________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ૧૯૦ જ્ઞાન” એમ કહ્યું છે. શબ્દ તે જ્ઞય છે અને શુદ્ધ આત્મા જ્ઞાયક છે. I૩૪૮ / (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૩, ગાથા-૪૯, પાનુ-૬૬, પેરા-૫)
આ બાયડી, છોકરા કુટુંબ-પરિવાર, ધંધા, વેપાર ઇત્યાદિ જ્ઞાનમાં જણાય છે ને! તે, કહે છે, જ્ઞાનસ્વરૂપમાં નથી. વાસ્તવમાં તો તે તે પદાર્થો નહિ, પણ તે વખતે તેની જ્ઞાનની પર્યાય જણાય છે, પણ એ માને છે કે મને આ (પર) પદાર્થો જણાય છે. તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ માને તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય ઉપર ઢળી જાય.|| ૩૪૯ો ( શ્રી પ્રવચનરત્નાકર ભાગ-૧૦, પરિશિષ્ટ પાનુ-૩૫૭, શ્લોકાર્થ
૨૪૭) અહીં અમૃતચંદ્રાચાર્ય મહારાજ દાખલો આપીને કહે છે કેપ્રથમ તો આત્માને જાણવો. જાણવો એટલે સ્વસંવેદનશાનથી એને જાણવો. શાસ્ત્રથી જાણવો, ધારણાથી જાણવો કે ગુરુએ જણાવ્યો તેથી જાણવો એમ નહીં. પણ શુદ્ધ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને પર્યાયમાં જ્ઞય બનાવતાં પર્યાયમાં જે જ્ઞાન થાય એ સ્વસંવેદન જ્ઞાનથી આત્માને જાણવો. ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. જ્ઞાતાદ્રવ્યનું પર્યાયમાં જ્ઞાન થાય ત્યાં દ્રવ્ય પર્યાયમાં આવે નહિ, પણ પર્યાયમાં જ્ઞાતાદ્રવ્યનું પૂરું જ્ઞાન થાય. આત્માને જાણવો એનો અર્થ એમ છે કે એક સમયની જ્ઞાનપર્યાયમાં આ શેય પૂર્ણ અખંડ ધ્રુવ શુદ્ધ પ્રભુ જેવો છે તેવો પરિપૂર્ણ જણાય ત્યારે આત્માને જાણ્યો એમ કહેવાય. આવી વાત છે, ભાઈ ! દુનિયા અનેક પ્રકારે વિચિત્ર છે. તેની સાથે મેળ કરવા જઈશ તો મેળ
* ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com