________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧) આત્માનો અનુભવ ઈન્દ્રિયજ્ઞાનમાં થતો નથી માટે એ પ્રથમથી જ્ઞાન છે જ નહીં. આ એક ન્યાય છે.
(૨) ઇન્દ્રિયજ્ઞાન પરાશ્રિત છે, દ્રવ્યન્દ્રિયનું અવલંબન લઈ ને જ એ પ્રવૃત્તિ કરે છે તેથી એ પરાધીન છે.
(૩) આકુળતાને ઉત્પન્ન કરનારું છે.
(૪) ભગવાને ઇન્દ્રિયજ્ઞાનને મૂર્તિક કહ્યું, પદ્ગલિક કહ્યું છે. હેય કહ્યું છે, પરન્નેય કહ્યું છે.
હજી એક ભ્રાંતિ જીવોને રહી જાય છે કે થોડા શાસ્ત્ર સ્વાધ્યાય પછી એમ ભાસવા લાગે છે કે પહેલા અમને જ્ઞાન નહોતું કે ઓછું હતું પણ હવે તો જ્ઞાન વધ્યું છે. ખરેખર જોઈએ તો એને જ્ઞાન પ્રગટ જ થયું નથી તો વધવાની તો વાત જ કયાં રહી ? “ જ્ઞાન” તો એને કહેવાય કે જે આત્માશ્રિત હોય, અતીન્દ્રિય, અંતર્મુખી હોય કે જેમાં અવિનાભાવે આનંદનો સ્વાદ આવે એને ભગવાને જ્ઞાન કહ્યું છે. જેમાં આનંદનો સ્વાદ ન આવે ને જેમાં એકાંતે આકુળતા થતી હોય એ ખરેખર જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ઇન્દ્રિયજ્ઞાન ખરેખર અજ્ઞાન છે કેમકે એમાં આત્માનો અનુભવ થતો નથી માટે એ અજ્ઞાન છે.
આવી ભ્રાંતિ અને જ્ઞાનનો મદ ટળી જાય અને આત્મલાભ થાય એ હેતુથી આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે.
સામાન્ય લોકો પુણ્યથી ધર્મ માને અને વિદ્વજનો શાસ્ત્રજ્ઞાનને જ્ઞાન માને છે. પણ શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન જ નથી. પૂ. ગુરુદેવશ્રીએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com