SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ગ્રાહક નહીં હોતા હૈં.।। ૨૧૧।। ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૦૦ (શ્રી સમયસાર, જયસેનાચાર્યકૃત ટીકા, ગાથા-૨૨૭, અજમે૨ પ્રકાશન ) દર્પણમાં મયૂર, મંદિર, સૂર્ય, વૃક્ષ વગેરેના પ્રતિબિંબ પડે છે. ત્યાં નિશ્ચયથી તો પ્રતિબિંબો દર્પણની જ અવસ્થા છે; છતાં દર્પણમાં પ્રતિબિંબો દેખીને, કાર્યમાં કારણનો ઉપચાર કરીને, ‘મયુરાદિ દર્પણમાં છે, એમ વ્યવહારથી કહેવાય છે. એવી રીતે જ્ઞાનદર્પણમાં સર્વ પદાર્થોના સમસ્ત જ્ઞેયાકારના પ્રતિબિંબો પડે છે અર્થાત્ પદાર્થોના શેયાકારોના નિમિત્તે જ્ઞાનમાં જ્ઞાનની અવસ્થારૂપ તૈયાકારો થાય છે (કારણ કે જો એમ ન થાય તો જ્ઞાન સર્વ પદાર્થોને જાણી શકે જ નહી ). ત્યાં નિશ્ચયથી તો જ્ઞાનમાં થતાં શૈયાકારો જ્ઞાનની જ અવસ્થા છે, પદાર્થોના શેયાકારો કાંઈ જ્ઞાનમાં પેઠાં નથી. નિશ્ચયથી આમ હોવા છતાં વ્યવહારથી જોઈએ તો, જ્ઞાનમાં થતાં શૈયાકારોના કારણ પદાર્થોના શેયાકારો છે અને તેમના કારણ પદાર્થો છે-એ રીતે પરંપરાએ જ્ઞાનમાં થતાં શૈયાકારોના કારણ પદાર્થો છે; માટે તે (જ્ઞાનની અવસ્થારૂપ ) શેયાકારોને જ્ઞાનમાં દેખીને કાર્યમાં કારણનો ઉપચાર કરીને પદાર્થો જ્ઞાનમાં છે’ એમ વ્યવહારથી કહી શકાય છે.।। ૨૧૨।। 6 (શ્રી પ્રવચનસારજી ગાથા-૩૧ નો ભાવાર્થ ) ભાવાર્થ આમ છે કે–જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે; તેથી શ્રુતજ્ઞાન વિના જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે.।। ૨૧૩।। (શ્રી સમયસાર કળશટીકા, કળશ-૯૩ માંથી ) * ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેય બદલ્યા કરે છે. * Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy