SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી પર્યાયમાં પરને વશ થયો થકો રાગ તે હું એવી મૂઢતા ઉત્પન્ન કરે છે. થોડા શબ્દોમાં મિથ્યાત્વ કેમ છે અને સમ્યકત્વ કેમ થાય એની વાત કરી છે. ૩૫૪ (શ્રી પ્રવચન રત્નાકર, ભાગ-૨, ગાથા-૧૭-૧૮, પાન-૩૫, પેરા-૧) તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિકચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણ તિર્યચપણું, મનુષ્યપણુ, દેવપણુ અને સિદ્ધપણુ-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે. આ ૩૫૫ ના (શ્રી અધ્યાત્મપ્રવચન રત્નત્રય, પ્રવચનસાર ગાથા-૧૧૪, પાનુ-૧૨૯, છેલ્લો પેરા) અહીં કહે છે..“ખરેખર સર્વવસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે (૧) સામાન્ય અને (૨) વિશેષને જાણનારા બે ચક્ષુઓ છે-(૧) દ્રવ્યાર્થિક અને (૨) પર્યાયાર્થિક' પાઠમાં (ગાથામાં) તો આટલું જ લીધું છે કે સામાન્યવિશેષને અનુક્રમે જોવા. પણ અહીં ટીકામાં સાથે જોવાની વાત પણ લેશે. ૩પ૬ IT (શ્રી અધ્યાત્મ પ્રવચન રત્નત્રય, પાનુ-૧૩૪, પેરા-૪) તો કહે છે...“તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.” લ્યો, અહીંથી ઉપાડયું છે. દ્રવ્યાર્થિક ચક્ષુને બંધ કરીને એમ ઉપાડ્યું નથી. કહે છે દ્રવ્યને જોવા માટે પર્યાયાર્થિક આંખને સર્વથા બંધ કરી દે. ગજબ વાત ભાઈ ! પર્યાય છે ખરી પણ તેને જોવા તરફની * ઈન્દ્રિયજ્ઞાન આત્માને તિરોભુત કરતું પ્રગટ થાય છે. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy