SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ર00 વિશેષોના કાળે તેમાં દ્રવ્ય વર્તી રહ્યું છે, તે તે વિશેષો તે કાળે તે દ્રવ્યના છે. એમ જ્ઞાન કરાવવા તે તે કાળે તે વિશેષોમાં તન્મય છે એમ કહ્યું. માટે જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. ૩૭૩ાા (શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૫૧, પેરા-૩) આહાહા...! કહે છે-દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, કેમ કે દ્રવ્યશ્રુત અચેતન છે; માટે જ્ઞાન અને શ્રુતને ભિન્નતા છે, જુદાઈ છે. એટલે શું? કે દ્રવ્યશ્રુતથી અહીં (આત્મામાં) જ્ઞાન થાય છે એમ નથી. તો કેવી રીતે છે? સાંભળનાર શ્રોતાને પોતાના ઉપાદાનની યોગ્યતાથી જ્ઞાન થાય છે, અને દ્રવ્યશ્રુત તો ત્યારે નિમિત્તમાત્ર છે. વળી દ્રવ્યશ્રતનું જ્ઞાન તે પરલક્ષી જ્ઞાન છે, સ્વલક્ષી નથી; માટે દ્રવ્યશ્રતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે.! ૩૭૪ | (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પેરા-૫, પાન-૧૦૧) પરમાર્થ વચનિકામાં આવે છે કે જેટલું પરસત્તાવલંબી જ્ઞાન છે તે જ્ઞાનને વાસ્તવમાં મોક્ષમાર્ગ કહેતા નથી. દ્રવ્યશ્રતવાણી જે છે તે જડ છે, તે આત્મા નથી અને તેને સાંભળવાથી આત્મા તત્વજ્ઞાન) પ્રગટે છે એમ પણ નથી. પણ જે શ્રત વિકલ્પ છે તેનું લક્ષ મટાડી અંદર જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે તેને સ્પર્શીને જે જ્ઞાન પ્રગટ થાય તે વાસ્તવિક જ્ઞાન છે. આ સિવાય અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી જાય તોયે તે જ્ઞાન નથી. ૩૭૫ના ( શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧૦, પેરા-૬, પાનુ-૧૮૧) આહાહા.! દ્રવ્યશ્રુત તે જ્ઞાન નથી, આત્મા નથી; એનાથી આત્મા ભિન્ન છે. વળી દ્રવ્યશ્રુતનું જે જ્ઞાન થાય એનાથી પણ આત્મા ભિન્ન * ઇન્દ્રિયજ્ઞાન સ્વ કે પરને જાણવાનું સાધન નથી. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy