________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૭૦ અહીં (જ્ઞાન ભાવમાં) આવવું મોટો મેરૂ પર્વત ઉપાડવા જેવું લાગે છે; પણ આમાં તારું હિત છે ભાઈ ! હવે કહે છે-“આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞય અને જ્ઞાતા એ ત્રણે ભાવોયુક્ત સામાન્ય-વિશેષ સ્વરૂપ વસ્તુ છે.'
જુઓ, આ બધાનો સરવાળો કર્યો. જણાવાયોગ્ય પરપદાર્થો પરમાં રહ્યા છે અને જાણનારો જાણનારમાં રહેલ છે. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે. આમ આત્મા પોતે જ જણાવાયોગ્ય છે; જ્ઞાનમાત્ર ભાવ જ પોતાનું જ્ઞય છે. પરપદાર્થને શેય કહેવું એ વ્યવહાર છે બસ.
વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. અહાહા...! પરની સાથે પરમાર્થે આત્માને કોઈ સંબંધ નથી. જે જણાય છે તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ, અહીં..! જ્ઞાન, જ્ઞાતા, શેય ત્રણેય એકરૂપ. અંતરમાં દષ્ટિ મૂકતાં આવા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. પરવસ્તુ શેય ને પોતે જ્ઞાતા એ તો કયાંય રહી ગયું, પોતે જ શેય, પોતે જ જ્ઞાન, ને પોતે જ જ્ઞાતા-એવા ત્રણ ભેદ પણ અંતરદષ્ટિમાં સમાતા નથી, બધું અભેદ એકરૂપ અનુભવાય છે. લ્યો, આનું નામ ધર્મ છે, જેમાં સામાન્ય વિશેષનું અભેદપણું પ્રાત-સિદ્ધ થયું તે ધર્મ
અહાહા...! “આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું” એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું, ને જ્ઞય પણ
*“હું પરને હણું છું” અને “હું પરને જાણું છું' - સમકક્ષી પાપ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com