________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ર૩૮ દ્રવ્યશ્રતનું જ્ઞાન પણ ખરેખર અચેતન છે કેમ કે તે પરલક્ષી જ્ઞાન છે સ્વલક્ષી જ્ઞાન નથી. દ્રવ્યશ્રુત જડ વાણી તે આત્મા નથી ને તેને સાંભળવાથી જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. સ્વભાવને સ્પર્શીને થયેલું જ્ઞાન તે જ્ઞાન છે. દ્રવ્યશ્રુત તો જડ છે પણ તેના નિમિત્તે જે જ્ઞાન થાય તે પરસત્તાવલંબી જ્ઞાન હોવાથી તે જ્ઞાન નથી. દ્રવ્યશ્રુતના જ્ઞાનથી આત્મા ભિન્ન છે. IT ૪૬૭
(શ્રી પરમાગમસાર, બોલ-૭૪) * જ્ઞાનના ક્ષયોપશમનું વજન નથી પણ અનુભૂતિનું વજન છે. તેથી કહે છે કે આત્માને અનુલક્ષીને આત્માના સ્વાદનો અનુભવ થવો તે અનુભૂતિ છે અને બાર અંગમાં પણ અનુભૂતિનું વર્ણન કર્યું છે–અનુભૂતિ કરવાનું કહ્યું છે. અનાકુળ જ્ઞાન ને અનાકુળ આનંદનો અનુભવ કરવો એમ બાર અંગમાં કહ્યું છે. શુદ્ધ આત્માની દષ્ટિ કરીને સ્થિરતા કરવી એમ તેમાં કહ્યું છે. બાર અંગથી વિશેષ શ્રુતજ્ઞાન ન હોય. તેમાં ચારેય અનુયોગનું જ્ઞાન આવી જાય છે-એવું ઉત્કૃષ્ટ બાર અંગનું જ્ઞાન તે મોક્ષમાર્ગ નથી. બાર અંગવાળાને સમ્યગ્દર્શન હોય જ-સમ્યગ્દર્શન વિના બાર અંગનું જ્ઞાન ન જ હોય પણ તે ક્ષયોપશમજ્ઞાન તે મોક્ષમાર્ગ નથી પરંતુ અનુભૂતિ તે મોક્ષમાર્ગ છે. આટલો બધો ઉઘાડ થયો માટે મોક્ષમાર્ગ વધી ગયો તેમ નથી. ૪૬૮
(શ્રી પરમાગમસાર, બોલ-૭૯) * પ્રશ્ન- જ્ઞાનનો સ્વભાવ જાણવાનો જ છે તો પોતે પોતાને કેમ નથી જાણતો?
ઉત્તર- એનો સ્વભાવ પોતાને જાણવાનો છે પણ અજ્ઞાનીની
* ઇન્દ્રિયજ્ઞાન કેવળજ્ઞાનમાં બાધક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com