SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી કે તે જ્ઞાતિમાં બીજા કરણ (સાધન)નો અભાવ છે. (સ્વયં આત્મા જ જ્ઞાતિનું સાધન છે.) તે આત્મા સ્વ-પર શરિરૂપ હોવાથી (અર્થાત્ તે સ્વયં સ્વને અને પરને પણ જાણતો હોવાથી તેને (તેનાથી ભિન્ન) અન્ય કરણનો (સાધનનો) અભાવ છે. માટે ચિંતાને છોડી સ્વ-સંવિત્તિ (એટલે સ્વસંવેદન) દ્વારા જ તેને જાણવો જોઈએ”. આત્મા સ્વ-પર પ્રતિભાસસ્વરૂપ છે. અર્થાત્ સ્વપરપ્રકાશક છે. તે સ્વયં પોતાને જાણતાં પર જણાઈ જાય છે, તેથી જાણવા માટે તેને બીજા કારણોની (સાધનોની) આવશ્યકતા રહેતી નથી. સ્વસંવેદનમાં જ્ઞતિ-ક્રિયાની નિષ્પત્તિ માટે બીજું કોઈ કરણ અથવા સાધકતમ હેતુ નથી, કારણ કે આત્મા સ્વયં સ્વ-પરજ્ઞતિરૂપ છે. માટે કારણોતરની(બીજા કારણની) ચિંતા છોડી સ્વ-શક્તિ દ્વારા જ આત્માને જાણવો જોઈએ. ૧૪૨ (શ્રી ઇષ્ટોપદેશ, પં. આશાધરજી ટીકા, ગાથા–૨૨) તે વખતે (સમાધિકાલમાં) આત્મામાં આત્માને જ દેખનાર યોગીને બાહ્યમાં પદાર્થો હોવા છતાં પરમ એકાગ્રતાના કારણે (આત્મા સિવાય) અન્ય કોઈપણ ભાસતું નથી” (માલૂમ પડતું નથી)., ૧૪૩ (શ્રી ઇષ્ટોપદેશમાંથી ઉદ્દધૃત્ત પાનું-૯૩, તત્ત્વાનુશાસન, શ્લોક-૧૭ર માં છે) વિશેષોથી અજ્ઞાત રહી, નિજરૂપમાં લીન થાય, સર્વ વિકલ્પાતીત તે, છૂટે, નહીં બંધાય. ૪૪ અન્વયાર્થ:- (બીજે ઠેકાણે) નહીં જતો (અન્યત્ર પ્રવૃત્તિ નહીં કરતો યોગી) તેના વિશેષોનો (અર્થાત્ દેહાદિના વિશેષોનો સૌંદર્ય, અસૌંદર્યાદિ ધર્મોનો ) અનભિન્ન રહે છે (તેનાથી અજાણ રહે છે) અને * જ્ઞાની એમ માને છે કે - હું નાકથી સુંઘતો નથી. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy