SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ઔદયિકી ક્રિયા રહે છે, ત્યાં સુધી તે પ્રદેશોનું પરિસ્પંદન પણ રહે છે, કારણ કે આત્માના પ્રદેશોનો પરિસ્પદ કર્મોદયરૂપ ઉપાધિ વિના થતો નથી. મતલબ કે ઇન્દ્રિયજ્ઞાન હોય ત્યારે યોગનું કંપન હોય છે. તે પણ એક વિકાર છે. તે પ૬ (શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૩O૬ નો ભાવાર્થ ) (સ્વાનુમૂલ્ય વસંતે) પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમજ જ્ઞાન, અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું-એવું માનનાર તૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. || પટ્ટા (શ્રી સમયસારજી કળશ-૧ શ્લોકાર્થ માંથી) વળી દાઢ્યના (બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે શેયાકાર થવાથી તે “ભાવ”ને જ્ઞાયકપણુ પ્રસિદ્ધ છે તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે યાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપપ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તાકર્મનું અનન્યપણું હોવાથી, જ્ઞાયક જ છે પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ (જેમ દીપક ઘટપટાદીને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને-પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ, દીપક જ છે, અન્ય કાંઈ નથી તેમ જ્ઞાયકનું સમજવું ). || પટા. (શ્રી સમયસાર ગાથા-૬ ટીકા બીજો પેરાગ્રાફ ) * ઈન્દ્રિયજ્ઞાન અરૂપી એવા આત્માને જાણતું નથી. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy