________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નામ! તેથી ભાવમન હેય છે. કેમકે ભાવમનમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે-નયોના વિકલ્પ કે જે વિકલ્પો આકુળતાય છે માટે ભાવમન ને પણ જીતવા જેવું છે.
જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્માને” એમાં ભાવમન પણ આવી ગયું. આજ વાત આત્મખ્યાતિ ટીકા ગાથા૧૪૪ માં લીધી છે. પરની પ્રસિદ્ધિ કરવાવાળી ઇન્દ્રિયોને મર્યાદામાં લાવી ને...
અહીં બીજો પ્રશ્ન એ પણ થાય છે કે જો ઇન્દ્રિયજ્ઞાનને સર્વથા હેય કહેશો તો પછી ઇન્દ્રિયજ્ઞાન દ્વારા પ્રતિમાના દર્શન અને ઈન્દ્રિયજ્ઞાન દ્વારા શાસ્ત્ર સ્વાધ્યાય એનું શું થશે?
આત્માર્થી જીવને પ્રતિમાના દર્શન પણ રહેશે ને શાસ્ત્ર સ્વાધ્યાય પણ રહેશે પણ ઇન્દ્રિયજ્ઞાનને એ અંદરથી હેયપણે જાણશે તેથી એ ઇન્દ્રિયજ્ઞાનની પ્રવૃત્તિ ચાલુ રહેવા છતાં પણ એની શ્રદ્ધામાં એ ઉપાદેય પણે નહી રહે. તેથી એક સમય એવો આવશે કે એ ઇન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરીને અંદરમાં ચાલ્યો જશે.
અનુભવ પહેલા આ પ્રકારનો વ્યવહાર રહેશે અને અનુભવ થયા પછી પણ આવો વ્યવહાર રહેશે પણ શ્રદ્ધામાંથી એ શલ્ય નીકળી જશે કે ઇન્દ્રિયજ્ઞાન મારું છે. પહેલા ઈન્દ્રિયજ્ઞાનને જ્ઞાન તરીકે માનતો હતો પણ હવે પરણેયપણે જાણશે. પ્રથમ ઈન્દ્રિયજ્ઞાનને નાશ નહીં થાય પણ ઈન્દ્રિયજ્ઞાનમાં જે જ્ઞાનની ભ્રાંતિ હતી એ ભ્રાંતિનો નાશ થાય છે. પ્રથમથી જ ઇન્દ્રિયજ્ઞાન, જ્ઞાન છે જ નહીં. એ છે તો શય જ, જ્ઞાન બિલકુલ નથી. કેમકે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com