SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ૨૩ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી તે જ્ઞાનમાં વ્યાકુલતા હોય છે. તેથી એવા ઇન્દ્રિયજન્યજ્ઞાનમાં દુ:ખપણું ભલા પ્રકારથી સિદ્ધ થાય છે, કારણ કે જાણેલા પદાર્થ અંશ સિવાય બાકીના અંશો અજ્ઞાતરૂપ (નહીં જણાયેલા) રહેવાથી તેને જાણવાની આતુરતા આદિ તેમાં જોવામાં આવે છે।। ૪૨।। (શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૭૯) ઇન્દ્રિયજન્યજ્ઞાનમાં દુઃખપણું અસિદ્ધ નથી, કારણ કે તેમાં જાણતાં બાકી રહેલા શેયના અંશોને જાણવાની આતુરતા-અધિરાઈ વગેરે રહ્યા કરે છે તેથી તે જ્ઞાનમાં વ્યાકુળતાનો સદ્ભાવ સિદ્ધ થાય છે. વળી વ્યાકુળતા મોજુદ હોવાથી તે જ્ઞાનમાં દુઃખપણું સિદ્ધ થાય છે, અને એ દુ:ખપણાના સદ્દભાવથી તેમાં અનુપાદેયતાની પણ સિદ્ધિ થાય છે. ખરેખર તો મિથ્યાદ્દષ્ટિને ૫૨ ને જાણવાની રુચિ હોય છે. પણ સ્વને જાણવાની રુચિ હોતી જ નથી. તેથી તે દુ:ખી થાય છે. ।। ૪૩।। (શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૭૯ નો ભાવાર્થ) બાકીના અર્થોને જાણવાની ઇચ્છા રાખવાવાળું મન અજ્ઞાનથી વ્યાકુળ રહે છે, એતો દૂર રહો પરંતુ જે પદાર્થો છે તેમાં પણ ઉપયોગી થવાવાળું જ્ઞાન દુ:ખજનક જ હોય છે. ।। ૪૪।। (શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા-૨૮૦) જણાયેલા અંશ સિવાય બાકીના અર્થને જાણવાની આતુરતાઅધિરાઈ રહેવાથી અજ્ઞાનીનું મન માત્ર વ્યાકુળ રહે છે એમાં તો કહેવું જ શું! અર્થાત્ તે તો નિશ્ચયથી વ્યાકુળ છે જદુઃખરૂપ છે જ, પરંતુ જે પદાર્થ છે તેને જાણવામાં ઉપયોગી થવાવાળા * ઇન્દ્રિયજ્ઞાન તે આત્માને જાણવાનું સાધન નથી * Please inform us of any errors on [email protected]
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy