________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૪૮ ફડાક-ફડાક કહી દે છે કે આની પાસે આટલા ને આની પાસે આટલા બાકી છે. એમાં ટેવાઈ ગયો છું. બહારગામ ઉઘરાણી જાય અને પચાસ હજાર કે લાખ લઈ આવે એટલે માને ને હરખ કરે કે આટલા પૈસા લઈ આવ્યો, પણ બાપુ! એ પૈસા કયાં તારા છે? અને તું શું એને લાવી શકે છે? લાવવાનું તો દૂર રહો, અહીં તો કહે છેએ પૈસા આવ્યા તે મારું શેય ને હું જ્ઞાયક-એમ નથી. અહાહા...! જાણવાની પર્યાય મારી છે તેથી હું જ શેય છું, હું જ જ્ઞાન છું ને હું જ જ્ઞાયક છું જ્ઞાયક એવા મારામાં પરનું જ્ઞયપણું છે જ નહિ.
તત્ત્વદષ્ટિ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! અરે, અનંતકાળથી એણે પરનો-નિમિત્તનો, રાગનો અને પર્યાયનો અભ્યાસ કર્યો છે, એને પોતાના ય માન્યાં છે, પણ જ્ઞાન-જ્ઞાતા-શેય બધું જ હું એક છું એમ અંતર્મુખ થઈ અભેદનો અભ્યાસ કર્યો નથી! પણ બાપુ ! જન્મમરણ રહિત થવાની ચીજ તો અંતઃપુરુષાર્થથી જ પ્રાપ્ત થાય છે.
આ શાસ્ત્ર છે તે ય છે ને તેને જાણનારો હું આ જ્ઞાયક છુંઅહીં કહે છે. એમ વસ્તુસ્વરૂપ નથી; કારણ કે મારી જ્ઞાનપર્યાયમાં જેવું શાસ્ત્ર છે તેવું જ જ્ઞાન આવ્યું છે તો પણ તે કાંઈ શેયને-શાસ્ત્રને કારણે નથી આવ્યું પણ મારી જ્ઞાનની પર્યાય સ્વયં સ્વતઃ નિજસામર્થ્યથી જ તે-રૂપે-જાણવારૂપ પરિમિત થઈ છે. તેને પરથી શાસ્ત્રથી શું સંબંધ છે? એને પરની સાથે શેય-જ્ઞાયક સંબંધ પણ નથી. (તો પછી શાસ્ત્રથી જ્ઞાન થયું એ તો ક્યાંય દૂરની વાત છે.)
હા, પણ પર સાથે શેય-જ્ઞાયક સંબંધ કહેવામાં આવ્યો છે ને?
* ઇન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર હોય છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com