________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૨૬
પૂ. ગુરુદેવશ્રીના વચનામૃત
પ્રભુ! તું સર્વને જાણનાર દેખનાર સ્વરૂપે પૂરો છો ને! પણ તારા પૂર્ણ સ્વરૂપને નહીં જાણતાં એકલા જ્ઞેયને જાણવા-દેખવા રોકાઈ ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપના ભાવને કરવા અને જાણવા દેખવાના સ્વભાવને ભૂલી ગયો તે તારો અપરાધ છે. પુણ્ય પાપ એ જ અને એટલું જ મારું જ્ઞેય છે એમ માનીને તેને જ જાણવામાં રોકાઈ ગયો ને પોતાના પૂરણ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો અપરાધ છે. કર્મના કારણે તારા પૂરણ સ્વભાવને જાણતો નથી, એમ નથી, પણ એ તારો પોતાનો જ અપરાધ છે.।। ૨૭૩।।
(ગુજરાતી આત્મધર્મ, ૯૬ મી જન્મ જયંતિ અંક, એપ્રિલ ૧૯૮૫, પૂ. ગુરુદેવશ્રીનો બોલ નં-૫૧ )
અગીયાર અંગ ને નવ પૂર્વની લબ્ધિ થાય એ જ્ઞાન પણ ખંડ ખંડ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે, ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહીં. આંખથી હજારો શાસ્ત્રો વાંચ્યા કે કાનથી સાંભળ્યા તે ઇન્દ્રિય જ્ઞાન છે, આત્મજ્ઞાન નથી, આત્મા અતીન્દ્રિય જ્ઞાનથી જાણનારો છે, ઇન્દ્રિયજ્ઞાનથી જાણે તે આત્મા નહીં. આત્માને જાણતા જે આનંદનો સ્વાદ આવે છે તે સ્વાદ ઇન્દ્રિયજ્ઞાનથી આવતો નથી તેથી ઇન્દ્રિયજ્ઞાન તે આત્મા નહીં.।। ૨૭૪।।
(ગુજરાતી આત્મધર્મ એપ્રિલ ૧૯૮૫, પૂ. ગુરુદેવશ્રીનો બોલ નં૫૪ )
આબાલ ગોપાલ સૌ ખરેખર જાણનારને જ જાણે છે પણ એને જાણનારનું જોર દેખાતું નથી તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ
* ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com