________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ભક્તિ, પૂજા આદિ કરવા; એમ કે એનાથી ધર્મ થશે, પણ ધૂળમાંય ધર્મ નહીં થાય. પોતે કોણ છે એની ખબર વિના શેમાં ધર્મ થશે ? બાપુ! હું જ્ઞાનસ્વભાવ છું એમ ભૂલીને રાગનાં કર્તાપણામાં મંડ્યો રહે એ તો પાગલપણુ છે. દુનિયા આખી આવી પાગલ છે. સમજાણું કાઈ....?
અહાહા.... અહીં કહે છે-આ જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે; પોતાના હોવાપણામાં દયા, દાન આદિના ભાવ, કે શરીર, મન, વાણી ઇત્યાદિ પરજ્ઞયોનો પ્રવેશ નથી, એ તો જુદા પર છે; માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે, આત્મા વડે જણાય છે. દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે ને તે એનું જ્ઞય છે, પણ દયાના પરિણામ પરમાર્થે આત્માના નથી, ને પરમાર્થે તે આત્માનું જ્ઞય નથી.
હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડા દેવા, ને માંદાની માવજત કરવી-એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ ! એ તો બધી રાગની ક્રિયા બાપુ! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવાયોગ્ય થઈ, તે ક્રિયા તારી નહીં, ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે, તે કાળે રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી, રાગ તેમાં પેઠો નથી, જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે તે તારી છે, અને તે ખરેખર તારું ય છે, રાગાદિ પરમાર્થ તારા શય નથી. સમજાય છે કાંઈ...?
અજ્ઞાની જીવોને આટલું બધુ (દયા, દાન આદિન) ઓળંગીને
* ઇન્દ્રિયજ્ઞાનના નિષેધ વિના ઉપયોગ અંતર્મુખ નહીં થાય.*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com