SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૯૬ વિશેષ દ્વારા વિશેષને જાણવાનું કહ્યું, કેમ કે સામાન્યને જાણતા જે જ્ઞાન થાય છે, જે પોતાનું વિશેષ છે તેને, વાસ્તવિક યથાર્થ જાણી શકે છે. આ ૩૬૧ (શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-ર) કહે છે-“સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે'.! ત્રણ ચક્ષુ નથી કીધાં, પણ પોતાનું જે સામાન્યસ્વરૂપ છે અને પોતાનું જે વિશેષસ્વરૂપ છે-બસ તેને જાણનારા બે ચક્ષુઓ કહ્યાં છે. ત્યાં એ વિશેષમાં બીજા જણાઈ જાય છે એ વાસ્તવમાં પોતાની જ પર્યાય છે. અહો! શું ગંભીર ટીકા છે! વળી તેમાં અનુક્રમે' શબ્દ છે; એટલે કે પહેલા સામાન્યને જુએ છે અને પછી વિશેષને જુએ છે. ટીકામાં પણ એમ જ લીધું છે. આ ૩૬રા (શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-૩) તો કહે છે-“તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને...” જુઓ પોતાની પર્યાયમાં જે વિશેષતા જણાય છે તે પોતાની પર્યાય જ જણાય છે, પર નહી; એટલે પરને જાણવાના ચક્ષુ બંધ કરીને એમ ન કહ્યું પણ પોતાની પર્યાયને જાણનારું પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરીને-એમ કહ્યું. ૩૬૩ના (શ્રી અધ્યાત્મ પ્રવચનરત્નત્રય, પાનુ-૧૩૮, પેરા-૪) અહીં તો કહે છે-ભગવાન! તું પરને જાણતો જ નથી. ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસભૂત વ્યવહાર છે ભાઈ ! પરને અને આત્માને સંબંધ શું છે? પરને અને સ્વની વચ્ચે તો અત્યંત અભાવનો અભેદ્ય કિલ્લો ઉભો છે. પરદ્રવ્યની * ઇન્દ્રિયજ્ઞાનની રુચિ એટલે ઇન્દ્રિયની રુચિ * Please inform us of any errors on [email protected]
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy