________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૭ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી અનુભૂતિ-શુદ્ધોપયોગરૂપ પરિણતિ તે જૈનશાસન છે.
આથી વિરુદ્ધ અજ્ઞાનીને પરિપૂર્ણ જે સ્વજ્ઞય છે એની અરુચિ છે અને ઇન્દ્રિયાદિનું ખંડખંડ જે યાકાર જ્ઞાન છે એની રુચિ અને પ્રીતિ છે. તે પરશયોમાં આસક્ત છે અને તેથી તેને જ્ઞાનનો સ્વાદ ન આવતાં રાગનો-આકુળતાનો સ્વાદ આવે છે. રાગનો સ્વાદ, રાગનું વેદન અનુભવમાં આવવું એ જૈનશાસનથી વિરુદ્ધ છે તેથી અધર્મ છે. શુભક્રિયા કરવી અને એ કરતાં કરતાં ધર્મ થઈ જશે એવી માન્યતા મિથ્યાભાવ છે. તથા શુભાશુભ રાગથી ભિન્ન અંતર આનંદકંદ
ભગવાન આત્માને શેય બનાવી જ્ઞાયકના જ્ઞાનનું વેદન કરવું એ જિનશાસન છે, ધર્મ છે. આ પ૧૯ાા
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૩, ૪ પાનું-ર૬૩) * “અલુબ્ધ જ્ઞાનીઓને તો જેમ સેંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સેંધવનો જ અનુભવ કરવામાં આવતાં સર્વતઃ એકક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતા, સર્વતઃ એકવિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. જેમ લવણના ગાંગડાનો, અન્યદ્રવ્યના સંયોગનો નિષેધ કરીને કેવળ લવણના ગાંગડાનો અનુભવ કરવામાં આવે તો સર્વત્ર ક્ષારરસપણાને લીધે તે ક્ષારપણે સ્વાદમાં આવે છે. લવણનો ગાંગડો સીધો લવણ દ્વારા સ્વાદમાં આવે છે એ યથાર્થ છે. એવી રીતે અલુબ્ધ જ્ઞાનીઓને એટલે જેમને ઇન્દ્રિયોના સમસ્ત વિષયો કે જે પરજ્ઞયો છે એમની આસક્તિ-રુચિ છૂટી ગઈ છે એવા જ્ઞાનીઓને પોતાના સિવાય અન્ય સમસ્ત પરદ્રવ્ય અને પરભાવનું લક્ષ છોડી દઈને એક જ્ઞાયકમાત્ર
* પરમાત્મા કહે છે - મારા લક્ષે દુર્ગતિ થશે *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com