________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ચેતક (ચેતનારો), તે આ હું છું અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય (અર્થાત્ ચૈતન્યલક્ષણ સિવાય બીજાં લક્ષણોથી ઓળખાવા યોગ્ય) જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે, તે બધાય, ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે, માટે હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું. આત્માની, ચેતના જ એક ક્રિયા હોવાથી, “હું ગ્રહણ કરું છું” એટલે “હું ચતું જ ; ચેતતો જ (અર્થાત્ ચેતતો થકો જ ) ચેતું છું, ચેતતા વડે જ ચતું છું, ચેતતા માટે જ ચેતું છું, ચેતતામાંથી જ ચેતુ છું, ચેતતામાં જ ચતું છું, ચેતતાને જ ચતું છું અથવા-નથી ચેતતો નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો; પરંતુ સર્વવિશુદ્ધ ચિત્માત્ર (-ચૈતન્યમાત્ર) ભાવ છું... ૧૩૬ TI
(શ્રી સમયસાર ગાથા-૨૯૭ ની ટીકા) पण्णाए धित्तव्यो जो दट्ठा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९८ ।। पण्णाए धित्तव्यो जे णादा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९९ ।। પ્રજ્ઞાથી ગ્રહો-નિશ્ચયે જે દેખનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૮ પ્રજ્ઞાથી ગ્રહોનિશ્ચયે જે જાણનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૯
* હું સ્પર્શઇન્દ્રિયથી સ્પર્શ કરું છું - એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com