________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૧૩૮ સ્વભાવરૂપ નથી. ૨૯૬IT
(જ્ઞાનગોષ્ટિ પ્રશ્નઃ ૩(૨) (આત્મધર્મ હિન્દી. ઓક્ટોબર ૧૯૭૮ પાનું-૨૪) હવે કહે છે કે, “વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, એટલે જાણનારો જણાણો એ જાણવાની પર્યાય પોતાની છે. જાણનાર જે વસ્તુ જણાણી છે તે પર્યાય પોતાની છે. અર્થાત્ તે પર્યાય પોતાનું કાર્ય છે, ને આત્મા તેનો કર્તા છે. અહા! જાણનારો એવો ધ્વનિ છે ને? એટલે-તે જાણનારો છે તેથી જાણે કે તે પરને જાણે છે (એમ તેને થાય છે, કેમ કે જાણનાર કહ્યો છે ને !ા ૨૯૭
(“જ્ઞાયકભાવ” પુસ્તકમાંથી પાનું-૧૦) પ્રશ્ન:- પણ જાણનાર છે માટે પરને જાણે છે ને?
સમાધાન:- ના, પરંતુ એ તો પરસંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વ-પરપ્રકાશક થાય છે, તે પર્યાય જ્ઞાયકની છે. અહા! તે જ્ઞાયકપણે રહેલો છે તેથી જ્ઞાયકનો જાણનાર પર્યાય તે તેનું કાર્ય છે. પણ જણાવા યોગ્ય વસ્તુ છે તેનું એ જાણવાનું કાર્ય નથી. અને જણાવા યોગ્ય વસ્તુ છે તે જાણનારનું (જ્ઞાયક ) નું કાર્ય નથી.
અહા! અહીંયા જ્ઞાતિ-જ્ઞાયક પણે જણાયો...એમ કીધું છે ને! તથા જણાયો તે તો તે જ છે. –એમ પણ કહ્યું છે ને! તેથી તે (જ્ઞાયક) જાણનારો છે માટે, તેમાં બીજો જણાયો છે એમ નથી. ૨૯૮
(“જ્ઞાયકભાવ” પુસ્તકમાંથી પાનું-૧૦)
* પરસમ્મુખ થયેલું જ્ઞાન જડ, અચેતન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com