________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૮૦ જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે જોયાકારે પરિણમે છે એમ છે જ નહિ. આ જ્ઞાયકરૂપી દીવો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ પરિણામ જે જોય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે, અન્ય જ્ઞયરૂપ થતો નથી. જ્ઞયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, યની નથી. જ્ઞાનની પર્યાય શેયના જાણનપણે થઈ માટે તેને
યકૃત અશુદ્ધતા નથી. સાક્ષાત્ તીર્થકર ભગવાન સામે હોય અને તે જાણવાના આકારે જ્ઞાનનું પરિણમન થાય તો તે જ્ઞયના કારણે થયું એમ નથી. તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી પણ ખરેખર તત્ સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે. આત્મા જાણનાર છે તે જાણે છે, તે પરને જાણે છે કે નહિ? તો કહે છે કે પરને જાણવાના કાળે પણ સ્વનુ પરિણમન-જ્ઞાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણે નહીં. આ શાસ્ત્રના શબ્દો જે જ્ઞય છે એ શેયના આકારે જ્ઞાન થાય છે પણ તે જ્ઞય છે માટે જ્ઞાનનું અહીં પરિણમન થયું છે એમ ત્રણકાળમાં નથી. તે વખતે જ્ઞાનના પરિણમનની લાયકાતથી અર્થાત્ ?યનું જ્ઞાન થવાની પોતાની લાયકાતથી જ્ઞાન થયું છે.
જ્ઞાન શેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે. જ્ઞય છે માટે પરિણમે છે એમ નથી. ૩ર૬IT (શ્રી પ્રવચન રત્નાકર ભાગ-૧, પાન-૯૮, ગાથા-૬ ટીકા ઉપરનું
પ્રવચન) જેમ અરીસો હોય તેમાં સામે જેવી ચીજ કોલસા, શ્રીફળ વગેરે હોય તેવી ચીજ ત્યાં જણાય એ રૂપે અરીસો પરિણમ્યો છે, એ અરીસાની અવસ્થા છે. અંદર દેખાય એ કોલસા કે શ્રીફળ નથી. એ
* જ્ઞાની એમ માને છે કે - હું મનથી છ દ્રવ્યને જાણતો નથી. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com