________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે છે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે) અહીં ફરી પૂછે છે કે એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમકે તેને સદાય અપ્રતિબુદ્ધપણું છે? તેનો ઉત્તરએ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે. | ૭૬
(શ્રી સમયસારજી કળશ-૨૦ પછીની ટીકા) જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે; તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં શેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ જ્ઞય છે તે પ્રતિભાસે છે”—એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાંતો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે. તે ૭૭
(શ્રી સમયસારજી ગાથા-૧૯ નો ભાવાર્થ) जे इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू।। ३१।। જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્માને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧
જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે. ૭૮/
(શ્રી સમયસારજી ગાથા-૩૧ નો ગાથાર્થ)
* જો જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો હોય તો આનંદ આવવો જોઈએ?*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com