________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૫૬ અને આનંદનો સ્વાદ આવતો નથી. શુભરાગની-પુણ્યભાવની જેમને રુચિ છે તેમને આત્માના આનંદનો સ્વાદ આવતો નથી. પ૧૭ |
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૩, પાનું-ર૬ર) * આત્માનો સ્વાદ તો અનાકુળ આનંદમય છે. બનારસીદાસે લખ્યું છે:
વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ.
રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકો નામ.” વસ્તુ જે જ્ઞાયકસ્વરૂપ તેને જ્ઞાનમાં લઈ અંતરમાં ધ્યાન કરે છે તેને મનના વિકલ્પો-રાગ વિશ્રામ પામે છે, હુઠી જાય છે. મન શાંત થઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે છે. પરિણામ અંતર્નિમગ્ન થતાં અનાકુળ સુખનો સ્વાદ આવે છે તેને અનુભવ અર્થાત્ જૈનશાસન કહે છે. પ૧૮
(શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પેરા-૨, પાનું-ર૬૩) * શેયમાં આસક્ત છે તે ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત છે. જે પદાર્થો ઇન્દ્રિયો વડે જાણવામાં આવે છે તે ઇન્દ્રિયોના વિષયો છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, સાક્ષાત્ ભગવાન અને ભગવાનની વાણી એ પણ ઇન્દ્રિયોના વિષયો છે. સમયસાર ગાથા ૩૧માં લીધું છે કે “જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને-પાંચ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-ત્રણેને ઇન્દ્રિય ગણવામાં આવી છે. એ ત્રણેયને જીતીને એટલે કે તેમના તરફનો ઝુકાવ-રુચિને છોડીને એનાથી અધિક અર્થાત્ ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને-અતીન્દ્રિય ભગવાનને અનુભવે છે તે જૈનશાસન છે. પોતાના સ્વયમાં લીન છે એવી આ
* જે જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો હોય તો આનંદ આવવો જોઈએ?*
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com