SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી આવતાં જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્ધાદિ પદાર્થો તેમને, પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણુ તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે ( મુનિ ) દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને જીતીને જ્ઞેય-જ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી ‘જિતેન્દ્રિય જિન' છે. (જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જુદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની ( સમસ્ત પદાર્થોની ) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે રૂપ નહિ થતો), પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃ સિદ્ધ અને ૫૨માર્થ સત્–એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે. આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ. (જ્ઞેય તો દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા-એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું; ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે જ્ઞેયજ્ઞાયક–સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું)।। ૫।। (શ્રી સમયસારજી, ગાથા-૩૧.) * * ઇન્દ્રિયજ્ઞાન ખરેખર શેય પણ નથી. * Please inform us of any errors on [email protected]
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy