SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી વર્ણને જાણે, તે અહીં નથી. અને મનનો ધર્મ એ છે કે તે અનેક વિકલ્પ કરે, તે પણ અહીં નથી; તેથી જે જ્ઞાન ઇન્દ્રિયો તથા મનમાં પ્રવર્તતું હતું તે જ જ્ઞાન હવે અનુભવમાં પ્રવર્તે છે, તથાપિ આ જ્ઞાનને અતીન્દ્રિય કહીએ છીએ. ૧૧ાા (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પાને-૩પ૬) પરંતુ વિશેષ એટલે કે (એ સર્વ આત્મામાં) કોઈ પ્રકારનું જ્ઞાન એવું ન હોય કે પરસત્તાવલંબનશીલ બની મોક્ષમાર્ગ સાક્ષાત્ કહે! કેમ કે અવસ્થા (દશા) ના પ્રમાણમાં પરસત્તાવલંબક છે (પણ તેને તે મોક્ષમાર્ગ કહેતો નથી) તે આત્મા પરસત્તાવલંબી જ્ઞાનને પરમાર્થતા કહેતો નથી. જે જ્ઞાન હેય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનુ નામ જ્ઞાન. ૧૨ (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, પરમાર્થ વચનિકા, પાનુ. ૩૬૮) ભગવાન સમસ્ત પદાર્થોને જાણે છે, તેથી કાંઈ તેઓ “કેવળી” કહેવાતા નથી, પરંતુ કેવળ અર્થાત્ શુદ્ધાત્માને જાણતા-અનુભવતા હોવાથી તેઓ કેવળી કહેવાય છે. કેવળ (શુદ્ધ) આત્માને જાણનારઅનુભવનાર શ્રુતજ્ઞાની પણ “શ્રુતકેવળી ' કહેવાય છે. માટે ઘણું જાણવાની ઇચ્છારૂપ ક્ષોભ છોડી સ્વરૂપમાં જ નિશ્ચલ રહેવું યોગ્ય છે. એ જ કેવળજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે. ૧૩ના (શ્રી પ્રવચનસાર ગાથા-૩૩ નો ભાવાર્થ) (“સૂત્રની શસિ' કહીએ છીએ ત્યાં નિશ્ચયથી જ્ઞપ્તિ કાંઈ પૌદ્ગલિક સૂત્રની નથી, આત્માની છે; સૂત્ર જ્ઞતિના સ્વરૂપભૂત નથી, વધારાની વસ્તુ અર્થાત્ ઉપાધિ છે; કારણ કે સૂત્ર ન હોય, ત્યાં પણ જ્ઞતિ તો * પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy