SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૭૪ પર છે, રાગાદિ થાય છે તેને જે જાણે છે તે રાગાદિને લઈને જાણે છે એમ નથી. પરંતુ એ જ્ઞાનની પર્યાયનું સ્વપર-પ્રકાશક સામર્થ્ય જ એવું છે કે પોતે પોતાને જાણે છે અર્થાત જ્ઞાયક (જાણનાર પર્યાય ) જ્ઞાયકને (જાણનાર પર્યાયને ) જાણે છે. અહીં પર્યાયની વાત છે હોં. કેમ કે દ્રવ્યને તો તે જાણે જ છે. અહીં! ગજબ વાત છે. તે ૩૧ર (“શ્રી જ્ઞાયકભાવ' પુસ્તકમાંથી પાન-૪૯) અહા! વસ્તુસ્વરૂપ ચિદાનંદ પ્રભુ આત્મા જ્ઞાયકપણે તો જણાયો, લક્ષમાં આવ્યો, દષ્ટિમાં આવ્યો. પરંતુ તેને જાણનારોસ્વપરપ્રકાશક-કહીએ છીએ, તો “તે પરને જાણનારો છે” એમ પણ તેમાં આવ્યું. એટલે કે સ્વને તો જાણ્યો. પણ હવે પરને જાણવાનું પણ તેમાં આવ્યું. તો કહે છે કે પરને જાણવું એ એમાં નથી આવ્યું. પરંતુ પરસંબંધીનું જ્ઞાન કે જે પોતાને પોતાથી થયું છે તેવા શાયકને જ્ઞાને જાણ્યો છે. માટે, પર્યાયે જ્ઞાનને જાણ્યું છે એ જાણનારની પર્યાયને તેણે જાણી છે. સમજાણું કાંઈ ? બહુ આકરું કામ બાપુ! કેમ કે વીતરાગ સર્વજ્ઞનો મારગ જ એવો છે. || ૩૧૩ાા (“શ્રી જ્ઞાયકભાવ' પુસ્તકમાંથી પાન-૪૯-૫૦) અહીં કહે છે કે “જ્ઞયાકાર અવસ્થામાં.' શેયને-રાગને જાણવાની અવસ્થામાં પણ “જ્ઞાયકપણે જે જણાયો છે–તે જ્ઞાયકની પર્યાયપણે જણાયો છે. પણ રાગની પર્યાય તરીકે તે જણાયો છે એમ છે નહીં. તો કહે છે કે “ૉયકૃત અશુદ્ધતા તેને નથી” એટલે? કે શરીરની ક્રિયા અને રાગ થાય તે વખતે તે રીતે જ્ઞાન પોતે પરિણમે અને તેને જાણે, છતાં તે શેયકૃત અશુદ્ધતા-પરાધીનતા જ્ઞાનના પરિણમનને નથી, હુવે કહે છે કે એ જ્ઞાનનું પરિણમન જે થયું છે * શેયની પકડ કહો કે શેયાકારમાં અટક – એક જ વાત છે. * Please inform us of any errors on [email protected]
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy