________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી રહ્યો. એમ પ્રતાપવંત વર્તતા એના મને, જો કે તમારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે, તો પણ, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાં પણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરેફ-કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. IT ૯૪T
(શ્રી સમયસારજી ગાથા-૩૮ ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્યજી) (૧) પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને (આત્માને) નહીં હોવાથી તે (આત્મા) દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે.
(૨) પોતાના સ્વભાવની દષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને ( આત્માને) અભાવ હોવાથી તે (આત્મા) ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી, માટે અરસ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. || ૯૫ /
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ની ટીકામાંથી) (૧) પરમાર્થે પુદ્ગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે (આત્મા) દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખાતો નથી માટે અરૂપ છે.
* જે વાતથી અનુભવ થાય તે વાત સાચી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com