________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૩૬ શ્રુતની જેમ ઉપાધિ કહે છે જેમ સુત્ર-શાસ્ત્ર તે જ્ઞાન નથી, વધારાની ચીજ છે-ઉપાધિ છે તેમ એ શ્રુતથી થયેલ જ્ઞાન પણ વધારાની ચીજ છે-ઉપાધિ છે. આહાહા! શું વીતરાગની શૈલિ છે! પરલક્ષી જ્ઞાનને પણ શ્રુતની જેમ ઉપાધિ કહે છે.
સ્વજ્ઞાનરૂપ જ્ઞતિક્રિયાથી આત્મા જણાય છે. ભગવાનની વાણીથી આત્મા જણાતો નથી. / ર૯૩ાાં
(જ્ઞાનગોષ્ટિ પ્રશ્નઃ ર૯૨) (આત્મધર્મ અંક. ૪૨૫, માર્ચ ૧૯૯, પાનું-ર૬) પ્રશ્ન:- અગિયાર અંગ ને નવપૂર્વના જ્ઞાનવાળો પંચ મહાવ્રતોનું પાલન કરે છતાં આત્માનું જ્ઞાન કરવામાં તેને શું બાકી રહી ગયું?
ઉત્તર- અગિયાર અંગનું જ્ઞાન ને પંચ મહાવ્રતોનું પાલન કરવા છતાં એને ભગવાન આત્માનું અખંડ જ્ઞાન કરવું બાકી રહી ગયું. ખંડખંડ ઇન્દ્રિયજ્ઞાન-અગિયાર અંગનું કર્યું હતું તે ખંડખંડ જ્ઞાન પરવશ હોવાથી દુઃખનું કારણ હતું. અખંડ આત્માનું જ્ઞાન કર્યા વિનાનું અગિયાર અંગનું જ્ઞાન નાશ પામતાં કાળક્રમે નિગોદમાં પણ તે જીવ ચાલ્યો જાય છે. અખંડ આત્માનું જ્ઞાન કરવું તે જ મૂળ વસ્તુ છે. એના વિના ભવભ્રમણનો અંત નથી. ૨૯૪
(જ્ઞાનગોષ્ટિ પ્રશ્ન-નં. ૨૯૩) (આત્મધર્મ અંક-૪૨૩, જાન્યુઆરી ૧૯૭૯, પાનું-૨૭) પ્રશ્ન- સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાનમાં ભેદ અને તેનું ફળ બતાવીને સ્પષ્ટ કરો કે સમ્યગ્દષ્ટિ તેમાંથી પોતાનું જ્ઞાન કોને માને છે?
* ઈન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com