________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૫૮ જ્ઞાન, હું પોતા વડે જણાવાયોગ્ય છું તેથી મારું નામ શય, એવી બે શક્તિઓથી માંડીને અનંતશક્તિરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા એવા નામભેદ છે, વસ્તુભેદ નથી”
શું કીધું? વેધ એટલે જાણવાલાયક છે તે અને વેદક એટલે જાણવાવાળો છે તે હું જ છું એમ કહે છે અને તેથી મારું નામ જ્ઞાન છે. અહાહા...! સ્વયને હું જાણું છું માટે હું જ્ઞાન છું. વળી હું મારા પોતાના વડે જ જણાવાયોગ્ય છે માટે હું શેય છું. લ્યો, આવી વાત! ભાઈ ! શાસ્ત્રથી તો મારું જ્ઞાન નહીં, પણ શાસ્ત્ર મારું ય છે એમેય નહીં.
તો શાસ્ત્ર વાંચવા કે નહીં?
સ્વલક્ષ (સ્વલક્ષના હેતુએ) શાસ્ત્ર વાંચવા, શાસ્ત્ર-અભ્યાસ કરવો એમ વાત આવે પણ ત્યાં જે જ્ઞાન થાય તે શાસ્ત્રનું જ્ઞાન છે એમ નથી. જ્ઞાન તો જ્ઞાનનું છે, શાસ્ત્રનું નહીં અને શેય પણ જ્ઞાન પોતે જ છે. લ્યો, આવી સૂક્ષ્મ વાત !
પ્રથમ જ્ઞાનની પર્યાયમાં આવું જ્ઞાન નહોતું; આવી વાણી સાંભળતા આ જ્ઞાન આવ્યું ને?
સમાધાનઃ- ના; એમ નથી. તે જ્ઞાનની પર્યાય જ તારું શેય છે, ને તેમાંથી જ તારું જ્ઞાન આવ્યું છે, પણ પરયમાંથી–વાણીમાંથી જ્ઞાન આવ્યું નથી, આવું ઝીણુ છે, પણ જન્મ-મરણના અંતનો મારગ તો આ છે પ્રભુ! અહા ! તારે કોની સામે જોયું છે પ્રભુ! આ દેવ મારા, ગુરુ મારા ને શાસ્ત્ર મારું એમ તો વસ્તુમાં છે નહિ,
* હું ધર્માદિને જાણું છું તે અધ્યવસાન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com