________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ? जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू।। ३१।। જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧
ગાથાર્થ:- જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડ અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે.
ટીકા- (જે મુનિ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.) અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત
સ્વ-પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદઅભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી; એ દ્રવ્યન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહક લક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે પોતાના સંવેદન (અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. એવા, ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મૂળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com