________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી અજીવ અને લોક-અલોક એ બધારૂપ પોતાને કરે છે ! ૧૧૩ાા
(શ્રી સમયસારજી ગાથાર્થ-ર૬૮-ર૬૯) જેવી રીતે આત્મા પૂર્વોક્ત પ્રકારે ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે (અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે) અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક (નારકી) કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતાં મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતાં દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતાંસુખાદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે અને ઉદયમાં આવતાં દુઃખાદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે; વળી તેવી જ રીતે જાણવામાં આવતાં જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે, જાણવામાં આવતાં અધર્મ (અધર્માસ્તિકાય)ના અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે, જાણવામાં આવતાં અન્યજીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ કરે છે, જાણવામાં આવતાં પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે, જાણવામાં આવતાં લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતાં અલોકાકાશનાં અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. (આ રીતે આત્મા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે.) ૧૧૪
(શ્રી સમયસારજી ગાથા-ર૬૮-૨૬૯ ની ટીકા ) વળી “આ ધર્મદ્રવ્ય જણાય છે' ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને પણ, જ્ઞાનમયપણાને લીધે સરૂપ અહેતુક
* ઇન્દ્રિયજ્ઞાન વધ્યું એટલે કે શેય વધ્યું. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com