________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૭૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
તે ‘શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો' એટલે કે એમાં તે જાણનારો જણાયો છે. પણ જણાય એવી ચીજ જણાતી નથી. જે જણાય છે તે ચીજ જણાઈ નથી. પરંતુ તે જાણનારો ત્યાં જણાયો છે. આવી ગૂઢ અલૌકિક વાતુ છે ભાઈ !।। ૩૧૪।।
(‘શ્રી જ્ઞાયકભાવ ’ પુસ્તકમાંથી, પાનુ-૫૨ )
અહા! જેણે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયમાં સ્થાપ્યા અને જેને જ્ઞાનનું-શાયકનું–જ્ઞાન થયું તેનું જ્ઞાન રાગને અને શરીરને પણ જાણે છે. પરંતુ એથી તેને શેયકૃત-પ્રમેયકૃત અશુદ્ધતા થઈ નથી. કેમ કે એ તો જ્ઞાયકની પર્યાયને જ જાણે છે. અહા! એ રાગને જાણવા કાળે રાગ આકારે જે જ્ઞાન થયું છે તે રાગને કારણે (રાગને આકારે) થયું છે એમ નથી. પરંતુ તે કાળે જ્ઞાન પર્યાયનો જ પોતાના જ્ઞાનાકારે થવાનો સ્વભાવ હોવાથી એ રીતે થયું છે. માટે, તે વખતે રાગ જણાયો નથી પણ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ?।। ૩૧૫।।
(‘શ્રી જ્ઞાયકભાવ ’ પુસ્તકમાંથી, પાનુ–૫૩)
અહીં કહે છે કે ભગવાન આત્માને જ્યારે તેણે સર્વજ્ઞપણે સ્થાપ્યો અને જ્યારે તેને સર્વજ્ઞ સ્વભાવનું ભાન થયું ત્યારે તેણે સ્વને–જાણનારને–તો જાણ્યો. પણ તે વખતે તેણે ૫૨ને જાણ્યું છે ? ભાઈ! તે વખતે પણ તેણે જાણનારની પર્યાયને જ જાણી છે, જાણનારની પર્યાય તરીકે જ તે જણાયો છે. પણ રાગની પર્યાય તરીકે જણાયો છે કે રાગની પર્યાય છે માટે તેને જાણે છે એમ નથી. ભગવાનની, પરમાત્માની વાણી અને મુનિઓની વાણીમાં તે બેમાં ફેર નથી. કેમ કે મુનિઓ આડતિયા થઈને સર્વજ્ઞની વાણી જ કહે છે.
* ઇન્દ્રિયજ્ઞાન વિભાવ છે તેથી તેનો નિષેધ કરાવ્યો છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com