SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૪૨ સામાર્થ્યથી આત્મપ્રત્યક્ષ થાય છે, તેથી સ્વાનુભૂતિના સમયમાં મતિશ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યાં છે. અન્વયાર્થ:- તેનો ખુલાસો આ પ્રમાણે છે કે-આ શુદ્ધ સ્વાનુભૂતિના સમયમાં સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પ્રમાણે પાંચે ઇન્દ્રિયો ઉપયોગી માની નથી પરંતુ ત્યાં કેવળ મન જ ઉપયોગી માનવામાં આવ્યું છે તથા અહીં નિશ્ચયથી પોતાના અર્થની અપેક્ષાથી નોઇન્દ્રિય છે બીજું નામ જેનું એવું તે મન, દ્રવ્યમન તથા ભાવમન એ પ્રમાણે બે પ્રકારનું છે. ભાવાર્થ:- પૂર્વોક્ત કથનનો ખુલાસો આ પ્રમાણે છે કે જે સમયે સમ્યગ્દષ્ટિ, સ્વાનુભૂતિ કરે છે તે સમયે તેને પાંચે ઇન્દ્રિયોનો ઉપયોગ થતો નથી પરંતુ કેવળ એક મનનો જ ઉપયોગ થાય છે, તથા એ મન, દ્રવ્યમન તથા ભાવમન એ પ્રમાણે બે પ્રકારનું માનવામાં આવ્યું છે. સારાંશ આ છે કે સ્વાનુભૂતિના સમયમાં ઇન્દ્રિયજન્યજ્ઞાન હોતું નથી. ।। ૮૫।। (શ્રી પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા-૭૧૦, ૭૧૧, ૭૧૨) અન્વયાર્થ:- સ્પર્શ, રસના, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચો ઇન્દ્રિયો એક મૂર્તિક પદાર્થોને જાણવાવાળી છે તથા મન, મૂર્તિક તથા અમૂર્તિક બન્ને પદાર્થોને જાણવાવાળું છે. અન્વયાર્થ:- તેથી અહીં આ કથન નિર્દોષ છે કેસ્વાત્મગ્રહણમાં નિશ્ચયથી મન જ ઉપયોગી છે પરંતુ આટલું વિશેષ છે કે-વિશિષ્ટદશામાં તે મન પોતે જ જ્ઞાનરૂપ થઈ જાય છે. * ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ નહીં થાય. * Please inform us of any errors on [email protected]
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy