________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉન
૧૩૯ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી
પ્રશ્ન:- પરંતુ તે જાણનાર છે ને! માટે તે જાણનાર છે તેથીતેમાં બીજો પણ જણાયો છે ને?
સમાધાનઃ- ના, કેમકે જે જણાય છે તે પોતે જ છે. અથવા પોતાની પર્યાય જ જણાણી છે, જાણનારની પર્યાય જણાણી છે. અહા ! રાગાદિ હો તો હો, પરંતુ અહીં રાગ સંબંધીનું જે જ્ઞાન છે તે જ્ઞાન તો પોતાથી પ્રગટેલું છે. અર્થાત્ તે રાગ છે માટે અહીં સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પ્રગટી છે એમ નથી. // ૨૯૯
(“જ્ઞાયકભાવ' માંથી પાનું-૧૦-૧૧) પ્રશ્ન- “બીજો કોઈ નથી” એમ કહ્યું છે તો બીજો એટલે કોણ?
ઉત્તર- બીજો એટલે કે તે રાગ નથી, રાગનું જ્ઞાન નથી. પણ એ જ્ઞાનનું જ્ઞાન છે અહીં ! વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એમ (આગળ ૧૨ મી ગાથામાં) આવશે. પરંતુ અહીં તો કહે છે કે આ રાગ છે તો રાગનું જ્ઞાન અહીં થયું છે એમ નથી. તેમજ તે (જાણનાર) રાગને જાણે છે એમ પણ નથી. પણ એ તો રાગસંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થયું છે તેને તે જાણે છે. આવી વાત છે !ા ૩OOT
(“જ્ઞાયકભાવ' પુસ્તક પાનું-૧૨) પ્રશ્ન:- જ્ઞાયક પણ આત્મા અને શેય પણ આત્મા?
સમાધાન - જ્ઞાયક ને શેય તરીકે અહીં તો પર્યાય લેવી છે અત્યારે તો તેની પર્યાય લેવી છે. કેમ કે જે જણાયો છે તે પર્યાય પોતાની છે. અને તેને તે જાણે છે પરંતુ પરને જાણે છે એમ નથી. તથા “વળી જે જ્ઞાયકપણે જણાયો’ એમ આવ્યું છે ને? તો તે
* ઇન્દ્રિયજ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com