SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જણાય છે ખરેખર! પર જણાતું નથી) ગાગરમાં ભરી દીધું છે. આ રીતે આપે વિસ્તૃત જૈન દર્શનના હાર્દને સંક્ષિપ્ત કરીને ધ્યાન કેન્દ્રિત કરાવ્યું છે કેમકે ધ્યાનથી સાધ્યની સિદ્ધી થાય છે. - જિન શાસનના સ્તંભ શ્રી કુંદકુંદ આચાર્યદેવ દ્વારા વિરચિત અદ્દભુત, અજોડ, અદ્વિતીય પરમાગમ શ્રીસમયસારની ૬ઠ્ઠી ગાથાને આપે સ્વાનુભવથી પ્રમાણ કરી છે અને પોતાની સ્વાનુભવમયી સાતિશય વાણી દ્વારા પરમ કરુણા કરીને ભવ્ય જીવોને શુદ્ધાત્માનું સ્વરૂપ અને તેના અનુભવની વિધિ સ્પષ્ટ રીતે નિઃશંકપણે દર્શાવી છે. શુદ્ધાત્માનું સ્વરૂપ દર્શાવતા આપે ફરમાવ્યું કે-આત્મા પ્રમત અપ્રમતથી ભિન્ન છે. તેથી પરિણામ માત્રનો કર્તા નથી. અકર્તા છેઆ દ્રવ્યનો નિશ્ચય છે અને દૃષ્ટિનો વિષય છે. અને અનુભવની વિધિ દર્શાવતા આપે ફરમાવ્યું કે જ્ઞાન પરને જાણતું નથી–એમાં જ્ઞાન પરથી વ્યાવૃત થઈ જાય છે અને જાણનારો જણાય છે તેમાં આત્માની સન્મુખ થતાં એક નવું જાત્યાંતર અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે આ પર્યાયનો નિશ્ચય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો પર જણાતું નથી અને જાણનાર જણાય છે આ સત્યને તો સર્વ સ્વીકારી લે છે પણ સવિકલ્પ દશામાં પણ એટલે કે યાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જ જણાય છે. કારણકે જ્ઞાયક ઉપર જ લક્ષ છે. પર જણાતું નથી કેમકે પર ઉપર લક્ષ નથી. એક સિદ્ધાંત જ એવો છે કે જેના ઉપર લક્ષ હોય તે જ જણાય છે. અને જેના ઉપર લક્ષ ન હોય તેનો પ્રતિભાસ હોવા છતાં તે ખરેખર જણાતું નથી જણાય છતા જાણતો નથી. કેમકે લક્ષ ત્યાં નથી. આ રીતે સમ્યકજ્ઞાનનું લક્ષણ હર હાલતમાં પરદ્રવ્યથી પરામ્બુખ અને સ્વદ્રવ્યની સન્મુખ જ રહેવાનું છે. આ રીતે આપે સમ્યકજ્ઞાનનું સ્વરૂપ દર્શાવીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy