યાયને જાણું છું એમ દષ્ટિ ત્યાં મિથ્યાત્વમાં રહે છે./ ૩૯૦ાા
(શ્રી પ્રવચનરત્નાકર, ભાગ-૧૦, પાનુ-૪૫, પેરા-૫) ઝીણી વાત છે પ્રભુ! બાળકથી માંડી વૃદ્ધ સૌને એની જ્ઞાનની પર્યાયમાં સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અર્થાત્ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે પર્યાયમાં સદાકાળ-એક સમયના વિરહ વિના ત્રિકાળી આનંદનો નાથ જ જણાય છે છતાં આ પર્યાયમાં આત્મા જણાય છે, એમ દષ્ટિ ત્યાં જતી નથી. / ૩૯૧
(શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૧૦, પાનુ-૪૬, પેરા-૨) ત્રિકાળી જ્ઞાનગુણ એનો જેમ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે તેમ
* ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, શેય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૦૬ તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદાકાળ જ્ઞાયક જણાતો હોવા છતાં રાગને વશ થયેલો પ્રાણી તેને જોઈ શકતો નથી. એની નજરૂ (નજર) પર્યાય ઉપર ને રાગ ઉપર છે એટલે આ જ્ઞાયકને જાણું છું એ ખોઈ બેસે છે. અનાદિ બંધને–રાગને વશ પડ્યો રાગને જુએ છે. પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જોતો નથી. ભલેને તું ના પાડ હું (મને-શાયકને) નથી જાણતો છતાં પ્રભુ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હોં ગજબ વાત કરી છે ને? / ૩૯૨
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાનુ-૪૬, પેરા-૩) આ જાણવામાં આવે છે એને જાણતો નથી. અને પરને જાણું છું એવી મિથ્યા બુદ્ધિ થઈ ગઈ છે. (અર્થાત્ ) એકલો પરપ્રકાશક છું એવી બુદ્ધિ થઈ ગઈ છે જે મિથ્યા છે. ૩૯૩ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાન-૪૭, પેરા-૧) આહા ! એકવાર તો એમ (અંદરમાં) આવ્યું હતું કે (જાણે) જ્ઞાનની પર્યાય જે છે એક જ વસ્તુ છે. બીજી ચીજ જ નથી. એક ( જ્ઞાનની) પર્યાયનું અસ્તિત્વ એ સારા લોકાલોકનું અસ્તિત્વ છે. એક સમયની જાણવા દેખવાની સ્વ-પરપ્રકાશક પર્યાય એમાં આત્મદ્રવ્ય એના (અનંતા) ગુણો એની ત્રણે કાળની પર્યાયો તથા છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણ-પર્યાય બધું એક સમયમાં જણાય છે. આખું જગત એક સમયમાં જણાય છે છતાં એક સમયની પર્યાયમાં પોતાના દ્રવ્ય, ગુણ કે છ દ્રવ્યો આવતા નથી. ૩૯૪
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પાન-૪૭, પેરા-૪)
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
હા, પણ એ પૈસાને શેય (પરશેય) કરી નાખે તો?
એ પૈસાને શેય (પરશેય ) કરે કયાંથી ? અંદર નિજસ્વરૂપને જ્ઞાનમાં શેય કર્યા વિના, નિજ જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કર્યા વિના ૫૨૫દાર્થને જ્ઞેય (પરશેય ) કેવી રીતે કરે ? કરી શકે નહિ.।। ૩૯૫।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ ૧૦, પાનુ-૨૦૫, પેરા-૫ ) શાસ્ત્ર ને સાંભળે ઇન્દ્રિય દ્વારા, અને એને જ્ઞાન થાય એ પણ ઇન્દ્રિયથી થયેલ જ્ઞાન, એને આત્માનું જ્ઞાન-જાણપણું કહેતા નથી.
આત્મા ઇન્દ્રિયો દ્વારા, જાણે છે એમ કહેતા નથી. આ સાંભળવાથી જ્ઞાન, થાય એવું આત્માનું સ્વરૂપ જ નથી.।।૩૯૬।। (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨ અલિંગગ્રહણ બોલ-૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી ) પહેલો શબ્દ જ્ઞાયક-એટલે ચૈતન્ય, ચૈતન્ય-પ્રકાશનો પુર, જ્ઞાયક સ્વરૂપ ભગવાન ઇન્દ્રિયો દ્વારા જાણનારો છે જ નહીં.
ભગવાન પરમાત્મા જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે–જેને (આત્માને ) ઇન્દ્રિય દ્વારા જાણવું થાય તે આત્મા નહીં,
શાસ્ત્રોને સાંભળીને જે જ્ઞાન થાય-એ થાય છે એની પર્યાયના ઉપાદાનથી. શ્રવણથી થયું છે એમ નહીં.
છતાં એ ઇન્દ્રિય દ્વારા જે જાણવું. (જાણકારીનું કાર્ય થયું) એ આત્માનું કાર્ય નહીં.।।૩૯૭।।
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨ અલિંગગ્રહણ બોલ-૧ ઉપ૨ પૂ. ગુરુદેવ ના પ્રવચન માંથી )
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૦૮ પ્રશ્ન:- જ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન છે ને?
ઉત્તર- જ્ઞાનીને ઇન્દ્રિયજ્ઞાન અનાત્મા છે, ઇન્દ્રિય જ્ઞાન એ આત્માનું જ્ઞાન નહીં. એ પરમાર્થ જ્ઞાન નહીં.
પરમાર્થ વચનિકામાં કહ્યું છે-જ્ઞાનીને પર સત્તાવલંબી જ્ઞાન એ બંધનું કારણ છે.
સમયસાર ગાથા-૩૧ य इंद्रियाणि जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्। तं खलु जितेन्द्रियं ते भणंति ये निश्चित्ता: साधवः।।३१।।
અન્વયાર્થ- જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડ અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે.
ટીકા - (જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષય ભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.). ૩૯૮ (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ–૧ ઉપર
પૂ. ગુરુદેવ શ્રી ના પ્રવચનમાંથી)
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૯ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયો-ભગવાન, ભગવાનની વાણી અને તેના સંબંધથી થવાવાળું જ્ઞાન આ ત્રણેયનું લક્ષ છોડી દઈ, જે એનાથી ભિન્ન ભગવાન જ્ઞાયક છે-ગ્રાહક ( જાણનારો, જાણનારો જે ત્રિકાળી જ્ઞાતાદરા) છે. એને જે પકડે છે. ગ્રહે છે, અને જે અનુભવે છે, એને ઇન્દ્રિયથી જીતવું કહીને સમકિતી જિન કહે છે.
કેમ કે આત્માનું સ્વરૂપ જિનસ્વરૂપ છે. ૩૯૯ાા ( શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ-૧ ઉપર
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) એ અહીં કહે છે જેને જીતવું છે-એ લિંગો (ઇન્દ્રિયો) દ્વારા જાણવું થાય એ જાણવું જ આત્માનું નહીં. જેનાથી ભિન્ન પડવું છેજેને જીતવી છે, જીતવી એટલે તેના લક્ષને છોડવું છે. એ વડે જાણવાનું કાર્ય કરે એ આત્માનું કાર્ય નહીં. ૪OOT (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર અલિંગગ્રહણ બોલ–૧ ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) શાસ્ત્રનું જ્ઞાન થયું ઈન્દ્રિયથી; સાંભળીને, વાંચીને એ શાસ્ત્રનું જાણવું એ આત્માનું નહીં. ગજબ વાતો છે ને?
ઇન્દ્રિય વડે જાણે છે-એ આત્મા નહીં, જ્ઞાયક નહીં કારણ કે જ્ઞાયકસ્વરૂપ તો પોતે છે હવે એ ઇન્દ્રિયો દ્વારા જાણે તો જ્ઞાયક રહ્યો કયાં ?. Tી ૪૦૧ // (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ-૧, ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી)
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૧૦ સાતમા-નવમા અધિકારમાં કહ્યું છે કે-જેમ જેમ શાસ્ત્રનું જ્ઞાન વધે, તેમ તેમ જ્ઞાન વિશેષ થાય છે પણ એ પરસંબંધી, અપેક્ષાએ વાત છે.
સામાન્યથી વિશેષ બળવાન છે એમ કહીને, કહ્યું છે કે જેમ જેમ શાસ્ત્રનું વિશેષ જ્ઞાન થાય તે જ્ઞાન બળવાન છે, એ પરની અપેક્ષાની વાત છે.
ત્યાં સમ્યગ્દર્શનમાં એ જ્ઞાન બળવાન થાય ને જોરદાર થાય એમ નથી. ૪૦૨IT (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ–૧ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) સાક્ષાત ત્રણલોકના નાથ સમવસરણમાં બિરાજતા હોય ત્યાં પણ તું અનંતવાર ગયો છે. આંખ વડે દર્શન કર્યા, કાન વડે તીર્થકરની વાણી સાંભળી, એ બધું ઇન્દ્રિયજ્ઞાન છે.
એ જ્ઞાન જ્ઞાયકનું નહીં. આવી ગંભીર વાતો છે. IT ૪૦૩ાા (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ–૧ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) જેને એટલે આ આત્માને, ગ્રાહક નામ જાણનાર છે, એ જાણનારે જાણવું-લિંગ નામ ઇન્દ્રિયો (દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય) દ્વારા થતું નથી; કેમ કે ભાવ અને દ્રવ્યેન્દ્રિય દ્વારા જે જાણે તે ખંડ-ખંડ જ્ઞાન છે.
એ આત્મજ્ઞાન નહીં, એટલે એમ કહ્યું કે, ઇન્દ્રિયો વડે જેને
* હું પરને જાણું છું - તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી (આત્માને) જાણવું થતું નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે; વજન અહીં છે. IT ૪૦૪) ( શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, અને ઇન્દ્રિય જ્ઞાનમય નથી. આ અસ્તિ-નાસ્તિ છે. સમજાણું કાંઈ ?
આ પાંચ ઇન્દ્રિયો દ્વારા જાણવું થાય એ ખંડ-ખંડ જ્ઞાન છે; એ ખંડખંડ જ્ઞાનમય આત્મા નથી. એ બંડખંડ જ્ઞાન દ્વારા જાણે એ આત્મા નહીં. એ અનાત્મા છે.
આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે.
મન ને ઇન્દ્રિયોનો સંબંધ છોડી દઈ, પોતે પોતાના લક્ષ પોતાનું જાણવું કરે; અખંડ અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવું કરે ત્યારે તેને સમ્યજ્ઞાન કહેવાય. કારણ કે તે પર્યાય દ્રવ્યની સાથે અભેદ છે.
સમ્યજ્ઞાન થાય ત્યારે જન્મ-મરણનો અંત આવે. ૪૦૫ | (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ-૧-૨ ઉપર
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી છે; એ અખંડ અતીન્દ્રિય જ્ઞાનમય છે. ઇન્દ્રિય અને મનથી જાણવું એ ખંડખંડ જ્ઞાન છે. શાસ્ત્રનું ઇન્દ્રિય અને મનથી જે જાણવું થાય-એ શાસ્ત્રજ્ઞાન થાય છે તો પર્યાયમાં-પણ એ જાણવું અખંડ નથી, ખંડખંડ છે. તેથી એ ખંડખંડ જાણવું (કાર્ય) આત્માનું નહીં. અગિયાર અંગ ભણે અને
* ઇન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૧ર નવપૂર્વ જાણવાની લબ્ધિ તે પણ ખડખંડ જ્ઞાન છે. IT ૪૦૬ / (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ–૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આ આત્મા અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવાનું કાર્ય કરે. પોતે કેમ જણાય તે બીજા બોલમાં લેશે.
ઇન્દ્રિયથી (પરને) જાણવું કરે તે દુઃખી થવાનો પંથ છે કારણ કે તેમાં આત્માના જ્ઞાનનો સ્વાદ આવવો જોઈએ તે આવતો નથી.
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આ આત્મા અતીન્દ્રિય જ્ઞાન દ્વારા જાણવાનું કાર્ય કરે. પોતે કેમ જણાય તે બીજા બોલમાં લેશે.
ઇન્દ્રિયથી (પરને) જાણવું કરે તે દુઃખી થવાનો પંથ છે કારણ કે તેમાં આત્માના જ્ઞાનનો સ્વાદ આવવો જોઈએ તે આવતો નથી. IT ૪૦૭બ | (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ–૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) વાંચીને, સાંભળીને જે શાસ્ત્રનું જ્ઞાન થાય તે પણ ખંડ ખંડ છે, અખંડ નથી. પરસત્તાવલંબી જ્ઞાન છે, તે બંધનું કારણ છે તેથી આત્માની શાંતિ એમાં ન આવે. તે આત્મજ્ઞાન નહીં. IT ૪૦૮ ( શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ–૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) અહીં તો એમ કહે છે કે ઇન્દ્રિયને આધારે-ઇન્દ્રિયના અવલંબને જે જ્ઞાન થાય તે જ્ઞાન જ નહીં ભગવાનની સીધી વાણી સાંભળે
* ઇન્દ્રિયજ્ઞાન શેય બદલ્યા કરે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૩ ઇન્દ્રિયજ્ઞાન...જ્ઞાન નથી અને જે જ્ઞાન થાય એ ભલે વાણીથી ન થાય થાય એની પર્યાયમાં, તેની યોગ્યતાથી છતાં તે જ્ઞાન ખંડખંડ છે.
અને પ્રભુ આત્મા તો અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન છે. આવી વાતો છે ! ૪૦૯ ! (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આત્મા અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું કરે ત્યારે આસ્રવનો નિરોધ થાય. પણ દુનિયાના રસવાળાને અતીન્દ્રિય જ્ઞાનનો રસ બેસવો (સમજવો, અનુભવવો) ભારે કઠણ કારણ કે અજ્ઞાનીને અનાદિનો ઇન્દ્રિયજ્ઞાનનો રસ ચડયો છે. તેથી (તેનો વિરોધ થઈ ) અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. જેમ શુભરાગ વ્યભિચાર છે. તેમ ઇન્દ્રિયજ્ઞાન પણ વ્યભિચાર છે. અરે! પ્રભુ! તારે શું કહેવું છે? માટે ઇન્દ્રિયો (દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય) નું લક્ષ છોડી દઈ અતીન્દ્રિય જ્ઞાનથી જાણવું-કાર્ય કરે; અતીન્દ્રિયથી કામ લે અંદરથી.
અતીન્દ્રિયથી જાણનારો એને અહીં અલિંગગ્રહણ કહેવામાં આવે છે. ૪૧૦ાા (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) એક દ્રવ્ય, બીજા દ્રવ્યને ચુંબતુય નથી; સ્પર્શ કરતુંય નથી, અડતુંય નથી.
તેથી અડયા વિના, સ્પર્શ કર્યા વિના આત્માને જે ઇન્દ્રિયોના
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૧૪ નિમિત્તથી જ્ઞાન થાય, ઇન્દ્રિયોને સ્પર્શ કર્યા વિના ને ઇન્દ્રિયોના નિમિત્ત દ્વારા જ્ઞાન કરે, એ જ્ઞાન આત્માનું નહીં. એ આત્મજ્ઞાન નહીં અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણી એની પ્રતીતિ એ મિથ્યાપ્રતીતિ છે.
જ્યારે આત્મા અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું કરે, એ જ્ઞાનમાં પ્રતીતિ કરે, તેને સમ્યગ્દર્શન કહીએ..! ૪૧૧ IT. (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) ઇન્દ્રિયો દ્વારા શાસ્ત્ર સાંભળ્યા, તીર્થકરની સાક્ષાત વાણી સાંભળી અને એને જ્ઞાન થયું એ ઇન્દ્રિયજ્ઞાન દ્વારા પણ આત્મા જણાવાલાયક નથી. ૪૧૨અ || (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ–૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આહાહા! જેટલું અહીં ઇન્દ્રિયથી જ્ઞાન થાય તેનાથી ભગવાન આત્મા જણાવાલાયક નથી. એનો સ્વભાવ જ એવો છે કે ઇન્દ્રિયજ્ઞાનથી જણાવાલાયક, એ આત્મા નથી. ૪૧રબા (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ-૧-૨ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આવડતનો અહંકાર કરીશ નહીં, આ મને આવડે છે એમાં તણાઈ ન જઈશ” અજ્ઞાનીને, જરાક પણ કંઈક આવડ-ધારણાથી યાદ રહે-ત્યાં તેને અભિમાન થઈ જાય છે. કારણ કે અજ્ઞાનીને વસ્તુના અગાધ સ્વરૂપનો ખ્યાલ (અનુભવ) નથી; તેથી તે બુદ્ધિના ઊધાડ, આદિમાં સંતોષાઈ જઈ અટકી જાય છે.
* ઇન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણવાનું સાધન નથી *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૫ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
અજ્ઞાની ઇન્દ્રિયજ્ઞાનમાં મને કાંઈક આવડે છે એમ માની રોકાઈ જાય છે પણ જ્ઞાનિને પોતાનો રસ હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનમાં અટકતો નથી. ૪૧૩. (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ–૧-ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) અહીં કહે છે કે એ ઇન્દ્રિયથી જે શાસ્ત્રજ્ઞાન થયું એ આવડતના ભાવથી આત્મા જણાય એવો નથી. એને (ઇન્દ્રિયજ્ઞાનને) છોડીને, અંદર આવે પોતાનો આત્મા ત્યારે જણાય એવો છે. IT ૪૧૪ (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ-૧-૨ ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) - ઇન્દ્રિય પ્રત્યક્ષથી જે જ્ઞાન થયું-“આ મેં ભગવાનને પ્રત્યક્ષ જોયા' -આ મેં સમવસરણ જોયું. મેં ભગવાનની વાણી પ્રત્યક્ષ સાંભળી–એવા ઇન્દ્રિય-પ્રત્યક્ષ જ્ઞાનનો આત્મા વિષય જ નથી. ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય એવું જે જ્ઞાન એનો પણ એ આત્મા વિષય નથી. ૪૧૫ ના (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ ૧-૨ ઉપરના પૂ.
- ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) ગઈકાલે કહ્યું હતું-ભાવેન્દ્રિય, જડઇન્દ્રિય ને ભગવાનની વાણી, સ્ત્રી-કુટુંબ, દેશ એ બધાં ઈન્દ્રિયો-એટલે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો- એને જીતવી કે એનો આશ્રય છોડી, અને અતીન્દ્રિય એવો ભગવાન આત્માનો આશ્રય લેવો, ત્યારે એને સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય. આનું નામ ઇન્દ્રિયોને જીતી છે. સમજાણું કાંઈ ? ૪૧૬ાા (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ ૧-૨ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) * ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૧૬
હવે ઉપયોગની વાત છે. જેને લિંગ વડે, ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે જ્ઞેય-પદાર્થનું આલંબન નથી; ઉપયોગ જે છે જાણવા–દેખવાનો એને આલંબન આત્માનું છે. આત્માના અવલંબે જે કાંઈ ઉપયોગ થાય, તેને ઉપયોગ કહેવામાં આવે છે. એ ઉપયોગને શેય પદાર્થનું આલંબન નથી; એટલે કે જે ઉપયોગમાં શૈયપદાર્થ નિમિત્ત પડે અને ઉપયોગ થાય, એ આત્માનો ઉપયોગ નહીં. આવી વાતો.
શ્રોતાઃ- આત્માનો ઉપયોગ નહી, તો ઉપયોગ કોનો ?
સમાધાનઃ- પર તરફના વલણવાળી દશા-એ ઉપયોગ આત્માનો નહીં; ૫૨સત્તાવલંબનવાળુ જ્ઞાન એ આત્માનો ઉપયોગ નહીં. આહા ! આવી વાત.।। ૪૧૭।।
(શ્રી પ્રવચનસારજી ગાથા-૧૭૨ અલિંગગ્રહણ બોલ-૭ ઉ૫૨ના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી )
જ્ઞાનના ઉપયોગમાં-પદ્રવ્યના આલંબનવાળો ઉપયોગ જીવનો નહીં કેમ કે પરદ્રવ્યના ઉપયોગમાં લક્ષ જતાં આનંદ આવતો નથી ત્યાં તો આકુળતા છે. આહાહા! પરસન્મુખ જ્ઞાન થાય, એ થાય છે પોતાથી કાંઈ નિમિત્તથી થતું નથી પણ જે જ્ઞાનને નિમિત્તનું આલંબન છે-નિમિત્તપણું છે-તે ઉપયોગ જીવનો-આત્માનો નહીં. આહાહા! આ વાત છે!।। ૪૧૮।।
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૭ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી ) બાપુ ! આત્માનું લક્ષણ ઉપયોગ છે; લક્ષ્યદ્રવ્ય-આત્મા છે. હવે એ
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૭ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
ઉપયોગ નામના લક્ષણ વડે-જે લક્ષણ લક્ષ્યને જાણે-એવા લક્ષણમાં પરયને જાણવાનું જે અવલંબન થાય એ ઉપયોગ જીવનો-આત્માનો નહીં. આહા ! ગજબ વાતો કરી છે ને ? પરસત્તાવલંબી જ્ઞાન સમ્યગ્દષ્ટિને પણ હોય પણ એ જ્ઞાન સ્વઉપયોગ નહીં એ જ્ઞાન આત્માનો ઉપયોગ નહીં.
જે ઉપયોગમાં નિમિત્તનો આશ્રય-આલંબન આવે તે ઉપયોગ આત્માનો નહીં. ૪૧૯ તા. (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૭ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આહાહા! ભગવાન ત્રિલોકનાથ, જિનેન્દ્રદેવ એમ કહે છે કે ઉપયોગ જે જ્ઞાન-દર્શનનો છે, એ આત્માનું લક્ષણ છે, એટલે કે એ તો આત્માને જાણે; પણ એ લક્ષણ પરને જાણવા તરફ વળ્યું હોય તો એ આત્માનું લક્ષણ નહીં. આત્માનો ઉપયોગ નહીં.
શ્રોતા:- તો પછી દ્વાદશાંગ જ્ઞાન આત્માનું નથી?
સમાધાન:- બાર અંગનું પર તરફના વલણવાળું જ્ઞાન એ આત્માનું જ્ઞાન નહીં. અને આશ્રયે થાય એ ભાવશ્રુતજ્ઞાન આત્માનું છે. ૪૨૦ (શ્રી પ્રવચનસાર ગાથા ૧૭ર, અલિંગગ્રહણ બોલ-૭ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) દ્રવ્યશ્રુતનું જે જ્ઞાન છે, એ તો શબ્દજ્ઞાન છે “બંધ અધિકાર" માં કહ્યું છે-જ્ઞાન આત્માનું લક્ષણ-અને એ જ્ઞાન પરને જાણવા તરફ
* ઇન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૧૮ વળે-જેનું લક્ષણ છે તેને જાણવા ન વળે અને જેનું લક્ષણ નથી તેના તરફ વળે-એ ઉપયોગ-જાણવા-દેખવાનો ઉપયોગ તે આત્માનો ઉપયોગ નહીં. ગજબ વાત છે! ૪૨૧ (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૭, ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) આહા! દિગંબર સંતો સત્ય વાત, પર્યાયમાં ચારિત્ર-ધર્મ પ્રગટ કરીને કહે છે કે અમને જે જ્ઞાનનો ઉપયોગ-જે ઉપયોગમાં પર જેનાં લક્ષણ નથી; પર જેનું લક્ષ્ય નથી-એ જાણવાનો ઉપયોગ લક્ષણ જીવનો છે. જીવ તેનું લક્ષ્ય છે. એને ઠેકાણે પરના લક્ષમાં એ ઉપયોગ વળે એ ઉપયોગને આત્માનો ઉપયોગ કહેતા નથી. આહા! ગજબ વાત કરે છે ને? આવી વાતો. આ તો અંદરથી આવતું હોય ત્યારે આવે ને? આ તો અંતરની (અનુભવની) વાતો છે. ૪રરા (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-નં-૭ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) જેને જાણવા-દેખવાના ઉપયોગમાં પરનું અવલંબન હોય, કહે છે એ ઉપયોગ નહીં. આત્માનો ઉપયોગ નહીં. ગજબ વાતો છે! એ ઉપયોગ પરાધીન-પરને અવલંબે છે ને? અને જેનું લક્ષણનું એ લક્ષ્ય જ નથી, લક્ષણનું લક્ષ્ય તો અંદર ચિદાનંદ પ્રભુ પૂર્ણ છે, એને લક્ષે થયેલો ઉપયોગ તે ઉપયોગ આત્માનો છે. અને જેનું લક્ષણ નથી એવા નિમિત્તના અવલંબે જે ઉપયોગ થાય તે ઉપયોગ તેનો નથી. આહાહા! આવી વાતો છે. અરે! અહીં તો જન્મ-મરણને ઉથાપી નાખવાની વાતો છે. ચોરાશીના અવતાર થાય એ ભાવ તેનો નથી પણ એ પરના લક્ષે થયેલો જ્ઞાનનો ઉપયોગ એ
*ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
એનો ( આત્માનો ) નથી.।। ૪૨૩।।
(શ્રી પ્રવચનસાર ગાથા ૧૭૨, અલિંગગ્રહણ બોલ નં-૭, ઉપ૨ના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી )
જે ઉપયોગ સ્વના લક્ષથી-લક્ષ્યના લક્ષથી પ્રગટ થાય તે ઉપયોગ મોક્ષનું કારણ છે-૫૨ના લક્ષે-નિમિત્તના લક્ષે જે ઉપયોગ થાય તે બંધનું કારણ છે. પરસત્તાવલંબી ઉપયોગ એ બંધનું કારણ છે. આ તો બાપુ અંતરની વાતો છે, આ કોઈ વાદ-વિવાદે બેસે (સમજાય ) એવું નથી, પંડિતાઈનું આમાં કંઈ કામ નથી.।। ૪૨૪।। (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭૨ અલિંગગ્રહણ બોલ નં-૭, ઉપ૨ પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી )
આહા ! ઉપયોગ નામના લક્ષણ વડે-કોનું લક્ષણ છે? કે આત્માનું લક્ષણ છે. એ વડે ગ્રહણ એટલે શૈયપદાર્થનું જેને અવલંબન નથી; એ ઉપયોગ નામના લક્ષણને જે શેયો-૫૨૫દાર્થ છે, ચાહે તીર્થંકર હો કે તીર્થંકરની વાણી હો કે શાસ્ત્રોના પાના હો-એ ઉપયોગ નામના લક્ષણ વડે પરશેયનું આલંબન જેને ઉપયોગમાં નથી એને અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
શેય ના અવલંબને થતું એ લિંગ છે એનાથી અલિંગગ્રહણ એવો આત્મા ગ્રહણ થઈ શકે નહીં, આ ચમત્કારિક આધ્યાત્મિક ગ્રંથ છે. એની વાણીમાં ચમત્કૃતિ છે, વસ્તુમાં (આત્મામાં ) જે ચમત્કૃતિ છે એ વાણીમાં ખુલ્લી કરી છે.। ૪૨૫।।
(શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ, બોલ નં-૭ ઉ૫૨ પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી )
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ર૨૦ પ્રશ્ન- સમયસાર વાંચવું હોય તો સ્વનું અવલંબન કેમ લેવું?
ઉત્તર:- અવલંબન સીધું આત્માનું જ લેવાનું-એકજ વાત. એમાથી (સમયસારમાંથી) વાંચીને કાઢવાનું આ-(સ્વનું અવલંબન લેવું તે)
શાસ્ત્ર વાંચીને, સમજવાનું આ કે-સ્વનું લક્ષ કરવું તે ઉપયોગ લક્ષણ, તેનાથી આત્માનું કલ્યાણ છે. રાગથી તો કલ્યાણ નહીં-શુભ જોગથી તો મોક્ષમાર્ગ નહીં-પણ પરાવલંબી જ્ઞાનથી પણ મોક્ષમાર્ગ નહીં.
કેમ કે ભગવાન આત્મા મુક્તસ્વરૂપ, અબંધસ્વરૂપ કહો કે મુક્તસ્વરૂપ કહો, એકાર્ય છે. એ મુક્તસ્વરૂપને આશ્રયે-લક્ષે જે ઉપયોગ થયો તે મુક્તિનું કારણ છે. પર્યાયમાં મુક્તિનું તે કારણ છે. સમકિતીને પણ જેટલું પરાલંબી જ્ઞાન છે તેને મોક્ષમાર્ગ કહેતાં નથી. IT ૪ર૬ IT (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ-૭ ઉપર પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી)
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
શ્રીમદ રાજચંદ્રજી ના વચનામૃત:
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યગ્દર્શન ને નમસ્કાર” ૪૨૭ા
(શ્રીમદ રાજચંદ્ર, પત્ર નં-૮૩૯, પાનુ-૬૨૫) જીવની ઉત્પતિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવપદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ૪૨૮ના
(“જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન” માંથી) જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ મારગ સાંભળો જિનનો રે.....૪૨૯
(“મૂળ મારગ સાંભળો જિનનો રે” માંથી, કડી નં-૭) જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. ૪૩૦ાા ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન? ૪૩૧ના
(શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા નં-૫૫)
* ઈન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી રરર કેવળ નિજ સ્વભાવનું અખંડવર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૪૩રા
(શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રગાથા નં-૧૧૩).
* મોહરાજા ઇન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૩ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી
દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાંથી પ્રશ્ન- રાગને જ્ઞાનનું જ્ઞય તો બનાવવું ને?
ઉત્તર- રાગને જ્ઞાનનું શેય “બનાવવા જાય” છે તે દષ્ટિ જ જૂઠી છે. સ્વયંને જ્ઞય બનાવ્યો, તો રાગ તેમાં (જુદો ) જણાય જ છે. રાગને જ્ઞય શું બનાવવું છે? IT ૪૩૩ાા
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ, બોલ નં-૩ર૬) (રાગને) જ્ઞાનનું શેય, જ્ઞાનનું જ્ઞય કહે છે અને લક્ષ રાગ તરફ છે તો તે સાચું જ્ઞાનનું જ્ઞય છે જ નહીં. જ્ઞાનનું ઝેય તો અંદરમાં સહજરૂપ થઈ જાય છે. લક્ષ બહાર પડયું છે અને જ્ઞાનનું mય છે એમ બોલે તો મને તો ખટકે છે. એ રીતે યોગ્યતા', ક્રમબદ્ધ' વગેરે બધામાં લક્ષ બહાર પડ્યું હોય અને કહે તેતો મને ખટકે છે. IT ૪૩૪T
(શ્રી દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ બોલ નં-૫૭૯ ) નિમિત્તસે તો કિંચિત માત્ર લાભ નહીં હૈ, લેકિન ઉઘાડ જ્ઞાન સે (ઇન્દ્રિયજ્ઞાનસે) ભી કુછ લાભ નહીં હૈ. ઉઘાડ જ્ઞાનમેં તુઝે હર્ષ આતા હૈ, તો ત્રિકાળ સ્વભાવ કી તુઝે મહત્તા નહીં આયી હૈ.// ૪૩૫TI
(દ્રવ્યદષ્ટિ પ્રકાશ, બોલ નં-૩૫૯)
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ર૨૪ શ્રી તવાનુશાસન तदर्थानिन्द्रियैर्गृह्णन्मुह्यति द्वेष्टि रज्यते। ततो बद्धो भ्रमत्येव मोहव्यूह-गतः पुमान।।१९।।
અર્થ - એમ ઇન્દ્રિયોના વિષયોને ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરતો જીવ રાગ કરે છે. વૈષ કરે છે. તથા મોહને પ્રાપ્ત થાય છે. અને એ રાગદ્વેષ-મોહરૂપ પ્રવૃત્તિઓ વડ નવા કર્મથી બંધાય છે. એ રીતે મોહની સેનાથી ઘેરાયેલી અને તેના ચક્કરમાં પડેલો ફસાયેલો-આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. ૪૩૬ TI [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક ૧૯] यो मध्यस्थ: पश्यति जानात्यात्मानमात्मनात्मन्याऽऽत्मा। हगवगमचरणरुपः स निश्चयान्मुत्त्किहेतुरिति हि जिनोत्त्कि:
અર્થ:- જે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા મધ્યસ્થભાવથી આત્માને આત્મા દ્વારા આત્મામાં દેખે છે–જાણે છે. –તે નિશ્ચયનયથી સ્વયે મુક્તિનો હેતુ બને છે. એવું સર્વજ્ઞદેવ જિનવરની વાણીમાં કહેલ છે. // ૪૩૭IT [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક ૩૨]
गुप्तेन्द्रिय-मना ध्याता ध्येयं वस्तु यथास्थितम्। ऐकाग्र-चिंतनं ध्यानं निर्जरा-संवरौ फलम्।।३८।।
અર્થ:- ઇન્દ્રિયો તથા મનોયોગનો નિગ્રહ કરનાર “ધ્યાતા” કહેવાય છે. યથાવસ્થિત વસ્તુ “ધેય” કહેવાય છે. એકાગ્રચિંતન તે
ધ્યાન” છે. અને “ફલરૂપ નિર્જરા તથા સંવર ભાવ હોય છે. ધર્મધ્યાનની સામગ્રી કહી. ૪૩૮ાા
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક ૩૮]
* જ્ઞાની એમ માને છે કે – હું મનથી છ દ્રવ્યને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૫ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
ધ્યાતાને ધ્યાન કહેવાનો હેતુ ध्योयाऽर्थाऽऽलम्बनं ध्यानं ध्यातुर्यस्मान्न भिद्यते। द्रव्यार्थिकनयात्तस्माद्ध्यातैव ध्यानमुच्यते।।७०।।
અર્થ:- નિશ્ચયનયની દૃષ્ટિથી ધ્યેય વસ્તુના અવલંબનરૂપ જે ધ્યાન છે તે ખરેખર ધ્યાતાથી ભિન્ન નથી હોતું અર્થાત્ ધ્યાતા આત્માને છોડી અન્ય વસ્તુનું અવલંબન લેતો નથી માટે ધ્યાતા એ જ ધ્યાન એમ કહ્યું છે. નિશ્ચયનયની દૃષ્ટિથી ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનાં સાધનોનો કોઈ વિકલ્પ ઉઠતો નથી-ઐક્યતા છે. તે ૪૩૯ો. [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુશાસન શ્લોક ૭૦]
ધ્યાતિનું લક્ષણ इष्टे ध्येये स्थिरा बुद्धिर्या स्यात् सन्तान-वर्तिनी। ज्ञानाऽन्तराऽपरामृष्टा सा ध्यातिानमीरिता।।७२।।
અર્થ- સંતાનક્રમે અર્થાત્ પ્રવાહરૂપે ચાલી આવતી બુદ્ધિ પોતાના ઈષ્ટધ્યેયમાં સ્થિર થતી અન્ય જાણવામાં સ્પર્શ કરતી નથી એને જ ધ્યાતિરૂપ ધ્યાન કહેવામાં આવેલ છે.
ભાવાર્થ- નિશ્ચયનયે શુદ્ધ સ્વઆત્મા જ ધ્યેય છે અને પ્રવાહરૂપે શુદ્ધ સ્વઆત્મામાં વર્તનારી બુદ્ધિ જ્યારે આત્મામાં સ્થિર થાય છે ત્યારે તે બુદ્ધિ-જ્ઞાન-અન્ય કોઈ પદાર્થને સ્પર્શ કરતી નથી એવી ધ્યાનારૂઢ બુદ્ધિ એટલે ધ્યાતિ જ ધ્યાન કહેવાય છે. ૪૪Oા [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક ૭૨]
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, શેય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી રર૬ આત્માદ્રવ્ય સર્વાધિક ધ્યેય શા માટે? सति हि ज्ञातरि ज्ञेयं ध्येयतां प्रतिपधते। ततो ज्ञानस्वरुपोऽयमात्मा ध्येयतमः स्मृतः।। ११८ ।।
અર્થ- જ્ઞાતાના અસ્તિત્વમાં જ જ્ઞય છે તે ધ્યેયતાને પ્રાપ્ત બને છે માટે જ્ઞાનસ્વરૂપ આત્મા જ ધ્યેયતમ-સર્વાધિક ધ્યેય છે.
ભાવાર્થ- જ્યારે કોઈ પણ શેય વસ્તુ જ્ઞાતા વિના ધ્યેયતાને પ્રાપ્ત થતી નથી માટે જ્ઞાનસ્વરૂપ આત્મા જ અધિક મહત્વનું ધ્યેય ઠરે છે. IT ૪૪૧TT
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુશાસન શ્લોક ૧૧૮] સ્વસંવેદનનું લક્ષણ वेद्यत्वं वेदकत्वं च यत्स्वस्य स्वेन योगिनः। तत्स्व-संवेदनं प्राहुरात्मनोऽनुभवं दशम्।।१६१।।
અર્થ- યોગીને સાક્ષાત્ દર્શનરૂપ પોતાના આત્માને જે પોતા વડે વેધપણું અને વેદકપણું છે તેને સ્વસવેદન કહે છે. અને તે આત્માના દર્શનરૂપ અનુભવ છે.૪૪૨
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વોનું શાસન શ્લોક ૧૬૨ ] સ્વઆત્મા વડે સંવેધ આત્માસ્વરૂપ द्दग्बोध-साम्यरुपत्वाज्जानन्पश्यन्नुदासिता। चित्सामान्य-विशेषात्मा स्वात्मनैवाऽनुभूयताम्।।१६३।।
અર્થ:- દર્શન-જ્ઞાન અને સમતારૂપ પરીણમતો-જ્ઞાતા-દષ્ટા અને વીતરાગતાને ધારણ કરતો આત્મા સામાન્ય-વિશેષરૂપ, અથવા જ્ઞાન-દર્શનાત્મક ઉપયોગરૂપ છે એવા આત્માને આત્મા દ્વારા જ
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી અનુભવ કરવો જોઈએ.
ભાવાર્થ- આત્મા જ્ઞાન-દર્શન અને સમતારૂપ છે અર્થાત્ જે જ્ઞાતા-દ્રષ્ટા અને ઉપેક્ષિતા (વીતરાગતા) એ લક્ષણમાં જે સ્થિત છે તેને સામાન્ય-વિશેષરૂપે (ચૈતન્યસ્વરૂપ છે)-દર્શન-જ્ઞાન-સ્વરૂપે છે એમ અનુભવવો જોઈએ. ૪૪૩ાા
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૩] ઈન્દ્રિયજ્ઞાન તથા મન દ્વારા આત્મા દેખાય નહિ न हीन्द्रियधिया द्दश्यं रुपादिरहितत्त्वतः। वितर्कास्तन्न पश्यन्ति ते ह्यविस्पष्ट-तर्कणाः।। १६६ ।।
અર્થ- આત્માનું સ્વરૂપ રૂપાદિથી રહિત હોવાથી ઇન્દ્રિયજ્ઞાન વડે દેખી શકાતું નથી તથા તર્ક કરવાથી પણ દેખાતું નથી કેમ કે પોતાના તર્કમાં વિશેષરૂપથી સ્પષ્ટ જણાતો નથી.
ભાવાર્થ- ઇન્દ્રિયો વર્ણ-રસ-ગંધ અને સ્પર્શ વિશિષ્ટ પદાર્થોને જાણી શકે છે પરંતુ આત્મા એવા વર્ણાદિ ગુણોથી રહિત છે તથા અનુમાન આદિ વડ તર્ક કરવાથી પણ એટલે મનથી પણ દેખાતો નથી. વિતર્ક એટલે શ્રુત છે તે મનનો વિષય છે તેથી વિતર્ક વડે પણ આત્મા દેખાતો નથી./ ૪૪૪
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વોનું શાસન શ્લોક ૧૬૬ ] ઈન્દ્રિય-મનનો વ્યાપાર બંધ થતાં સ્વસંવિત્તિ વડે આત્મદર્શન उभयस्मिन्निरुद्धे तु स्यादविस्पष्टमतीन्द्रियम्। स्वसंवेद्यं हि तद्रूपं स्वसंवित्यैव द्दश्यताम्।।१६७।।
* ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૨૮
અર્થ:- ઇન્દ્રિય અને મન બન્નેનો નિરોધ થતાં અતીન્દ્રિય જ્ઞાન વિશેષરૂપથી સ્પષ્ટ થાય છે માટે આત્માનું એ રૂપ જે સ્વસંવેદનથી દેખાય છે તેને સ્વસંવેદન વડે જ દેખવો જોઈએ.
ભાવાર્થ:- જ્ઞાનસ્વરૂપ સ્વસંવેદન વડે જ આત્માસ્વરૂપને દેખવું. અન્ય કોઈ ઉપાય નથી. તેને માટે ઇન્દ્રિય અને મનનો વ્યાપાર બંધ કરી અર્થાત્ ઇન્દ્રિય અને મનને આત્માધીન કરવાં એ જ ઉપાય છે.।। ૪૪૫૫
[શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૭] સ્વસંવિત્તિનો સ્પષ્ટ અર્થ
वपुषोऽप्रतिभासेऽपि स्वातंत्र्येन चकासती।
चेतना ज्ञानरुपेयं स्वयं द्दश्यत एव हि ।। १६८ ।।
અર્થ:- સ્વતંત્રપણે ચમકતી (પ્રકાશતી) આ જ્ઞાનરૂપ ચેતના તે શરીરૂપે પ્રતિભાસિત ન થતી જ સ્વયં જ દેખવામાં આવે છે.
ભાવાર્થ:- સંવિત્તિ એટલે જ્ઞાનચેતના. તે પરની અપેક્ષા નહિ રાખતી સ્વતંત્ર રૂપથી પ્રકાશતી દેખવામાં આવે છે. તેમાં શરીરનો કાંઈ પ્રતિભાસ નથી હોતો.।। ૪૪૬।।
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૮] સમાધિમાં આત્માને જ્ઞાન સ્વરૂપ નહિ અનુભવ કરનાર યોગી આત્મધ્યાની નથી समाधिस्थेन यद्यात्मा बोधात्मा नाऽनुभूयते । तदा न तस्य तद्ध्यानं मूर्च्छावन्मोह एव सः ।। १६९।। અર્થ:- સમાધિમાં સ્થિત યોગી જો આત્માને જ્ઞાનસ્વરૂપ
અનુભવ
* ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી કરતો નથી તો સમજવું કે એ સમયે તેને આત્મધ્યાન નથી પરંતુ મૂછગત મોહ માત્ર છે. અહીં ધ્યાનસ્તવની ૫ મી ગાથા કહીં કે
समाधिस्थस्य यद्यात्मा ज्ञानात्मा नाऽवभासते। न तद्ध्यानं त्वया देव! गीतं मोहस्वभावकम्।।।
જ્ઞાનસ્વરૂપના અનુભવ વિનાનું જ્ઞાન મોહકૃત મૂછ જ છે એમ કહ્યું. ૪૪૭ના
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૯] આત્માના અનુભવનું ફળ तमेवानुभवंश्चायमेकाग्र्यं परमृच्छति। तथाऽऽत्माधीनमानन्दमेति वाचामयगोचरम्।।१७०।।
અર્થ- એવા જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરતા યોગીસમાધિસ્થ યોગી–પરમ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે જેથી એવા સ્વાધીન આનંદનો અનુભવ કરે છે કે જે વચનગોચર નથી. અહીં અધ્યાત્મરહસ્ય (અ. ૨)ની ગાથા કહીઃ
मामेवाऽहं तथा पश्यन्नैकाग्र्यं परमश्नुवे। भजे मत्कन्दमानन्दं निर्जरा-संवरावहम्।। ४७।।
ભાવાર્થ:- આત્મદર્શનથી, ધ્યાનમાં એકાગ્રતાની વૃદ્ધિ થાય છે તેથી યોગીને સ્વભાવિક આત્મીય આનંદની પ્રાપ્તિ થાય છે જેનું વર્ણન કરી શકાતું નથી. ૪૪૮ાા
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વોનું શાસન શ્લોક ૧૭૦]
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ર૩૦ સ્વરૂપ નિષ્ઠ યોગી એકાગ્રતાને છોડતા નથી यथा निर्वात-देशस्थः प्रदीपो न प्रकम्पते। तथा स्वरुपनिष्ठोऽयं योगी नैकाग्र्यं मुज्झति।।१७१।।
અર્થ:- જેમ પવનરહિત સ્થાનમાં રાખેલ દીપકમાં કંપન થતું નથી-અડોલ રહે છે–તેમ સ્વસ્વરૂપમાં સ્થિત યોગી એકાગ્રતાને છોડતો નથી.
ભાવાર્થ:- જ્યાં વાયુનો સંચાર ન હોય ત્યાં દીપક અડોલ રહે છે તેમ બાહ્યદ્રવ્યોના સંસર્ગથી રહિત યોગી પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે–પોતાની એકાગ્રતાને છોડતો નથી (અટલ-અચલ ટકે છે). IT ૪૪૯ તા. [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુશાસન શ્લોક ૧૭૧]
આત્મામાં લીન યોગીને બાહ્યપદાર્થો પ્રતિભાસિત થતા નથી तदा च परमैकाग्रयाद् बहिरर्थेषु सत्स्वपि। अन्यत्र किंचनीऽऽभाति स्वमेवात्मनि पश्यतः।। १७२।।
અર્થ- યોગી સમાધિકાળમાં આત્મને દેખે છે, જેથી બાહ્યપદાર્થો જોકે ત્યાં વિદ્યમાન હોવા છતાં આત્મા પરમએકાગ્રયતાને પ્રાપ્ત હોવાથી તેને બાહ્ય પદાર્થોનું કાંઈ પણ ભાન રહેતું નથી. આ બધું પરમ એકાગ્રતાનો જ મહિમા છે કે કોઈપણ (અન્ય) ચિંત્વન નથી હોતું.// ૪૫Oા
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક
૧૭ ]
* હું પરને જાણું છું- તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૩૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
અન્યથી શૂન્ય છતાં આત્મા સ્વરૂપથી શૂન્ય નથી હોતો. अत एवाङन्य-शून्योङपि नाडडत्मा शून्य: स्वरुपतः। शून्यङशून्या स्वभावोङयमात्मनैवोपलभ्यते।। १६३।।
માટે અન્ય પદાર્થોથી શૂન્ય હોવા છતાં પણ આત્મ સ્વરૂપથી શૂન્ય થતો નથી. આત્મસ્વરૂપમાં લીન છે. આત્માનો આ શૂન્યતા અને અશૂન્યતામય સ્વભાવ પોતાના આત્મા વડે જ ઉપલબ્ધ થાય છે-અન્ય બાહ્ય પદાર્થો વડે નહિ. અર્થાત્ શૂન્યડશૂન્ય સ્વભાવને પ્રાપ્ત હોય છે.
ભાવાર્થ:- ૫૨દ્રવ્યાદિ ચતુષ્ટયના અભાવની અપેક્ષાએ આત્મા શૂન્ય અને સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયના સદ્ભાવથી અશૂન્ય હોય છે. અર્થાત્ આત્મા સ્વસંવેધ છે.। ૪૫૧।।
(શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુંશાસન શ્લોક ૧૭૩) મુક્તિ માટે નૈરાįાદ્વૈત દર્શનની ઉક્તિનું સ્પષ્ટીકરણ ततश्च यज्जगुर्मुकत्ये नैरात्म्याड्वेत-दर्शनम्। तदेतदेव यत्सम्यगन्याङपोढाङङत्मदर्शनम्।। १६८ ।। અર્થ:- મુક્તિની પ્રાપ્તિ માટે જે નિરાત્મ્ય-અદ્વૈત દર્શનની વાત કરી છે એનો અર્થ એમ છે કે તેમાં અન્ય આભાસ રહિત, સમ્યગ્ આત્મદર્શન રૂપ છે.
ભાવાર્થ:- નૈરાપ્ત્યા-દ્વૈત દર્શન જે કહ્યું છે તે કોઈ આગમમાં હશે પરંતુ તેની અહીં સ્પષ્ટતા કરી છે કે અન્ય આભાસથી રહિત માત્ર કેવળ આત્મદર્શન રૂપે પરિણમતા ત્યાં અન્ય કોઈ વસ્તુનો પ્રતિભાસ નથી. અને જો પ્રતિભાસ થાય તો સમજવું કે ત્યાં અદ્વૈત દર્શન નથી.।। ૪૫૨।।
(શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુંશાસન શ્લોક ૧૭૮) * ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ર૩ર
દ્વિતીય આવૃત્તિમાં થયેલ વધારો * ભાવાર્થ:- ઇન્દ્રિયજન્યજ્ઞાન કર્મોદય-ઉપાધિ સહિત છે. અને કર્મોદય-ઉપાધિ દુઃખરૂપ છે તથા કર્મબંધનું કારણ છે તેથી એ જ્ઞાન દુઃખદાયક જ છે. ૪૫૩ના (શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, ગાથા ૩૦૫-૩૦૬ નો ભાવાર્થ ૫. શ્રી
મખનલાલજી) * વિશેષાર્થ:- યહૉ ઇન્દ્રિય નિમિત્તક જ્ઞાનમેં દોષ બતલાકર વહુ દુઃખરૂપ કૈસે હૈ યહ બતલાયા ગયા હૈ. યહ તો સ્પષ્ટ હી હૈ કિ ઈન્દ્રિયજ્ઞાન સ્વભાવોત્થ ન હોકર વિવિધ કારણ કલાપોંકે મિલને પર હી હોતા હૈ, અન્યથા નહીં હોતા, ઇસલિયે વધુ વ્યાકુલતાકા કારણ હોનેસે દુ:ખરૂપ હૈ. અધિકતર દેખા તો યહાં તક જાતા હૈ કિ મિથ્યાત્વકે સદ્ભાવમેં જીવકી જો નાના પ્રકારસે દુર્દશા હોતી હૈ ઉસમેં ઇસકા બડા હાથ રહતા હૈ. સંસારી જીવ પહુલે વિષયોંકો જ્ઞાન દ્વારા જાનતા હૈ ઔર તબ ઉસમેં રાગ દ્વેષ કરતા હૈ. ઇસલિયે અનર્થ પરંપરાકી જડ યહ ઈન્દ્રિયજ્ઞાન હી હૈ. અત:યહ ભી હેય હૈ. બુદ્ધીમાન ઇસકા કભી ભી આદર નહીં કરતા. કિન્તુ વહુ અવિનાશી નિશ્ચલ, પરનિરપેક્ષજ્ઞાનકે લિયે સતત પ્રયત્નશીલ હૈ. ૪૫૪ (શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધ, ગાથા-૩૮૬ કા વિશેષાર્થ ૫. શ્રી
ફુલચન્દજી) * જ્ઞાન- અર્થ વિકલ્પાત્મક હોય છે અર્થાત્ જ્ઞાન સ્વ-પર પદાર્થને વિષય કરે છે તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષાએ જ્ઞાન એક જ છે. કેમ કે અર્થ વિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે પરંતુ વિશેષ વિશેષ વિષયોની
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
અપેક્ષાએ તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. (૧) સમ્યગ્ગાન (૨) મિથ્યાજ્ઞાન.।। ૪૫૫||
(શ્રી પંચાધ્યાયી પૂર્વાધ, પં. શ્રી મખનલાલજી, ગાથા-૫૫૮)
* ટીકા:- પ્રથમ તો આ લોકમાં ભગવંત સિદ્ધો જ શુદ્ધજ્ઞાનમય હોવાથી સર્વતઃચક્ષુ છે અને બાકીનાં બધાંય ભૂતો ( –જીવો) મૂર્ત દ્રવ્યોમાં જ તેમની દૃષ્ટિ લાગતી હોવાથી, ઇન્દ્રિયચક્ષુ છે. દેવો સૂક્ષ્મત્વવાળાં મૂર્ત દ્રવ્યોને ગ્રહણ કરતા હોવાથી અધિચક્ષુ છે; અથવા તેઓ પણ માત્ર રૂપી દ્રવ્યોને દેખતા હોવાથી તેમને ઇન્દ્રિયચક્ષુવાળાંઓથી જુદા ન પાડવામાં આવે તો, ઇન્દ્રિયચક્ષુ જ છે. એ રીતે આ બધાય સંસારીઓ મોહ વડે ઉપહત હોવાને લીધે શેયનિષ્ઠ હોવાથી, જ્ઞાનનિષ્ઠપણાનું મૂળ જે શુદ્ધાત્મતત્ત્વનું સંવેદન તેનાથી સાધ્ય ( –સધાતું) એવું સર્વતઃ ચક્ષુપણું તેમને સિદ્ધ થતું નથી.
હવે તેની (સર્વતઃ ચક્ષુપણાની ) સિદ્ધિને માટે ભગવંત શ્રમણો આગમચક્ષુ હોય છે. તેઓ તે આગમરૂપ ચક્ષુ વડે, જોકે શેય અને જ્ઞાનનું અન્યોન્ય મિલન હોવાને લીધે તેમને ભિન્ન કરવાં અશકય છે (અર્થાત્ શૈયો જ્ઞાનમાં ન જણાય એમ કરવું અશકય છે) તો પણ, સ્વપરનો વિભાગ કરીને, મહામોહને ’ જેમણે ભેદી નાખ્યો છે એવા વર્તતા થકા ૫૨માત્માને પામીને સતત જ્ઞાનનિષ્ઠ જ રહે છે, ૪૫૬।।
(શ્રી પ્રવચનસારજી, ગાથા ૨૩૪, ટીકા )
* ટીકાઃ- આ લોકમાં ખરેખર, સ્યાત્કાર જેનું ચિહ્ન છે એવા આગમપૂર્વક તત્ત્વાર્થ શ્રદ્ધાનલક્ષણવાળી દષ્ટિથી જે શૂન્ય છે તે બધાયને
* ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથી ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ર૩૪ સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી, કારણ કે (૧) સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાયો સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવો, (પોતાને) વિષયોની અભિલાષાનો નિરોધ નહિ થયો હોવાને લીધે જ જીવનિકાયના ઘાતી થઈને સર્વતઃ (બધીયેતરફથી) પ્રવૃત્તિ કરતા હોવાથી, તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે (અર્થાત્ એક્ટ તરફથી –જરાય નિવૃત્તિ નથી), તેમ જ (૨) તેમને પરમાત્મજ્ઞાનના અભાવને લીધે શેયસમૂહને દમે જાણતી નિરર્મળ જ્ઞતિ હોવાથી જ્ઞાનરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતાની પ્રવૃત્તિનો અભાવ છે. (આ રીતે તેમને સંયમ સિદ્ધ થતો નથી) અને (એ રીતે ) જેમને સંયમ સિદ્ધ નથી તેમને સુનિશ્ચિત ઐકાગ્રયપરિણતપણારૂપ ભેગું લેવું શ્રામપ્ય જ-કે જેનું બીજું નામ મોક્ષમાર્ગ છે તે જ-સિદ્ધ થતું નથી. ૪૫૭ના
(શ્રી પ્રવચનસારજી, ગાથા-૨૩૬ ટીકા)
* ઈન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
પૂ. ગુરુદેવશ્રીના વચનામૃત
* અહીં ઉપયોગની વાત ચાલે છે ઉપયોગ ચૈતન્યનું એંધાણ અથવા ચિહ્ન છે. ઉપયોગ આત્માને અવલંબે છે. આત્મદ્રવ્ય પણ શેય છે, ગુણ શેય છે ને પર્યાય પણ જ્ઞેય છે. ઉપયોગ પણ જ્ઞેય છે. ઉપયોગનો સ્વભાવ જાણવા દેખવાનો છે. તે પરજ્ઞેયોને અવલંબતો નથી, કારણ કે પ૨ શૈયોમાં ઉપયોગ નથી. જે જેનામાં ન હોય તેનું અવલંબન તે કેવી રીતે લ્યુ? ૫૨ શેયોમાં કોઈમાં જાણવા દેખવાનો સ્વભાવ એટલે કે ઉપયોગ નથી માટે ઉપયોગ ૫૨નું અવલંબન લ્યે તેવો ઉપયોગનો સ્વભાવ નથી.।। ૪૫૮।।
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી, પાનું ૩૫-૩૬, પેરા-૪)
* આત્માને ૫૨ શૈયોનું અવલંબન તો નથી જ પણ તેની જ્ઞાનપર્યાય જે ઉપયોગ તેને પણ શેયોનું અવલંબન નથી. ઉપયોગનો સ્વભાવ જાણવા દેખવાનો છે. તે જ્ઞેયોને લીધે જાણતો નથી. ઉપયોગનું આવું સ્વરૂપ છે એમ તે જ્ઞેયને તું જાણ, ઉપયોગ અકારણીય છે એમ જાણ. ઉપયોગમાં ૫૨ શેયનો અભાવ છે તો તેનું આલંબન કેવી રીતે હોય ? ન જ હોય. પણ વ્યવહારનું કથન આવે ત્યાં જીવો અજ્ઞાનના કા૨ણે ભૂલ કરી બેસે છે.।। ૪૫૯।।
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી, પાનું-૩૭, પેરા-૨ )
* ૫૨ પદાર્થને જ માત્ર લક્ષમાં લઈ, ૫૨ના અવલંબને પ્રગટ થતું જ્ઞાન તે જ્ઞાન જ નથી. નિમિત્તોના અવલંબનવાળું, મનના અવલંબનવાળું, ઇન્દ્રિયોના અવલંબનવાળું, પંચપરમેષ્ઠિના અવલંબનવાળું, શાસ્ત્રના અવલંબનવાળું-એવા એકલા પરલક્ષી જ્ઞાનને જ્ઞાન જ કહ્યું નથી, પણ
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૩૬ તેને મિથ્યાજ્ઞાન કહ્યું છે, તેને અહીં ઉપયોગમાં લીધેલ નથી. ૪૬Oાા
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી પાનું-૩૮, પેરા-૨) * જે ઉપયોગને શેય પદાર્થોનું આલંબન નથી પણ સ્વનું આલંબન છે એવા ઉપયોગ લક્ષણવાળો તારો આત્મા છે એમ તારા સ્વયને તું જાણ. આ રીતે તારા આત્માને બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી પણ સ્વભાવના આલંબનવાળું જ્ઞાન છે. એમ તારા આત્મરૂપ સ્વયને તું જાણ. ૪૬૧ ના
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી, પાનું-૪૦, પેરા-૪) * હવે આઠમાં બોલમાં કહે છે કે જ્ઞાન પરમાંથી લવાતું નથી. જે જ્ઞાનનો વ્યાપાર જ્ઞાતાદ્રષ્ટા શુદ્ધ સ્વભાવનું અવલંબન છોડી નિમિત્તનું લક્ષ કરે તેને જ્ઞાન ઉપયોગ જ કહેતા નથી જેવી રીતે ઇન્દ્રિયોથી જાણે તે આત્મા કહેવાતો નથી તેમ જે ઉપયોગ પરનું અવલંબન ત્યે તેને ઉપયોગ કહેતા નથી. ૪૬૨
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી પાનું-૪૨, પેરા-૪) * જ્ઞાનની પર્યાયમાં પર શેયો જણાય ભલે, પણ એ જ્ઞાનપર્યાયનો સંબંધ કોની સાથે છે? એ શેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું? તો કહે છે કે સર્વશ્રુતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે. તે જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાભ્ય છે તે જ્ઞાન આત્માને બતાવે છે–તેથી તે ભેદરૂપ વ્યવહાર છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. તેથી સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી છે..! ૪૬૩ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પાનું-૧૨૮, પેરા-૨) * પ્રશ્ન- શાસ્ત્રથી આત્માને જાણ્યો અને પછી પરિણામ આત્મામાં
* ઇન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૭ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી મગ્ન તે બેમાં આત્માને જાણવામાં શું ફેર છે?
ઉત્તર:- શાસ્ત્રથી જાણપણું કર્યું એ તો સાધારણ ધારણારૂપ જાણપણું છે અને આત્મામાં મગ્ન થઈ અનુભવમાં તો આત્માને પ્રત્યક્ષ વેદનથી જાણે છે. તેથી એ બેમાં મોટો ફેર છે, અનંતગણો ફેર છે. IT ૪૬૪
(શ્રી પરમાગમસાર, બોલ-૩૭) * આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ જવું તે છે. શ્રીમદે કહ્યું છે ને “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતા નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે, અને તત્ત્વના સંસ્કાર ઉંડા ઉતરશે. ૪૬૫TT
(શ્રી પરમાગમસાર, બોલ-૪૨) * પ્રશ્ન:- વાંચન-શ્રવણ-મનન કરવા છતાં આત્માનો અનુભવ કેમ થતો નથી?
ઉત્તર:- વાંચન આદિ તો બધું બહિર્મુખ છે ને આત્મવસ્તુ આખી અંતર્મુખ છે. એથી એને અંતર્મુખ થવું જોઈએ. પરને જાણવાનો ઉપયોગ સ્થલ છે તેને સૂક્ષ્મ કરી અંતર્મુખ કરવાનો છે. અંતરમાં ઉંડાણમાં જાય તો અનુભવ થાય. જ્ઞાયક.. જ્ઞાયક.. જ્ઞાયક છું, ધ્રુવ છું એવા અંતરમાં સંસ્કાર નાખે તો આત્માનું લક્ષ થઈને અનુભવ થાય જ. / ૪૬૬ ા
(શ્રી પરમાગમસાર, બોલ-૬૬) * શ્રુતની જે વાણી છે તે અચેતન છે તેમાં જ્ઞાન નથી આવ્યું માટે ભગવાન આત્મા ને દ્રવ્યશ્રુત ભિન્ન છે, એટલે કે દ્રવ્યશ્રુતથી આત્માને જ્ઞાન થતું નથી.
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ર૩૮ દ્રવ્યશ્રતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે કેમ કે તે પરલક્ષી જ્ઞાન છે સ્વલક્ષી જ્ઞાન નથી. દ્રવ્યશ્રુત જડ વાણી તે આત્મા નથી ને તેને સાંભળવાથી જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. સ્વભાવને સ્પર્શીને થયેલું જ્ઞાન તે જ્ઞાન છે. દ્રવ્યશ્રુત તો જડ છે પણ તેના નિમિત્તે જે જ્ઞાન થાય તે પરસત્તાવલંબી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. દ્રવ્યશ્રુતના જ્ઞાનથી આત્મા ભિન્ન છે. IT ૪૬૭
(શ્રી પરમાગમસાર, બોલ-૭૪) * જ્ઞાનના ક્ષયોપશમનું વજન નથી પણ અનુભૂતિનું વજન છે. તેથી કહે છે કે આત્માને અનુલક્ષીને આત્માના સ્વાદનો અનુભવ થવો તે અનુભૂતિ છે અને બાર અંગમાં પણ અનુભૂતિનું વર્ણન કર્યું છે–અનુભૂતિ કરવાનું કહ્યું છે. અનાકુળ જ્ઞાન ને અનાકુળ આનંદનો અનુભવ કરવો એમ બાર અંગમાં કહ્યું છે. શુદ્ધ આત્માની દષ્ટિ કરીને સ્થિરતા કરવી એમ તેમાં કહ્યું છે. બાર અંગથી વિશેષ શ્રુતજ્ઞાન ન હોય. તેમાં ચારેય અનુયોગનું જ્ઞાન આવી જાય છે-એવું ઉત્કૃષ્ટ બાર અંગનું જ્ઞાન તે મોક્ષમાર્ગ નથી. બાર અંગવાળાને સમ્યગ્દર્શન હોય જ-સમ્યગ્દર્શન વિના બાર અંગનું જ્ઞાન ન જ હોય પણ તે ક્ષયોપશમજ્ઞાન તે મોક્ષમાર્ગ નથી પરંતુ અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે. આટલો બધો ઉઘાડ થયો માટે મોક્ષમાર્ગ વધી ગયો તેમ નથી. ૪૬૮
(શ્રી પરમાગમસાર, બોલ-૭૯) * પ્રશ્ન- જ્ઞાનનો સ્વભાવ જાણવાનો જ છે તો પોતે પોતાને કેમ નથી જાણતો?
ઉત્તર- એનો સ્વભાવ પોતાને જાણવાનો છે પણ અજ્ઞાનીની
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૩૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
દૃષ્ટિ પર ઉપર છે. એટલે પોતે જણાતો નથી. ૫૨માં કયાંક કયાંક અધિકતા પડી છે એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. અધિકપણાનું એનું બળ પરમાં જાય છે તેથી પોતે જણાતો નથી.।। ૪૬૯।।
(શ્રી પરમાગમસાર, બોલ-૯૧)
*
૧૨ અંગના જ્ઞાનને પણ સ્થૂલ જ્ઞાન કહ્યું છે કે જે બાર અંગનું જ્ઞાન લખ્યું લખાય નહિ, ભણ્યું ભણાય નહિ, સાંભળીને કહી શકાય નહિ, છતાં એ જ્ઞાનને સ્થૂલ કહ્યું છે. જે જ્ઞાન રાગને ભિન્ન પાડીને પર્યાયને ભગવાન બનાવે છે તે જ્ઞાનને ભગવતીપ્રજ્ઞા કહે છે. સમ્યજ્ઞાન કહે છે. એ ભગવતીપ્રજ્ઞા વડે ભવના નીવેડા આવે છે.
|| ૪૭૦।।
(શ્રી ૫૨માગમસાર, બોલ. ૧૦૪)
* સમ્યગ્દર્શનમાં ક્ષયોપશમજ્ઞાન છે તે કેવું છે-કે નિર્વિકારસ્વસંવેદન લક્ષણવાળું છે, એમ કહીને એમાં કહે છે કે, શાસ્ત્રજ્ઞાન છે તે કાર્ય નહીં કરે પણ નિર્વિકારી સ્વસંવેદનજ્ઞાન છે તે કાર્ય કરે છે. તેને અહીં ક્ષયોપશમજ્ઞાન કહે છે, સમ્યગ્દર્શન થતાં જે જ્ઞાન છે તે ક્ષયોપશમજ્ઞાન છે, ભલે ક્ષાયિક સમ્યગ્દર્શન હો પણ જ્ઞાન તો ક્ષયોપશમજ્ઞાન છે.।। ૪૭૧।।
(શ્રી પરમાગમસાર, બોલ–૧૧૯ )
* નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય આનંદનો અનુભવ જેનું લક્ષણ છે એવું સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન છે. શાસ્ત્રભણતર તે જ્ઞાન નથી, પણ નિર્વિકલ્પ-સ્વસંવેદનલક્ષણ તે જ્ઞાન છે. સુખાનુભૂતિમાત્રલક્ષણ સ્વસંવેદનજ્ઞાનથી આત્મા
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૪૦ જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારીસ્વસંવેદનજ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણીથી જણાય તેવો નથી. ભગવાનની ભક્તિથી જણાય તેવો નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદનશાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદનશાનથી એને જણાય એવા છે. ૪૭રો
(શ્રી પરમાગમસાર, બોલ–૧૨૦, ) * જ્ઞાનની દશામાં અનુભૂતિસ્વરૂપ ભગવાન જણાય છે, છતાં તેને તું કેમ જાણતો નથી. અરેરે !! જ્ઞાનની દશામાં ભગવાન જણાવા છતાં અનાદિથી વિકલ્પને તાબે થઈને રહ્યો હોવાથી ભગવાન જણાતો નથી. જ્ઞાનરૂપી અરીસાની સ્વચ્છતામાં ભગવાન આત્મા જણાવા છતાં પોતાને ખબર કેમ પડતી નથી?–કે રાગના વિકલ્પને વશ થયો હોવાથી તેની નજરમાં રાગ આવે છે. તેથી ભગવાન. જણાવા છતાં જણાતો નથી. અજ્ઞાની અનાદિથી દયા-દાન આદિ વિકલ્પને તાબે થઈ ગયો હોવાથી જ્ઞાનની વર્તમાન દશામાં અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. તોપણ તેને જાણતો નથી. / ૪૭૩
(શ્રી પરમાગમ, બોલ-૧૩૧) * જે કાંઈ શાસ્ત્રનું જ્ઞાન થાય તેમાં શબ્દ નિમિત્ત છે. તેથી તે જ્ઞાનને શબ્દશ્રુતજ્ઞાન કહે છે પણ તે આત્મજ્ઞાન નથી. ખરેખર તો શબ્દશ્રુતજ્ઞાનમાં જ્ઞાનનું જે પરિણમન છે તે આત્માનું પરિણમન જ નથી, કેમ કે જેમ પુદગલની ઠંડી ગરમ આદિ અવસ્થા જ્ઞાન કરાવવામાં નિમિત્ત છે, પણ શીત-ઉષ્ણપણે પરિણમવું તે જ્ઞાનનું કાર્ય નથી, તે તો પુદગલનું કાર્ય છે, તેમ નવ તત્ત્વોની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન અને વ્યવહારચારિત્ર તે ત્રણે રાગ છે ને આત્માનું રાગપણે પરિણમવું અશકય છે./ ૪૭૪
( શ્રી પરમાગમસાર, બોલ–૧૪૧) * ઈન્દ્રિયજ્ઞાન દગાબાજ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
* જે જ્ઞાનમાં શબ્દશ્રુત આધાર છે પણ આત્મા આધાર નથી તે શબ્દશ્રુતજ્ઞાન છે, તેનાથી આત્મજ્ઞાન થતું નથી. શબ્દશ્રુતને જાણવાનો જેટલો વિકલ્પ છે તે જ્ઞાન પરલક્ષી છે. વીતરાગના શાસ્ત્રોનું જ્ઞાન છે તે પરલક્ષી જ્ઞાન હોવાથી પરલક્ષી જ્ઞાનનો નિષેધ કર્યો છે. ૪૭૫TT
(શ્રી પરમાગમસાર, બોલ-૧૪૨) * જેમ ભક્તિ આદિ બંધનું કારણ છે તેમ શાસ્ત્રભણતર પુણ્યબંધનું કારણ છે. પણ તેમાંથી નીકળીને જ્ઞાયકનો અનુભવ કરવો તે મોક્ષનું કારણ છે. શાસ્ત્ર કહે છે શું? આચારાંગાદિમાં કહે છે શું-કે આત્માનો અનુભવ કરવો. પરથી, રાગથી ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર ભણતરનો ગુણ છે પણ અભવીને તેનો અભાવ હોવાથી તે અજ્ઞાની છે, આત્મા શુદ્ધજ્ઞાનમય છે કે જે શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથી પણ રહિત છે. એવા આત્માનું જેને જ્ઞાન નથી તે શાસ્ત્ર ભણ્યો પણ તેથી શું? ૪૭૬ IT
(શ્રી પરમાગમસાર બોલ-૧૫૦) * પ્રશ્ન- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપ્રકાશક છે?
ઉત્તર- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ (જ્ઞાન સ્વપ્રકાશક છે પણ ઉપયોગરૂપ પરપ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય અને ઉપયોગરૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પર પ્રકાશક ન હોય પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક જ છે. ૪૭૭Tો.
(શ્રી પરમાગમસાર, પાન-૪૭, બોલ-૧૫૮) * પ્રશ્ન:- જ્ઞાન વિભાવરૂપ પરિણમે છે?
* મહારાજા ઈન્દ્રિયજ્ઞાનને જ્ઞાન કહે છે, સર્વજ્ઞદેવ તેને શેય કહે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૪૨ ઉત્તરઃ- જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વપરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહિ ને એકલા પરને પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. ૪૭૮
(શ્રી પરમાગમસાર, બોલ–૧૮૪) * પ્રશ્ન-મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાન વિપરીત કહેવાય છે?
ઉત્તર- મિથ્યા શ્રદ્ધાના કારણે જ્ઞાનને વિપરીત કહેવું એ તો નિમિત્તથી કથન થયું. જ્ઞાન સ્વપ્રકાશક હોવા છતાં અને પ્રકાશનું નથી તે જ્ઞાનનો પોતાનો દોષ છે. ૪૭૯.
(શ્રી પરમાગમસાર, બોલ-૧૮૫) કાગળ ઉપરના ( ચિતરેલા) દીવા ખડને બાળે નહિ, તેમ એકલા શાસ્ત્રના જ્ઞાને સંસાર બળે નહીં. ૪૮Oા
( શ્રી પરમાગમસાર, બોલ-૨૦૫) * ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપે બિરાજમાન છે તેને અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય. પણ તેને ઇન્દ્રિયો વડે જાણવાનું થતું નથી. ઇન્દ્રિયો વડે જાણવાનું કાર્ય તેને થતું નથી. તેને એટલે કે જ્ઞાયક આત્માને લિંગો વડ એટલે કે પાંચ ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી. ઇન્દ્રિય વડે જાણવાનું કામ કરે તે આત્મા નથી, ઇન્દ્રિય અણાત્મા છે, તેથી તે વડે જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન જ અણાત્મા છે, શાસ્ત્ર સાંભળે ને તે વડે જે જ્ઞાન થાય તે જ્ઞાનને આત્મા કહેતાં નથી. શાસ્ત્ર સાંભળતા ખ્યાલમાં આવે કે આમ કહે છે-એમ જે જાણવું થયું તે ઈન્દ્રિય વડે થયું હોવાથી તેને આત્મા કહેતાં નથી... ૪૮૧
(શ્રી પરમાગમસાર, બોલ-૨૫૫)
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
* અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, ઇન્દ્રિય જ્ઞાનમય નથી. ઇન્દ્રિયોથી શાસ્ત્રો વાંચ્યા, સાંભળ્યા તે જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન નહી, તે આત્મજ્ઞાન નહીં, તે તો ખંડ-ખંડ જ્ઞાન છે. ૧૧ અંગ ને ૯ પૂર્વનું જ્ઞાન પરસત્તા અવલંબી જ્ઞાન છે. તે બંધનું કારણ છે. અહીં પરમાત્મા એમ ફરમાવે છે કે પ્રભુ! એકવાર સાંભળ, આત્માને અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય તે આત્મા નહીં.।। ૪૮૨।।
(શ્રી ૫૨માગમસાર, બોલ-૨૫૬)
* ઇન્દ્રિયજ્ઞાનના જેને રસ ચઢયા છે તેને અતીન્દ્રિયજ્ઞાન થતું નથી.।। ૪૮૩।।
(શ્રી ૫૨માગમસાર, બોલ–૨૫૭)
* પરમાત્મા ફરમાવે છે કે પ્રભુ! તારા જ્ઞાનની પર્યાયમાં સદાય સ્વયં આત્મા પોતે જ અનુભવમાં આવે છે. જ્ઞાનની પ્રગટ દશામાં સર્વને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવવા છતાં પણ તું તેને દેખતો નથી. કેમ ? કે પર્યાયબુદ્ધિને વશ થઈ જવાથી પરદ્રવ્યોની સાથે એકત્વબુદ્ધિથી સ્વદ્રવ્યને દેખી શકતો નથી.।।૪૮૪।।
(શ્રી પરમાગમસાર, બોલ-૩૫૨ )
* (૫૨સન્મુખ જ્ઞાનમાં થતું પરલક્ષ છોડાવવા અને પોતાનું સ્વરૂપઅસ્તિત્વ વેધ-વેદકપણે જાણવા યોગ્ય છે. તે ન્યાયે.) જ્ઞેયજ્ઞાયક સંબંધી પણ જીવને ભ્રાંતિ રહી જાય છે કે છ દ્રવ્યો તે જ્ઞેય ને આત્મા તેનો જ્ઞાયક છે. પરંતુ જીવથી ભિન્ન પુદ્દગલ આદિ છ દ્રવ્યો તે જ્ઞેય ને આત્મા તેનો શાયક છે એમ નિશ્ચયથી નથી. અરે ! રાગ તે
* ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે ૫૨ને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૪૪
શેય ને આત્મા જ્ઞાયક એમ પણ (૫૨ સન્મુખપણે ) નથી. ૫૨દ્રવ્યોથી લાભ તો નથી પણ પ૨દ્રવ્યો જ્ઞેય ને તેનો તું જાણનાર છો એમ પણ ખરેખર નથી. હું જાણનાર છું, હું જ જણાવા યોગ્ય છું, હું જ મને જાણું છું પોતાના અસ્તિત્વમાં જે છે તે જ સ્વગ્નેય છે એમ પરમાર્થ બતાવીને ૫૨ તરફનું લક્ષ છોડાવ્યું છે.૫ ૪૮૫૫૫
(શ્રી પરમાગમસાર, બોલ-૩૮૩)
*પોતાની અપેક્ષાએ બીજા દ્રવ્યો અસત્ છે પોતે જ સત્ છે પોતે જ પોતાનો જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાનરૂપ સત્ છે. માટે પોતાના સત્નું જ્ઞાન કરવું, પોતાના સત્નું જ્ઞાન કરતાં અતીન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના રહે જ નહી, અને આનંદ ન આવે તો તેણે પોતાના સતનું સાચું જ્ઞાન કર્યું જ નથી. મૂળ તો અંતરમાં વળવું એ જ આખા સિદ્ધાંતનો સાર છે.।। ૪૮૬।।
(શ્રી પરમાગમસાર, બોલ-૩૮૪)
* આ આત્મા છે તે જ્ઞાયક અખંડ સ્વરૂપ છે. તેમાં રાગ, કર્મ કે શરીર તો તેના નથી પણ પર્યાયમાં ખંડખંડ જ્ઞાન છે તે પણ તેનું નથી જડ-ઇન્દ્રિય તો તેના નથી પણ ભાવ-ઇન્દ્રિય ને ભાવમન પણ તેના નથી. એક એક વિષયને જાણતી જ્ઞાનની પર્યાય છે એ ખંડખંડ જ્ઞાન છે. એ પરાધીનતા છે, પરવશતા છે, એ દુઃખ છે.
|| ૪૮૭।।
(શ્રી પરમાગમસાર બોલ–૩૮૬)
* અહીં તો જે જ્ઞાન આત્માના લક્ષે થાય તેને જ જ્ઞાન કહે છે. જે જ્ઞાન ઇન્દ્રિયના લક્ષે થાય છે, શાસ્ત્રના લક્ષે થાય છે તેને જ્ઞાન કહેતાં નથી. ત્રિકાળી જ્ઞાયક ભગવાનના આશ્રય વિના અગિયાર અંગના જ્ઞાનને
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૫ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી પણ જ્ઞાન કહેતાં નથી. એ બંડખંડજ્ઞાન છે તે દુઃખનું કારણ છે. ચૈતન્યજ્ઞાનપિંડને ધ્યેય બનાવીને જે જ્ઞાન થાય તે જ્ઞાન ભલે થોડું હોય તોપણ તે સમ્યજ્ઞાન છે. એવા આત્મજ્ઞાન વિનાના ખંડખંડજ્ઞાનથી હજારો માણસોને સમજાવતાં આવડે તોપણ તે જ્ઞાન અજ્ઞાન છે. ને તે ખંડખંડજ્ઞાન પરવશ હોવાથી દુઃખ છે. પરસત્તાવલંબી જ્ઞાનને જ્ઞાન કહેતાં નથી. તે ૪૮૮ાા
(શ્રી પરમાગમસાર, બોલ-૩૮૯) * અહો! આ આત્મતત્ત્વ તો ગહન છે, એને આંખો મીંચીને, બહારના પાંચ ઇન્દ્રિયનો વેપાર બંધ કરીને, મનના સંબંધથી વિચાર કરે કે અહો ! આ આત્મવસ્તુ અચિંત્ય છે. જ્ઞાયક... જ્ઞાયક. જ્ઞાયક જ છે. એવો વિકલ્પથી નિર્ણય કરે છે તે હજુ પરોક્ષ નિર્ણય છે. પરોક્ષ એટલે પ્રત્યક્ષ સ્વાનુભવ નથી થયો માટે તેને પરોક્ષ કહ્યો. મનથી બહારનો બોજો ઘણો ઘટાડી નાખે ત્યારે મનથી અંદરના વિચારમાં રોકાય અને ત્યાંથી પણ પછી ખસીને અંદર સ્વભાવના મહિનામાં રોકાય અને આનંદનો અનુભવ થાય તેને સમ્યગ્દર્શન કર્યું છે. આવું વસ્તુનું સ્વરૂપ છે ને તેને પામવાનો આ ઉપાય છે. આમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. સ્વભાવનો આશ્રયતો મૂંઝવણને ટાળી નાખે છે. અત્યારે લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયાં છે તેને તો મનથી પણ સાચો નિર્ણય કરવાનો વખત નથી. ૪૮૯
(શ્રી પરમાગમસાર, બોલ-૩૯૫) * આ આત્મા પ્રત્યક્ષ છે. જેમ સામે કોઈ ચીજ પ્રત્યક્ષ હોય છે ને! તેમ આ આત્મા પ્રત્યક્ષ છે. તેને દેખ! તેમ આચાર્યદેવ કહે છે. આ શરીર છે, કુટુંબ છે, ધન, મકાન, વૈભવ છે-એમ તું દેખે છો,
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૪૬ પણ એ બધાં તો તારાથી અત્યંત ભિન્ન પરદ્રવ્ય છે. તેનાથી ભિન્ન આ આત્મા સંવેદન પ્રત્યક્ષ છે. તેને દેખ! તો તારો મોહ તુરંત નાશ થઈ જશે. આ ૪૯૦
(શ્રી પરમાગમસાર, બોલ-૪૧૪) * ભાઈ ! તું ચેતીને રહેજે. મને આવડત છે-એમ આવડતની હૂંફના અભિમાનને રસ્તે ચડીશ નહીં. વિભાવના રસ્તે તો અનાદિનો ચડેલો જ છો. અગિયાર અંગના જ્ઞાનમાં, ધારણામાં તો બધું આવ્યું હતું પણ શાસ્ત્રની ધારણાના જ્ઞાનની અધિકતા કરી પણ આત્માની અધિકતા કરી નહીં. ધારણાજ્ઞાન આદિના અભિમાનથી રોકવા માટે ગુરુ જોઈએ. માથે ટોકનાર ગુરુ જોઈએ.// ૪૯૧ાા
(શ્રી પરમાગમસાર, બોલ-૪૨૧) * પ્રભુ! આવડતના અભિમાનથી દુર રહેવું સારું છે. બહાર પડવાના ભાવથી બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં આત્માર્થીને લાભ છે. આવડતના કારણે લોકો માન-સન્માન-સત્કાર કરે પણ એ પ્રસંગોથી આત્માર્થીએ દૂર ભાગવા જેવું છે એ માનસન્માનના પ્રસંગો નિઃસાર છે. કાંઈ હિતકર નથી. એક આત્મસ્વભાવ જ સારભૂત ને હિતકારી છે. માટે આવડતના અભિમાનથી દૂર ભાગી આત્મસન્મુખ જ વળવા જેવું છે. આ ૪૯૨
( શ્રી પરમાગમસાર, બોલ-૪૨૨) * સદા અંતરંગમાં ઝળહળ જ્યોતિ પ્રકાશમાન અવિનશ્વર, સ્વતઃસિદ્ધ તથા પરમાર્થ સત્ પરમ પદાર્થ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે. તેના અવલંબને ઇન્દ્રિયોનું જીતવું થાય તેને સંતો જિતેન્દ્રિય કહે છે.
* ઇન્દ્રિયજ્ઞાન શેયનો ક્ષયોપશમ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૭ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી IT ૪૯૩ાા
(શ્રી પરમાગમસાર, બોલ-૪૨૪) * પ્રશ્ન- આત્મા પરોક્ષ છે તો કેમ જણાય?
ઉત્તર:- આત્મા પ્રત્યક્ષ જ છે. પર્યાય અંતર્મુખ થાય તો આત્મા પ્રત્યક્ષ છે તેમ જણાય છે. બહિર્મુખ પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી–પ્રત્યક્ષ દેખાતો નથી પણ આત્મા પ્રત્યક્ષ જ છે. એની સન્મુખ ઢળીને દેખે તો જણાય છે. // ૪૯૪
(શ્રી પરમાગમસાર, બોલ-૪૩૨) ચલો સખી વહાં જઈએ, જહાં અપના નહિ કોઈ, શરીર ભખે જનાવરા, મુવા રોવે ન કોઈ.
આહાહા! સંગથી ચાલ્યો જા ! સંગમાં રોકાવા જેવું નથી. ગિરિગુફામાં એકલો ચાલ્યો જા! આ મારગ એકલાનો છે. સ્વભાવના સંગમાં પડયો એને શાસ્ત્રસંગ પણ ગોઠતો નથી. આહાહા! અંદરની વાતો બહુ ઝીણી છે ભાઈ ! શું કહીએ. // ૪૯૫
(શ્રી પરમાગમસાર, બોલ-૪૩૩) * પરિણામને પરિણામ વડે દેખ એમ નહીં પણ પરિણામ વડે ધ્રુવને દેખ, પર્યાયથી પર તો ન દેખ પર્યાયને પણ ન દેખ, પણ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ તેને પર્યાયથી દેખ. તેને તું જો. તારી દષ્ટિ ત્યાં લગાવ. મહિના આવો અભ્યાસ કર. અંતર્મુખતત્ત્વને અંતર્મુખના પરિણામ વડે દેખ. અંતરમાં પ્રભુ પરમેશ્વર પોતે બિરાજે છે. તેને એકવાર છ માસ તો તપાસ કે આ શું છે? બીજી ચપળાઈ ને ચંચળાઈ છોડી દઈ અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ સિદ્ધસદશ પ્રભુ
* ઇન્દ્રિજ્ઞાન શેય બદલ્યા કરે છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૪૮ છે તેને છ માસ તપાસ. IT ૪૯૬ ના
(શ્રી પરમાગમસાર, બોલ-૪૩૮) * પ્રશ્ન- આત્માનો સાક્ષાત્કાર કરવો છે પણ કેમ કરવો? તે પુરુષાર્થ ઉપડતો નથી.
ઉત્તર- ચૈતન્યસ્વભાવનો મહિમા કોઈ અચિંત્ય છે એમ અંદરથી મહિમા આવે તો સ્વ તરફ પુરુષાર્થ ઉપડે. ખરેખર તો જે પર્યાય પરલક્ષી છે તેને સ્વલક્ષી કરવી એમાં મહાન પુરુષાર્થ છે. ભાષા ભલે ટુંકી કરી નાખી કે દ્રવ્ય તરફ વળ, ધ્રુવ તરફ વળ-એમ ભાષા સહેલી ને ટુંકી કરી પણ તેમાં પુરુષાર્થ મહાન છે. ભલે શાસ્ત્રજ્ઞાન કરે, ધારણા જ્ઞાન કરી લે પણ પર્યાયને લક્ષમાં વાળવી એ પુરુષાર્થ અનંત છે, મહાન અપૂર્વ પુરુષાર્થ છે. ૪૯૭
(શ્રી પરમાગમસાર, બોલ-૪૪૬ ) * આત્માને જાણવા માટે પરિણામને સૂક્ષ્મ કર, સ્કૂલ પરિણામથી દ્રવ્ય જાણવામાં આવતું નથી. અજ્ઞાનીને અગિયાર અંગનું જ્ઞાન થઈ જાય છે તો પણ તેનો ઉપયોગ સુક્ષ્મ નથી, સ્થૂલ છે. આત્મા સ્થૂલ પરિણામોથી જાણવામાં આવતો નથી. સૂક્ષ્મ એવા આત્માને જાણવા માટે ઉપયોગને સૂક્ષ્મ કરવો પડે છે. IT ૪૯૮ાા
(શ્રી પરમાગમસાર, બોલ-૪૪૯) * ભગવાનની વાણીથી નહિ, તેના નિમિત્તે થયેલું પરલક્ષી જ્ઞાન તેનાથી પણ નહિ પરંતુ સ્વલક્ષી જે ભાવશ્રુતજ્ઞાન તેનાથી આત્મા જણાય છે. જે જ્ઞાન વડે આત્મા જણાય એ ભાવશ્રુતજ્ઞાન પરની અપેક્ષા વિનાનું છે. શ્રુત પણ વધારાનું છે (નકામું છે) તેમ શ્રુતથી થયેલું જ્ઞાન પણ * ઇન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણવાનું સાધન નથી *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી વધારાનું છે. એટલે કે તેમની અપેક્ષા ભાવશ્રુતજ્ઞાનને નથી. એવા ભાવશ્રુતજ્ઞાનથી આત્માને જાણે કે કેવળજ્ઞાનથી આત્માને જાણે પણ એ જાણવામાં-અનુભવનમાં ફેર નથી. માટે જ્ઞાનમાં શ્રત-ઉપાધિકૃત ભેદ નથી. શ્રુતજ્ઞાન કહ્યું માટે તેમાં શ્રુત-ઉપાધિકૃત ભેદ છે એમ નથી. / ૪૯૯T
(શ્રી પરમાગમસાર, બોલ-૪૫૭) | * ભગવાનની વાણી એ શ્રત છે–શાસ્ત્ર છે. શાસ્ત્ર પૌગલિક છે તેથી તે જ્ઞાન નથી, ઉપાધિ છે અને એ શ્રુતથી થતું જ્ઞાન એ પણ ઉપાધિ છે, કેમ કે તે શ્રુતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન અને જાણી શકતું નથી. માટે તેને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. જેમ સત્ત્વશાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છેઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છેઉપાધિ છે. આહાહા! શું વીતરાગની શૈલી છે! પરલક્ષી જ્ઞાનને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. સ્વજ્ઞાનરૂપ જ્ઞતિક્રિયાથી આત્મા જણાય છે, ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. પOOT
(શ્રી પરમાગમસાર, બોલ-૪૬૦) * પ્રશ્ન- તત્ત્વનું સ્વરૂપ બરાબર જાણવા છતાં જીવ કેવા પ્રકારથી અટકી જાય છે?
ઉત્તર:- તત્ત્વને બરાબર જાણવા છતાં પર તરફના ભાવમાં ઊંડે ઊંડે રાજીપો રહી જાય છે, પરલક્ષી જ્ઞાનમાં સંતોષાય છે અથવા આવડતના અભિમાનમાં અટકી જાય છે. બહાર પડવાના ભાવમાં રોકાઈ જાય છે. અંદર રહેવાના ભાવ નથી. તેથી અટકી જાય છે અથવા શુભ
* ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ર૫૦ પરિણામમાં મીઠાશ રહી જાય છે. એમ ખાસ પ્રકારની પાત્રતા વિના જીવ અનેક પ્રકારથી અટકી જાય છે. મા ૫૦૧ાાં
(શ્રી પરમાગમસાર, બોલ-૪૭૭) * આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા જનાર જીવ પહેલા શુદ્ધનાથી હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યેની મમતા રહિત છું, જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ વસ્તુ છું-એવો નિશ્ચય કરે છે. આ નિશ્ચયમાં પાંચ ઇન્દ્રિયના વિકલ્પોથી ખસ્યો છે ને મનનાં વિકલ્પમાં આવ્યો છે પણ એ મનના વિકલ્પોને પણ છોડવા આવ્યો છે. તે આગળ વધતા મન સંબંધી વિકલ્પોને જલદી વમી નાખીને નિર્વિકલ્પ થાય છે. ૫૦રા
(શ્રી પરમાગમસાર, બોલ-૪૮૫) * કરોડો શ્લોકો ધાર્યા પણ અંદરમાં ઊંડે ઊંડે પર તરફના વલણમાં કયાંક કયાંક રાજીપો લાગે છે. પર તરફનું જ્ઞાન છે એ પરસત્તાવલંબી જ્ઞાન છે તેમાં રાજી થાય છે કે, ઘણા માણસોને સમજાવું ને તેઓ રાજી થાય-એવી સુખકલ્પના રહી જાય છે. ધારણામાં યથાર્થ જાણપણું હોવા છતાં અંદરમાં અયથાર્થ પ્રયોજન છે તેથી સમ્યગ્દર્શન થતું નથી. IT ૫૦૩ાા
(શ્રી પરમાગમસાર, બોલ-૪૯૧) * દુનિયાની વાતનો રસ જેને હોય તેને આ વાત બેસવી કઠણ લાગે છે અને જેને આ વાતનો રસ લાગી જાય છે તેને બીજામાં રસ લાગતો જ નથી. એમ જેને ઇન્દ્રિયજ્ઞાનથી રસ ચડ્યો છે તેને અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. જેમ રાગ એ વ્યભિચાર છે તેમ ઈન્દ્રિયજ્ઞાનનો રસ એ વ્યભિચાર છે. IT ૫૦૪
(શ્રી પરમાગમસાર, બોલ-પ૦૩) * ઇન્દ્રિયજ્ઞાન વૈભાવિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૫૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
* ઉપયોગ નામનું લક્ષણ કહ્યું: કોનું લક્ષણ કહ્યું ? –કે જીવનું, આત્માનું. હવે આત્માનું જે લક્ષણ છે તે નિમિત્તને અવલંબને થાય એ લક્ષણ જ નથી. ભાઈ! આ તો ધીરા થઈને સમજવાની વાત છે. આત્માનું લક્ષણ ઉપયોગ છે, લક્ષ આત્મદ્રવ્ય છે. હવે એ ઉપયોગ નામના લક્ષણ વડે જે લક્ષણ લક્ષને જાણે એવા લક્ષણમાં ૫૨શેયને જાણવાનું જે અવલંબન થાય તે ઉપયોગ જીવનો નહિ.।। ૫૦૫।। (શ્રી પરમાગમસાર, બોલ-૫૧૫ )
* કેટલાક લોકો હજી શુભરાગને મોક્ષમાર્ગ માને છે. તેને કહે છે કે પ્રભુ! તું કયાં ગયો? શું કરે છે? અહીં તો પરલક્ષવાળું જ્ઞાન એ જીવનું નહિ તો પરલક્ષવાળો રાગ છે તે જીવને લાભ કરે એ વાત તો કયાંય રહી! અરે પ્રભુ શું કરે છે આ! સાંભળવા મળ્યું નથી. અરે! એની પ્રભુતા ચમત્કૃતિ શક્તિઓ ! અને ચમત્કૃતિ એની પર્યાયો ! એની એને ખબર નથી. આવો જે ભગવાન આત્મા તેની ઊંડપની શી વાત કરવી. પાતાળ કૂવામાં જેમ પાણી ઊંડેથી ફાટીને બહાર આવે તેમ લક્ષના કારણથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે જ્ઞાનના પાતાળ કૂવામાંથી શે૨ડા-ફુવારા ફાટે છે. ૫૦૬।।
(શ્રી ૫૨માગમસાર, બોલ-૫૧૬)
* જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે.।। ૫૦૭।।
(શ્રી ૫૨માગમસાર, બોલ–૬૩૦)
* જ્ઞાન જગતમાં બધા જીવોને સ્વ-અનુભવથી નક્કી છે જ્યારે સ્વાશ્રયી જ્ઞાન વડે અંતર્મુખ જ્ઞાન વડે આત્માને જાણે ત્યારે
આત્મા
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ્ય ‘ ૫૨લક્ષ અભાવાત્’*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી રપર યથાર્થ જામ્યો કહેવાય પરલક્ષ્યવાળા જ્ઞાનને તથા અગીયાર અંગના શાસ્ત્રજ્ઞાનને આત્માનું જ્ઞાન કહ્યું નથી. જેનું લક્ષણ (સ્વરૂપ) નક્કી કરવું છે તે લક્ષ્ય રૂપ આત્માને જ અવલંબીને જાણે તેજ જ્ઞાન છે. નિમિત્ત-રાગ, વ્યવહારને અવલંબીને જાણે તે જ્ઞાન નથી. આચાર્યદેવને પર વસ્તુનું જાણપણું પ્રસિદ્ધ કરવું નથી. જે સ્વલક્ષણરૂપ જ્ઞાન વડે આત્માને જાણે તેની પ્રસિદ્ધિ સમ્યક છે જુઓ, આ રીતે પણ અંતર્મુખ દષ્ટિ કરવાની વાત છે. આ પ૦૮માં
(શ્રી પરમાગમસાર, બોલ-૬૪૦) * જે વડ જણાય તે લક્ષણ કહીયે. જ્ઞાન વડે આત્મા જણાય છે, માટે જ્ઞાન વડે આત્મા નક્કી થાય છે. પુણ્ય-પાપાદિ કે શરીર આદિ જ્ઞાન વડે નક્કી કરવા યોગ્ય નથી પણ જ્ઞાન વડે આત્મા નક્કી કરવા યોગ્ય છે. જ્ઞાન લક્ષણ પુણ્ય-પાપનું કે દેવ-ગુરુ-શાસ્ત્રનું નથી. આ જ્ઞાન તો લક્ષ્ય એવા આત્માનું લક્ષણ છે, જ્ઞાન છે ત્યાં તેની સાથે અનંત ગુણો છે. જ્ઞાન જેનું લક્ષણ છે એવું નક્કી કરતાં અનંત ગુણોવાળો આત્મા નક્કી થાય છે, એ જ સાધ્ય છે. 1 ૫OCT
(શ્રી પરમાગમસાર, બોલ-૬૪૧) * જ્ઞાનદ્વારમાં સ્વરૂપ શક્તિને જાણવી. લક્ષણ જ્ઞાન, અને લક્ષ્ય આત્મા પોતાના જ્ઞાનમાં ભાસે છે. ત્યારે સહજ આનંદધારા વહે છે તે અનુભવે છે. તે પ૧૦ના
(શ્રી પરમાગમસાર, બોલ-૭૧૦) * છદ્મસ્થનો ઉપયોગ એક બાજુ હોય, ઉપયોગ પુણ્ય-પાપ તરફ હોય ત્યારે સ્વઅનુભવમાં ન હોય. સ્વાનુભૂતિ જ્ઞાનની પર્યાય છે.
* હું ધર્માદિને જાણું છું તે અધ્યવસાન છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૫૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
સમ્યગ્દર્શનને ઉપયોગરૂપ સ્વાનુભૂતિને વિષય વ્યાપ્તિ છે. સમ્યગ્દર્શન હોવા છતાં જ્ઞાન સ્વમાં ઉપયોગરૂપ હોય અથવા ન હોય. માટે સમ્યગ્દર્શન ને સ્વજ્ઞાનના વ્યાપારને વિષય વ્યાપ્તિ છે. સ્વજ્ઞાન લબ્ધરૂપ હોય છે પણ સદાય ઉપયોગરૂપ હોતું નથી. ।। ૫૧૧।। (શ્રી ૫૨માગમસાર, બોલ-૭૧૪ )
* પ્રશ્ન:- નિર્વિકલ્પ દશા વખતે સ્વ-પરપ્રકાશક સ્વભાવને વાંધો આવે છે?
ઉત્ત૨:- નિર્વિકલ્પતા વખતે જ્ઞાન જ્ઞાનને જાણે છે ને આનંદને પણ જાણે છે માટે ત્યાં પણ સ્વપ૨પ્રકાશકપણું છે. આનંદને જાણવો તે જ્ઞાનની અપેક્ષાએ ૫૨ છે. નિર્વિકલ્પદશામાં સ્વગ્નેય એક જ આવ્યું એમ નથી. જ્ઞાન સાથે આનંદનો ખ્યાલ આવે છે. પોતે જ્ઞાનને જાણે છે તે સ્વ ને આનંદને પર તરીકે જાણે છે. આમ સ્વ-૫૨પ્રકાશક સ્વભાવ ત્યાં પણ રહે છે.।। ૫૧૨॥
(શ્રી પરમાગમસાર, બોલ-૭૧૫ ) * પ્રશ્ન:- સ્વપર-પ્રકાશક સ્વભાવમાં બેપણું આવ્યું છે કે એકપણું ?
ઉત્ત૨:- શક્તિ એક છે, એક પર્યાયમાં અખંડપણું છે, બેપણું નથી. સ્વપર-પ્રકાશનું સામર્થ્યપણું એક છે. ભેદ પાડીને બેપણું કહેવાય છે.।। ૫૧૩।।
(શ્રી ૫૨માગમસાર, બોલ–૮૭૦) * નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું આ ભિન્ન આત્માનું એકપણું જ સુલભ નથી. જુઓ, રાગથી ભિન્ન અને પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન અને પોતાથી અભિન્ન એવા આત્માનું
* હું શાયક અને છ દ્રવ્ય જ્ઞેય તે ભ્રાંતિ છે *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૫૪ એકપણું, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. જીવે પરલક્ષી જ્ઞાન પણ અનંતવાર કર્યું છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન છે એ પણ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માનું એકપણું ભિન્ન દેખાતું નથી. રાગ અને પરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાનપ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાનપ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદ્દાની વાત છે, ભાઈ ! બાકી દયા પાળો, ભક્તિ કરો, વ્રત કરો ઇત્યાદિ બધાં થોથા છે. આ પ૧૪ .
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૩, પાનું-૭૫) * રાગના વિકલ્પો અને પરલક્ષી જ્ઞાન એ જ જાણે મારી ચીજ છે એવી માન્યતાને આડ જ્ઞાયક પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ ઢંકાઈ ગઈ છે. પોતામાં અનાત્મપણું હોવાથી અર્થાત્ પોતાને આત્માના જ્ઞાનનો અભાવ હોવાથી અંદર પ્રકાશમાન ચૈતન્ય ચમત્કાર વસ્તુ પડી છે તેને કદીય જાણી કે અનુભવી નથી. પોતે આત્માનું એકપણું નહીં જાણતો હોવાથી તથા આત્માને જાણનારા સંતોજ્ઞાનીઓની સંગતિ-સેવા નહીં કરી હોવાથી ભિન્ન આત્માનું એકપણ કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને તેથી અનુભવમાં પણ આવ્યું નથી. આત્મજ્ઞ સંતોએ રાગથી અને પરલક્ષી જ્ઞાનથી ભિન્ન આત્માનું એકપણું કહ્યું, પણ તે એણે માન્યું નહીં તેથી તેમની સંગતિ-સેવા કરી નહીં એમ કહ્યું છે. ગુરુએ જેવો આત્મા કહ્યો તેવો માન્યો નહીં, પરંતુ બાહ્ય પ્રવૃત્તિમાં જીવ રોકાઈ ગયો. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભરાગમાં ધર્મ માનીને રોકાઈ ગયો. Tી ૫૧૫ /
( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૨, પાનું-૭૬ ) * હું પરને જાણું છે તે બુદ્ધિ મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૫ ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી
* પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવવામાં આવે છે. જુઓ, રાગમિશ્રિત શેયાકાર જ્ઞાન જે (પૂર્વ) હતું એની રૂચિ છોડી દઈને (પર્યાયબુદ્ધિ છોડીને) અને જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવો અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કહે છે. આ પર્યાયની વાત છે. જ્ઞાનની પર્યાયમાં એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનું વેદન થવું અને શુભાશુભ જ્ઞયાકાર જ્ઞાનનું ઢંકાઈ જવું તેને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ શેયાકાર જ્ઞાનનો તિરોભાવ કહે છે. અને એ પ્રમાણે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવતા જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. અહીં “સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ” એટલે ત્રિકાળી ભાવનો આવિર્ભાવ એમ વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે શુભાશુભ જ્ઞયાકાર રહિત એકલા જ્ઞાનનું પર્યાયમાં પ્રગટપણું. એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો અનુભવ એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે. શેયાકાર સિવાયનું એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. એનો વિષય ત્રિકાળી છે. આ પ૧૬ના
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૧, પાનું-ર૬ર) * તોપણ જેઓ અજ્ઞાની છે, શયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. ચૈતન્યસ્વરૂપ નિજ પરમાત્માની જેમને રુચિ નથી એવા અજ્ઞાની જીવો રાગ કે જે પરજ્ઞય છે (રાગ તે જ્ઞાન નથી) તેમાં આસક્ત છે. વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ એવા જે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તેમાં જેઓ આસક્ત છે, શુભાશુભ વિકલ્પોને જાણવામાં જેઓ રોકાયેલા છે એવા શેયલુબ્ધ જીવોને આત્માના અતીન્દ્રિય જ્ઞાન
* ઇન્દ્રિયજ્ઞાન આત્મ અનુભવ કરાવવામાં અસમર્થ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૫૬ અને આનંદનો સ્વાદ આવતો નથી. શુભરાગની-પુણ્યભાવની જેમને રુચિ છે તેમને આત્માના આનંદનો સ્વાદ આવતો નથી. પ૧૭ |
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૩, પાનું-ર૬ર) * આત્માનો સ્વાદ તો અનાકુળ આનંદમય છે. બનારસીદાસે લખ્યું છે:
વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ.
રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકો નામ.” વસ્તુ જે જ્ઞાયકસ્વરૂપ તેને જ્ઞાનમાં લઈ અંતરમાં ધ્યાન કરે છે તેને મનના વિકલ્પો-રાગ વિશ્રામ પામે છે, હુઠી જાય છે. મન શાંત થઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે છે. પરિણામ અંતર્નિમગ્ન થતાં અનાકુળ સુખનો સ્વાદ આવે છે તેને અનુભવ અર્થાત્ જૈનશાસન કહે છે. પ૧૮
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૨, પાનું-ર૬૩) * શેયમાં આસક્ત છે તે ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત છે. જે પદાર્થો ઇન્દ્રિયો વડે જાણવામાં આવે છે તે ઇન્દ્રિયોના વિષયો છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, સાક્ષાત્ ભગવાન અને ભગવાનની વાણી એ પણ ઇન્દ્રિયોના વિષયો છે. સમયસાર ગાથા ૩૧માં લીધું છે કે “જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને-પાંચ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-ત્રણેને ઇન્દ્રિય ગણવામાં આવી છે. એ ત્રણેયને જીતીને એટલે કે તેમના તરફનો ઝુકાવ-રુચિને છોડીને એનાથી અધિક અર્થાત્ ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને-અતીન્દ્રિય ભગવાનને અનુભવે છે તે જૈનશાસન છે. પોતાના સ્વયમાં લીન છે એવી આ
* જે જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો હોય તો આનંદ આવવો જોઈએ?*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૭ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી અનુભૂતિ-શુદ્ધોપયોગરૂપ પરિણતિ તે જૈનશાસન છે.
આથી વિરુદ્ધ અજ્ઞાનીને પરિપૂર્ણ જે સ્વજ્ઞય છે એની અરુચિ છે અને ઇન્દ્રિયાદિનું ખંડખંડ જે યાકાર જ્ઞાન છે એની રુચિ અને પ્રીતિ છે. તે પરશયોમાં આસક્ત છે અને તેથી તેને જ્ઞાનનો સ્વાદ ન આવતાં રાગનો-આકુળતાનો સ્વાદ આવે છે. રાગનો સ્વાદ, રાગનું વેદન અનુભવમાં આવવું એ જૈનશાસનથી વિરુદ્ધ છે તેથી અધર્મ છે. શુભક્રિયા કરવી અને એ કરતાં કરતાં ધર્મ થઈ જશે એવી માન્યતા મિથ્યાભાવ છે. તથા શુભાશુભ રાગથી ભિન્ન અંતર આનંદકંદ
ભગવાન આત્માને શેય બનાવી જ્ઞાયકના જ્ઞાનનું વેદન કરવું એ જિનશાસન છે, ધર્મ છે. આ પ૧૯ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૩, ૪ પાનું-ર૬૩) * “અલુબ્ધ જ્ઞાનીઓને તો જેમ સેંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સેંધવનો જ અનુભવ કરવામાં આવતાં સર્વતઃ એકક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, સર્વતઃ એકવિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. જેમ લવણના ગાંગડાનો, અન્યદ્રવ્યના સંયોગનો નિષેધ કરીને કેવળ લવણના ગાંગડાનો અનુભવ કરવામાં આવે તો સર્વત્ર ક્ષારરસપણાને લીધે તે ક્ષારપણે સ્વાદમાં આવે છે. લવણનો ગાંગડો સીધો લવણ દ્વારા સ્વાદમાં આવે છે એ યથાર્થ છે. એવી રીતે અલુબ્ધ જ્ઞાનીઓને એટલે જેમને ઇન્દ્રિયોના સમસ્ત વિષયો કે જે પરજ્ઞયો છે એમની આસક્તિ-રુચિ છૂટી ગઈ છે એવા જ્ઞાનીઓને પોતાના સિવાય અન્ય સમસ્ત પરદ્રવ્ય અને પરભાવનું લક્ષ છોડી દઈને એક જ્ઞાયકમાત્ર
* પરમાત્મા કહે છે - મારા લક્ષે દુર્ગતિ થશે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૫૮ ચિઘનસ્વરૂપનો અનુભવ કરતા, સર્વતઃ એકવિજ્ઞાનઘનપણાને લીધે તે જ્ઞાનરૂપે સ્વાદમાં આવે છે. એકલું જ્ઞાન સીધું જ્ઞાનના સ્વાદમાં આવે છે એ આનંદનું વેદન છે. એ જૈનશાસન છે. એનું નામ સમ્યગ્દર્શન અને જ્ઞાનની અનુભૂતિ છે. | પરવા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૧, પાનું-ર૬૬ ) * એક બાજુ સ્વદ્રવ્ય છે અને બીજી બાજુ સમસ્ત પરદ્રવ્ય છે. એક બાજુ રામ અને બીજી બાજુ ગામ. ગામ એટલે (પદ્રવ્યનો) સમૂહ. પોતાના સિવાય જેટલા પારદ્રવ્યો છે તે ગામમાં જાય છે. પરયો-પંચેન્દ્રિયના વિષયો-પછી તે સાક્ષાત્ ભગવાન, ભગવાનની વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર, અને શુભાશુભ રાગ એ સઘળું ગામમાં એટલે પરદ્રવ્યના સમૂહમાં આવી જાય છે. એના તરફ લક્ષ જતાં રાગ જ ઉત્પન્ન થાય છે. સમોસરણમાં સાક્ષાત ભગવાન બિરાજમાન હોય, તેમનું લક્ષ કરતાં રાગ જ ઉત્પન્ન થાય. એ અધર્મ છે એ કાંઈ ચૈતન્યની ગતિ નથી. એતો વિપરીત ગતિ છે. મોક્ષપાહુડમાં કહ્યું છે કે “પરદધ્વાદો દુગ્ગઈ” તેથી પરદ્રવ્યથી ઉદાસીન થઈ એક ત્રિકાળી જ્ઞાયકભાવ જે સર્વતઃ જ્ઞાનઘન છે તે એકનો જ અનુભવ કરતાં એકલા (નિર્ભેળ) જ્ઞાનનો સ્વાદ આવે છે. એ જૈનદર્શન છે. ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વારા જે જ્ઞાનનો અનભવ ( જ્ઞયાકાર જ્ઞાન) તે આત્માનો સ્વાદ-અનુભવ નથી, એ જૈનશાસન નથી. આત્મામાં ભેદના લક્ષે જે રાગ ઉત્પન્ન થાય તે રાગનું જ્ઞાન થાય છે એમ માનવું એ અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. એક જ્ઞાન દ્રારા જ્ઞાનનું વેદન એ જ સમ્યક છે યથાર્થ છે. અહો ! સમયસાર વિશ્વનું એક અજોડ ચહ્યું છે. આ વાણી તો જુઓ; સીધી એને આત્મા તરફ લઈ જાય છે. પર૧TI
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૨, પાનું ર૬૬) *એક ભાવકભાવ, એક શેયનો ભાવ-તેનાથી જુદો હું જ્ઞાયકભાવ *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૫૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
* અહીં આત્માની અનુભૂતિને જ જ્ઞાનની અનુભૂતિ કહી છે. અજ્ઞાનીજન સ્વજ્ઞેયને છોડીને અનંત ૫૨જ્ઞેયોમાં જ અર્થાત્ આત્માના અતીન્દ્રિય જ્ઞાનને છોડીને ઇન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ થઈ રહ્યા છે. નિજ ચૈતન્યઘનસ્વરૂપ આત્માનો અનુભવ નથી એવો અજ્ઞાની પરવસ્તુ-૫૨શેયોમાં લુબ્ધ છે. તેની દૃષ્ટિ અને રુચિ રાગાદિ પર છે. તે ઇન્દ્રિયજ્ઞાનના વિષયોથી અને રાગાદિથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ પોતાપણ આસ્વાદે છે; એ મિથ્યાત્વ છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પરદ્રવ્ય છે. એની શ્રદ્ધાનો વિક્લ્પ રાગ છે એ રાગ મિથ્યાત્વ નથી, પરંતુ એ રાગથી અનેકાકાર-પરશેયાકાર થયેલું જે જ્ઞાન તેને પોતાપણું માનવું એ મિથ્યાત્વ છે. રાગ મિથ્યાત્વ નથી, પણ એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. અજ્ઞાની દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના જ્ઞાનને જ ‘Âયમાત્ર ’ આસ્વાદે છે. જેને શેયાકાર જ્ઞાનની દષ્ટિ અને રુચિ છે. એને જ્ઞેયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ હોતો નથી. તેને અંતર્મુખષ્ટિના અભાવે રાગનો-આકુળતાનો જ સ્વાદ આવે છે.।। ૫૨૨।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-છેલ્લો, પાનું-૨૬૭+૨૬૮ )
* જૈનશાસ્ત્રો વાંચે, સાંભળે અને એની ધારણા કરી રાખે એ કાંઈ સભ્યજ્ઞાન નથી. જિનવાણી તો બાજુ ૫૨ રહી, અહીં તો જિનવાણી સાંભળતાં જે જ્ઞાન (વિકલ્પ ) અંદર થાય છે એ સમ્યજ્ઞાન છે એમ નથી. દ્રવ્યશ્રુતનું જ્ઞાન એ તો વિકલ્પ છે. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ રસકંદ છે એને દૃષ્ટિમાં લઈ એક એનું જ્ઞાનમાત્રનું અનુભવન કરવું એ ભાવશ્રુતજ્ઞાન છે, એ સમ્યજ્ઞાન છે, જૈનશાસન છે. નિજ સ્વરૂપનું અનુભવન તે આત્મજ્ઞાનછે. શુદ્ધજ્ઞાનરૂપ સ્વસંવેદન, જ્ઞાનનું (ત્રીકાળીનું) સ્વસંવેદન અનુભવન એ ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે.।। ૫૨૩।।
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૩, પાનું-૨૬૮ ) * શેય શેયને જાણે છે, જ્ઞાન આત્માને જાણે છે *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૬૦
પૂ. બહેનશ્રીનાં વચનામૃત
* આ બધે-બહાર-સ્થૂળ ઉપયોગ થઈ રહ્યો છે, તે બધેથી ઉઠાવી, ખુબ જ ધીરો થઈ, દ્રવ્યને પકડ. વર્ણ નહિ, ગંધ નહિ, રસ નહિ, દ્રવ્યેન્દ્રિય પણ નહિ અને ભાવેન્દ્રિય પણ દ્રવ્યનું સ્વરૂપ નથી. જોકે ભાવેન્દ્રિય છે તો જીવની જ પર્યાય, પણ તે ખંડખંડરૂપ છે, ક્ષાયોપમિક જ્ઞાન છે અને દ્રવ્ય તો અખંડ ને પૂર્ણ છે, માટે ભાવેન્દ્રિયના લક્ષે પણ તે પકડાતું નથી. આ બધાંથી પેલે પાર દ્રવ્ય છે. તેને સૂક્ષ્મ ઉપયોગ કરીને પકડ.।। ૫૨૪।।
(પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ–૨૦૩)
* આત્મા જાણનાર છે, સદાય જાગૃતસ્વરૂપ જ છે. જાગૃતસ્વરૂપ એવાં આત્માને ઓળખે તો પર્યાયમાં પણ જાગૃતિ પ્રગટે. આત્મા જાગતી જ્યોત છે, તેને જાણ.।। ૫૨૫।।
(પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ–૨૬૫ )
* ચૈતન્ય મારો દેવ છે; તેને જ હું દેખું છું બીજું કાંઈ મને દેખાતું જ નથી ને! –આવું દ્રવ્ય ઉ૫૨ જોર આવે, દ્રવ્યની જ અધિક્તા રહે, તો બધું નિર્મળ થતું જાય છે. પોતે પોતામાં ગયો, એકત્વબુદ્ધિ તૂટી એટલે બધા રસ ઢીલા પડી ગયા. સ્વરૂપનો રસ પ્રગટતાં અન્ય રસમાં અનંતી મોળાશ આવી. ન્યારો, બધાથી ન્યારો થઈ જતાં સંસારનો રસ અનંતો થઈ જતાં સંસારનો રસ અનંતો ઘટી ગયો. દિશા આખી પલટાઈ ગઈ.।। પર૬।।
(પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ–૨૯૭)
* ઇન્દ્રિય જ્ઞાનમાં આકુળતા હોય, જ્ઞાનમાં નિરાકુળ આનંદ હોય *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૧ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી
* જીવ ભલે ગમે તેટલાં શાસ્ત્રો ભણે, વાદવિવાદ કરી જાણે, પ્રમાણ-નય-
નિપાદિથી વસ્તુની તર્કણા કરે, ધારણારૂપ જ્ઞાનને વિચારોમાં વિશેષ વિશેષ ફેરવે, પણ જો જ્ઞાનસ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહિ અને તદ્રુપ પરિણમે નહિ, તો તે શેયનિમગ્ન રહે છે, જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે, જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેધા કરે છે. બધું ભણી ગયો. ઘણાં યુક્તિ-ન્યાય જાણ્યાં, ઘણા વિચારો કર્યા. પણ જાણનારને જાણો નહિ, જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહિ, તો તે બધું જાણ્યાનું શું ફળ? શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન તો જ્ઞાનસ્વરૂપ આત્માને જાણવો તે છે. પરછા
(પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ–૩૮૧) * જ્ઞાયકસ્વભાવ આત્માનો નિર્ણય કરી, મતિશ્રુતજ્ઞાનનો ઉપયોગ જે બહારમાં જાય છે તેને અંદરમાં સમેટી લેવો, બહાર જતા ઉપયોગને જ્ઞાયકના અવલંબન વડે વારંવાર અંદરમાં સ્થિર કર્યા કરવો, તે જ શિવપુરી પહોંચવાનો રાજમાર્ગ છે. જ્ઞાયક આત્માની અનુભૂતિ તે જ શિવપુરીની સડક છે, તે જ મોક્ષનો માર્ગ છે. બીજા બધા તે માર્ગને વર્ણવવાના ભિન્ન ભિન્ન પ્રકારો છે. જેટલા વર્ણનના પ્રકારો છે, તેટલા માર્ગો નથી; માર્ગ તો એક જ છે. પરંતુ
(પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ-૩૮૩) * જિનેન્દ્રભક્તિ તો શું, પણ ગમે તે કાર્ય કરતા, સાધકની દષ્ટિ જ્ઞાયકદેવ પર જ પડી હોય છે. દષ્ટિ જ્ઞાયકદેવમાં જામી તે જામી! ત્યાંથી પાછી ફરતી જ નથી! બહારનાં નેત્ર ભલે જિનેન્દ્ર પર એકાગ્ર હોય પણ અંતરના નેત્ર તો ત્યારે પણ નિજજ્ઞાયકદેવ પરથી ખસતાં નથી. જ્ઞાયકદેવનાં દર્શન થતાં અનંત ગુણોમાં અંશે શુદ્ધિની
* ઇન્દ્રિયજ્ઞાનના ( શેયના) લશે ઇન્દ્રિય (શેય) પ્રગટે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ર૬ર પર્યાય પ્રગટ થઈ; હવે પૂર્ણતા લીધા વિના અંતરના નૈન ત્યાંથી પાછા ફરે જ નહિ, દ્રવ્યદૃષ્ટિ જ્યાં ચોંટી ત્યાંથી તે પાછી ફરતી નથી. અંતરમાં પૂર્ણતા કર્યે જ છૂટકો. જેમ ભગવાનના દર્શન થતાં નેત્ર ત્યાં થંભી જાય છે, તેમ જ્ઞાયકદેવનાં દર્શન થતાં અંતરનાં નેત્ર-દષ્ટિ ત્યાં ચોટી જાય છે. દષ્ટિ જામતાં જ્ઞાન પણ ત્યાં કથંચિત્ જામી ગયું. પછી ઉપયોગ અંદર અને બહાર એમ કરતાં કરતાં અંદરમાં પૂરો જતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહો ! જ્ઞાયકદેવનો અને જિનેન્દ્રદેવનો અપાર મહિમા છે. આ પરા ( ગુજરાતી આત્મધર્મ ફેબ્રુઆરી ૧૯૯૧, પાનુ-૧૯, પૂ. બહેનશ્રી)
* પ્રશ્ન:- અસ્તિત્વનું ગ્રહણ એટલે શું?
ઉત્તર- અજ્ઞાનીને અનુભવ પહેલાં પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવવો જોઈએ. “આ જણાય છે, તે જણાય છે, માટે હું જાણનાર' તેમ નહિ પણ “આ રહ્યો હું જાણનાર જ્ઞાયક' એમ પોતાના અસ્તિત્વનો સીધો ખ્યાલ આવે. અભેદ એક આત્માનું ભાવભાસન થાય. આવા અસ્તિત્વના ગ્રહણ પછી જ સાચો પુરુષાર્થ શરૂ થાય છે. પ૩
(શ્રી અભિનંદનગ્રંથ, પાનું ૩૧૪)
* ઈન્દ્રિયજ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૩ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી પૂ. શ્રી નિહાલચંદભાઈ સોગાનીજીના વચનામૃત
* સાંભળી સાંભળીને મળી જશે, તે દષ્ટિ જુઠ છે. (કાર્યસિદ્ધિ) પોતાના (અંતરપુરુષાર્થ)થી જ થશે. સાંભળવું, સંભળાવવું, વાંચવું, તે બધું (બહિરમુખભાવ કાર્યસિદ્ધિ માટે) બેકાર છે. તે હોય તો ભલે હોય, પરંતુ તેનો ખેદ થવો જોઈએ, નિષેધ આવવો જોઈએ. પ૩૧T
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૫) * બહિર્મુખ હોવાથી જ્ઞાન ખીલતું નથી, અને અંતર્મુખ હોવાથી અંદરથી જ કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે. પોતાની તરફ જ દેખવાની વાત છે. પ૩ર /
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૧). * તીર્થકરની દિવ્ય ધ્વનિથી પણ લાભ થતો નથી, તો પછી બીજા કોનાથી લાભ થાય? તે (દિવ્યધ્વનિ) પણ પોતાને છોડીને એક (ભિન્ન) વિષય જ છે. પ૩૩ાા
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૮) * જ્ઞાનની પર્યાય આવે છે અંદરથી અને (અજ્ઞાનીને ) બહારનું લક્ષ હોવાથી દેખાય છે (ક) બહારથી આવે છે, તેથી અજ્ઞાનીને પરથી જ્ઞાન થાય છે એવો ભ્રમ થઈ જાય છે. આ પ૩૪ /
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૫૮) * (દ્રવ્યલિંગીની ભૂલ ) દ્રવ્યલિંગી થઈને અગિયાર અંગ સુધી ભણે છે, પરંતુ ત્રિકાળી ચૈતન્યદળમાં અહંપણ કરતા નથી, તે જ ભૂલ છે, બીજી કોઈ ભૂલ નથી. પ૩૫ ના
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૬૦)
* ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ નહીં થાય. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૬૪
* પૂ. ગુરુદેવશ્રીએ શાસ્ત્ર વાંચતા સમયે કહ્યું, જેમ વેપારમાં ચોપડાના પાનાં ફેરવે છે, તેમ આ પાનાં છે, કોઈ ફરક નથી, જો અંતરની (ધ્રુવ ચૈતન્યની ) દૃષ્ટિ નથી, તો બન્ને સમાન છે.।। ૫૩૬।। (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૬૧ )
* તીર્થંકર યોગ અને વાણી મળી તો સારું છે, ભવિષ્યમાં પણ આ ભાવથી મળશે, એવી તેમાં હોંશ આવે છે તો તેનાથી કઈ રીતે છૂટશે ? લાભ માને છે, તો કઈ રીતે છોડશે? તેનાથી ( એવા ભાવથી ) નુકસાન જ છે, લાભ નથી, લાભ તો મારાથી જ છે. વર્તમાનમાં જ મારાથી લાભ છે એવું જોર નહિ હોય તો પરમાં અટકી જશે.।। ૫૩૭।।
(શ્રી દ્રવ્ય દુષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૬૨ ) * વિચારમંથન પણ થાકી જાય, શૂન્ય થઈ જાય, ત્યારે અનુભવ થાય છે. મંથન પણ છે તો આકુળતા એકદમ તીવ્ર ધગશથી અંદરમાં ઉતરી જવું જોઈએ.।। ૫૩૮।।
(શ્રી દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૭૨ ) * બસ એક જ વાત છે કે ‘હું ત્રિકાળી છું' એમ જામી રહેવું જોઈએ. પર્યાય થવાવાળી થાઓ-યોગ્યતાનુસાર થઈ જાય છે. હું તેમાં જતો નથી. ક્ષયોપશમ હોય, ન હોય, યાદ રહે, ન રહે, પરંતુ અસંખ્ય પ્રદેશમાં વ્યાપક થઈ જવું જોઈએ.।। ૫૩૯।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૮૧) * કોઈ એકાંત વેદાંતમાં ખેંચી જાય નહિ તેટલા માટે બન્ને વાત બતાવી છે. પર્યાય બીજામાં થતી નથી, કાર્ય તો પર્યાયમાં જ થાય છે એમ કહે તો ત્યાં (પર્યાયની રુચિવાળા) ચોંટી જાય છેઆમ તો છે
* ‘હું ૫૨ને હણું છું ’ અને ‘હું ૫૨ને જાણું છું ’- સમકક્ષી પાપ છે *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ને! આમ તો હોવું જોઈએ ને!
અરે ભાઈ ! શું હોવું જોઈએ! છોડી દે બધી વાતો જાણવાની. હું તો ત્રિકાળી જ છું, ઉત્પાદ-વ્યય કંઈ મારામાં છે જ નહિ. IT ૫૪Oા.
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૮૮) * વિચાર મનનથી વસ્તુ પ્રાપ્ત થતી નથી (અનુભવ થતો નથી) કારણ કે તે બહિર્મુખી મનના સંગવાળી છે. વસ્તુ અંતર્મુખ ધ્રુવ છે. IT ૫૪૧ના
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ–૯૮) * શાસ્ત્ર બધાં વાંચી જાય પરંતુ અનુભવ વિના તેનો ભાવ ખ્યાલમાં આવે નહિ. બધી અપેક્ષા તો જાણી લે, પરંતુ તેમાં જ (જાણપણામાં જ) ફસાઈ જાય છે. જો ૫૪૨ //
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૦૯) * જે નિર્વિકલ્પતા થાય છે તેમાં તો આખું જગત, દેહ, વિકલ્પ, ઉઘાડ વગેરે કાંઈ દેખાતું જ નથી. એક પોતે જ પોતે દેખાય છે. અંદરમાં જાય તો બહારનું કાંઈ દેખાય નહિ./ ૫૪૩ાા
(શ્રી દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૧૪) | * શાસ્ત્રથી જ્ઞાન નથી થતું એમ સાંભળે એને બરાબર છે” એમ કહે પરંતુ અંદરમાં (અભિપ્રાયમાં) તો પોતે બહારથી (શાસ્ત્ર આદિથી) જ્ઞાન આવે છે, તેમ માને છે. વાણીથી લાભ નથી તેમ કહે પરંતુ માન્યતામાં સાંભળવાથી પ્રત્યક્ષ લાભ થતો દેખાય છે, તો થોડું તો સાંભળી લઉં, તેમાં નુકસાન શું છે? (અજ્ઞાનમાં એવો ભ્રમ રહે છે) અરે ભાઈ ! તેમાં નુકસાન જ થાય છે, લાભ નહિ. ઉપરથી નુકસાન કર્યું અને અંદરમાં
* હું જાણનાર અને લોકાલોક શેય એવું કોણે કહ્યું? *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૬૬
લાભ માનીને પ્રવર્તે, તે કેવી વાત ? એમાં અટકી જાય છે.।। ૫૪૪।। (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૧૬ )
* પ્રશ્ન:- દ્રવ્યલિંગી આટલું સ્પષ્ટ જાણીને ‘ ત્રિકાળીમાં ’ અહંપણું કેમ કરતા નથી ?
ઉત્તર:- તેમને સુખની જરૂરત નથી. કારણ કે તેમને એક સમયની ઉઘાડ પર્યાયમાં સંતોષ છે-સુખ લાગે છે. તેથી ‘ત્રિકાળી ’ને કેમ પકડે?।। ૫૪૫૦
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૨૧) * આખરમાં ગમે તેટલું સાંભળો પણ સુખ તો અહીંથી (અંતરમાંથી ) જ શરૂ થાય છે. આ થોડું સાંભળી તો લઉં, તેમાં શું નુકશાન છે? પછી અંદરમાં જઈશ, તે વાત ઠીક નથી. વળી એક સમયની જ્ઞાનપર્યાયમાં વિચાર કરી કરીને પણ શું મળશે ? ત્રિકાળીની તરફ જોર દેવાથી જ ક્ષણિક પર્યાયની એકતા છૂટીને સુખ મળશે.।। ૫૪૬।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૨૪) * દેવ-ગુરુ આદિ નિમિત્તનો સાંસારિક વિષયોની અપેક્ષાએ ફરક છે. કારણ કે સાંસારિક વિષયો તો પોતાની તરફ ઝૂકાવ કરવાનું કહે છે. અને દેવાદિક નિમિત્તો પોતાની તરફ ઝૂકાવનો નિષેધ કરીને ‘આત્માની ત૨ફ ઝૂકી જાઓ' એમ કહે છે. તેથી દેવાદિક નિમિત્તોમાં ફરક કહેવામાં આવે છે. પરંતુ જે જીવ પોતાની તરફ ઝૂકતા નથી, દેવાદિકની તરફ જ ઝૂકેલા રહે છે, તેમણે તો આ સાંસારિક વિષયોની જેમ આમને પણ વિષય બનાવી લીધા. તેમાં કાંઈ ફરક રહ્યો નહિ.।। ૫૪૭।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૨૯ )
* ‘ જ્ઞાયક નથી ત્યમ ૫૨ તણો ’*
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૭ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
* જ્યારે મુનિઓ પોતાને માટે, શાસ્ત્રમાં રમતી બુદ્ધિને વ્યભિચાર માને છે, તો નીચેવાળાની તો વ્યભિચારી બુદ્ધિ છે જ. તેમાં (અજ્ઞાની) જીવ એમ લે છે કે મુનિઓ તો પોતાને માટે વ્યભિચારી માને તે ઠીક છે પણ આપણે તો થોડી શક્તિવાળા છીએ, આપણે તો શાસ્ત્ર આદિનું અવલંબન જ જોઈએ એમ બહારનું લઈને ત્યાં સંતોષ માનીને અટકી જાય છે. પહેલામાં પહેલું તો ત્રિકાળીમાં પ્રસરી જવાનું છે. તે જ સર્વ પ્રથમ કરવાનું છે. આ ૫૪૮ાા
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૩૦) * થોડું આ તો કરી લઉં, આ તો જાણી લઉં, સાંભળી તો લઉં તે બધા અટકવાના રસ્તા છે. (પોતાના) અસંખ્ય પ્રદેશમાં પ્રસરીને પૂરેપૂરા વ્યાપક થઈને સ્થિર રહો ને! સુખશાંતિ વધતી જશે. વિકલ્પાદિ તૂટતા જશે. // ૫૪૯
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ–૧૪૦) * અમને તો સુખ પીવાની અધિકતા રહે છે, જાણવાની નહીં અને ખરેખર વિકલ્પથી જાણીએ છીએ તે તો સાચું જાણવું જ નથી. અંદરમાં અભેદતાથી જે સહજ જાણવું થાય છે, તે જ સાચું જ્ઞાન છે. પરસત્તા અવલંબી જ્ઞાન તો હેય કહ્યું છે ને! વળી શિવભૂતિ મુનિ વિશેષ જાણતા ન હતા, તોપણ અંદરમાં સુખ પીતાં પીતાં તેમને કેવળજ્ઞાન થઈ ગયું. પ૫૦ના
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ–૧૪૬) * (અજ્ઞાની જીવને) જ્ઞાનનો થોડો ક્ષયોપશમ થાય અને થોડો વિકાસ પણ થતો જાય તો તેમાં જ રોકાઈ જાય છે. “હું થોડો સમજદાર
* પરને જાણે તેવું શાયકનું સ્વરૂપ નથી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાનજ્ઞાન નથી ર૬૮ તો છું. વળી શાંતિ પણ થોડી પહેલાની અપેક્ષાએ વધતી જાય છે. તેથી હું આગળ વધતો જાઉં છું.” એવો સંતોષ માનીને અટકી જાય છે. IT પપ૧ ના
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૮૯) * પ્રશ્ન- ઉપયોગને પોતાની તરફ ઢાળવાનું જ એક કાર્ય કરવાનું છે ને?
ઉત્તર- પર્યાયની અપેક્ષાથી તો એમ જ કહેવાય, કેમ કે ઉપયોગ બીજી તરફ છે તો આ તરફ લાવો એમ કહેવામાં આવે છે. ખરેખર તો હું પોતે જ ઉપયોગ સ્વરૂપ છું. ઉપયોગ કયાંય ગયો જ નથી, એવી દષ્ટિ થતાં (પર્યાય અપેક્ષાથી) ઉપયોગ સ્વસમ્મુખ આવે જ છે.પપરા
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૨૨૩) * ઉપયોગ પોતાથી બહાર નીકળે તો જમનો દૂત જ આવ્યો, એમ દેખો! (બહારમાં) ચાહે ભગવાન પણ ભલે હોય. (ઉપયોગ બહાર જાય) તેમાં પોતાનું મરણ થઈ રહ્યું છે. બહારના પદાર્થથી તો મારો કોઈ સંબંધ જ નથી. પછી ઉપયોગને બહારમાં લંબાવવો શા માટે ?પપલા!
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૨૪૩) * “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ” તેમાં પર્યાપ્ત વાત બતાવી દીધી છે, પછી જે બધી વાત આવે છે તે તો પરલક્ષી જ્ઞાનની નિર્મળતા માટે સહજ હો તો હો.. પ૫૪||
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ–૨૮૧) * મને તો જ્ઞાનનું વધારે લક્ષ નથી (ક્ષયોપશમ વધારવાની ચાહુના નથી) સુખ પીવાનો ભાવ રહે છે. કેવળજ્ઞાન પડયું છે તો તે ઉઘડતાં
* શેયની પકડ કહો કે શેયાકારમાં અટક એક જ વાત છે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૯ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી જ્ઞાન તો બધું થઈ જશે. ૫૫૫TT
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૩૪૩) * જ્ઞાનના ઉઘાડમાં રસ લાગે છે તો તત્ત્વરસિક જનો કહે છે કે અમને તારી બોલીમાં રસ આવતો નથી, અમને તારી બોલી કાગપક્ષી જેવી (અપ્રિય) લાગે છે. પપ૬ IT
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૩૭૨) * (બીમારીની વ્યાખ્યા આ પ્રકારે કહી) ઉપયોગ બહારમાં ને બહારમાં ફરતો રહે છે, બસ તે જ બીમારી છે; તેને મટાડવાની છે. પપ૭TT
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૩૮૧) * ઉપયોગ બહારમાં જાય છે તેમાં પોતાના અનુભવમાં અંતરાય પડે છે. આ પપ૮T
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૪૧) * (ઉઘાડ ઉપર જેની દૃષ્ટિ છે તેને) ક્ષયોપશમ વધતો જાય છે, તો સાથે સાથે અભિમાન પણ વધતું જાય છે.' પપલા
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૪૮) * વિચાર અને ધારણામાં વસ્તુને પકડવાનું સામર્થ્ય જ નથી. અજ્ઞાની વસ્તુને પકડતો નથી. વિચારમાં તો વસ્તુ પરોક્ષ અને દૂર રહી જાય છે. એ પ૬૦)
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૫૧) * વિચારતા રહેવાથી તો જાગૃતિ આવતી નથી. ગ્રહણ કરવાથી જ જાગૃતિ થાય છે. વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે અને ગ્રહણ કરવામાં
* ઇન્દ્રિયજ્ઞાન વિભાવ છે તેથી તેનો નિષેધ કરાવ્યો છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૭૦ વસ્તુ પ્રત્યક્ષ થાય છે. સાંભળતા રહેવાથી અને વિચારતા રહેવાથી તો વસ્તુની પ્રાપ્તિ થતી નથી. ગ્રહણ કરવાનો જ અભ્યાસ શરૂ થવો જોઈએ. પ૬૧
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૫૪) * વિકલ્પાત્મક નિર્ણય છૂટીને સ્વ-આશ્રિત જ્ઞાન ઉઘડે છે. જે જ્ઞાન સુખને આપે છે-તે જ જ્ઞાન છે. પ૬ર//
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૬ર) * પરસમ્મુખ ઉપયોગ થાય છે તે આત્માનો ઉપયોગ જ નથી, અણ-ઉપયોગ છે. આત્માનો ઉપયોગ તો પરમાં જતો જ નથી, અને પરમાં જાય તે ઉપયોગ જ નથી. પ૬૩
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૬૫) * (અજ્ઞાનીના) પરલક્ષી ઉપયોગમાં ( જ્ઞાનમાં) રાગને ભિન્ન જાણવાની તાકાત જ નથી. પરલક્ષી ઉપયોગ તો અચેતન જ ગણવામાં આવે છે. આ પ૬૪
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩. બોલ-૪૭ર ) * જેમ તે બાજુના પંડિતોને લાગે છે કે અમે બધું જાણીએ છીએ તેમ વાંચનકાર થઈ જાય અને ઉઘાડ થઈ જાય તો તેમાં (લોકો) અટકી જાય છે કે અમે સમજીએ છીએ. તેથી તે ઉઘાડ રોકાવાનું સાધન થઈ જાય છે. પંડિતોનો સંસાર-શાસ્ત્ર, કહ્યું છે ને !. || પ૬પ ા
(શ્રી દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૮૮) * સાગરો સુધી બાર અંગનો અભ્યાસ કરે છે, પરંતુ તે પરલક્ષી જ્ઞાનમાં તો નુકશાન જ નુકશાન છે. જો ઉપયોગ બહારમાં જાય તો દુ:ખ
* જે વાતથી અનુભવ થાય તે વાત સાચી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
થાય જ. સ્વ-ઉપયોગમાં જ સુખ છે.।। ૫૬૬।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૯૨ )
* રુચિ હોય તો પ્રવૃત્તિમાં પણ પોતાના કાર્યમાં વિઘ્ન આવતું નથી. બીજા પાસેથી તો કાંઈ લેવું નથી, અને (સ્વયં) સુખનું તો ધામ છે. તેથી ઉપયોગ૨ક્તિ ચક્ષુની જેમ પ્રવૃત્તિમાં દેખાય અને ઉપયોગ તો આ તરફ (અંતરમાં ) કામ કરતો હોય.।। ૫૬૭।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૯૮ )
* વર્તમાન અંશમાં જ બધી રમત છે. તે અંતરમાં દેખશે તો (અનંત ) શક્તિઓ દેખાશે અને બહિર્મુખ થશે તો સંસાર દેખાશે. બસ, અંશથી ( કોઈ જીવ) બહાર તો જતો જ નથી. આટલી મર્યાદામાં રમત છે.।। ૫૬૮।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૫૪૭)
* અજ્ઞાનીને એમ રહે છે કે હું કષાયને મંદ કરતો કરતો અભાવ કરી દઈશ. પરંતુ તે રીતે તો કષાયનો અભાવ થતો જ નથી. સ્વભાવના બળ વિના કષાય ટળતો નથી. હું કષાયને મંદ કરતો જઈશ અને સહનશક્તિ વધારતો જઈશ તો કષાયનો અભાવ થઈ જશે તેમ અજ્ઞાની માને છે અને જ્ઞાનમાં જે પરલક્ષી ઉઘાડ છે તે જ વધતો વધતો કેવળજ્ઞાન થઈ જશે એમ માને છે.।। ૫૬૯।।
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૫૬૫ )
*
* હું ૫૨ને જાણું છું ત્યાંથી સંસારની શરૂઆત છે *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૭૨
वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व ऐवास्य पुंसः । तेनैवान्तस्तत्त्वतः पश्यतोडमी नो दष्टाः स्युर्दष्टमेकं परं स्यात् ।। ३७ ।। શ્લોકાર્થ:- ( વર્લ્ડ-આઘા:) જે વર્ણાદિક (વા) અથવા ( રા મોહ-આય: વા) રાગમોાદિક (માવા:) ભાવો કહ્યા ( સર્વે વ) તે બધાય (અસ્ય પુસ:) આ પુરુષથી ( આત્માથી ) (મિન્ના:) ભિન્ન છે (તેન ત્ત્વ) તેથી (અન્ત:તત્ત્વત: પશ્યત:) અંતર્દષ્ટિ વડે જોનારને (અમી નો વા: સ્વ:) એ બધાં દેખાતા નથી (પુ ં પરં વદ ચાણ્) માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે.
=
ભાવાર્થ:- ૫૨માર્થનય અભેદ જ છે તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો; તે નયની દૃષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે.
(શ્રી સમયસાર કલશ-૩૭ ભાવાર્થ પં. જયચંદજી છાબડા )
6
ખંડાન્વય સહતિ અર્થ:- ‘અસ્ય પુસ: સર્વે વ્ માવા મિન્ના:’ (અસ્ય) વિધમાન છે એવા (પુંસ:) શુદ્ધ ચૈતન્યદ્રવ્યથી ( સર્વે ) જેટલા છે તે બધા (માવા:) ભાવ અર્થાત્ અશુદ્ધ વિભાવપરિણામ (વ) નિશ્ચયથી (મિન્ના:) ભિન્ન છે-જીવસ્વરૂપથી નિરાળા છે. તે કયા ભાવ ? ‘ વર્ષાઘા:વા રામોહાય: વા' ( વર્ષાઘા: ) એક કર્મ અચેતન શુદ્ધ પુદ્દગલપંડરૂપ છે તે તો જીવસ્વરૂપથી નિરાળા જ છે; (વા) એક તો એવા છે કે (મોહાય:) વિભાવરૂપ-અશુદ્ધરૂપ છે, દેખતાં ચેતન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી જેવા દેખાય છે, એવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવસંબંધી પરિણામો તેઓ પણ શુદ્ધ જીવસ્વરૂપને અનુભવતાં જીવસ્વરૂપથી ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવપરિણામોને જીવસ્વરૂપથી ભિન્ન કહ્યા, ત્યાં “ભિન્ન ”નો ભાવાર્થ તો હું સમજ્યો નહિઃ “ભિન્ન કહેતાં, ‘ભિન્ન છે તે વસ્તુરૂપ છે કે “ભિન્ન” છે તે અવસ્તુરૂપ છે; ઉત્તર આમ છે કે અવસ્તુરૂપ છે. તેન થવા અન્તસ્તત્વત: પશ્યત: સની ઈ: નો ચુ:' (તેન વ) તે કારણે જ (અન્ત:તત્ત્વત: પશ્યત:) શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને (ની) વિભાવપરિણામો (ઈ.) દષ્ટિગોચર (નો પુ.) નથી થતા; “
ૐ ઈમ્ સ્થીત' (પરં) ઉત્કૃષ્ટ છે એવું () શુદ્ધ ચૈતન્યદ્રવ્ય () દષ્ટિગોચર (ચ) થાય છે. ભાવાર્થ આમ છે કે વર્ણાદિક અને રાગાદિક વિદ્યમાન દેખાય છે તોપણ સ્વરૂપ અનુભવતાં સ્વરૂપમાત્ર છે, તેથી વિભાપરિણતિરૂપ વસ્તુ તો કાંઈ નથી. પ૭)
(શ્રી સમયસાર કલશટીકા, કલશ ૩૭ ૫. રાજમલજી )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
'
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૭૪
પૂ. ગુરુદેવશ્રીના વચનામૃત
જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ
જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાળગોપાળ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો, ‘જાણનાર જ જણાય છે' તેમ નહીં માનતાં, રાગાદિ ૫૨ જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્વપૂર્વક જાણતો-માનતો
હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી.
અને જ્ઞાની તો- આ જાણનાર જણાય છે તે જ છું હું' એમ જાણનાર જ્ઞાયકને એકત્વપૂર્વક જાણતો-માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં ( -જ્ઞાનકળામાં ) અખંડનો સમ્યક્ પ્રતિભાસ થાય છે.।। ૫૭૧ । ।
(પૂ. ગુરુદેવશ્રી, આત્મધર્મ વર્ષ ૩૩, અંક-૮)
* અનાદિ મિથ્યાદર્શન ને મિથ્યાજ્ઞાનનો કારણે ઇન્દ્રિયોથી જ જાણું છું એમ અજ્ઞાની માને છે તેથી ઇન્દ્રિયની પ્રીતિ છૂટતી નથી. મારો સ્વભાવ અનાદિ અનંત જ્ઞાનસ્વભાવ છે તેની દૃષ્ટિ નહિ હોવાને લીધે હું ઇન્દ્રિયો વડે જાણું છું. મારું જ્ઞાન મારાથી થાય છે એમ નહિ જાણતા ઇન્દ્રિયો વડે જણાય છે એમ માની ઇન્દ્રિયોની પ્રીતિ કરી સ્વભાવની પ્રીતિ કરતો નથી. ઇન્દ્રિયો, મન મારા અંગિત છે, એ જ હું છું એમ માની અજ્ઞાની જીવ ઇન્દ્રિયોની રુચિ છોડતો નથી ને અતીન્દ્રિય સ્વભાવની રુચિ કરતો નથી.।। ૫૭૨ ।।
(પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્દગુરુપ્રવચન પ્રસાદ એક ૩૨, પુષ્ટ ૨૨૮)
જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક પર્યાય નૃત્ય પાસે જતો નથી. નૃત્યની સામે જોતો નથી. નૃત્ય સામે જોવું એટલે શું? પર તો પરમાં પરિણમે છે, પોતાના જ્ઞાનમાં પ્રવર્તી રહેલી પર્યાય પોતાને જાણે છે એમ નહિ માનતા હું પરને જાઉં છું–એવી માન્યતા મિથ્યા * ‘હું ૫૨ને જાણું છું ’ તે માન્યતા મિથ્યા છે *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૫ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી છે. અજ્ઞાની કહે છે કે મેં સ્ત્રી, આંખો, હાથ, ચેષ્ટા વગેરેને દીઠા પણ ખરેખર તો તે જ્ઞાનનો સ્વ-પર પ્રકાશ પર્યાય ખીલ્યો છે. તે પણ પર પદાર્થ છે માટે નહિ પણ અનાદિ અનંત સ્વભાવ છે માટે પર્યાય પ્રગટે છે. પર છે માટે નહિ, પરને લીધે નહિ પર સારું જોયું માટે નહિ! મારો જ્ઞાનપર્યાય મારાથી પ્રગટે છે એમ માનવું જોઈએ.// પ૭૩ાા (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩ર, પૃષ્ઠ ૧૭૧)
“રાગ-સ્વર સાંભળ્યો” એમ તે કહે છે રાગ-શબ્દ જડ છે, નિંદા ને પ્રશંસાના શબ્દો જડે છે માટે રાગને સાંભળ્યો નથી પણ તે ક્ષણની સામર્થ્ય શક્તિ સ્વ-પર શક્તિને જાણી છે. શબ્દને અડ્યા વિના, શબ્દ સામું જોયા વિના પોતાના સામર્થ્યથી સાંભળે છે તે સ્વર અથવા રાગ જ્ઞાનમાં આવે તો જ્ઞાન જડ થાય ને જ્ઞાન સ્વરમાં જાય તો જ્ઞાન ને સ્વર એક થઈ જાય. જ્ઞાન સ્વરને જાણે તો જ્ઞાનની હયાતી રહેતી નથી. સ્વ-પર સામર્થ્ય પોતાનું છે તે નિશ્ચયથી છે. પરને જાણે એમ કહેવું તે વ્યવહાર છે. “આ નિંદા સાંભળી.” “મારો જશ ગવાય છે તેને હું સાંભળું છું” એમ અજ્ઞાની કર્યું છે. તે વખતે તારી હુક્યાતી છે કે નહિ ? કે તેની હુણ્યાતીને તું સાંભળે છે? તું તારા જ્ઞાનપર્વને જાણી રહ્યો છે. અનાદિ અનંત જ્ઞાનસ્વરૂપ છે તેની જ્ઞાનપર્યાયનું પ્રવર્તન થઈ રહ્યું છે તેમ નહિ માનતા પરને જાણું છું એમ માનવું તે અધર્મ છે. શબ્દને સાંભળું છું એટલે પરને સાંભળે છે કે સ્વને? અને છોડી પરને સાંભળું છું. મને નૃત્ય ને રાગમાં મજા પડી એમ માનનારના જ્ઞાન તથા મજા બન્નેમાં ભૂલ છે. | પ૭૪TI (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુપ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૭ર)
પંડિતજીએ કેવી શૈલીથી મૂકયું છે. વસ્તુ જ્ઞાનસ્વરૂપ છે સ્વના સામર્થ્યને નહિ માનતો “મેં શબ્દ સાંભળ્યો” એમ માનવું તે મિથ્યા અભિપ્રાય છે. “મેં ફૂલ સ્થું” એમ માને છે ફૂલ તો જડ છે,
* પરને જાણતાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૭૬ અજીવમૂર્તિ છે. તેનો પર્યાય મૂર્તિ છે. આત્માનું જ્ઞાન મૂર્તિને સુંઘતું નથી, મૂર્ત તરફ થઈને જાણતું નથી, પણ અમૂર્ત તરફ રહીને પોતાને જાણે છે. પણ પોતાના જ્ઞાનસ્વભાવના સામર્થ્યને નહિ જાણતો પરને જાણું છું. એવી માન્યતાને લીધે પરની રુચિ છોડતો નથી.// પ૭પ (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૭૨)
* અજ્ઞાનીને પોતાના અસ્તિત્વની ખબર નથી. પરના અસ્તિત્વની ખબર નથી ને સ્વ-પર ભિન્નતાની ખબર નથી તેને ભેદજ્ઞાન વિના ધર્મ થતો નથી મેં દૂધપાક, શીખંડ, રસગુલ્લા, ગુલાબજાંબુ જાણ્યા એમ કહે છે તો તું પરમાં પ્રવર્તે છે? તારામાં તે પ્રવર્તે છે? તે સ્વાદને જાણ્યો નથી તારો જ્ઞાનસ્વભાવ તને તથા પરને જાણવાનો તારામાં છે. પરને જાણવું તે ઉપચારકથન છે જ્ઞાન જ્ઞાનનું છે. જ્ઞાનમાં પોતાને જાણવાનો સ્વભાવ છે. તથા સ્વાદને જાણ્યો એમ કહેવું તે ઉપચાર છે છતાં અજ્ઞાની ઉપચારને યથાર્થ કરી નાખે છે. તે ચીજ જાણતી વખતે તને તારો પર્યાય જણાય છે એમ નહિ માનતા પરને જાણું છું એમ માની અવાસ્તવિકતા ઊભી કરી છે. // પ૭૬ (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદગુરુપ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૭૩)
* પરને જાણ્યું એમ માની તેમાં રાગ કરે છે. મને આ ચીજ મીઠી લાગે છે એમ રાગ કરે છે. જડની હાલત અહીં આવે છે? ના, જડની હાલતને લીધે રાગ થાય છે? ના, જડની હાલતને લીધે જ્ઞાન થાય છે? ના, પોતાનું જ્ઞાન નહિ જાણતા પરને જાણું છું એમ માનવું અધર્મ છે. || પ૭૭ (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૭૪ )
આત્માએ મીઠા પદાર્થને જાણ્યાં નથી. અને જાણતા પરને ઉપચારથી જાણે છે. અારોપ વિના આરોપ ક્યાંથી આવે?
* હું આંખ વડે રૂપને જોતો નથી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૭ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી મીઠાની પર્યાયના અભાવરૂપે રહેતા ને પોતામાં ભાવરૂપે રહેતા પોતાને જાણું છું એમ નહિ માનતા પરને જાણું છું એમ અજ્ઞાની માને છે.
જીવ સ્વાદ લઈ શકતો નથી. તે વખતની જ્ઞાનપર્યાય તે કાળે તેવી તાકાતવાળી છે એમ નહિ માનતા પરને જાણું છું તે મિથ્યાભ્રાંતિને અજ્ઞાન છે તેથી અનંત સંસારમાં રખડે છે. || પ૭૮ાા (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ ૧૭૪)
આ પ્રકારે મિશ્રિત જ્ઞાન કર્યું છે. પણ શેય મિશ્ર થયાં નથી. એવા જ્ઞયમિશ્રિત જ્ઞાન વડે વિષયોની જ પ્રધાનતા ભાસે છે. મારો જ્ઞાનપર્યાય મારાથી પ્રત્યે એમ ન ભાસ્યું પણ વિષયોથી પ્રવર્યો એમ ભાસે છે. આને જાણ્યું, ફૂલને ચૂંથું એમ પરને પ્રધાનતા આપે છે, કલ્પનામાં જ્ઞય ને જ્ઞાન મિશ્રિત કરે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો ને મનના વિષયો પોતામાં એકમેક કરે છે. આ ચીજ હોય તો જણાય તેથી તે ચીજો મેળવવા માગે છે. પરને મેળવવા માગે છે. પરને જાણવા માગે છે પણ પોતાને મળવા માગતો નથી. પોતાને ભિન્ન નહિ માનતો ન્નયમિશ્રિત જ્ઞાન વડે તે ચીજોની મુખ્યતા ભાસે છે. હું જાણનાર દેખનાર છું એમ ભાસતું નથી. આખો ભગવાન આત્મા રહી જાય છે. || પ૭૯ાાં
* આ બધાનો સાર એ છે કે તારો પરને જાણવાનો રસ્તો ને પરમાં સ્વાદ માની રાગનો સ્વાદ લેવાનો રસ્તો શાંતિનો નથી, તેથી તું દુઃખી થઈ રહ્યો છો. વિષયોનો સ્વાદ નથી ને વિષયોનું જ્ઞાન નથી પણ રાગનો સ્વાદ છે ને જ્ઞાનનું જ્ઞાન છે. વિષયો પર છે. રાગ ક્ષણિક છે. સ્વભાવમાં નથી ને જ્ઞાનપર્યાય જ્ઞાનસ્વભાવવાનની છે. એમ રાગરહિત નિત્ય જ્ઞાનસ્વભાવીની દષ્ટિ થાય. આમ સમજે તો નિચિત્તબુદ્ધિ ને રાગબુદ્ધિ છૂટીને સ્વભાવબુદ્ધિ થાય-ધર્મ થાય એ સમજાવવા વાત કરી છે. તે પ૮૦
* હું પરને જાણતો નથી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ર૭૮ (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ ૧૭૬ )
જ્ઞાન જ્ઞાનને જ જાણે છે તો જગતની બીજી ચીજની શી જરૂરિયાત છે?
સમાધાન- જ્ઞાનને લીધે જગતની ચીજો નથી ને જગતની ચીજોને લીધે જ્ઞાન નથી. જ્ઞાન પરને જાણે છે એમ કહેવું તે અસલ્કત ઉપચાર છે. ખરેખર જ્ઞાન પરને જાણે તો લોકાલોક ને જ્ઞાન એકમેક થઈ જાય-બન્ને જુદાં રહેતાં નથી. || પટના (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩ર, પૃષ્ઠ ૧૭૬ )
ખરેખર આ જગતને જાણ્યું નથી. જો જગતને ખરેખર જાણે તો જગત ને જીવ એક થઈ જાય તારું જ્ઞાન ખરેખર માનસ્તંભને જાણે તો તારું જ્ઞાન તેમાં ચાલ્યું જાય તો તું ને માનસ્તંભ એકરૂપ થઈ જાય. ખરેખર પોતાની જ્ઞાનપર્યાયને જાણે છે, માનસ્તંભ આદિ પરને ખરેખર જ્ઞાન જાણતું નથી. || પ૮૨ાા (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૮૦)
* સમ્યજ્ઞાનનું લક્ષણ - પરલક્ષ અભગ્ગા *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ( ઇન્દ્રિયજ્ઞાન ) બંધના હેતુરૂપ હોવાથી વિરુદ્ધ, બંધના કાર્યરૂપ હોવાથી કર્મજન્ય, આત્માનો ધર્મ નહીં હોવાથી અશ્રેયરૂપ તથા કલુષિત હોવાથી સ્વયં અશુચિ છે. (શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૩) જીવને જેટલું વૈષયિક (ઇન્દ્રિયજન્ય) જ્ઞાન છે તે બધું પૌગલિક માનવામાં આવ્યું છે અને બીજું જે જ્ઞાન વિષયોથી પરાવૃત્ત છે - ઇન્દ્રિયોની સહાય વિનાનું છે - તે બધું આત્મીય છે. (શ્રી યોગસાર શ્રી અમિતગતિ આચાર્ય, ચૂલિકા અધિકાર, ગાથા-૭૬ ) ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને કારણે શરીર અને આત્માનો સદા પરસ્પર ભેદ છે. શરી૨ ઇન્દ્રિયોથી - ઇન્દ્રિયજ્ઞાનથી-જણાય છે અને આત્મા ખરેખર સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવે છે. (શ્રી યોગસાર, શ્રી અમિતગતિ આચાર્ય, ચૂલિકા અધિકાર ગાથા-૪૮) આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી પરને જાણવા ઉપયોગ મૂકવો, એ વાત જ કયાં રહી ? પોતે પોતાને જાણે છે, એમ કહેવું તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે, ખરેખર જ્ઞાયક તે જ્ઞાયક જ છે તે નિશ્ચય છે, જૈન દર્શન ઝીણું બહુ ! (પૂ. ગુરુદેવશ્રી, ગુજરાતી આત્મધર્મ, માર્ચ 1981 માંથી ઉતારો) Please inform us of any errors on rajesh@AtmaDharma.com