________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૭) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે દેખનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું.
પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. || ૧૩૭
(શ્રી સમયસારજી ગાથા-૨૯૮-૨૯૯) ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહીં હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું. “ગ્રહણ કરું છું” એટલે દેખું જ છું” દેખતો જ (અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું. અથવા-નથી દેખતો નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખાતામાં દેખતો, નથી દેખતાને દેખતો; પરંતુ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું. વળી એવી જ રીતે-હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું. “ગ્રહણ કરું છું” એટલે જાણું જ છું', જાણતો જ (અર્થાત જાણતો થકો જ ) જાણું છું, જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું, જાણતામાં જ જાણું છું, જાણતાને જ જાણું છું. અથવા-નથી જાણતો નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડે જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો; પરંતુ સર્વવિશુદ્ધ જ્ઞતિમાત્ર (જાણ નક્રિયામાત્ર) ભાવ છું. (આમ દેખનારા આત્માને તેમ જ જાણનારા આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને
* હું મનથી છ દ્રવ્યને જાણું છું – એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com