________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ડર મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું કે “આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે અને ત્યાર પછી તેનું જ આચરણ કરવુંઅનુભવ વડે તેમાં લીન થવું, કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધસ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનુપપત્તિ છે. (અર્થાત્ સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી.).!! ૬૮
(શ્રી સમયસારજી ગાથા-૧૭-૧૮ ની ટીકામાંથી) પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર(દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું” એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી અને તેના અભાવને લીધે, નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતું નથી. આમ સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. || ૬૯ /
(શ્રી સમયસારજી ગાથા-૧૭-૧૮ ટીકામાંથી) સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. કારણ કેઃ- પહેલાં તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું જ છું. ત્યારબાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાના થાય; વિના જાણે શ્રદ્ધાન કોનું? પછી સમસ્ત અન્યભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય-એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જે જાણે જ
* હું જ્ઞાયક અને છ દ્રવ્ય ય તે ભ્રાંતિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com