________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૫૦ ભગવાનની વાણીને સમજવા માટે પણ ધીરજ જોઈએ. ઉતાવળે કાંઈ આંબા ન પાકે.
પોતાની જ્ઞાન પર્યાયમાં છ દ્રવ્યો જાણવામાં આવે છે, પણ તે છ દ્રવ્યો છે તો અહીં જ્ઞાન થયું છે એમ નથી. પોતાની જ્ઞાનપર્યાય જ સ્વતઃ એવી પ્રગટ થઈ છે અને તે પર્યાય જ પોતાનું શેય છે. જુઓ, કળશમાં છે કે નહિ? કે “પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહુના જાણવામાત્ર” હું નથી. શું કીધું આ? કે છ દ્રવ્યોના જાણવામાત્ર હું નથી, મતલબ કે મારી પર્યાયના જાણવામાત્ર હું છું કેમકે સર્વસ્વ મારામાં જ છે.
એના ભાવાર્થમાં આમ કહ્યું કે “ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં શેય-એમ તો નથી” જુઓ, છે અંદર? અહાહા..ભગવાન પંચપરમેષ્ઠી મારા તો નથી, પણ તે મારાં જ્ઞય છે એમ પણ નથી, કેમ કે અહીં (પોતાની પર્યાયમાં) પંચપરમેષ્ઠી સંબંધી જે જ્ઞાન થયું છે તે તેમનાથી થયું નથી પણ પર્યાયની તત્કાલીન યોગ્યતાથી-સામર્થ્યથી થયું છે. તેથી પોતાની પર્યાય જ પોતાનું વાસ્તવિક જ્ઞય છે. લ્યો, આ પ્રમાણે બહારમાંથી દષ્ટિને અંદર સંકેલી લીધી છે. એ તો પછી પોતાનામાં શેય-જ્ઞાન-જ્ઞાતાના ત્રણ ભેદ પણ કાઢી નાખશે. અહીં તો પ્રથમ પર શેય, ને હું જ્ઞાયક છું– એવી ભ્રાંતિ મટાડી છે પછી જ્ઞાતા જ જ્ઞાતા છે, જ્ઞાતા જ જ્ઞાન છે ને જ્ઞાતા જ ય છે એમ કહેશે, અહો! સંતોએ મારગ એકદમ ખુલ્લો કરી દીધો છે. વાહ સંતો વાહ!
અહાહા..! કહે છે-“હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં
* ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com