________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી છો, તારી શક્તિમાં બીજાની જરૂર નથી. તને જાણવામાં કે પર જાણવામાં પરની જરૂર નથી; પણ તને પોતાને જાણવામાં તારી શક્તિની જરૂર છે (અને તે તો છે જ ). હવે આમાં વિષય ને કષાયનો રસ કયાં રહ્યો ? વિષય કષાયના ભાવ તો પરશેય છે, તારે એનાથી કોઈ સંબંધ નથી. તેઓ તારામાં તો નથી, તારા જ્ઞય છે એમ પણ નથી.// ૩૧૦ના
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનુ-૧૭૬ ) શું કહે છે? કે વિશેષને જોનારી પર્યાયાર્થિક આંખ બંધ કરી દે. આહાહા... બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકકોર રહી; કેમ કે પોતાના સિવાય બીજા જે પદાર્થો છે, પછી ભલે તે ત્રણલોકના નાથ ભગવાન હોય તોપણ, તેને જોવાની જે દષ્ટિ છે તે કાંઈ પર્યાયાર્થિક દૃષ્ટિ કે દ્રવ્યાર્થિક દષ્ટિ નથી. ફક્ત પોતાનામાં બે પ્રકાર છે. એક સામાન્યપણું-કાયમ રહેવાપણું અને બીજું વિશેષપણુંબદલવાપણું અને તેને જોનાર બે આંખ છે. હવે એ વિશેષને જોનારી આંખને બિલકુલ બંધ કરીને ઉઘાડેલી દ્રવ્યાર્થિક આંખ વડે જો એમ કહે છે. ભારે ગજબ વાત છે! થોડ શબ્દ ઘણું ભર્યું છે હોં! અહો ! વાત બહુ ઊંચી છે !. ૩૧૧
(શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પાનુ-૧૩પ.) એ અહીંયા કહે છે કે જ્યારે આત્માને અમે જ્ઞાયક કહ્યો અને તે જ્ઞાયક જ્ઞાયકપણે જણાયો ત્યારે જાણનારને તો જાણ્યો પણ હવે તે જાણનાર છે” એમ કહેવાય છે તો તે પરને પણ જાણે છે એવું એમાં આવ્યું ને? ભાઈ ! તે પરને જાણે છે એમ ભલે કહીએ. તોપણ ખરેખર તો જે પર છે તેને તે જાણે છે એમ નથી. અર્થાત્
* પરને જાણે તેવું શાયકનું સ્વરૂપ નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com