________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૪૮ આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી, કારણ કે સંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે -હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે, શેયજ્ઞાયકભાવમાત્રથી ઉપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન ) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એક પણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવોને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી.) આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું. [ ૯૨
(શ્રી સમયસારજી, ગાથા ૩૭ ટીકા, અમૃતચંદ્રાચાર્યજી ) આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને શયભાવોથી ભેદજ્ઞાન થતાં સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ ધારતો, જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શન જ્ઞાન ચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન)માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. || ૯૩ાા
(શ્રી સમયસારજી કળશ-૩૧ શ્લોકાર્થ. ) આમ સર્વથી જુદા એવા સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત
* ઇન્દ્રિયજ્ઞાન વિભાવ છે તેથી તેનો નિષેધ કરાવ્યો છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com