SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૧૦ સાતમા-નવમા અધિકારમાં કહ્યું છે કે-જેમ જેમ શાસ્ત્રનું જ્ઞાન વધે, તેમ તેમ જ્ઞાન વિશેષ થાય છે પણ એ પરસંબંધી, અપેક્ષાએ વાત છે. સામાન્યથી વિશેષ બળવાન છે એમ કહીને, કહ્યું છે કે જેમ જેમ શાસ્ત્રનું વિશેષ જ્ઞાન થાય તે જ્ઞાન બળવાન છે, એ પરની અપેક્ષાની વાત છે. ત્યાં સમ્યગ્દર્શનમાં એ જ્ઞાન બળવાન થાય ને જોરદાર થાય એમ નથી. ૪૦૨IT (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ–૧ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) સાક્ષાત ત્રણલોકના નાથ સમવસરણમાં બિરાજતા હોય ત્યાં પણ તું અનંતવાર ગયો છે. આંખ વડે દર્શન કર્યા, કાન વડે તીર્થકરની વાણી સાંભળી, એ બધું ઇન્દ્રિયજ્ઞાન છે. એ જ્ઞાન જ્ઞાયકનું નહીં. આવી ગંભીર વાતો છે. IT ૪૦૩ાા (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ–૧ ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) જેને એટલે આ આત્માને, ગ્રાહક નામ જાણનાર છે, એ જાણનારે જાણવું-લિંગ નામ ઇન્દ્રિયો (દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય) દ્વારા થતું નથી; કેમ કે ભાવ અને દ્રવ્યેન્દ્રિય દ્વારા જે જાણે તે ખંડ-ખંડ જ્ઞાન છે. એ આત્મજ્ઞાન નહીં, એટલે એમ કહ્યું કે, ઇન્દ્રિયો વડે જેને * હું પરને જાણું છું - તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy