________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯ ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશકય હોવાથી “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી છે” એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દઢપણે સ્થાપિત કરે છે. તા ૬૧ ના
(શ્રી સમયસારજી ગાથા-૯-૧૦ ની ટીકા) જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે, એમ જાણવું. I ૬રના
(શ્રી સમયસારજી ગાથા-૯-૧૦ નો ભાવાર્થ) પરંતુ હવે ત્યાં, સામાન્યજ્ઞાનના આવિર્ભાવ ( પ્રગટપણું) અને વિશેષ ( શૈયાકાર) જ્ઞાનના તિરોભાવ (આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તો પણ જેઓ અજ્ઞાની છે, શયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. |૬૩ાા
(શ્રી સમયસારજી ગાથા-૧૫ ટીકામાંથી) દષ્ટાંતઃ- જેમ-અનેક તરેહના શાક આદિ ભોજનોના સંબંધથી
* ઇન્દ્રિયજ્ઞાન વૈભાવિક છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com