________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૬૮
સ્વચ્છતાની દશા તે દર્પણનું પોતાનું પરિણમન છે. અગ્નિ ને બરફનું તેમાં કાંઈ જ નથી; અગ્નિ અને બરફે એમાં કાંઈ જ કર્યું નથી, એ તો જુદા પદાર્થો છે. તેમ ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં શેયોના આકારની ઝલક આવતા જ્ઞાન જ્ઞેયાકાર દેખાય છે. સામે જેવા જ્ઞેયો છે તે જ પ્રકારની વિશેષતારૂપે પોતાની જ્ઞાનની દશા થતાં જાણે કે જ્ઞાન શૈયાકાર થઈ ગયું હોય તેમ દેખાય છે, પરંતુ જ્ઞાન શેયાકાર થયું જ નથી, જ્ઞાનાકાર છે; અર્થાત્ તે શેયના કલ્લોલો નથી, પણ જ્ઞાનના જ લ્લોલો છે, જ્ઞાનની જ દશા છે; જ્ઞેયોનું એમાં કાંઈ જ નથી. સમજાણું કાંઈ ?
અહા ! આવો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઈ! તું દયા, દાન, વ્રત, તપ કરી કરીને સૂકાઈ જાય તોય લેશ પણ ધર્મ થાય નહીં. પોતાના સ્વરૂપના મહાતમ (–માહાત્મ્ય ) વિના ધર્મની ક્રિયા કોઈ દિ' થઈ શકતી નથી.
નાની ઉંમરની વાત છે. પાલેજમાં પિતાજીની દુકાન હતી. તે બંધ કરી રાત્રે મહારાજ ઉપાશ્રયમાં આવ્યા હોય ત્યાં એમની પાસે જતા. ત્યાં મહારાજ ગાતા
‘ભૂધરજી તમને ભૂલ્યો રે, ભટકું છું ભવ વનમાં,
કૂતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા, ત્યાં ભૂખના વેઠયા ભડકા રે ”
(
હવે આમાં તત્ત્વની કાંઈ ખબર નહીં, પણ સાંભળીને તે વખતે રાજી રાજી થઈ જતા. લોકમાં પણ બધે આવું જ ચાલી રહ્યું છે ને! પોતે કોણ ને કેવડો છે એની ખબર ન મળે, પણ માંડે વ્રત,
તપ,
* ઇન્દ્રિયજ્ઞાન ૫૨ની પ્રસિદ્ધિ કરે છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com