________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૫ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
પૂ. ગુરુદેવશ્રીના વચનામૃત
* અહીં ઉપયોગની વાત ચાલે છે ઉપયોગ ચૈતન્યનું એંધાણ અથવા ચિહ્ન છે. ઉપયોગ આત્માને અવલંબે છે. આત્મદ્રવ્ય પણ શેય છે, ગુણ શેય છે ને પર્યાય પણ જ્ઞેય છે. ઉપયોગ પણ જ્ઞેય છે. ઉપયોગનો સ્વભાવ જાણવા દેખવાનો છે. તે પરજ્ઞેયોને અવલંબતો નથી, કારણ કે પ૨ શૈયોમાં ઉપયોગ નથી. જે જેનામાં ન હોય તેનું અવલંબન તે કેવી રીતે લ્યુ? ૫૨ શેયોમાં કોઈમાં જાણવા દેખવાનો સ્વભાવ એટલે કે ઉપયોગ નથી માટે ઉપયોગ ૫૨નું અવલંબન લ્યે તેવો ઉપયોગનો સ્વભાવ નથી.।। ૪૫૮।।
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી, પાનું ૩૫-૩૬, પેરા-૪)
* આત્માને ૫૨ શૈયોનું અવલંબન તો નથી જ પણ તેની જ્ઞાનપર્યાય જે ઉપયોગ તેને પણ શેયોનું અવલંબન નથી. ઉપયોગનો સ્વભાવ જાણવા દેખવાનો છે. તે જ્ઞેયોને લીધે જાણતો નથી. ઉપયોગનું આવું સ્વરૂપ છે એમ તે જ્ઞેયને તું જાણ, ઉપયોગ અકારણીય છે એમ જાણ. ઉપયોગમાં ૫૨ શેયનો અભાવ છે તો તેનું આલંબન કેવી રીતે હોય ? ન જ હોય. પણ વ્યવહારનું કથન આવે ત્યાં જીવો અજ્ઞાનના કા૨ણે ભૂલ કરી બેસે છે.।। ૪૫૯।।
(શ્રી અલિંગગ્રહણ પુસ્તકમાંથી, પાનું-૩૭, પેરા-૨ )
* ૫૨ પદાર્થને જ માત્ર લક્ષમાં લઈ, ૫૨ના અવલંબને પ્રગટ થતું જ્ઞાન તે જ્ઞાન જ નથી. નિમિત્તોના અવલંબનવાળું, મનના અવલંબનવાળું, ઇન્દ્રિયોના અવલંબનવાળું, પંચપરમેષ્ઠિના અવલંબનવાળું, શાસ્ત્રના અવલંબનવાળું-એવા એકલા પરલક્ષી જ્ઞાનને જ્ઞાન જ કહ્યું નથી, પણ
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com