SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૩૦ કરે છે અને અખંડ એકરૂપ જ્ઞાયકને જે ખંડખંડરૂપે જણાવે છે તે ભાવેન્દ્રિયોની જ્ઞાયક આત્મા સાથે એકતા કરવી તે મિથ્યાત્વ છે. દ્રવ્યેન્દ્રિયો છે તે શરીર પરિણામને પ્રાપ્ત છે, જ્યારે ભાવેન્દ્રિયો જ્ઞાનના ખંડખંડ પરિણામને પ્રાપ્ત છે. જે જ્ઞાન એક એક વિષયને જણાવે, જ્ઞાનને ખંડખંડરૂપે જણાવે, અંશી (જ્ઞાયક) ને પર્યાયમાં ખંડરૂપે જણાવે તે ભાવેન્દ્રિયો છે. જેમ જડ દ્રવ્યેન્દ્રિયો શાયકનું પરશેય છે. તેમ ભાવેન્દ્રિયો પણ શાયકનું ૫૨શેય છે. અહીં શેયજ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરાવે છે. જેમ શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો શૈય અને આત્મા જ્ઞાયક ભિન્ન છે તેમ ભાવેન્દ્રિયો પણ પરશેય છે અને આત્મા જ્ઞાયક ભિન્ન છે. અહાહા! એક એક વિષયને જાણનાર જ્ઞાનનો ક્ષયોપશમ તથા અખંડ જ્ઞાનને ખંડખંડપણે જણાવનાર ભાવેન્દ્રિય તે જ્ઞાયકનું પરજ્ઞેય છે અને જ્ઞાયકપ્રભુ આત્માથી ભિન્ન છે. આમાં અખંડ એક ચૈતન્યશક્તિપણાની પ્રતીતિનું જોર લીધું છે. પહેલા દ્રવ્ય ઇન્દ્રિયોને ભિન્ન કરવામાં એના (જ્ઞાયકભાવના ) અવલંબનનું બળ લીધું છે. જ્ઞાયકભાવ એક અને અખંડ છે, જ્યારે ભાવેન્દ્રિય અનેક અને ખંડખંડરૂપ છે. અખંડ એક જ્ઞાયકભાવરૂપ ચૈતન્યશક્તિની પ્રતીતિ થતાં અનેક અને ખંડખંડરૂપ ભાવેન્દ્રિય જુદી થાય છે, -ભિન્ન જણાય છે. આ રીતે અખંડ જ્ઞાયકભાવની પ્રતીતિ વડે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવનાર ૫૨શેયરૂપ ભાવેન્દ્રિયને સર્વથા જુદી કરવી એ ભાવેન્દ્રિયોનું જીતવું છે એમ કહેવાય છે.।। ૨૮૩।। (શ્રી પ્રવચન રત્નાકર, ભાવ-૨ પાનું-૧૨૫ ) આ (૩૧) ગાથામાં શૈય-જ્ઞાયકના સંકરદોષના પરિહારની વાત છે. શરીર પરિણામને પ્રાપ્ત જડ ઇન્દ્રિયો ૫૨જ્ઞેય હોવા છતાં તે મારી છે * ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી, જ્ઞેય છે. * Please inform us of any errors on [email protected]
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy