________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સુધી પરય સન્મુખ રહે છે ત્યાં સુધી શેયથી વિમુખ રહે છે. આમ આત્માથી ભાવેન્દ્રિય હંમેશા વિમુખ જ રહે છે તેથી એ ભાવેન્દ્રિયોને જીતતાં એક નવું અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્માનો અનુભવ થાય છે. પછી જ્યાં સુધી કેવળજ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન સંયોગપણે રહેશે. પણ એ ઇન્દ્રિયજ્ઞાનને સાધક હેયરૂપ જાણે છે, ઉપાદેયપણે હવે જાણતા નથી. ઇન્દ્રિયજ્ઞાન આશ્રય કરવાની અપેક્ષાએ તો હેય છે પણ પ્રગટ કરવાની અપેક્ષાએ પણ હેય છે. જ્યારે અતીન્દ્રિયજ્ઞાન આશ્રય કરવાની અપેક્ષાએ હેય છે પણ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે.
આવા વિચારો આવ્યા અને આ પુસ્તકનો જન્મ થયો. આ પુસ્તકમાંથી મુમુક્ષુ સમાજને ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન વચ્ચે ભેદજ્ઞાન થવા માટેનો ઉત્કૃષ્ટ ઉપાય મળશે અને આત્માનો અનુભવ થશે.
અહીં એક પ્રશ્ન એ થઈ શકે છે કે પાંચ ઇન્દ્રિયો તો એકલા મૂર્ત પદાર્થને જાણે છે તેથી એ તો ય છે પણ ભાવમન કે જે રૂપી અરૂપી બન્ને ને જાણે છે એ હેય કેમ હોઈ શકે ?
ભાવમનમાં ભેદજ્ઞાનના કાળે શુદ્ધાત્માનું જ સ્વરૂપ છે એ ઉપાદેય તત્ત્વ છે એનો નિર્ણય કરવાની તાકાત તો છે, એટલે જ તો સંજ્ઞી પંચેન્દ્રિય સમ્યકત્વને પામે છે એ વાત સાચી છે કેમકે મનવાળું પ્રાણી હિતાહિતનો વિચાર કરી અને જે ઉપાદેય તત્ત્વ છે એને અનુમાનમાં લઈ શકે છે, છતાં પણ મન દ્વારા આત્મા અનુભવમાં આવતો નથી. માટે મન પામે વિશ્રામ. અનુભવ યાકો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com