________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૪૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
થાય છે તે જ પોતાનું જ્ઞેય છે, તે જ પોતાનું જ્ઞાન છે અને પોતે આત્મા જ જ્ઞાતા છે.
એ તો પહેલા કહ્યું ને કે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ( ચારેય )–તે નું તે જ છે. એટલે શું? કે દ્રવ્ય પણ તે જ છે, ક્ષેત્ર પણ તે જ છે, કાળ પણ તે જ છે. અને ભાવ પણ તે જ છે; પરંતુ દ્રવ્ય ભિન્ન છે, ક્ષેત્ર ભિન્ન છે, કાળ ભિન્ન છે ને ભાવ ભિન્ન છે–એમ નથી.
અહાહા...! અનંતગુણનું વાસ્તું જે વસ્તુ દ્રવ્ય છે તે દ્રવ્ય જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્રે છે, તે જ ત્રિકાળ (−કાળ) છે અને તે જ ભાવ છે. કેરીની અંદર સ્પર્શ-રસ-ગંધ-વર્ણ (કેરીથી ) જુદાં છે એમ નથી, પરંતુ સ્પર્શ કહો તો પણ તે છે, રસ કહો તો પણ તે છે, ગંધ કહો તો પણ તે છે ને વર્ણ કહો તો પણ તે છે. તેમ અનંત ગુણના પિંડસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનું જે દ્રવ્ય છે તે જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે. અહાહા...! જે દ્રવ્ય છે તે જ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, અને જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે તે જ દ્રવ્ય છે. વળી જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્રે છે તે જ ત્રિકાળ (કાળ) છે અને જે ત્રિકાળ છે તે જ ભાવ છે.
લ્યો, આ પ્રમાણે ચા૨નો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવનો-ભેદ કાઢી નાખીને નિશ્ચયે બધું અભેદ છે એમ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ કહ્યું. સમજાણું કાંઈ... ? બહુ ઝીણું, પણ સત્ય તો ઝીણું જ હોય ને?
અહાહા...! દૃષ્ટિનો વિષય તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ-ભાવનું એક
રૂપ
* ઇન્દ્રિયજ્ઞાનની રુચિ સમ્યગ્દર્શનમાં બાધક છે. *
Please inform us of any errors on
[email protected]