________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી વધારાનું છે. એટલે કે તેમની અપેક્ષા ભાવશ્રુતજ્ઞાનને નથી. એવા ભાવશ્રુતજ્ઞાનથી આત્માને જાણે કે કેવળજ્ઞાનથી આત્માને જાણે પણ એ જાણવામાં-અનુભવનમાં ફેર નથી. માટે જ્ઞાનમાં શ્રત-ઉપાધિકૃત ભેદ નથી. શ્રુતજ્ઞાન કહ્યું માટે તેમાં શ્રુત-ઉપાધિકૃત ભેદ છે એમ નથી. / ૪૯૯T
(શ્રી પરમાગમસાર, બોલ-૪૫૭) | * ભગવાનની વાણી એ શ્રત છે–શાસ્ત્ર છે. શાસ્ત્ર પૌગલિક છે તેથી તે જ્ઞાન નથી, ઉપાધિ છે અને એ શ્રુતથી થતું જ્ઞાન એ પણ ઉપાધિ છે, કેમ કે તે શ્રુતના લક્ષવાળું જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાન અને જાણી શકતું નથી. માટે તેને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. જેમ સત્ત્વશાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છેઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છેઉપાધિ છે. આહાહા! શું વીતરાગની શૈલી છે! પરલક્ષી જ્ઞાનને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે. સ્વજ્ઞાનરૂપ જ્ઞતિક્રિયાથી આત્મા જણાય છે, ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. પOOT
(શ્રી પરમાગમસાર, બોલ-૪૬૦) * પ્રશ્ન- તત્ત્વનું સ્વરૂપ બરાબર જાણવા છતાં જીવ કેવા પ્રકારથી અટકી જાય છે?
ઉત્તર:- તત્ત્વને બરાબર જાણવા છતાં પર તરફના ભાવમાં ઊંડે ઊંડે રાજીપો રહી જાય છે, પરલક્ષી જ્ઞાનમાં સંતોષાય છે અથવા આવડતના અભિમાનમાં અટકી જાય છે. બહાર પડવાના ભાવમાં રોકાઈ જાય છે. અંદર રહેવાના ભાવ નથી. તેથી અટકી જાય છે અથવા શુભ
* ઇન્દ્રિયજ્ઞાન જેને જાણે તેને પોતાનું માને છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com