SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૫ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી અજ્ઞાની ઇન્દ્રિયજ્ઞાનમાં મને કાંઈક આવડે છે એમ માની રોકાઈ જાય છે પણ જ્ઞાનિને પોતાનો રસ હોવાથી, ઇન્દ્રિયજ્ઞાનમાં અટકતો નથી. ૪૧૩. (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ–૧-ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) અહીં કહે છે કે એ ઇન્દ્રિયથી જે શાસ્ત્રજ્ઞાન થયું એ આવડતના ભાવથી આત્મા જણાય એવો નથી. એને (ઇન્દ્રિયજ્ઞાનને) છોડીને, અંદર આવે પોતાનો આત્મા ત્યારે જણાય એવો છે. IT ૪૧૪ (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ-૧-૨ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) - ઇન્દ્રિય પ્રત્યક્ષથી જે જ્ઞાન થયું-“આ મેં ભગવાનને પ્રત્યક્ષ જોયા' -આ મેં સમવસરણ જોયું. મેં ભગવાનની વાણી પ્રત્યક્ષ સાંભળી–એવા ઇન્દ્રિય-પ્રત્યક્ષ જ્ઞાનનો આત્મા વિષય જ નથી. ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થાય એવું જે જ્ઞાન એનો પણ એ આત્મા વિષય નથી. ૪૧૫ ના (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭૨, અલિંગગ્રહણ બોલ ૧-૨ ઉપરના પૂ. - ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) ગઈકાલે કહ્યું હતું-ભાવેન્દ્રિય, જડઇન્દ્રિય ને ભગવાનની વાણી, સ્ત્રી-કુટુંબ, દેશ એ બધાં ઈન્દ્રિયો-એટલે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો- એને જીતવી કે એનો આશ્રય છોડી, અને અતીન્દ્રિય એવો ભગવાન આત્માનો આશ્રય લેવો, ત્યારે એને સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય. આનું નામ ઇન્દ્રિયોને જીતી છે. સમજાણું કાંઈ ? ૪૧૬ાા (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ ૧-૨ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) * ઇન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy