________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૭૬ પણ ભાઈ ! તે વાત તેં સાંભળી નથી. ૩૧૬
(“શ્રી જ્ઞાયકભાવ' પુસ્તકમાંથી, પાન-૫૪) તે પોતાની પર્યાયનો જાણનારો છે. માટે, કેવળી લોકાલોકને જાણે છે એમ પણ નથી. પરંતુ કેવળી પોતાની પર્યાયને જાણે છે. તેથી પર્યાય તેમનું કાર્ય છે. અને કર્તા તેમનું જ્ઞાનસ્વરૂપ છે. અથવા પર્યાય છે, તે કારણે લોકાલોક છે માટે અહીં જ્ઞાન-કેવળજ્ઞાન-થયું છે એમ નથી.// ૩૧૭ના
(“શ્રી જ્ઞાયકભાવ” પુસ્તકમાંથી પાન-૫૮) અહીં કહે છે કે “અન્ય કાંઈ નથી, તેમ શાયકનું સમજવું એટલે?
કે જાણનારો ભગવાન આત્મા અને જાણતા, જે પર્યાયમાં સ્વને જાણ્યો તે જ પર્યાયમાં પરને પણ જાણ્યું. તો એ પરને જાણતી જે જાણવાની પર્યાય થઈ છે તે પોતાથી જ થઈ છે. એટલે કે ખરેખર તો તેણે પોતાની પર્યાયને જાણી છે. કારણ કે તે પર્યાયમાં કંઈ ય આવ્યા નથી. જેમ દીવો ઘટ, પટને પ્રકાશે છે એટલે કાંઈ દીવાના પ્રકાશમાં ઘટ, પટ આવી ગયા નથી, દીવાના પ્રકાશમાં તેઓ પેઠાં નથી. એમ ભગવાન આત્મા ચૈતન્યદીવો-ચંદ્ર-પ્રભુ છે. –આવું જેને રાગથી ભિન્ન થઈને અંતરમાં જ્ઞાન થયું છે અર્થાત્ આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એમ જ્યાં ભાન થયું ત્યાં અલ્પજ્ઞ પર્યાયમાં સર્વજ્ઞ સ્વભાવનું ભાન થયું. તો એ જે અલ્પજ્ઞ પર્યાય થઈ તે સર્વજ્ઞ સ્વભાવની છે એટલે કે તેને જાણનારી તે પર્યાય જ્ઞાયકની પર્યાય છે અને તે પર્યાય પરને જાણે છે તોપણ તે જ્ઞાયકની પર્યાય છે. પરંતુ તે પરની પર્યાય છે કે પરને લઈને થઈ છે એમ છે નહીં. અહા !
* જે વાતથી અનુભવ થાય તે વાત સાચી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com